રવિચંદ્રન અશ્વિન

રવિચંદ્રન અશ્વિન

રવિચંદ્રન અશ્વિનનો જન્મ 17 સપ્ટેમ્બર 1986ના રોજ એક તમિલ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ રવિચંદ્રન માતાનું નામ ચિત્રા છે. અશ્વિનને નાનપણથી જ ક્રિકેટમાં રસ હતો. તેના પિતા પણ ક્રિકેટના મોટા ફેન છે. આર અશ્વિને 13 નવેમ્બર 2011ના રોજ પ્રીતિ નારાયણ સાથે લગ્ન કર્યા હતા. અશ્વિનને બે દીકરીઓ છે. રવિચંદ્રન અશ્વિન જમણા હાથનો ઓફ સ્પિન બોલર છે. તે ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરે છે અને 2011 ક્રિકેટ વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો. તે સ્થાનિક ક્રિકેટમાં તમિલનાડુ અને સાઉથ ઝોન માટે અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પણ ટીમને અનેક વખત જીતાડી ચૂક્યો છે.

અશ્વિનને 2008માં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની શરૂઆતની સિઝન માટે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) દ્વારા ખરીદવામાં આવ્યો હતો. અશ્વિને 2009ની સીઝન દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ડેબ્યુ કર્યું હતું અને 2015 સુધી સતત આઠ સીઝન સુધી ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ચેન્નાઈએ 2010માં ચેમ્પિયન્સ લીગનો ખિતાબ જીત્યો અને અશ્વિનને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યો. અશ્વિને તેનું બીજું ચેમ્પિયન્સ લીગ ટી20 ટાઇટલ 2014માં CSK સાથે જીત્યું.

અશ્વિને 20 વર્ષની ઉંમરે 2006માં હરિયાણા સામેની રણજી ટ્રોફી મેચમાં તમિલનાડુ માટે પ્રથમ વર્ગમાં પદાર્પણ કર્યું હતું અને છ વિકેટ ઝડપી હતી. ત્યારબાદ આર અશ્વિને ક્રિકેટમાં ક્યારે પણ પાછળ વળીને જોયું નથી, અનેક નવા નવા રેકોર્ડ બનાવી પણ રહ્યો છે, જૂના રેકોર્ડ તોડી રહ્યો છે.

Read More

Video : રવિચંદ્રન અશ્વિને એવું શું પૂછ્યું કે ડેવિડ વોર્નર થઈ ગયો ભાવુક?

IPL 2024માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમી રહેલા ડેવિડ વોર્નરે તાજેતરમાં રવિચંદ્રન અશ્વિનને એક ઈન્ટરવ્યુ આપ્યો છે. આ દરમિયાન IPL વિશે ચર્ચા થઈ હતી. તેની સાથે વાત કરતી વખતે અશ્વિને તેને આવો સવાલ પૂછ્યો હતો, જેનો જવાબ આપતાં વોર્નર ભાવુક થઈ ગયો હતો.

T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર 5 ભારતીય, નંબર વન બોલરનું ટીમ ઈન્ડિયામાં સ્થાન જોખમમાં

T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર કોણ છે? તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીયોની યાદીમાં જેનું નામ ટોચ પર છે, તેની વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની ટીમ ઈન્ડિયામાં પસંદગી થવાની શક્યતાઓ નહિવત છે. તમને જાણીને નવાઈ લાગશે કે જે ખેલાડીના નામે સૌથી વધુ વિકેટ છે તેને ઈન્ડિયામાં જગ્યા બનાવવી મુશ્કેલ થઈ રહી છે.

T20 વર્લ્ડ કપ 2024: ઈશાન કિશનથી લઈને શ્રેયસ અય્યર સુધી, આ 5 ખેલાડીઓની પસંદગી મુશ્કેલ

IPLની 17મી સિઝન ચાલી રહી છે પરંતુ તેની સાથે જ ભારતીય ટીમ મેનેજમેન્ટ T20 વર્લ્ડ કપ પર પણ નજર રાખી રહ્યું છે. IPL 2024માં ખેલાડીઓનું પ્રદર્શન અને વર્તમાન ફોર્મ T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં તેમના સ્થાન માટે મહત્વપૂર્ણ ચાવી છે. અત્યાર સુધી રમાયેલી મેચોમાં તેમના પ્રદર્શનને કારણે પાંચ ખેલાડીઓની T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં પસંદ થવાની આશાઓ ધૂંધળી થઈ ગઈ છે. જાણો કોણ છે આ પાંચ ખેલાડીઓ.

અશ્વિને પોતાની જ મજાક ઉડાવી, કહ્યું- આટલા વર્ષોમાં પણ કોઈ સુધારો થયો નથી

રવિચંદ્રન અશ્વિને ઈંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં ખૂબ જ ધીમી શરૂઆત કરી હતી પરંતુ તેણે સૌથી વધુ વિકેટ લઈને શ્રેણીનો અંત કર્યો હતો. આ 5 મેચમાં તેણે 26 વિકેટ લીધી હતી, જેમાં અશ્વિને ધર્મશાળામાં રમાયેલી તેની 100મી ટેસ્ટમાં રેકોર્ડ 9 વિકેટ લીધી હતી. આટલું સારું પ્રદર્શન છતાં અશ્વિને એક એવી પોસ્ટ કરી, જેમાં તેને પોતાની જ મજાક ઉડાવી. જાણો આવું શું છે આ પોસ્ટમાં?

ICC Test Ranking: જસપ્રીત બુમરાહને પછાડી નંબર 1 ટેસ્ટ બોલર બન્યો અશ્વિન, કુલદીપે લગાવી લાંબી છલાંગ

જસપ્રીત બુમરાહને પાછળ છોડી અશ્વિન ટેસ્ટમાં નંબર 1 બોલર બની ગયો છે. બુમરાહ નવા રેકિંગમાં બીજા સ્થાને નુકસાન થયું છે. પરંતુ આનો ફાયદો અશ્વિનને મળ્યો છે. આઈસીસી રેન્કિંગમાં ટોપ 10માં 3 બોલર ભારતના છે.

IND vs ENG: ભારતીય ટીમનો ધર્મશાળા ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે એક ઈનીંગ અને 64 રનથી ભવ્ય વિજય

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી ઘર આંગણે રમાઈ રહી હતી. ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે 4-1 થી શાનદાર જીત સિરીઝ જીતી લીધી છે. સિરીઝની અંતિમ ટેસ્ટ મેચ ધર્મશાળામાં રમાઈ રહી હતી. જ્યાં ભારતે એક ઈનીંગ અને 64 રનથી ઈંગ્લેન્ડ સામે જ્વલંત વિજય મેળવ્યો હતો. ભારતીય સ્પિનરોનો ઈંગ્લેન્ડ સામે ધર્મશાળામાં દબદબો જોવા મળ્યો હતો.

IND vs ENG: અશ્વિને તોડ્યો અનિલ કુંબલેનો રેકોર્ડ, હેડલીની કરી બરાબરી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઘર આંગણે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ છે. આ સિરીઝમાં ભારતીય ખેલાડીઓનો દબદબો રહ્યો છે. અંતિમ ટેસ્ટ મેચ ધર્મશાળામાં રમાઈ રહી છે, જ્યાં પ્રથમ દાવમાં બેટર્સ ધમાલ મચાવ્યા બાદ હવે બોલરો ધમાલ મચાવીને અંગ્રેજોને પરસેવો છોડાવી રહ્યા છે. ઈંગ્લેન્ડ સામે હવે મોટી હારનો ખતરો તોળાયો છે.

ઈંગ્લેન્ડને ઓલઆઉટ કર્યા બાદ કુલદીપ અને અશ્વિને કઈંક એવું કર્યું જેણે ચાહકોના દિલ જીતી લીધા, જુઓ Video

ધર્મશાળા ટેસ્ટ મેચના પહેલા દિવસે ઈંગ્લેન્ડને 218 રનમાં આઉટ કરવામાં સૌથી મહત્વની ભૂમિકા કુલદીપ યાદવે ભજવી હતી. લેફ્ટ આર્મ સ્પિનરે 5 વિકેટ લઈને ઈંગ્લેન્ડની બેટિંગની કમર તોડી નાખી હતી અને ત્યારપછી અનુભવી સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને પોતાની 100મી ટેસ્ટ મેચ રમીને ઝડપથી 4 વિકેટ લઈને ઈંગ્લેન્ડની ઈનિંગ્સનો અંત આણ્યો હતો. બંનેએ મેચ બાદ એકબીજા પ્રતે જે સન્માન બતાવ્યું તે જોઈ ચાહકો ખુશ થઈ ગયા હતા.

IND vs ENG, 5th Test : પ્રથમ દિવસની રમત સમાપ્ત, ઈંગ્લેન્ડના 218 સામે ટીમ ઈન્ડિયા 135/1

ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ હવે પાંચમી ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતીય સ્પિનરોનો દબદબો જોવા મળ્યો હતો. આ સિવાય ભારતીય બેટ્સમેનોએ પણ ત્રીજા સેશનમાં મજેદાર બેટિંગ કરી પહેલા દિવસને ભારતને નામ કરી દીધો હતો.

ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 218 રન પર સમાપ્ત, કુલદીપે પાંચ અને અશ્વિને ચાર વિકેટ ઝડપી

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત સારી રહી હતી. પરંતુ કુલદિપ યાદવે પાંચ વિકેટ ઝડપીને ઈંગ્લેન્ડને વધુ સ્કોર કરતુ અટકાવ્યું હતું. 100મી ટેસ્ટ મેચ રમી રહેલા આર અશ્વિને ચાર વિકેટ ઝડપી હતી. તો રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ મેળવી હતી. ઈંગ્લેન્ડના તમામે તમામ બેટ્સમેનોને ભારતીય સ્પીનરોએ પેવેલિયનમા મોકલી આપ્યા હતા.

અશ્વિને તેની 100મી ટેસ્ટ મેચ સાથે ઈતિહાસ રચ્યો, આ સફળતા મેળવનાર પ્રથમ ક્રિકેટર બન્યો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ધર્મશાળમાં શરુ થઈ રહેલી 100મી ટેસ્ટ મેચ અશ્વિનના ટેસ્ટ કરિયરની 100મી ટેસ્ટ મેચ છે. આ ઉપલબ્ધિ મેળવનાર ભારતનો 14મો ખેલાડી છે. અશ્વિને પોતાના 99 ટેસ્ટમાં 507 વિકેટ લીધી છે.

13 વર્ષમાં અશ્વિને બોલિંગમાં 5 સૌથી મોટા ફેરફારો કર્યા, આજે છે વર્લ્ડનો બેસ્ટ સ્પિનર

આર અશ્વિન એક 'વિચારશીલ' ક્રિકેટર તરીકે ઓળખાય છે. તે દરેક બોલ ફેંકતા પહેલા વિચારે છે. તાજેતરમાં તેમનું એક નિવેદન ચર્ચામાં હતું. તેણે કહ્યું કે બોલિંગ કરતી વખતે જો તે દબાણ અનુભવે છે, તો તે તેના પ્રતિસ્પર્ધી પર પાંચ ગણું દબાણ લાવવાનો પ્રયાસ કરે છે. આ એટલું સરળ કાર્ય નથી. આ માટે અશ્વિન પોતાની બોલિંગમાં સતત ફેરફાર કરી રહ્યો છે. જો તમે છેલ્લા તેર વર્ષના બોલિંગ વીડિયો જોશો તો તમને પાંચ મોટા ફેરફારો જોવા મળશે.

જ્યારે ICUમાં દાખલ માતાએ અશ્વિનને જોઈને પૂછ્યો સવાલ- મેચ છોડીને કેમ આવ્યો?

રાજકોટમાં રમાઈ રહેલી ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચના ત્રીજા અને બીજા દિવસે અશ્વિને તેની કારકિર્દીની 500 વિકેટ પૂરી કરી હતી પરંતુ તેની માતા ખૂબ જ બીમાર હોવાને કારણે સાંજે તેને અચાનક ચેન્નાઈ સ્થિત પોતાના ઘરે પરત ફરવું પડ્યું હતું. તેની માતાને મળ્યા બાદ અશ્વિન ફરીથી મેચ રમવા પરત ફર્યો અને ચોથા દિવસે ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ ગયો.

100 ટેસ્ટ રમવાની સિદ્ધિ હાંસલ કરવા મામલે આ દેશના ખેલાડીઓ છે ટોપ પર, જાણો ભારત કયા સ્થાને

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચોની શ્રેણીની છેલ્લી મેચ 7 માર્ચથી ધર્મશાલામાં રમાશે. અશ્વિનની ટેસ્ટ કારકિર્દીની આ 100મી ટેસ્ટ હશે. તેના સિવાય જોની બેરસ્ટો માટે આ તેની 100મી ટેસ્ટ હશે. શું તમે જાણો છો કે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ 100 મેચ રમનારા ખેલાડીઓ કયા દેશના છે?

અશ્વિને 100મી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા પર ઉઠાવ્યા સવાલ, રોહિત-દ્રવિડ માટે જવાબ આપવો થશે મુશ્કેલ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ધર્મશાળામાં રમાનારી ટેસ્ટ મેચ ટીમ ઈન્ડિયાના ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિનની કારકિર્દીની 100મી ટેસ્ટ હશે અને આ મેચ પહેલા અશ્વિને એક મોટી વાત કહી છે. તેણે તે દિવસો વિશે જણાવ્યું છે જ્યારે તેને ટીમમાં ઘણી તકો મળી ન હતી.

આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">