AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રવિચંદ્રન અશ્વિન

રવિચંદ્રન અશ્વિન

રવિચંદ્રન અશ્વિનનો જન્મ 17 સપ્ટેમ્બર 1986ના રોજ એક તમિલ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ રવિચંદ્રન માતાનું નામ ચિત્રા છે. અશ્વિનને નાનપણથી જ ક્રિકેટમાં રસ હતો. તેના પિતા પણ ક્રિકેટના મોટા ફેન છે. આર અશ્વિને 13 નવેમ્બર 2011ના રોજ પ્રીતિ નારાયણ સાથે લગ્ન કર્યા હતા. અશ્વિનને બે દીકરીઓ છે. રવિચંદ્રન અશ્વિન જમણા હાથનો ઓફ સ્પિન બોલર છે. તે ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરે છે અને 2011 ક્રિકેટ વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો. તે સ્થાનિક ક્રિકેટમાં તમિલનાડુ અને સાઉથ ઝોન માટે અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પણ ટીમને અનેક વખત જીતાડી ચૂક્યો છે.

અશ્વિનને 2008માં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની શરૂઆતની સિઝન માટે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) દ્વારા ખરીદવામાં આવ્યો હતો. અશ્વિને 2009ની સીઝન દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ડેબ્યુ કર્યું હતું અને 2015 સુધી સતત આઠ સીઝન સુધી ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ચેન્નાઈએ 2010માં ચેમ્પિયન્સ લીગનો ખિતાબ જીત્યો અને અશ્વિનને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યો. અશ્વિને તેનું બીજું ચેમ્પિયન્સ લીગ ટી20 ટાઇટલ 2014માં CSK સાથે જીત્યું.

અશ્વિને 20 વર્ષની ઉંમરે 2006માં હરિયાણા સામેની રણજી ટ્રોફી મેચમાં તમિલનાડુ માટે પ્રથમ વર્ગમાં પદાર્પણ કર્યું હતું અને છ વિકેટ ઝડપી હતી. ત્યારબાદ આર અશ્વિને ક્રિકેટમાં ક્યારે પણ પાછળ વળીને જોયું નથી, અનેક નવા નવા રેકોર્ડ બનાવી પણ રહ્યો છે, જૂના રેકોર્ડ તોડી રહ્યો છે.

Read More

Breaking News: 2011નો વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાના 15 ખેલાડીઓ 15 વર્ષ બાદ આજે ક્યાં છે?

15 વર્ષ પહેલા આજના જ દિવસે ભારતે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. 2011નો વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાના તે 15 ખેલાડીઓ બાદમાં દેશ માટે રમ્યા અને નિવૃત્તિ બાદ ત્રણ ખેલાડીઓ સાંસદ બન્યા, કેટલાક ક્રિકેટ કોચિંગમાં ગયા, જ્યારે કેટલાક કોમેન્ટ્રી દ્વારા ક્રિકેટ સાથે જોડાયેલા રહ્યા. સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીર જેવા દિગ્ગજો સહિત તે ટીમના તમામ સભ્યો આજે ક્યાં છે અને તેઓ શું કરી રહ્યા છે? ચાલો જાણીએ.

Breaking News: વૈભવ સૂર્યવંશીને ટીમ ઈન્ડિયાથી દૂર રાખો… 15 બોલમાં અડધી સદી છતાં અશ્વિને આવું કેમ કહ્યું?

ચેન્નાઈ સુપર કિંગ્સ સામે વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 બોલમાં અડધી સદી ફટકારી હતી જેના કારણે ફરી એકવાર સવાલ ઉભા થયા છે કે શું તેને ટીમ ઈન્ડિયામાં તક આપવી જોઈએ. મોટાભાગના દિગ્ગજ પૂર્વ ખેલાડીઓ તેના પક્ષમાં છે, પણ અશ્વિન હાલમાં આના પક્ષમાં નથી. જાણો કેમ.

Breaking News : ODI વર્લ્ડ કપ 2027 માંથી આ 5 સ્ટાર ભારતીય ખેલાડીઓનું પત્તું કપાશે!

2027નો વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા સહિત ત્રણ દેશોમાં યોજાવાનો છે અને ટીમ ઈન્ડિયા ટાઈટલના દાવેદાર તરીકે પ્રવેશ કરશે. જોકે, ગયા વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચેલી ટીમના કેટલાક સ્ટાર ખેલાડીઓ આ વખતે ટીમનો ભાગ રહેશે નહીં. જાણો કોણ છે આ પાંચ ખેલાડીઓ.

ODI World Cup 2027માં નહીં રમે આ ખેલાડીઓ, ટીમ ઈન્ડિયામાં ગત વર્લ્ડ કપની સરખામણીએ જોવા મળી શકે છે 5 નવા ચહેરા

India Squad, ODI World Cup 2027: ભારતની વર્લ્ડ કપ ટીમ 2027માં કેવી હશે ? 2023 ના વર્લ્ડ કપની સરખામણીમાં ટીમ ઈન્ડિયા અલગ જોવા મળી શકે છે.

IPL Facts : મેદાન પર કિંગનો દબદબો : આ ખેલાડીઓ સામે બનાવ્યા છે સૌથી વધુ રન

IPLમાં વિરાટ કોહલીનો દબદબો સ્પષ્ટપણે જોવા મળે છે. ભલે અમુક ખેલાડીઓએ કોહલીને વારંવાર આઉટ કર્યો હોય, પરંતુ તેમની વિરુદ્ધ રન પણ કોહલીએ બનાવ્યા છે. ખાસ કરીને અનુભવી ખેલાડીઓ સામે તેનો આત્મવિશ્વાસ અને રન બનાવવાની ક્ષમતા તેને આ લીગમાં 'કિંગ' બનાવે છે. તો ચાલો જાણીએ કયા 5 બોલર વિરુદ્ધ વિરાટ કોહલીએ વધારે રન બનાવ્યા છે.

‘જસપ્રીત બુમરાહ પછી શું…’ અશ્વિને ટીમ ઈન્ડિયાને આપી ચેતવણી, જાણો શું કહ્યું?

જસપ્રીત બુમરાહ ભારતીય બોલિંગનું નેતૃત્વ કરે છે. તેઓ પોતાના દમ પર મેચનો પાયો ફેરવવાની સક્ષમ રાખે છે. ભૂતપૂર્વ ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને ભારતીય ટીમને ચેતવણી આપી છે.

T20 World Cup Breaking : પાંચ વર્ષ પહેલા નામિબિયા સામે રમનારા 5 સ્ટાર ભારતીય ખેલાડીઓની કારકિર્દીનો અંત

ભારત અને નામિબિયા વચ્ચે 2026 T20 વર્લ્ડ કપ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ ફોર્મેટમાં બંને ટીમો વચ્ચે આ બીજી વાર મુકાબલો થશે. છેલ્લી ટક્કર લગભગ પાંચ વર્ષ પહેલા થઈ હતી. નામિબિયા સામે આ મેચમાં રમનારા 5 ભારતીય ખેલાડીઓની કારકિર્દીનો અંત આવી ગયો છે. જાણો કોણ છે આ ખેલાડીઓ.

ડેબ્યૂ મેચ પહેલા જ ઘાયલ થયો સ્ટાર ભારતીય ખેલાડી, આખી સિઝનમાંથી થયો બહાર

ઈજાના કારણે અશ્વિન બિગ બેશ લીગમાંથી બહાર થઈ ગયો છે. અશ્વિને આ વર્ષની શરૂઆતમાં બિગ બેશ લીગમાં જોડાવા માટે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. જો કે ઈજાને કારણે હવે તે બિગ બેશ લીગમાં પોતાની ડેબ્યૂ સિઝનમાંથી જ બહાર થઈ ગયો છે.

દિવાળી પર ઓનલાઈન છેતરપિંડીથી માંડ માંડ બચ્યો ક્રિકેટર, જાણો સમગ્ર મામલો

ઓનલાઈન છેતરપિંડીનો એક નવો કેસ સામે આવ્યો છે. ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિનને ઓસ્ટ્રેલિયાના ખેલાડી એડમ ઝમ્પાના નામથી એક સ્કેમરે સંપર્ક કર્યો હતો. સ્કેમરે અશ્વિન પાસે ભારતીય ટીમના ખેલાડીઓના નંબર માંગ્યા હતા.

અજીત અગરકર આવ્યો અને એક પછી એક સ્ટાર ખેલાડીઓ માટે ટીમ ઈન્ડિયાના દરવાજા થયા બંધ

ગયા વર્ષે ટીમ ઈન્ડિયામાં નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા છે. ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશીપ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. ઘણા નવા ખેલાડીઓએ ટીમમાં પોતાને સ્થાપિત કર્યા છે. જોકે, આ ફેરફારની સોશિયલ મીડિયા પર ચાહકો અને નિષ્ણાતો દ્વારા ટીકા કરવામાં આવી છે, ગંભીર પર તેના આગમન સાથે તરત જ આ ફેરફારો શરૂ કરવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. જ્યારે આ સાચું છે, મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે પડદા પાછળ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, તેના આગમન પછી ઘણા ભારતીય ક્રિકેટ દિગ્ગજો નિવૃત્તિ લઈ રહ્યા છે.

હવે ભારત-પાકિસ્તાનના ખેલાડી સાથે રમશે, તેઓ હાથ મિલાવશે અને એકબીજાને ગળે લગાવશે?

પૂર્વ ભારતીય ક્રિકેટર આર. અશ્વિનની ટીમ બિગ બેશ લીગની 15મી સિઝનમાં રમશે. રસપ્રદ વાત એ છે કે આ ટીમમાં પાકિસ્તાની ખેલાડી શાદાબ ખાન પણ છે. પ્રશ્ન એ છે કે, શું તે આ પાકિસ્તાની ખેલાડી સાથે રમશે?

Ravichandran Ashwin : આર અશ્વિનને ટીમ ઈન્ડિયામાં મળી એન્ટ્રી, આ ટુર્નામેન્ટમાં રમશે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી આર અશ્વિને તાજેતરમાં જ IPLમાંથી પણ નિવૃત્તિ લીધી હતી, પરંતુ હવે આ ખેલાડી વાપસી કરવા માટે તૈયાર છે. અશ્વિન ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયા માટે રમતો જોવા મળશે.

Breaking News : રવિચંદ્રન અશ્વિને IPLમાંથી સંન્યાસ લીધો, નિર્ણય પાછળ આ મોટું કારણ આપ્યું

Ravichandran Ashwin Retire from IPL: અશ્વિને હવે IPLમાંથી પણ સંન્યાસ લઈ લીધો છે. તેણે સંન્યાસ પછી શું કરવા જઈ રહ્યો છે તે અંગે પણ મોટો સંકેત આપ્યો છે.

IND vs ENG : લોર્ડ્સમાં ભારતની હાર બાદ ટીકાઓનો વરસાદ, અશ્વિન-પઠાણ-કૈફે ઊઠાવ્યા સવાલ

ભારત લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ સામે ત્રીજા ટેસ્ટમાં 193 રનના ટાર્ગેટ સામે ટીમ ઈન્ડિયા માત્ર 170 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ હાર સાથે ટીમ ઈન્ડિયા પાંચ મેચની શ્રેણીમાં હવે 1-2થી પાછળ થઈ ગઈ છે. હાર બાદ રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ અને કેપ્ટન શુભમન ગિલ પૂર્વ ક્રિકેટરોના નિશાના પર આવી ગયા છે. આ પૂર્વ ક્રિકેટરોએ હારના કારણો પર ખુલાસો કરતા ટિપ્પણીઓ કરી છે.

રવિચંદ્રન અશ્વિન મોટા વિવાદમાં ફસાયો, જીત બાદ લાગ્યો ગંભીર આરોપ

ટીમ ઈન્ડિયાનો પૂર્વ સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિન હાલમાં તમિલનાડુ પ્રીમિયર લીગ 2025માં રમી રહ્યા છે. પરંતુ આ લીગની વચ્ચે, તે એક મોટા વિવાદમાં ફસાઈ ગયો છે. આર. અશ્વિનના કેપ્ટનશીપ હેઠળની ડિંડીગુલ ડ્રેગન્સ ટીમ પર બોલ ટેમ્પરિંગના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.

કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
g clip-path="url(#clip0_868_265)">