AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રવિચંદ્રન અશ્વિન

રવિચંદ્રન અશ્વિન

રવિચંદ્રન અશ્વિનનો જન્મ 17 સપ્ટેમ્બર 1986ના રોજ એક તમિલ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ રવિચંદ્રન માતાનું નામ ચિત્રા છે. અશ્વિનને નાનપણથી જ ક્રિકેટમાં રસ હતો. તેના પિતા પણ ક્રિકેટના મોટા ફેન છે. આર અશ્વિને 13 નવેમ્બર 2011ના રોજ પ્રીતિ નારાયણ સાથે લગ્ન કર્યા હતા. અશ્વિનને બે દીકરીઓ છે. રવિચંદ્રન અશ્વિન જમણા હાથનો ઓફ સ્પિન બોલર છે. તે ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરે છે અને 2011 ક્રિકેટ વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો. તે સ્થાનિક ક્રિકેટમાં તમિલનાડુ અને સાઉથ ઝોન માટે અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પણ ટીમને અનેક વખત જીતાડી ચૂક્યો છે.

અશ્વિનને 2008માં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની શરૂઆતની સિઝન માટે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) દ્વારા ખરીદવામાં આવ્યો હતો. અશ્વિને 2009ની સીઝન દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ડેબ્યુ કર્યું હતું અને 2015 સુધી સતત આઠ સીઝન સુધી ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ચેન્નાઈએ 2010માં ચેમ્પિયન્સ લીગનો ખિતાબ જીત્યો અને અશ્વિનને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યો. અશ્વિને તેનું બીજું ચેમ્પિયન્સ લીગ ટી20 ટાઇટલ 2014માં CSK સાથે જીત્યું.

અશ્વિને 20 વર્ષની ઉંમરે 2006માં હરિયાણા સામેની રણજી ટ્રોફી મેચમાં તમિલનાડુ માટે પ્રથમ વર્ગમાં પદાર્પણ કર્યું હતું અને છ વિકેટ ઝડપી હતી. ત્યારબાદ આર અશ્વિને ક્રિકેટમાં ક્યારે પણ પાછળ વળીને જોયું નથી, અનેક નવા નવા રેકોર્ડ બનાવી પણ રહ્યો છે, જૂના રેકોર્ડ તોડી રહ્યો છે.

Read More

Breaking News : ટેસ્ટમાં 18 વર્ષ પછી આ બન્યું, માનવ સુથાર અશ્વિનને પાછળ છોડીને આ મામલે બન્યો નંબર 2 ભારતીય

23 વર્ષીય સ્પિન ઓલરાઉન્ડર માનવ સુથારે અફઘાનિસ્તાન સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું અને કમાલ પ્રદર્શન કરી પોતાની પહેલી જ મેચને યાદગાર બનાવી. માનવ સુથારે આ ટેસ્ટની પહેલી ઈનિંગમાં છ વિકેટ લીધી. આ સાથે જ તેણે એક મોટી સિદ્ધિ હાંસલ કરી અને મહાન ભારતીય સ્પિનર અશ્વિનને પાછળ છોડી દીધો.

R Ashwin : સૂર્યકુમારને ટીમમાંથી બહાર કરતા અશ્વિને BCCI પર લગાવ્યા ગંભીર આરોપ!

સૂર્યકુમાર યાદવે માત્ર પોતાની કેપ્ટનશીપ ગુમાવી નથી પરંતુ T20 ટીમમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો છે. ભારતે તેની કેપ્ટનશીપ હેઠળ 2026નો T20 વર્લ્ડ કપ જીત્યો હતો.

Breaking News: 8 વર્ષમાં બદલાઈ ગઈ ટીમ ઈન્ડિયા ! IND vs AFG છેલ્લી ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનમાંથી 10 ખેલાડીઓ બહાર

ટીમ ઈન્ડિયા આઠ વર્ષ પછી અફઘાનિસ્તાન સામે ટેસ્ટ રમવા જઈ રહી છે. છેલ્લી ટેસ્ટમાં ભારતની જે પ્લેઈંગ ઈલેવન હતી, તેમાંથી આ વખતે 10 ખેલાડીઓ રમતા નહીં જોવા મળે. ચાલો આ વર્ષની સંભવિત પ્લેઈંગ ઈલેવન પર નજર કરીએ અને જાણીએ કે ટીમમાં કેટલો ફેરફાર થયો છે.

Breaking News: રાહુલ દ્રવિડ બન્યો ટીમનો માલિક, T20 લીગમાં ખરીદી ટીમ, અશ્વિનને બનાવ્યો કેપ્ટન

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડે યુરોપિયન T20 પ્રીમિયર લીગમાં એક ટીમ ખરીદી છે. આ દિગ્ગજ ખેલાડી ડબલિન ગ્રેડિયન્સના સહ-માલિક બન્યા છે. આર અશ્વિનને ટીમનો કેપ્ટન બનાવ્યો છે.

IPLના મેદાનમાં હવે ખેલાડીઓ પણ મળશે ‘લોન’ પર ? અશ્વિને CSK માટે આપ્યું બ્રહ્માસ્ત્ર

આઈપીએલ 2026માં ઇજાઓના ગ્રહણ વચ્ચે પાંચ વખતની ચેમ્પિયન સીએસકે મુશ્કેલીમાં છે. આ દરમિયાન દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને એક એવા નિયમનો ઉલ્લેખ કર્યો છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. જો સીએસકે ધારે તો આરસીબી પાસેથી પ્રતિભાશાળી ખેલાડી ઉધાર લઈ શકે છે. શું છે આ લોન વિન્ડો અને તેની શરતો,

Breaking News: 2011નો વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાના 15 ખેલાડીઓ 15 વર્ષ બાદ આજે ક્યાં છે?

15 વર્ષ પહેલા આજના જ દિવસે ભારતે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. 2011નો વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાના તે 15 ખેલાડીઓ બાદમાં દેશ માટે રમ્યા અને નિવૃત્તિ બાદ ત્રણ ખેલાડીઓ સાંસદ બન્યા, કેટલાક ક્રિકેટ કોચિંગમાં ગયા, જ્યારે કેટલાક કોમેન્ટ્રી દ્વારા ક્રિકેટ સાથે જોડાયેલા રહ્યા. સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીર જેવા દિગ્ગજો સહિત તે ટીમના તમામ સભ્યો આજે ક્યાં છે અને તેઓ શું કરી રહ્યા છે? ચાલો જાણીએ.

Breaking News: વૈભવ સૂર્યવંશીને ટીમ ઈન્ડિયાથી દૂર રાખો… 15 બોલમાં અડધી સદી છતાં અશ્વિને આવું કેમ કહ્યું?

ચેન્નાઈ સુપર કિંગ્સ સામે વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 બોલમાં અડધી સદી ફટકારી હતી જેના કારણે ફરી એકવાર સવાલ ઉભા થયા છે કે શું તેને ટીમ ઈન્ડિયામાં તક આપવી જોઈએ. મોટાભાગના દિગ્ગજ પૂર્વ ખેલાડીઓ તેના પક્ષમાં છે, પણ અશ્વિન હાલમાં આના પક્ષમાં નથી. જાણો કેમ.

Breaking News : ODI વર્લ્ડ કપ 2027 માંથી આ 5 સ્ટાર ભારતીય ખેલાડીઓનું પત્તું કપાશે!

2027નો વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા સહિત ત્રણ દેશોમાં યોજાવાનો છે અને ટીમ ઈન્ડિયા ટાઈટલના દાવેદાર તરીકે પ્રવેશ કરશે. જોકે, ગયા વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચેલી ટીમના કેટલાક સ્ટાર ખેલાડીઓ આ વખતે ટીમનો ભાગ રહેશે નહીં. જાણો કોણ છે આ પાંચ ખેલાડીઓ.

ODI World Cup 2027માં નહીં રમે આ ખેલાડીઓ, ટીમ ઈન્ડિયામાં ગત વર્લ્ડ કપની સરખામણીએ જોવા મળી શકે છે 5 નવા ચહેરા

India Squad, ODI World Cup 2027: ભારતની વર્લ્ડ કપ ટીમ 2027માં કેવી હશે ? 2023 ના વર્લ્ડ કપની સરખામણીમાં ટીમ ઈન્ડિયા અલગ જોવા મળી શકે છે.

IPL Facts : મેદાન પર કિંગનો દબદબો : આ ખેલાડીઓ સામે બનાવ્યા છે સૌથી વધુ રન

IPLમાં વિરાટ કોહલીનો દબદબો સ્પષ્ટપણે જોવા મળે છે. ભલે અમુક ખેલાડીઓએ કોહલીને વારંવાર આઉટ કર્યો હોય, પરંતુ તેમની વિરુદ્ધ રન પણ કોહલીએ બનાવ્યા છે. ખાસ કરીને અનુભવી ખેલાડીઓ સામે તેનો આત્મવિશ્વાસ અને રન બનાવવાની ક્ષમતા તેને આ લીગમાં 'કિંગ' બનાવે છે. તો ચાલો જાણીએ કયા 5 બોલર વિરુદ્ધ વિરાટ કોહલીએ વધારે રન બનાવ્યા છે.

‘જસપ્રીત બુમરાહ પછી શું…’ અશ્વિને ટીમ ઈન્ડિયાને આપી ચેતવણી, જાણો શું કહ્યું?

જસપ્રીત બુમરાહ ભારતીય બોલિંગનું નેતૃત્વ કરે છે. તેઓ પોતાના દમ પર મેચનો પાયો ફેરવવાની સક્ષમ રાખે છે. ભૂતપૂર્વ ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને ભારતીય ટીમને ચેતવણી આપી છે.

T20 World Cup Breaking : પાંચ વર્ષ પહેલા નામિબિયા સામે રમનારા 5 સ્ટાર ભારતીય ખેલાડીઓની કારકિર્દીનો અંત

ભારત અને નામિબિયા વચ્ચે 2026 T20 વર્લ્ડ કપ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ ફોર્મેટમાં બંને ટીમો વચ્ચે આ બીજી વાર મુકાબલો થશે. છેલ્લી ટક્કર લગભગ પાંચ વર્ષ પહેલા થઈ હતી. નામિબિયા સામે આ મેચમાં રમનારા 5 ભારતીય ખેલાડીઓની કારકિર્દીનો અંત આવી ગયો છે. જાણો કોણ છે આ ખેલાડીઓ.

ડેબ્યૂ મેચ પહેલા જ ઘાયલ થયો સ્ટાર ભારતીય ખેલાડી, આખી સિઝનમાંથી થયો બહાર

ઈજાના કારણે અશ્વિન બિગ બેશ લીગમાંથી બહાર થઈ ગયો છે. અશ્વિને આ વર્ષની શરૂઆતમાં બિગ બેશ લીગમાં જોડાવા માટે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. જો કે ઈજાને કારણે હવે તે બિગ બેશ લીગમાં પોતાની ડેબ્યૂ સિઝનમાંથી જ બહાર થઈ ગયો છે.

દિવાળી પર ઓનલાઈન છેતરપિંડીથી માંડ માંડ બચ્યો ક્રિકેટર, જાણો સમગ્ર મામલો

ઓનલાઈન છેતરપિંડીનો એક નવો કેસ સામે આવ્યો છે. ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિનને ઓસ્ટ્રેલિયાના ખેલાડી એડમ ઝમ્પાના નામથી એક સ્કેમરે સંપર્ક કર્યો હતો. સ્કેમરે અશ્વિન પાસે ભારતીય ટીમના ખેલાડીઓના નંબર માંગ્યા હતા.

અજીત અગરકર આવ્યો અને એક પછી એક સ્ટાર ખેલાડીઓ માટે ટીમ ઈન્ડિયાના દરવાજા થયા બંધ

ગયા વર્ષે ટીમ ઈન્ડિયામાં નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા છે. ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશીપ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. ઘણા નવા ખેલાડીઓએ ટીમમાં પોતાને સ્થાપિત કર્યા છે. જોકે, આ ફેરફારની સોશિયલ મીડિયા પર ચાહકો અને નિષ્ણાતો દ્વારા ટીકા કરવામાં આવી છે, ગંભીર પર તેના આગમન સાથે તરત જ આ ફેરફારો શરૂ કરવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. જ્યારે આ સાચું છે, મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે પડદા પાછળ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, તેના આગમન પછી ઘણા ભારતીય ક્રિકેટ દિગ્ગજો નિવૃત્તિ લઈ રહ્યા છે.

આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
g clip-path="url(#clip0_868_265)">