AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું હું દર્શન કરવા ન ગઈ એટલે આવું થયું? સંજય ગાંધીના અવસાનના એક દિવસ પહેલાં ઇન્દિરા ગાંધીએ રદ કર્યો હતો આ પવિત્ર પ્રવાસ!

23 જૂન 1980ના રોજ થયેલી એક વિમાન દુર્ઘટનામાં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના નાના પુત્ર સંજય ગાંધીનું અવસાન થયું હતું. કહેવાય છે કે આ દુર્ઘટનાના એક દિવસ પહેલાં એટલે કે 22 જૂનના રોજ ઇન્દિરા ગાંધી ચામુંડા દેવીના મંદિરે જવાના હતા. પરંતુ અંતિમ ક્ષણે તેમનો કાર્યક્રમ રદ થયો હતો.

શું હું દર્શન કરવા ન ગઈ એટલે આવું થયું? સંજય ગાંધીના અવસાનના એક દિવસ પહેલાં ઇન્દિરા ગાંધીએ રદ કર્યો હતો આ પવિત્ર પ્રવાસ!
Sanjay Gandhi Unsolved HistoryImage Credit source: AI Generated
| Updated on: Jul 29, 2026 | 12:01 PM
Share

જાન્યુઆરી 1980માં લોકસભાની ચૂંટણીમાં જીત્યા બાદ અનિલ બાલીએ (ઇન્દિરા ગાંધીના અંગત વિશ્વાસુ, સલાહકાર અને નજીકના મિત્ર હતા) ઇન્દિરા ગાંધીને સલાહ આપી હતી કે વડાપ્રધાન તરીકે શપથ લીધા પછી તેમણે વ્યક્તિગત રીતે ચામુંડા દેવીના દર્શન કરવા જવું જોઈએ અને માતાના આશીર્વાદ લેવા જોઈએ.

14 જાન્યુઆરી 1980ના રોજ શપથગ્રહણના દિવસે ઇન્દિરા ગાંધીએ પોતાના 12, વિલિંગ્ડન ક્રેસેન્ટ (હાલમાં મધર ટેરેસા ક્રેસન્ટ તરીકે ઓળખાય છે) સ્થિત નિવાસસ્થાને કીર્તનનું આયોજન કર્યું હતું. રાષ્ટ્રપતિ ભવનમાં શપથવિધિ પૂર્ણ થયા બાદ તેઓ સીધા કીર્તનમાં હાજર રહ્યા હતા.

22 જૂન 1980ના રોજ ચામુંડા દેવીના દર્શન કરવા ઇન્દિરા ગાંધી પહોંચવાના હતા

કીર્તન દરમિયાન અનિલ બાલીએ ઇન્દિરા ગાંધીને ચામુંડા દેવીના દર્શનની યાદ અપાવી હતી. તેના જવાબમાં ઇન્દિરા ગાંધીએ કહ્યું હતું કે તેમને 4થી 5 મહિનાનો સમય આપો. મે 1980ના પ્રથમ સપ્તાહમાં અનિલ બાલીને પત્ર મળ્યો હતો. પત્રમાં લખવામાં આવ્યું હતું કે વડાપ્રધાન ઇન્દિરા ગાંધી 22 જૂન 1980ના રોજ ચામુંડા દેવીના દર્શન કરવા ઇચ્છે છે. પત્ર અનુસાર તેઓ સાંજે 4:45 વાગ્યે ત્યાં પહોંચવાના હતા. સમગ્ર કાર્યક્રમની તૈયારીઓ કરવાની જવાબદારી અનિલ બાલીને સોંપવામાં આવી હતી. આ પછી અનિલ બાલી ચામુંડા મંદિર પહોંચ્યા અને વડાપ્રધાનના આગમન તેમજ પૂજાની તમામ તૈયારીઓ શરૂ કરી.

20 જૂને અચાનક રદ થયો કાર્યક્રમ

20 જૂનની સાંજે ચામુંડા મંદિરે સંદેશ પહોંચ્યો કે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનો કાર્યક્રમ અચાનક રદ કરવામાં આવેલો છે. આ સમાચાર સાંભળીને મંદિરના પૂજારીએ કથિત રીતે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે, “ઇન્દિરા ગાંધીને કહી દેજો કે આ માતા ચામુંડાજી છે. કોઈ સામાન્ય વ્યક્તિ ન આવી શકે તો માતા તેમને માફ કરે છે, પરંતુ આટલા ઊંચા પદ પર રહેલા વ્યક્તિ તરફથી થયેલા અપમાનને દેવી સહન કરતી નથી.”

અને બીજા જ દિવસે બન્યો અકસ્માત

અગલી સવારે અનિલ બાલી દિલ્હીથી નીકળ્યા હતા. તેઓ લગભગ 50 કિલોમીટર દૂર જ્વાલામુખી મંદિર પહોંચ્યા ત્યારે તેમના સચિવ દોડી આવ્યા અને જાણકારી આપી કે સંજય ગાંધીનું વિમાન અકસ્માતગ્રસ્ત થયું છે. બાદમાં અનિલ બાલી ઇન્દિરા ગાંધીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ત્યાં ઇન્દિરા ગાંધી સંજય ગાંધીના પાર્થિવ દેહ પાસે બેઠા હતા. તેમણે અનિલ બાલીને પૂછ્યું હતું કે, “શું હું ચામુંડા દેવીના દર્શન કરવા ન ગઈ, તેના કારણે આવું થયું?” ત્યારબાદ 13 ડિસેમ્બર, 1980ના રોજ ઇન્દિરા ગાંધી ચામુંડા દેવીના મંદિરે દર્શન કરવા ગયા અને ત્યાં પૂજા-અર્ચના કરી હતી.

નોંધ: ઉપરોક્ત માહિતી વર્ણનો પર આધારિત છે. ઇતિહાસમાં સંજય ગાંધીના વિમાન અકસ્માતનું કારણ ચામુંડા દેવીની મુલાકાત રદ થવા સાથે જોડાયેલું હોવાનો કોઈ સ્થાપિત પુરાવો ઉપલબ્ધ નથી.

આ પણ વાંચો, Breaking News: ગાંધીનગરમાં ચાંદીપુરા વાયરસના લક્ષણોવાળા વધુ એક બાળકનું મોત, રાજ્યમાં ચિંતા વધી

Follow Us
g clip-path="url(#clip0_868_265)">