AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પોસ્ટમોર્ટમ રૂમમાં એવું શું થાય છે : મૃત્યુ પછી મોતના અસલી ગુનેગારને કેવી રીતે પકડે છે ડૉક્ટર્સ ?

શું તમે જાણો છો કે પોસ્ટમોર્ટમ દરમિયાન શરીરના કયા અંગોની તપાસ થાય છે? ડૉક્ટર્સ કેવી રીતે એક નાના કટથી મોતના અસલી ગુનેગાર સુધી પહોંચી જાય છે? જાણો શબઘર (Mortuary)ની અંદરની એ રહસ્યમય અને ચોંકાવનારી મેડિકલ પ્રક્રિયા, જે કાનૂની તપાસ માટે સૌથી મોટી હથિયાર છે.

| Updated on: May 19, 2026 | 5:06 PM
Share
જ્યારે કોઈ વ્યક્તિના મોતનું અસલી કારણ જાણવું અનિવાર્ય હોય, ત્યારે સત્ય બહાર લાવવા માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે. આ એક અત્યંત સંવેદનશીલ મેડિકલ પ્રક્રિયા છે, જેને કડક નિયમો અને સંપૂર્ણ સન્માન સાથે હોસ્પિટલના ખાસ ઓપરેશન થિયેટર (મોર્ચરી)માં અંજામ આપવામાં આવે છે. હિસ્ટોપેથોલોજી અને એનાટોમિક પેથોલોજીના નિષ્ણાત ડૉક્ટર્સ આ કામ કરે છે.

જ્યારે કોઈ વ્યક્તિના મોતનું અસલી કારણ જાણવું અનિવાર્ય હોય, ત્યારે સત્ય બહાર લાવવા માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે. આ એક અત્યંત સંવેદનશીલ મેડિકલ પ્રક્રિયા છે, જેને કડક નિયમો અને સંપૂર્ણ સન્માન સાથે હોસ્પિટલના ખાસ ઓપરેશન થિયેટર (મોર્ચરી)માં અંજામ આપવામાં આવે છે. હિસ્ટોપેથોલોજી અને એનાટોમિક પેથોલોજીના નિષ્ણાત ડૉક્ટર્સ આ કામ કરે છે.

1 / 7
ઘણાના મનમાં સવાલ હોય છે કે અંદર શું થતું હશે? સૌથી પહેલાં મૃતદેહને માનભેર તપાસ રૂમમાં લાવવામાં આવે છે. ત્યારબાદ શરીરના આગળના ભાગમાં એક લાંબો અને ઊંડો ચીરો મૂકવામાં આવે છે. આ ચીરો એટલા માટે જરૂરી છે જેથી શરીરની અંદર છુપાયેલા મોતના રહસ્યો (અંગો) બહાર લાવીને તપાસી શકાય.

ઘણાના મનમાં સવાલ હોય છે કે અંદર શું થતું હશે? સૌથી પહેલાં મૃતદેહને માનભેર તપાસ રૂમમાં લાવવામાં આવે છે. ત્યારબાદ શરીરના આગળના ભાગમાં એક લાંબો અને ઊંડો ચીરો મૂકવામાં આવે છે. આ ચીરો એટલા માટે જરૂરી છે જેથી શરીરની અંદર છુપાયેલા મોતના રહસ્યો (અંગો) બહાર લાવીને તપાસી શકાય.

2 / 7
માત્ર શરીર જ નહીં, પણ વ્યક્તિના આખરી પળોની હલચલ જ્યાં કેદ હોય છે તે મગજની તપાસ પણ જરૂરી છે. આ માટે માથાના પાછળના ભાગમાં ખાસ કટ લગાવવામાં આવે છે. જેનાથી ખોપડીનો ઉપરનો ભાગ હટાવી શકાય છે અને મગજની આંતરિક સ્થિતિ જેમ કે બ્લડ ક્લોટિંગ કે ઈજાની તપાસ થઈ શકે છે.

માત્ર શરીર જ નહીં, પણ વ્યક્તિના આખરી પળોની હલચલ જ્યાં કેદ હોય છે તે મગજની તપાસ પણ જરૂરી છે. આ માટે માથાના પાછળના ભાગમાં ખાસ કટ લગાવવામાં આવે છે. જેનાથી ખોપડીનો ઉપરનો ભાગ હટાવી શકાય છે અને મગજની આંતરિક સ્થિતિ જેમ કે બ્લડ ક્લોટિંગ કે ઈજાની તપાસ થઈ શકે છે.

3 / 7
પોસ્ટમોર્ટમ દરમિયાન ડૉક્ટર્સ મુખ્યત્વે હૃદય, ફેફસાં, લીવર, કિડની, પેટ, આંતરડા અને મગજની બારીકાઈથી તપાસ કરે છે. શરીરમાં ઝેરની અસર છે કે નહીં, કોઈ આંતરિક ઈજા થઈ છે કે પછી કોઈ બીમારી કે લોહી ગંઠાઈ જવાની સમસ્યા હતી, આ બધું જ આ અંગોની તપાસથી સ્પષ્ટ થાય છે.

પોસ્ટમોર્ટમ દરમિયાન ડૉક્ટર્સ મુખ્યત્વે હૃદય, ફેફસાં, લીવર, કિડની, પેટ, આંતરડા અને મગજની બારીકાઈથી તપાસ કરે છે. શરીરમાં ઝેરની અસર છે કે નહીં, કોઈ આંતરિક ઈજા થઈ છે કે પછી કોઈ બીમારી કે લોહી ગંઠાઈ જવાની સમસ્યા હતી, આ બધું જ આ અંગોની તપાસથી સ્પષ્ટ થાય છે.

4 / 7
ઘણીવાર નરી આંખે ન દેખાતા પુરાવા શોધવા માટે ડૉક્ટર્સ અંગોના નાના-નાના ટિશ્યૂ (કોષો)ના સેમ્પલ લે છે. આ સેમ્પલ્સને માઇક્રોસ્કોપ નીચે તપાસવામાં આવે છે. આ સિવાય ઝેર કે અન્ય કેમિકલની અસર જાણવા માટે બ્લડ અને અન્ય બોડી ફ્લૂઈડ્સના સેમ્પલ પણ લેબ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે છે.

ઘણીવાર નરી આંખે ન દેખાતા પુરાવા શોધવા માટે ડૉક્ટર્સ અંગોના નાના-નાના ટિશ્યૂ (કોષો)ના સેમ્પલ લે છે. આ સેમ્પલ્સને માઇક્રોસ્કોપ નીચે તપાસવામાં આવે છે. આ સિવાય ઝેર કે અન્ય કેમિકલની અસર જાણવા માટે બ્લડ અને અન્ય બોડી ફ્લૂઈડ્સના સેમ્પલ પણ લેબ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે છે.

5 / 7
તપાસ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, તમામ અંગોને ફરીથી આદરપૂર્વક શરીરની અંદર જ મૂકી દેવામાં આવે છે. કોઈ પણ અંગ કે ટિશ્યૂ પરિવારની પરવાનગી વગર રાખવામાં આવતા નથી. જો કે, ક્રિમિનલ કેસ હોય તો પુરાવા તરીકે ડૉક્ટર્સ અમુક સેમ્પલ સાચવી રાખે છે. શંકાસ્પદ કેસમાં ફોરેન્સિક પેથોલોજીસ્ટ દ્વારા તપાસ થાય છે અને જરૂર પડે તો બીજી વાર પણ પોસ્ટમોર્ટમ થઈ શકે છે.

તપાસ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, તમામ અંગોને ફરીથી આદરપૂર્વક શરીરની અંદર જ મૂકી દેવામાં આવે છે. કોઈ પણ અંગ કે ટિશ્યૂ પરિવારની પરવાનગી વગર રાખવામાં આવતા નથી. જો કે, ક્રિમિનલ કેસ હોય તો પુરાવા તરીકે ડૉક્ટર્સ અમુક સેમ્પલ સાચવી રાખે છે. શંકાસ્પદ કેસમાં ફોરેન્સિક પેથોલોજીસ્ટ દ્વારા તપાસ થાય છે અને જરૂર પડે તો બીજી વાર પણ પોસ્ટમોર્ટમ થઈ શકે છે.

6 / 7
તમામ કાનૂની અને મેડિકલ પ્રક્રિયા પત્યા બાદ, ડૉક્ટર્સ મૃતદેહને એટલી કુશળતાથી ટાંકા લઈને તૈયાર કરે છે કે જેથી પરિવારજનો અંતિમ દર્શન શાંતિથી કરી શકે. સામાન્ય કપડાં પહેરાવ્યા પછી શરીર પર કરેલા કટ કે ટાંકા બહારથી જરાય દેખાતા નથી, જે મૃતક પ્રત્યેનું સન્માન દર્શાવે છે.

તમામ કાનૂની અને મેડિકલ પ્રક્રિયા પત્યા બાદ, ડૉક્ટર્સ મૃતદેહને એટલી કુશળતાથી ટાંકા લઈને તૈયાર કરે છે કે જેથી પરિવારજનો અંતિમ દર્શન શાંતિથી કરી શકે. સામાન્ય કપડાં પહેરાવ્યા પછી શરીર પર કરેલા કટ કે ટાંકા બહારથી જરાય દેખાતા નથી, જે મૃતક પ્રત્યેનું સન્માન દર્શાવે છે.

7 / 7

સાવધાન! ઘરમાં રાખેલું સોનું અને રોકડ તમને જેલ ભેગા કરી શકે છે? તમારી પાસે પડેલી 'અઘોષિત સંપત્તિ' પર સરકારની નજર!, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર
રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર
ગીર સોમનાથના કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં અનિશ્ચિત કાળ માટે હરાજી બંધ
ગીર સોમનાથના કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં અનિશ્ચિત કાળ માટે હરાજી બંધ
જમીન દલાલ બીજા વ્યક્તિની ટુ વ્હીલરમાં મુકી આવ્યા! પછી જે થયુ..-Video
જમીન દલાલ બીજા વ્યક્તિની ટુ વ્હીલરમાં મુકી આવ્યા! પછી જે થયુ..-Video
વન નેશન, વન ઇલેક્શન માટે આજથી 3 દિવસની બેઠક
વન નેશન, વન ઇલેક્શન માટે આજથી 3 દિવસની બેઠક
Breaking News: સુરતમાં પનીર-ચીઝમાં ભેળસેળનો પર્દાફાશ!
Breaking News: સુરતમાં પનીર-ચીઝમાં ભેળસેળનો પર્દાફાશ!
g clip-path="url(#clip0_868_265)">