Breaking News: KKRના ખેલાડી સાથે ચીટિંગ? બોલ બેટ્સમેનના શરીર પર વાગ્યો અને તેને રન આઉટ આપવામાં આવ્યો
IPL 2026 ની 38મી મેચમાં એક ચોંકાવનારી ઘટના બની. કોલકાતા નાઈટ રાઇડર્સના બેટ્સમેન અંગક્રિશ રઘુવંશીના રનઆઉટથી વિવાદ થયો. જે બાદ KKR સાથે ચીટિંગ થઈ હોવાનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. જાણો શું છે સમગ્ર મામલો.

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે IPL 2026 ની 38મી મેચમાં એક વિવાદાસ્પદ અને આઘાતજનક ઘટનાએ આખા સ્ટેડિયમને હચમચાવી નાખ્યું. યુવા બેટ્સમેન અંગક્રિશ રઘુવંશીને રન આઉટ કરવાના ત્રીજા અમ્પાયરના નિર્ણયથી ભારે હોબાળો મચી ગયો. કોલકાતા નાઈટ રાઈડર્સ કેમ્પ સ્પષ્ટપણે નારાજ હતું અને અંગક્રિશ રઘુવંશીએ પણ પોતાની નારાજગી દર્શાવી હતી.
શું છે સમગ્ર મામલો
પ્રિન્સ યાદવે KKR ની ઇનિંગની પાંચમી ઓવર નાખી. ઓવરના છેલ્લા બોલ પર અંગક્રિશ રઘુવંશીએ મિડ-ઓન તરફ બેક-ઓફ-લેન્થ શોટ રમ્યો અને રન લેવા દોડવા લાગ્યો. જોકે, મોહમ્મદ શમીએ બોલ પકડી લીધો અને રઘુવંશી અડધે રસ્તે અટકીને પાછો ફર્યો, રઘુવંશીને રન આઉટ કરવા માટે શમીએ થ્રો કર્યો અને અને રઘુવંશીએ ડાઇવ મારી. જોકે, બોલ રઘુવંશીના શરીર પર વાગ્યો. જે બાદ વિવાદ થયો.
થર્ડ અમ્પાયરે રઘુવંશીને આઉટ જાહેર કર્યો
આ ઘટના બાદ, લખનૌ સુપર જાયન્ટ્સ ટીમે અપીલ શરૂ કરી. શરૂઆતમાં એવું લાગતું હતું કે રઘુવંશીએ થ્રો લાઈનમાં જાણીજોઈને વચ્ચે આવવા માટે ડાઈવ કરી નથી. જોકે, જ્યારે થર્ડ અમ્પાયરે રિપ્લેમાં ચેક કર્યું ત્યારે કહાની બદલાઈ ગઈ. થર્ડ અમ્પાયરના મતે રઘુવંશીનો ટર્નિંગ રેડિયસ સામાન્ય કરતાં વધુ હતો. તેણે બોલ તરફ પણ જોયું અને દિશા બદલી. ડાઇવ કરતી વખતે તે કટ સ્ટ્રીપની બહાર ગયો. થર્ડ અમ્પાયર આ મૂલ્યાંકન સાથે સંમત થયા અને રઘુવંશીને આઉટ જાહેર કર્યો.
?!
Mix-up. Long turn. Third umpire drama… & Raghuvanshi is given OUT for obstructing the field!
Just the 4️⃣th instance of a batter being given out for obstructing the field in TATA IPL #TATAIPL 2026 ➡️ #LSGvKKR | LIVE NOW… pic.twitter.com/WRgr608Odb
— Star Sports (@StarSportsIndia) April 26, 2026
અમ્પાયરના નિર્ણય પર રઘુવંશી ગુસ્સે થયો
આ નિર્ણય પછી રઘુવંશી સ્પષ્ટપણે નારાજ હતો. તેણે મેદાન પર પોતાની નારાજગી વ્યક્ત કરી. તેણે પોતાનું હેલ્મેટ ફેંકી દીધું અને બાઉન્ડ્રી લાઇન પર બેટ પણ ફેરવ્યું. અંગક્રિશ રઘુવંશી 8 બોલમાં 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા.
ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ નિયમ શું છે?
ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ નિયમ જણાવે છે કે જો કોઈ બેટ્સમેન બોલ રમતમાં હોય ત્યારે ફિલ્ડિંગ ટીમને જાણી જોઈને અવરોધે છે તો તેને આઉટ જાહેર કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ બેટ્સમેન ફિલ્ડરના થ્રોને રોકવા અથવા સ્ટમ્પ પર અથડાતા અટકાવવા માટે દોડતી વખતે ઇરાદાપૂર્વક દિશા બદલી નાખે છે, તો તેને ફિલ્ડમાં અવરોધ મૂકવા બદલ આઉટ જાહેર કરી શકાય છે.
ચેક કર્યા બાદ આઉટ જાહેર કરી શકાય
આ નિયમમાં બેટ્સમેનનો ટર્નિંગ રેડિયસ સામાન્ય કરતાં વધારે હતો કે નહીં અને તેણે થ્રો સાથે સુસંગત થવા માટે દિશા બદલી હતી કે નહીં તે ધ્યાનમાં લેવામાં આવે છે. જો બેટ્સમેન જાણી જોઈને તેના બેટ અથવા શરીરથી બોલને રોકવા અથવા પાછો ફેંકવાનો પ્રયાસ કરે તો પણ આ આઉટ જાહેર કરી શકાય છે. અંગક્રિશ રઘુવંશીની ઘટનામાં આવી જ એક ઘટના બની હતી, જ્યાં અમ્પાયરે માન્યું હતું કે તેણે ઇરાદાપૂર્વક આવું કર્યું છે, પરંતુ તેણે કહ્યું કે તે ફક્ત ક્રીઝ પર પાછા ફરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
