BSNLના 35 દિવસના પ્લાને મચાવી હલચલ ! કોલિંગ અને ડેટાની સાથે ફ્રી ટ્યુન, ઓફર જોઈ લેવા તૂટી પડ્યા લોકો
BSNLની યાદીમાં સસ્તા અને મોંઘા બંને પ્લાન ઉપલબ્ધ છે. જ્યારથી રિચાર્જ પ્લાનની કિંમતો વધી છે, મોબાઈલ યુઝર્સ એવા પ્લાનની શોધમાં છે જેમાં સિમ કાર્ડ વધુ દિવસો સુધી એક્ટિવ રહી શકે અને સૌથી ઓછી કિંમતે કોલ પણ કરી શકાય. યુઝર્સની આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને BSNLએ જબરદસ્ત પ્લાન રજૂ કર્યો છે.

સરકારી ટેલિકોમ કંપની BSNL તેના ગ્રાહકોને ઘણા પ્રકારના રિચાર્જ પ્લાન ઓફર કરે છે. જ્યારથી ખાનગી કંપનીઓએ તેમના પ્લાન મોંઘા કર્યા છે, ત્યારથી BSNL આક્રમક મોડમાં હોય તેવું લાગી રહ્યું છે. BSNL Jio, Airtel અને Vi સાથે સ્પર્ધા કરવા માટે સતત ઓછી કિંમતના પ્લાન ઓફર કરે છે. હવે BSNL તેના ગ્રાહકો માટે એક શાનદાર પ્રીપેડ રિચાર્જ પ્લાન લઈને આવ્યું છે.

BSNLની યાદીમાં સસ્તા અને મોંઘા બંને પ્લાન ઉપલબ્ધ છે. જ્યારથી રિચાર્જ પ્લાનની કિંમતો વધી છે, મોબાઈલ યુઝર્સ એવા પ્લાનની શોધમાં છે જેમાં સિમ કાર્ડ વધુ દિવસો સુધી એક્ટિવ રહી શકે અને સૌથી ઓછી કિંમતે કોલ પણ કરી શકાય. યુઝર્સની આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને BSNLએ જબરદસ્ત પ્લાન રજૂ કર્યો છે.

જ્યારે અન્ય ટેલિકોમ કંપનીઓ તેમના ગ્રાહકોને આશરે રૂ. 300ના ખર્ચે 28 દિવસની માન્યતા ઓફર કરી રહી છે, ત્યારે BSNL તેના વપરાશકર્તાઓને આશરે રૂ. 150થી પણ ઓછા ખર્ચે 35 દિવસની વેલિડિટી વાળો પ્લાન ઓફર કરી રહી છે. ચાલો તમને BSNL ના આ રિચાર્જ પ્લાન વિશે વિગતવાર જણાવીએ.

જો તમે રિચાર્જ પ્લાનમાં વધુ પૈસા વેડફવા માંગતા નથી, તો તમે BSNL તમને 35 દિવસની વેલિડિટી વાળો જબરદસ્ત પ્લાન આપી રહી છે આ પ્લાનમાં તમારે 3 રૂપિયાથી પણ ઓછા દૈનિક ખર્ચ થશે. આટલું જ નહીં, તેમાં તમને કોલિંગ, ડેટા અને બીજા ઘણા ફાયદા આપવામાં આવે છે.

BSNLના આ પ્લાનમાં તમને કુલ 35 દિવસની વેલિડિટી મળે છે. તેમજ કૉલ કરવા માટે કુલ 200 ફ્રી મિનિટ આપવામાં આવે છે. 200 મિનિટની મર્યાદા પૂરી થયા પછી, તમારે લોકલ કોલ માટે 1 રૂપિયા પ્રતિ મિનિટ ચૂકવવા પડશે. જ્યારે તમે STD કૉલિંગ કરો છો તો તમારે 1.3 મિનિટના દરે ચાર્જ ચૂકવવો પડશે.

આ સાથે યુઝર્સને ફ્રી BSNL ટ્યુન ની સુવિધા પણ મળે છે. ડેટા વિશે વાત કરીએ તો, યુઝરને કુલ 3 જીબી ડેટા મળે છે, જેનો ઉપયોગ ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે કરી શકાય છે. હવે આ પ્લાનની કિંમતની વાત કરીએ તો BSNL તમને આ પ્લાન માત્રને માત્ર 107 રુપિયામાં આપે છે
દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો






































































