AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રવિચંદ્રન અશ્વિન

રવિચંદ્રન અશ્વિન

રવિચંદ્રન અશ્વિનનો જન્મ 17 સપ્ટેમ્બર 1986ના રોજ એક તમિલ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ રવિચંદ્રન માતાનું નામ ચિત્રા છે. અશ્વિનને નાનપણથી જ ક્રિકેટમાં રસ હતો. તેના પિતા પણ ક્રિકેટના મોટા ફેન છે. આર અશ્વિને 13 નવેમ્બર 2011ના રોજ પ્રીતિ નારાયણ સાથે લગ્ન કર્યા હતા. અશ્વિનને બે દીકરીઓ છે. રવિચંદ્રન અશ્વિન જમણા હાથનો ઓફ સ્પિન બોલર છે. તે ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરે છે અને 2011 ક્રિકેટ વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો. તે સ્થાનિક ક્રિકેટમાં તમિલનાડુ અને સાઉથ ઝોન માટે અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પણ ટીમને અનેક વખત જીતાડી ચૂક્યો છે.

અશ્વિનને 2008માં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની શરૂઆતની સિઝન માટે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) દ્વારા ખરીદવામાં આવ્યો હતો. અશ્વિને 2009ની સીઝન દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ડેબ્યુ કર્યું હતું અને 2015 સુધી સતત આઠ સીઝન સુધી ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ચેન્નાઈએ 2010માં ચેમ્પિયન્સ લીગનો ખિતાબ જીત્યો અને અશ્વિનને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યો. અશ્વિને તેનું બીજું ચેમ્પિયન્સ લીગ ટી20 ટાઇટલ 2014માં CSK સાથે જીત્યું.

અશ્વિને 20 વર્ષની ઉંમરે 2006માં હરિયાણા સામેની રણજી ટ્રોફી મેચમાં તમિલનાડુ માટે પ્રથમ વર્ગમાં પદાર્પણ કર્યું હતું અને છ વિકેટ ઝડપી હતી. ત્યારબાદ આર અશ્વિને ક્રિકેટમાં ક્યારે પણ પાછળ વળીને જોયું નથી, અનેક નવા નવા રેકોર્ડ બનાવી પણ રહ્યો છે, જૂના રેકોર્ડ તોડી રહ્યો છે.

Read More

IND vs SL: ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર ટોપ-5 ભારતીય સ્પિનર, જાણો કોણ છે નંબર-1

ભારત અને શ્રીલંકા વચ્ચે 15 ઓગસ્ટથી બે મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થશે. ગાલેમાં રમાનારી પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમ ત્રણ સ્પિનરો સાથે મેદાનમાં ઉતરે તેવી શક્યતા છે. સ્પિન બોલિંગ ટીમ ઈન્ડિયાની તાકાત રહી છે અને ટેસ્ટ ફોર્મેટમાં તો ભારતીય સ્પિનરો ડંકો વાગે છે. ચાલો ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર ટોપ 5 બોલરો પર નજર કરીએ.

વિરાટ કોહલી અને રોહિત શર્માને કોઈ હાથ પણ ના લગાવી શકે, દિગ્ગજ ખેલાડીનું મોટું નિવેદન

ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર આર અશ્વિને વિરાટ કોહલી અને રોહિત શર્માના ભવિષ્યને લઈને મોટું નિવેદન આપ્યું છે. અશ્વિનનું કહેવું છે કે જો બંને દિગ્ગજ ખેલાડીઓ 2027 વનડે વર્લ્ડ કપ રમવા ઈચ્છશે તો તેમને રોકવું મુશ્કેલ હશે. આ સાથે તેણે ટીમ ઈન્ડિયાની બોલિંગ અને ઝડપી બોલરોના અનુભવ પર પણ સવાલ ઉઠાવ્યા છે.

Breaking News: રોહિત શર્માની બાજુમાં બેઠેલો વિરાટ કોહલી કેમ થયો ભાવુક ? ચાહકોને અશ્વિનની નિવૃત્તિ આવી યાદ

ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી દરમિયાન રોહિત શર્મા અને વિરાટ કોહલીનો એક ફોટો વાયરલ થયો છે. આ ફોટોને રોહિત શર્માના નિવૃત્તિના અહેવાલો સાથે જોડવામાં આવી રહ્યો છે. કોહલીના ચહેરા પરની નિરાશા રોહિતની નિવૃત્તિનો સંકેત છે, એવું કેટલાક ફેન્સનું માનવું છે. આ ઘટનાને ચાહકો અશ્વિનની નિવૃત્તિ સાથે પણ જોડી રહ્યા છે.

IND vs ENG: વૈભવ સૂર્યવંશી અને પાણીની બોટલ પર કેમ મચ્યો વિવાદ? અશ્વિને આપ્યો સ્પષ્ટ જવાબ

વૈભવ સૂર્યવંશીને હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી નથી. આયર્લેન્ડ સામેની T20 શ્રેણી દરમિયાન તે ટીમ સાથે રહીને સાથી ખેલાડીઓને પાણી પહોંચાડતો જોવા મળ્યો, જેના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ કે ઈંગ્લેન્ડમાં પણ તે આ જ કરશે અને તેને તક નહીં મળે. આ અંગે નવી ચર્ચા શરુ થતા હવે પૂર્વ સ્પિનર આર. અશ્વિને પોતાની સ્પષ્ટ અને મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપી છે.

Breaking News : IPLના કારણે આયરલેન્ડ સીરિઝમાં ટીમ ઈન્ડિયા હારી? અશ્વિને એક મોટો સવાલ ઉઠાવ્યો

R Ashwin On Team India T20I Series Defeat : આયરલેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝમાં મળેલી હાર પછી ભારતના દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને મોટું નિવેદન આપ્યું છે. ભારતીય ટીમની બેટિંગની નબળાઈ કહી છે.

Breaking News : ટેસ્ટમાં 18 વર્ષ પછી આ બન્યું, માનવ સુથાર અશ્વિનને પાછળ છોડીને આ મામલે બન્યો નંબર 2 ભારતીય

23 વર્ષીય સ્પિન ઓલરાઉન્ડર માનવ સુથારે અફઘાનિસ્તાન સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું અને કમાલ પ્રદર્શન કરી પોતાની પહેલી જ મેચને યાદગાર બનાવી. માનવ સુથારે આ ટેસ્ટની પહેલી ઈનિંગમાં છ વિકેટ લીધી. આ સાથે જ તેણે એક મોટી સિદ્ધિ હાંસલ કરી અને મહાન ભારતીય સ્પિનર અશ્વિનને પાછળ છોડી દીધો.

R Ashwin : સૂર્યકુમારને ટીમમાંથી બહાર કરતા અશ્વિને BCCI પર લગાવ્યા ગંભીર આરોપ!

સૂર્યકુમાર યાદવે માત્ર પોતાની કેપ્ટનશીપ ગુમાવી નથી પરંતુ T20 ટીમમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો છે. ભારતે તેની કેપ્ટનશીપ હેઠળ 2026નો T20 વર્લ્ડ કપ જીત્યો હતો.

Breaking News: 8 વર્ષમાં બદલાઈ ગઈ ટીમ ઈન્ડિયા ! IND vs AFG છેલ્લી ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનમાંથી 10 ખેલાડીઓ બહાર

ટીમ ઈન્ડિયા આઠ વર્ષ પછી અફઘાનિસ્તાન સામે ટેસ્ટ રમવા જઈ રહી છે. છેલ્લી ટેસ્ટમાં ભારતની જે પ્લેઈંગ ઈલેવન હતી, તેમાંથી આ વખતે 10 ખેલાડીઓ રમતા નહીં જોવા મળે. ચાલો આ વર્ષની સંભવિત પ્લેઈંગ ઈલેવન પર નજર કરીએ અને જાણીએ કે ટીમમાં કેટલો ફેરફાર થયો છે.

Breaking News: રાહુલ દ્રવિડ બન્યો ટીમનો માલિક, T20 લીગમાં ખરીદી ટીમ, અશ્વિનને બનાવ્યો કેપ્ટન

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડે યુરોપિયન T20 પ્રીમિયર લીગમાં એક ટીમ ખરીદી છે. આ દિગ્ગજ ખેલાડી ડબલિન ગ્રેડિયન્સના સહ-માલિક બન્યા છે. આર અશ્વિનને ટીમનો કેપ્ટન બનાવ્યો છે.

IPLના મેદાનમાં હવે ખેલાડીઓ પણ મળશે ‘લોન’ પર ? અશ્વિને CSK માટે આપ્યું બ્રહ્માસ્ત્ર

આઈપીએલ 2026માં ઇજાઓના ગ્રહણ વચ્ચે પાંચ વખતની ચેમ્પિયન સીએસકે મુશ્કેલીમાં છે. આ દરમિયાન દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને એક એવા નિયમનો ઉલ્લેખ કર્યો છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. જો સીએસકે ધારે તો આરસીબી પાસેથી પ્રતિભાશાળી ખેલાડી ઉધાર લઈ શકે છે. શું છે આ લોન વિન્ડો અને તેની શરતો,

Breaking News: 2011નો વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાના 15 ખેલાડીઓ 15 વર્ષ બાદ આજે ક્યાં છે?

15 વર્ષ પહેલા આજના જ દિવસે ભારતે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. 2011નો વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાના તે 15 ખેલાડીઓ બાદમાં દેશ માટે રમ્યા અને નિવૃત્તિ બાદ ત્રણ ખેલાડીઓ સાંસદ બન્યા, કેટલાક ક્રિકેટ કોચિંગમાં ગયા, જ્યારે કેટલાક કોમેન્ટ્રી દ્વારા ક્રિકેટ સાથે જોડાયેલા રહ્યા. સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીર જેવા દિગ્ગજો સહિત તે ટીમના તમામ સભ્યો આજે ક્યાં છે અને તેઓ શું કરી રહ્યા છે? ચાલો જાણીએ.

Breaking News: વૈભવ સૂર્યવંશીને ટીમ ઈન્ડિયાથી દૂર રાખો… 15 બોલમાં અડધી સદી છતાં અશ્વિને આવું કેમ કહ્યું?

ચેન્નાઈ સુપર કિંગ્સ સામે વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 બોલમાં અડધી સદી ફટકારી હતી જેના કારણે ફરી એકવાર સવાલ ઉભા થયા છે કે શું તેને ટીમ ઈન્ડિયામાં તક આપવી જોઈએ. મોટાભાગના દિગ્ગજ પૂર્વ ખેલાડીઓ તેના પક્ષમાં છે, પણ અશ્વિન હાલમાં આના પક્ષમાં નથી. જાણો કેમ.

Breaking News : ODI વર્લ્ડ કપ 2027 માંથી આ 5 સ્ટાર ભારતીય ખેલાડીઓનું પત્તું કપાશે!

2027નો વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા સહિત ત્રણ દેશોમાં યોજાવાનો છે અને ટીમ ઈન્ડિયા ટાઈટલના દાવેદાર તરીકે પ્રવેશ કરશે. જોકે, ગયા વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચેલી ટીમના કેટલાક સ્ટાર ખેલાડીઓ આ વખતે ટીમનો ભાગ રહેશે નહીં. જાણો કોણ છે આ પાંચ ખેલાડીઓ.

ODI World Cup 2027માં નહીં રમે આ ખેલાડીઓ, ટીમ ઈન્ડિયામાં ગત વર્લ્ડ કપની સરખામણીએ જોવા મળી શકે છે 5 નવા ચહેરા

India Squad, ODI World Cup 2027: ભારતની વર્લ્ડ કપ ટીમ 2027માં કેવી હશે ? 2023 ના વર્લ્ડ કપની સરખામણીમાં ટીમ ઈન્ડિયા અલગ જોવા મળી શકે છે.

IPL Facts : મેદાન પર કિંગનો દબદબો : આ ખેલાડીઓ સામે બનાવ્યા છે સૌથી વધુ રન

IPLમાં વિરાટ કોહલીનો દબદબો સ્પષ્ટપણે જોવા મળે છે. ભલે અમુક ખેલાડીઓએ કોહલીને વારંવાર આઉટ કર્યો હોય, પરંતુ તેમની વિરુદ્ધ રન પણ કોહલીએ બનાવ્યા છે. ખાસ કરીને અનુભવી ખેલાડીઓ સામે તેનો આત્મવિશ્વાસ અને રન બનાવવાની ક્ષમતા તેને આ લીગમાં 'કિંગ' બનાવે છે. તો ચાલો જાણીએ કયા 5 બોલર વિરુદ્ધ વિરાટ કોહલીએ વધારે રન બનાવ્યા છે.

સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત
ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત
Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો
Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો
દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત
દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
g clip-path="url(#clip0_868_265)">