વરસાદની સિઝનમાં ભેજ વાળુ વાતાવરણ હોય છે. આવી સ્થિતિમાં, મોટાભાગના લોકો ફરિયાદ કરે છે કે ઘરમાં હાજર ફર્નિચરમાં ઉધઈનો ઉપદ્રવ વધી જાય છે. વાસ્તવમાં, જ્યારે હવામાન ભેજયુક્ત હોય ત્યારે જ ઉધઈ દેખાય છે. ઉધઈના વિકાસ માટે ભેજનું વાતાવરણ અનુકૂળ છે. આવી સ્થિતિમાં જો વરસાદની ઋતુમાં ઘરની અંદર થોડી પણ ભેજ હોય તો બારી, દરવાજા કે લાકડામાંથી બનેલી કોઈપણ વસ્તુમાં ઉધઈ થઈ જાય છે. જો ઉધઈને સમયસર કાબૂમાં લેવામાં ન આવે તો તે ધીમે ધીમે લાકડાની વસ્તુઓને અંદરથી પોલી બનાવી દે છે. આવી સ્થિતિમાં, તમે કેટલાક ઘરેલું ઉપચાર અપનાવીને ઉધઈને દૂર કરી શકો છો. જાણો ક્યા છે આ ઘરેલું ઉપચાર...