જિયો-એરટેલને ટક્કર આપવા BSNLનો મોટો દાવ ! હવે ગલીએ-ગલીએ મળશે સિમ કાર્ડ, પોસ્ટ ઓફિસ સાથે હાથ મિલાવી શરૂ કર્યો આ નવો ખેલ
ખાનગી ટેલિકોમ કંપનીઓના વધતા દબાણ વચ્ચે BSNL એ મેદાન મારવા માટે નવી વ્યૂહરચના અપનાવી છે. હવે તમારે BSNL નું સિમ લેવા માટે દૂરના કેન્દ્રો પર જવાની જરૂર નથી, કારણ કે તમારા ઘરની નજીકની પોસ્ટ ઓફિસ હવે સિમ કાર્ડ વેચવાનું કેન્દ્ર બની ગઈ છે. ભારતીય ટપાલ વિભાગ અને BSNL વચ્ચે થયેલા કરાર બાદ આ સુવિધા દેશભરમાં શરૂ કરવામાં આવી રહી છે.

ગામડાથી લઈને શહેર સુધી BSNLનું સિમ ખરીદવું બન્યું સાવ સરળ; જાણો પોસ્ટ ઓફિસમાં કેવી રીતે થશે KYC અને શું છે સરકારી કંપનીનો માસ્ટર પ્લાન?

રોકાણ મર્યાદા: ₹30 લાખ સુધી: પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ દ્વારા મેળવેલ આકર્ષક વ્યાજ દર ત્રણ મહિને વિતરિત કરવામાં આવે છે. એકવાર એકમ રકમ રોકાણ કરવામાં આવે, તો તે ચોક્કસ વ્યાજ દર સ્થિર રહે છે અને સમગ્ર પરિપક્વતા સમયગાળા માટે લાગુ પડે છે, ભલે સરકાર તેની ત્રિમાસિક સમીક્ષા પ્રક્રિયાના ભાગ રૂપે વ્યાજ દરમાં સુધારો કરે. પરિપક્વતા તારીખ પહેલાં ખાતાધારકનું મૃત્યુ થવાના કમનસીબ કિસ્સામાં, ખાતું બંધ કરવામાં આવે છે, અને સંપૂર્ણ સંચિત રકમ ખાતાના રેકોર્ડમાં નિયુક્ત નોમિનીને સોંપવામાં આવે છે. (ફોટો ક્રેડિટ-Google)

ગામડાના ગ્રાહકોને થશે સૌથી વધુ ફાયદો: ખાનગી કંપનીઓના સ્ટોર્સ મોટાભાગે શહેરો પૂરતા મર્યાદિત હોય છે, જ્યારે પોસ્ટ ઓફિસની પહોંચ ભારતના દરેક છેવાડાના ગામ સુધી છે. BSNL ના આ નિર્ણયથી ગ્રામીણ અને નાના નગરોના લોકો માટે નવું કનેક્શન લેવું અત્યંત સુવિધાજનક બની જશે. સિમ કાર્ડના વિતરણ માટે પોસ્ટ ઓફિસ એક મજબૂત ચેનલ તરીકે કામ કરશે, જેનાથી કંપનીના ગ્રાહકોની સંખ્યામાં મોટો ઉછાળો આવવાની શક્યતા છે.

5-વર્ષની પરિપક્વતા અવધિ: પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ ખાતું 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના કોઈપણ વ્યક્તિ દ્વારા, તેમના પોતાના નામે અથવા તેમના જીવનસાથી સાથે સંયુક્ત રીતે ખોલી શકાય છે. ચોક્કસ ચોક્કસ કિસ્સાઓમાં, વય મર્યાદામાં છૂટછાટ માટેની જોગવાઈઓ પણ ઉપલબ્ધ છે. આ યોજના હેઠળ, સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના (VRS) પસંદ કરતી વ્યક્તિઓ ખાતું ખોલી શકે છે જો તેઓ 55 વર્ષથી વધુ ઉંમરના હોય પરંતુ ખોલવાના સમયે 60 વર્ષથી ઓછી ઉંમરના હોય; દરમિયાન, સંરક્ષણ સેવાઓમાંથી નિવૃત્ત કર્મચારીઓ જો 50 વર્ષથી વધુ ઉંમરના હોય પરંતુ 60 વર્ષથી ઓછી ઉંમરના હોય તો રોકાણ કરી શકે છે. આ સરકારી યોજના માટે પરિપક્વતાનો સમયગાળો પાંચ વર્ષ છે. જો ખાતું પરિપક્વતા પહેલાં બંધ કરવામાં આવે, તો રોકાણકાર દંડ ચૂકવવા માટે જવાબદાર છે.(ફોટો ક્રેડિટ-Google)

ટેલિકોમ માર્કેટમાં જિયો અને એરટેલ જેવી દિગ્ગજ કંપનીઓ સામે ટકી રહેવા માટે BSNL નો આ 'પોસ્ટ ઓફિસ પ્લાન' કેટલો સફળ સાબિત થાય છે તે જોવું રહ્યું. પરંતુ એટલું ચોક્કસ છે કે, હવે ગ્રાહકો માટે BSNL નેટવર્ક સાથે જોડાવું પહેલા કરતા ઘણું સરળ બની ગયું છે.
ચૂંટણી ટાણે ભાવનગર કોંગ્રેસ પ્રમુખને હાઈકોર્ટની રાહત પોલીસ ફરિયાદમાં કોઈ પગલાં ન ભરવા નિર્દેશ
