AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રવિચંદ્રન અશ્વિન

રવિચંદ્રન અશ્વિન

રવિચંદ્રન અશ્વિનનો જન્મ 17 સપ્ટેમ્બર 1986ના રોજ એક તમિલ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ રવિચંદ્રન માતાનું નામ ચિત્રા છે. અશ્વિનને નાનપણથી જ ક્રિકેટમાં રસ હતો. તેના પિતા પણ ક્રિકેટના મોટા ફેન છે. આર અશ્વિને 13 નવેમ્બર 2011ના રોજ પ્રીતિ નારાયણ સાથે લગ્ન કર્યા હતા. અશ્વિનને બે દીકરીઓ છે. રવિચંદ્રન અશ્વિન જમણા હાથનો ઓફ સ્પિન બોલર છે. તે ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરે છે અને 2011 ક્રિકેટ વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો. તે સ્થાનિક ક્રિકેટમાં તમિલનાડુ અને સાઉથ ઝોન માટે અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પણ ટીમને અનેક વખત જીતાડી ચૂક્યો છે.

અશ્વિનને 2008માં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની શરૂઆતની સિઝન માટે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) દ્વારા ખરીદવામાં આવ્યો હતો. અશ્વિને 2009ની સીઝન દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ડેબ્યુ કર્યું હતું અને 2015 સુધી સતત આઠ સીઝન સુધી ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ચેન્નાઈએ 2010માં ચેમ્પિયન્સ લીગનો ખિતાબ જીત્યો અને અશ્વિનને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યો. અશ્વિને તેનું બીજું ચેમ્પિયન્સ લીગ ટી20 ટાઇટલ 2014માં CSK સાથે જીત્યું.

અશ્વિને 20 વર્ષની ઉંમરે 2006માં હરિયાણા સામેની રણજી ટ્રોફી મેચમાં તમિલનાડુ માટે પ્રથમ વર્ગમાં પદાર્પણ કર્યું હતું અને છ વિકેટ ઝડપી હતી. ત્યારબાદ આર અશ્વિને ક્રિકેટમાં ક્યારે પણ પાછળ વળીને જોયું નથી, અનેક નવા નવા રેકોર્ડ બનાવી પણ રહ્યો છે, જૂના રેકોર્ડ તોડી રહ્યો છે.

Read More

ડેબ્યૂ મેચ પહેલા જ ઘાયલ થયો સ્ટાર ભારતીય ખેલાડી, આખી સિઝનમાંથી થયો બહાર

ઈજાના કારણે અશ્વિન બિગ બેશ લીગમાંથી બહાર થઈ ગયો છે. અશ્વિને આ વર્ષની શરૂઆતમાં બિગ બેશ લીગમાં જોડાવા માટે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. જો કે ઈજાને કારણે હવે તે બિગ બેશ લીગમાં પોતાની ડેબ્યૂ સિઝનમાંથી જ બહાર થઈ ગયો છે.

દિવાળી પર ઓનલાઈન છેતરપિંડીથી માંડ માંડ બચ્યો ક્રિકેટર, જાણો સમગ્ર મામલો

ઓનલાઈન છેતરપિંડીનો એક નવો કેસ સામે આવ્યો છે. ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિનને ઓસ્ટ્રેલિયાના ખેલાડી એડમ ઝમ્પાના નામથી એક સ્કેમરે સંપર્ક કર્યો હતો. સ્કેમરે અશ્વિન પાસે ભારતીય ટીમના ખેલાડીઓના નંબર માંગ્યા હતા.

અજીત અગરકર આવ્યો અને એક પછી એક સ્ટાર ખેલાડીઓ માટે ટીમ ઈન્ડિયાના દરવાજા થયા બંધ

ગયા વર્ષે ટીમ ઈન્ડિયામાં નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા છે. ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશીપ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. ઘણા નવા ખેલાડીઓએ ટીમમાં પોતાને સ્થાપિત કર્યા છે. જોકે, આ ફેરફારની સોશિયલ મીડિયા પર ચાહકો અને નિષ્ણાતો દ્વારા ટીકા કરવામાં આવી છે, ગંભીર પર તેના આગમન સાથે તરત જ આ ફેરફારો શરૂ કરવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. જ્યારે આ સાચું છે, મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે પડદા પાછળ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, તેના આગમન પછી ઘણા ભારતીય ક્રિકેટ દિગ્ગજો નિવૃત્તિ લઈ રહ્યા છે.

હવે ભારત-પાકિસ્તાનના ખેલાડી સાથે રમશે, તેઓ હાથ મિલાવશે અને એકબીજાને ગળે લગાવશે?

પૂર્વ ભારતીય ક્રિકેટર આર. અશ્વિનની ટીમ બિગ બેશ લીગની 15મી સિઝનમાં રમશે. રસપ્રદ વાત એ છે કે આ ટીમમાં પાકિસ્તાની ખેલાડી શાદાબ ખાન પણ છે. પ્રશ્ન એ છે કે, શું તે આ પાકિસ્તાની ખેલાડી સાથે રમશે?

Ravichandran Ashwin : આર અશ્વિનને ટીમ ઈન્ડિયામાં મળી એન્ટ્રી, આ ટુર્નામેન્ટમાં રમશે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી આર અશ્વિને તાજેતરમાં જ IPLમાંથી પણ નિવૃત્તિ લીધી હતી, પરંતુ હવે આ ખેલાડી વાપસી કરવા માટે તૈયાર છે. અશ્વિન ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયા માટે રમતો જોવા મળશે.

Breaking News : રવિચંદ્રન અશ્વિને IPLમાંથી સંન્યાસ લીધો, નિર્ણય પાછળ આ મોટું કારણ આપ્યું

Ravichandran Ashwin Retire from IPL: અશ્વિને હવે IPLમાંથી પણ સંન્યાસ લઈ લીધો છે. તેણે સંન્યાસ પછી શું કરવા જઈ રહ્યો છે તે અંગે પણ મોટો સંકેત આપ્યો છે.

IND vs ENG : લોર્ડ્સમાં ભારતની હાર બાદ ટીકાઓનો વરસાદ, અશ્વિન-પઠાણ-કૈફે ઊઠાવ્યા સવાલ

ભારત લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ સામે ત્રીજા ટેસ્ટમાં 193 રનના ટાર્ગેટ સામે ટીમ ઈન્ડિયા માત્ર 170 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ હાર સાથે ટીમ ઈન્ડિયા પાંચ મેચની શ્રેણીમાં હવે 1-2થી પાછળ થઈ ગઈ છે. હાર બાદ રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ અને કેપ્ટન શુભમન ગિલ પૂર્વ ક્રિકેટરોના નિશાના પર આવી ગયા છે. આ પૂર્વ ક્રિકેટરોએ હારના કારણો પર ખુલાસો કરતા ટિપ્પણીઓ કરી છે.

રવિચંદ્રન અશ્વિન મોટા વિવાદમાં ફસાયો, જીત બાદ લાગ્યો ગંભીર આરોપ

ટીમ ઈન્ડિયાનો પૂર્વ સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિન હાલમાં તમિલનાડુ પ્રીમિયર લીગ 2025માં રમી રહ્યા છે. પરંતુ આ લીગની વચ્ચે, તે એક મોટા વિવાદમાં ફસાઈ ગયો છે. આર. અશ્વિનના કેપ્ટનશીપ હેઠળની ડિંડીગુલ ડ્રેગન્સ ટીમ પર બોલ ટેમ્પરિંગના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.

Ravindra Jadeja Captain : શું રવીન્દ્ર જાડેજા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનશે ?

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શુભમન ગિલને ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવશે. પરંતુ હવે ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ રવીન્દ્ર જાડેજાને આપવાની માંગ થઈ રહી છે. આ માંગ કોણે કરી છે અને શું જાડેજા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનશે?

IPL 2025 : શું ઝઘડાને કારણે ચેન્નાઈ સુપર કિંગ્સે રવિચંદ્રન અશ્વિનને ટીમમાંથી બહાર કરી દીધો હતો?

ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2025માંથી બહાર થઈ ગઈ છે. પંજાબ કિંગ્સ સામેની હાર બાદ, પ્લેઓફમાં પહોંચવાનું CSKનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. ચેન્નાઈના ખરાબ પ્રદર્શન પછી હવે હરભજન સિંહે અશ્વિન વિશે કંઈક એવું કહ્યું છે જે ચોંકાવનારું છે.

LSG vs CSK : IPL 2025માં ધોનીએ લીધો કઠોર નિર્ણય, તેના ચહિતા અશ્વિનને જ ટીમમાંથી કર્યો બહાર

ચેન્નાઈ સુપર કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સ સામે એક એવો નિર્ણય લીધો જેણે બધા ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ચેન્નાઈએ તેના શ્રેષ્ઠ અને સૌથી અનુભવી સ્પિનર ​​આર.અશ્વિનને પ્લેઈંગ 11 માંથી પડતો મૂક્યો હતો. ધોનીએ તેના ચહિતા અશ્વિનને બહાર કરી તેની જગ્યાએ યુવા ખેલાડીને ટીમમાં તક આપી હતી.

BCCI Awards : જસપ્રીત બુમરાહ-સ્મૃતિ મંધાના બન્યા બેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર, સચિન-અશ્વિનને મળ્યું વિશેષ સન્માન

BCCI એ 2023-24 સિઝનમાં ભારતીય ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓનું સન્માન કર્યું હતું, જેમાં માત્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જ નહીં, પરંતુ સ્થાનિક ક્રિકેટના ઉભરતા અને અનુભવી ખેલાડીઓને પણ તેમના યાદગાર પ્રદર્શન માટે પુરસ્કારો મળ્યા હતા. BCCI એવોર્ડ્સમાં સ્મૃતિ મંધાના અને જસપ્રીત બુમરાહને વર્ષના શ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જ્યારે સચિન તેંડુલકર અને રવિચંદ્રન અશ્વિનનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

ટેસ્ટ ક્રિકેટને અલવિદા કર્યા બાદ આર. અશ્વિન આવ્યો નવા વિવાદમાં, જાણો સમગ્ર ઘટના

અશ્વિન હાલમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો હતો. હાલમાં વિદ્યાર્થીને સંબોધિત કરતા તેમણે પોતાના ક્રિકેટ કરિયર વિશે પણ વાત કરી હતી. અશ્વિને પોતાના સ્પષ્ટ વિચારો માટે પ્રખ્યાત છે.

IND vs AUS : ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, અશ્વિનના સ્થાને આવ્યો આ ખેલાડી, BCCIએ સિરીઝની વચ્ચે લીધો નિર્ણય

ઓફ સ્પિનર ​​તનુષ કોટિયનને મેલબોર્ન અને સિડની ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી છે. આર અશ્વિનની નિવૃત્તિ બાદ BCCIએ આ મોટો નિર્ણય લીધો છે. તનુષ મુંબઈનો ખેલાડી છે અને બોલિંગની સાથે તે સારી બેટિંગ પણ કરે છે.

Ashwin retirement : સંન્યાસ પછી રવિચંદ્રન અશ્વિને કોલ હિસ્ટ્રી શેર કેમ કરી, જાણો

સંન્યાસ લીધા બાદ અશ્વિને પોતાની કોલ હિસ્ટ્રી સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેમણે પોસ્ટ શેર કરીને જે કહ્યું તે વધુ રસપ્રદ છે. અશ્વિને હાર્ટ અટેકની વાત કરી છે.સવાલ છે કેમ, કોલ હિસ્ટ્રીમાં તેમણે શું દેખાડ્યું છે. ચાલો જોઈએ.

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">