Breaking News: MS ધોની અમદાવાદમાં ટીમ સાથે જોવા નહીં મળે, ગુજરાત સામેની મેચના એક દિવસ પહેલા ઘરે પરત ફર્યો
ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2026 ની પોતાની છેલ્લી લીગ મેચ ગુજરાત ટાઈટન્સ સામે રમશે. આ મેચ પહેલા ધોનીના ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. ધોની મેચના એક દિવસ પગેલા ઘરે પરત ફર્યો છે અને તે અમદાવાદમાં નહીં રમે.

MS ધોની કદાચ IPL 2026 માં હવે રમતો જોવા મળશે નહીં. ચેન્નાઈ સુપર કિંગ્સની સિઝનની છેલ્લી મેચ અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ સામે છે, અને ધોની આ મેચમાં પણ નહીં રમે.

અહેવાલો અનુસાર, ધોની IPL માં CSKની છેલ્લી મેચ નહીં રમે. તે ટીમ છોડીને રાંચી પોતાના ઘરે પરત ફર્યો છે. ચેન્નાઈ અને ગુજરાત વચ્ચેની મેચ અમદાવાદમાં રમાશે.

જોકે, ધોની હજુ પણ IPLમાં રમી શકે છે. જો ચેન્નાઈ પ્લેઓફ માટે ક્વોલિફાય થાય છે, તો તે ફરીથી ટીમમાં જોડાઈ શકે છે. જે હાલ તો લગભગ અશક્ય છે.

ધોનીએ IPL 2026 માં એક પણ મેચ રમી નથી. તેણે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં મેદાનમાં દેખાયો હતો, પરંતુ અંગૂઠામાં ઈજાના કારણે રમી શક્યો નહીં.

ધોનીએ આ સિઝનમાં એક પણ મેચ રમી નથી, પણ રસપ્રદ વાત એ છે કે તેણે નિવૃત્તિની જાહેરાત પણ નથી કરી. પ્રશ્ન એ છે કે, શું તે આગામી સિઝનમાં રમશે? ધોનીની ફિટનેસને જોતાં તે લગભગ અશક્ય લાગી રહ્યું છે. (PC: PTI)
Breaking News: ટીમ ઈન્ડિયા WTC ફાઈનલમાં કેવી રીતે પહોંચશે? જીતવી પડશે આટલી મેચ, જાણો સંપૂર્ણ સમીકરણ
