
રવિચંદ્રન અશ્વિન
રવિચંદ્રન અશ્વિનનો જન્મ 17 સપ્ટેમ્બર 1986ના રોજ એક તમિલ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ રવિચંદ્રન માતાનું નામ ચિત્રા છે. અશ્વિનને નાનપણથી જ ક્રિકેટમાં રસ હતો. તેના પિતા પણ ક્રિકેટના મોટા ફેન છે. આર અશ્વિને 13 નવેમ્બર 2011ના રોજ પ્રીતિ નારાયણ સાથે લગ્ન કર્યા હતા. અશ્વિનને બે દીકરીઓ છે. રવિચંદ્રન અશ્વિન જમણા હાથનો ઓફ સ્પિન બોલર છે. તે ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરે છે અને 2011 ક્રિકેટ વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો. તે સ્થાનિક ક્રિકેટમાં તમિલનાડુ અને સાઉથ ઝોન માટે અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પણ ટીમને અનેક વખત જીતાડી ચૂક્યો છે.
અશ્વિનને 2008માં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની શરૂઆતની સિઝન માટે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) દ્વારા ખરીદવામાં આવ્યો હતો. અશ્વિને 2009ની સીઝન દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ડેબ્યુ કર્યું હતું અને 2015 સુધી સતત આઠ સીઝન સુધી ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ચેન્નાઈએ 2010માં ચેમ્પિયન્સ લીગનો ખિતાબ જીત્યો અને અશ્વિનને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યો. અશ્વિને તેનું બીજું ચેમ્પિયન્સ લીગ ટી20 ટાઇટલ 2014માં CSK સાથે જીત્યું.
અશ્વિને 20 વર્ષની ઉંમરે 2006માં હરિયાણા સામેની રણજી ટ્રોફી મેચમાં તમિલનાડુ માટે પ્રથમ વર્ગમાં પદાર્પણ કર્યું હતું અને છ વિકેટ ઝડપી હતી. ત્યારબાદ આર અશ્વિને ક્રિકેટમાં ક્યારે પણ પાછળ વળીને જોયું નથી, અનેક નવા નવા રેકોર્ડ બનાવી પણ રહ્યો છે, જૂના રેકોર્ડ તોડી રહ્યો છે.
LSG vs CSK : IPL 2025માં ધોનીએ લીધો કઠોર નિર્ણય, તેના ચહિતા અશ્વિનને જ ટીમમાંથી કર્યો બહાર
ચેન્નાઈ સુપર કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સ સામે એક એવો નિર્ણય લીધો જેણે બધા ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ચેન્નાઈએ તેના શ્રેષ્ઠ અને સૌથી અનુભવી સ્પિનર આર.અશ્વિનને પ્લેઈંગ 11 માંથી પડતો મૂક્યો હતો. ધોનીએ તેના ચહિતા અશ્વિનને બહાર કરી તેની જગ્યાએ યુવા ખેલાડીને ટીમમાં તક આપી હતી.
- Smit Chauhan
- Updated on: Apr 14, 2025
- 8:32 pm
BCCI Awards : જસપ્રીત બુમરાહ-સ્મૃતિ મંધાના બન્યા બેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર, સચિન-અશ્વિનને મળ્યું વિશેષ સન્માન
BCCI એ 2023-24 સિઝનમાં ભારતીય ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓનું સન્માન કર્યું હતું, જેમાં માત્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જ નહીં, પરંતુ સ્થાનિક ક્રિકેટના ઉભરતા અને અનુભવી ખેલાડીઓને પણ તેમના યાદગાર પ્રદર્શન માટે પુરસ્કારો મળ્યા હતા. BCCI એવોર્ડ્સમાં સ્મૃતિ મંધાના અને જસપ્રીત બુમરાહને વર્ષના શ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જ્યારે સચિન તેંડુલકર અને રવિચંદ્રન અશ્વિનનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
- Smit Chauhan
- Updated on: Feb 1, 2025
- 9:37 pm
ટેસ્ટ ક્રિકેટને અલવિદા કર્યા બાદ આર. અશ્વિન આવ્યો નવા વિવાદમાં, જાણો સમગ્ર ઘટના
અશ્વિન હાલમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો હતો. હાલમાં વિદ્યાર્થીને સંબોધિત કરતા તેમણે પોતાના ક્રિકેટ કરિયર વિશે પણ વાત કરી હતી. અશ્વિને પોતાના સ્પષ્ટ વિચારો માટે પ્રખ્યાત છે.
- Nirupa Duva
- Updated on: Jan 10, 2025
- 4:34 pm
IND vs AUS : ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, અશ્વિનના સ્થાને આવ્યો આ ખેલાડી, BCCIએ સિરીઝની વચ્ચે લીધો નિર્ણય
ઓફ સ્પિનર તનુષ કોટિયનને મેલબોર્ન અને સિડની ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી છે. આર અશ્વિનની નિવૃત્તિ બાદ BCCIએ આ મોટો નિર્ણય લીધો છે. તનુષ મુંબઈનો ખેલાડી છે અને બોલિંગની સાથે તે સારી બેટિંગ પણ કરે છે.
- Smit Chauhan
- Updated on: Dec 23, 2024
- 5:36 pm
Ashwin retirement : સંન્યાસ પછી રવિચંદ્રન અશ્વિને કોલ હિસ્ટ્રી શેર કેમ કરી, જાણો
સંન્યાસ લીધા બાદ અશ્વિને પોતાની કોલ હિસ્ટ્રી સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેમણે પોસ્ટ શેર કરીને જે કહ્યું તે વધુ રસપ્રદ છે. અશ્વિને હાર્ટ અટેકની વાત કરી છે.સવાલ છે કેમ, કોલ હિસ્ટ્રીમાં તેમણે શું દેખાડ્યું છે. ચાલો જોઈએ.
- Nirupa Duva
- Updated on: Dec 20, 2024
- 2:05 pm
શું ગૌતમ ગંભીર અને આર અશ્વિન વચ્ચે થઈ હતી લડાઈ? આ તસવીર નિવૃત્તિ પાછળનું સત્ય કહી રહી છે !
આર અશ્વિન નિવૃત્તિ બાદથી જ ચર્ચાનો વિષય બન્યો છે. તેમની નિવૃત્તિને લઈને અનેક પ્રકારના વિવાદો સામે આવી રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બ્રિસબેન ટેસ્ટ દરમિયાન અશ્વિન અને ગંભીર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
- Smit Chauhan
- Updated on: Dec 19, 2024
- 3:45 pm
Ashwin Retirement Controversy : અશ્વિનના પિતાનો દાવો, દીકરાનું અપમાન થયું હતું, તેથી અચાનક નિવૃત્તિ લીધી
આર અશ્વિનના અચાનક સંન્યાસ વચ્ચે પિતાએ દાવો કર્યો છે કે, તેનું ટીમમાં સતત અપમાન કરવામાં આવ્યું છે. જેના કારણે તેમણે નિવૃતિ લીધી છે. અશ્વિનના પિતા બોક્સિંગ ડે ટેસ્ટ માટે મેલબર્ન જવાના હતા પરંતુ અચાનક દીકરાએ ફોન કરીને કહ્યું તે તે સંન્યાસ લઈ રહ્યો છે.
- Nirupa Duva
- Updated on: Dec 19, 2024
- 3:01 pm
Ashwin Retirement : અશ્વિન કરોડોની કારમાં બેસી એરપોર્ટથી ઘરે પહોંચ્યો, જુઓ વીડિયો
રવિચંદ્રન અશ્વિને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ બાદ નિવૃત્તિની જાહેરાત કરી છે. ત્યારબાદ તે ભારત આવવા માટે નીકળ્યો હતો. હવે તે ભારત આવી ચૂક્યો છે. તેમનું ચેન્નાઈ એરપોર્ટ પર શાનદાર રીતે સ્વાગત કરવામાં આવ્યું હતુ.
- Nirupa Duva
- Updated on: Dec 19, 2024
- 2:13 pm
રવિચંદ્રન અશ્વિનની પત્ની પણ કરે છે કરોડોની કમાણી, જાણો શું છે તેમનો બિઝનેસ?
ગાબા ટેસ્ટ બાદ રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. અશ્વિન નિવૃત્ત થઈ ગયો છે પરંતુ તેનાથી તેની કમાણીમાં કોઈ ખાસ અસર નહીં પડે, કારણકે તેની પત્ની પ્રીતિ નારાયણ કરોડોની કમાણી કરે છે. શું તમે જાણો છો કે તેની પત્ની પ્રીતિ નારાયણ શું કામ કરે છે.
- Smit Chauhan
- Updated on: Dec 18, 2024
- 7:42 pm
વિરાટ-રોહિતે આ રીતે અશ્વિનને આપી વિદાય, દિગ્ગજ ખેલાડીએ શ્રેણીની વચ્ચે નિવૃત્તિના નિર્ણય પર ઉઠાવ્યા સવાલ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ રોહિત શર્મા-વિરાટ કોહલીથી લઈને યુવરાજ સિંહ-ગૌતમ ગંભીરે રવિચંદ્રન અશ્વિનને અભિનંદન પાઠવ્યા છે. કોઈએ કહ્યું કે અશ્વિન અનુભવશે તો કોઈ અશ્વિનની નિવૃત્તિ બાદ ભાવુક થઈ ગયા. ચાલો જોઈએ કે અશ્વિનની નિવૃત્તિ પર દિગ્ગજોએ કેવી પ્રતિક્રિયા આપી છે.
- Smit Chauhan
- Updated on: Dec 18, 2024
- 6:26 pm
R Ashwin Net Worth : અન્ના કરોડોમાં રમે છે, જાણો અશ્વિને તેની 14 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કેટલા રૂપિયા કમાયા?
ગાબા ટેસ્ટ બાદ ટીમ ઈન્ડિયાના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. તેણે ક્રિકેટના મેદાન પર ઘણું નામ અને ખ્યાતિ મેળવી છે. અશ્વિન પણ સંપત્તિ કમાવવાના મામલે પાછળ રહ્યો નથી. તેની પાસે કરોડોની સંપત્તિ છે અને તે લક્ઝરી કારનો પણ માલિક છે.
- Smit Chauhan
- Updated on: Dec 18, 2024
- 4:25 pm
Ashwin Story : કિડનેપ થવાની લઈને વિશ્વના સર્વશ્રેષ્ઠ ઓફ સ્પિનર બનવા સુધીની રવિચંદ્રન અશ્વિનની મજેદાર કહાની
Ravichandran Ashwin story : શું તમે જાણો છો કે અશ્વિનનું અપહરણ કરવામાં આવ્યું હતું? તેને ધમકી પણ મળી હતી. આખરે મધ્યમ ઝડપી બોલર વિશ્વનો સર્વશ્રેષ્ઠ ઓફ સ્પિનર કેવી રીતે બન્યો? અશ્વિને ટીમ ઈન્ડિયા સાથે 14 વર્ષ કેવી રીતે વિતાવ્યા? ચાલો જાણીએ આખી કહાની.
- Smit Chauhan
- Updated on: Dec 18, 2024
- 3:31 pm
Breaking news : રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. તેણે ગાબા ટેસ્ટ બાદ નિવૃત્તિની જાહેરાત કરી હતી.
- Nirupa Duva
- Updated on: Dec 18, 2024
- 11:44 am
IND vs AUS: અશ્વિન-જાડેજાને બહાર રાખવા યોગ્ય છે… એડિલેડ ટેસ્ટ પહેલા કેપ્ટન રોહિતે આ શું કહ્યું?
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી મેચ પહેલા રવીન્દ્ર જાડેજા-રવિચંદ્રન અશ્વિનને લઈને મોટું નિવેદન આપ્યું છે. આ બંને ખેલાડીઓને પર્થ ટેસ્ટ મેચની પ્લેઈંગ 11માંથી બહાર રાખવામાં આવ્યા હતા. કેપ્ટન રોહિતે મેનેજમેન્ટના આ નિર્ણયને યોગ્ય ઠેરવ્યો.
- Smit Chauhan
- Updated on: Dec 5, 2024
- 7:45 pm
IND vs AUS: પિંક બોલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો નંબર-1 ખેલાડી ઓસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટમાં નહીં રમે!
પર્થ ટેસ્ટમાં શાનદાર જીત બાદ હવે ટીમ ઈન્ડિયાએ એડિલેડમાં બીજી ટેસ્ટ રમવાની છે. આ મેચ પિંક બોલથી રમાશે અને મેચ 6 ડિસેમ્બરથી શરૂ થશે. જો કે આ મેચ પહેલા એવા અહેવાલો આવી રહ્યા છે કે ટીમ ઈન્ડિયાએ પોતાના નંબર 1 બોલરને બહાર રાખવાનો નિર્ણય કર્યો છે.
- Smit Chauhan
- Updated on: Dec 3, 2024
- 9:47 pm