જામનગર: નરારામાં 16 હજારથી વધુ પરવાળાને 5 કિમી દૂર સ્થળાંતર કરવામાં મળી સફળતા- જુઓ તસવીરો

જામનગર: રાજ્યના એક માત્ર જામનગર-દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આવેલ મરીન નેશનલ પાર્કમાં કોરલનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. જાહેર ક્ષેત્રની ઓઈલ કંપનીની ચાર દાયકા જૂની પાઈપ લાઈન બદલવાની કામગીરીના કારણે કોરલનું સ્થળાંતર કરવામાં આવ્યું. દરિયાઈ સપાટી અને નીચેથી કોરલને સલામત રીતે કાઢી મરીન નેશનલ પાર્કની અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું. પોણા ત્રણ વર્ષ સુધી ચાલેલી આ કામગીરી રાજ્યની પ્રથમ ઘટના છે.

Divyesh Vayeda
| Edited By: | Updated on: Feb 23, 2024 | 4:39 PM
ભારતનું પ્રથમ દરિયાઈ વન્યજીવ અભયારણ્ય અને પ્રથમ મરીન નેશનલ પાર્ક જામનગર જીલ્લાના દરિયા કિનારે આવેલું છે. આ મરીન નેશનલ પાર્કને વર્ષ 1980 અને 1982માં કચ્છના અખાતમાં બનાવવામાં આવ્યું. આ અભયારણ્ય 458 ચોરસ કિમીમાં ફેલાયેલું છે, જેમાંથી ઉદ્યાન 163 ચોરસ કિમીને આવરી લે છે. તે જામનગર- દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉત્તર કિનારે અને કચ્છના દક્ષિણ કિનારે 42 ઉષ્ણકટિબંધીય ટાપુઓનો દ્વીપસમૂહ છે. જ્યાં દરિયાઈ વન્યજીવ અભયારણ્ય કોરલ એટલે કે પરવાળાના સમૂહ આવેલ છે. અહી પિરોટન, નરારા, અજાડ અને પોસીત્રા ટાપુઓ પર કેટલાક શ્રેષ્ઠ કોરલ રીફ જોવા મળે છે.

ભારતનું પ્રથમ દરિયાઈ વન્યજીવ અભયારણ્ય અને પ્રથમ મરીન નેશનલ પાર્ક જામનગર જીલ્લાના દરિયા કિનારે આવેલું છે. આ મરીન નેશનલ પાર્કને વર્ષ 1980 અને 1982માં કચ્છના અખાતમાં બનાવવામાં આવ્યું. આ અભયારણ્ય 458 ચોરસ કિમીમાં ફેલાયેલું છે, જેમાંથી ઉદ્યાન 163 ચોરસ કિમીને આવરી લે છે. તે જામનગર- દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉત્તર કિનારે અને કચ્છના દક્ષિણ કિનારે 42 ઉષ્ણકટિબંધીય ટાપુઓનો દ્વીપસમૂહ છે. જ્યાં દરિયાઈ વન્યજીવ અભયારણ્ય કોરલ એટલે કે પરવાળાના સમૂહ આવેલ છે. અહી પિરોટન, નરારા, અજાડ અને પોસીત્રા ટાપુઓ પર કેટલાક શ્રેષ્ઠ કોરલ રીફ જોવા મળે છે.

1 / 5
અહી ઇન્ટર ટાઈડલ એટલે કે દરિયાની અંદરના કોરલ (પરવાળા) અને સબ ટાઈડલ એટલે કે દરિયાઈ સપાટી પરના એમ બે પ્રકારના કોરલ જોવા મળે છે. અહી કોરલની 52 પ્રજાતિઓ જોવા મળી છે. જેમાંથી 42 સખત અને 10 નરમ છે. કોરલ લાખો રંગબેરંગી નાના પ્રાણીઓથી બનેલું છે. જેને પોલીપ્સ કહેવાય છે. વિવિધ પ્રકારના રસપ્રદ આકારો અને રચનાઓથી આચ્છાદિત પોલિપ્સ શ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે, વર્તમાન સમયમાં સલામતી અને સવર્ધન માટે નેશનલ પાર્કથી નેશનલ પાર્કમાં જ  કોરલ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું

અહી ઇન્ટર ટાઈડલ એટલે કે દરિયાની અંદરના કોરલ (પરવાળા) અને સબ ટાઈડલ એટલે કે દરિયાઈ સપાટી પરના એમ બે પ્રકારના કોરલ જોવા મળે છે. અહી કોરલની 52 પ્રજાતિઓ જોવા મળી છે. જેમાંથી 42 સખત અને 10 નરમ છે. કોરલ લાખો રંગબેરંગી નાના પ્રાણીઓથી બનેલું છે. જેને પોલીપ્સ કહેવાય છે. વિવિધ પ્રકારના રસપ્રદ આકારો અને રચનાઓથી આચ્છાદિત પોલિપ્સ શ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે, વર્તમાન સમયમાં સલામતી અને સવર્ધન માટે નેશનલ પાર્કથી નેશનલ પાર્કમાં જ કોરલ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું

2 / 5
રાષ્ટ્રીય દરિયાઈ વન્યજીવ અભયારણ્યમાં સલાયાથી મથુરા સુધીની અન્ડર ગ્રાઉન્ડ પાઈપ લાઈન પસાર કરવામાં આવી છે. ચાર દાયકા પૂર્વેની આ લાઈન બદલવાની હોવાથી અહીની 16 હજાર કોરલ સામે ખતરો ઉભો થયો. સદીઓથી અસ્તિત્વ ધરાવતી આ કોરલને ઉગારી લેવા ઝૂઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા અને મરીન ફોરેસ્ટ વિભાગ દ્વારા વર્ષ 2021માં કોરલ રી લોકેટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો અને કામગીરી શરુ કરવામાં આવી.

રાષ્ટ્રીય દરિયાઈ વન્યજીવ અભયારણ્યમાં સલાયાથી મથુરા સુધીની અન્ડર ગ્રાઉન્ડ પાઈપ લાઈન પસાર કરવામાં આવી છે. ચાર દાયકા પૂર્વેની આ લાઈન બદલવાની હોવાથી અહીની 16 હજાર કોરલ સામે ખતરો ઉભો થયો. સદીઓથી અસ્તિત્વ ધરાવતી આ કોરલને ઉગારી લેવા ઝૂઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા અને મરીન ફોરેસ્ટ વિભાગ દ્વારા વર્ષ 2021માં કોરલ રી લોકેટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો અને કામગીરી શરુ કરવામાં આવી.

3 / 5
જામનગર જીલ્લામાં સિક્કા રેંજ તાબાના નરારા ટાપુના રીફ વિસ્તારમાંથી કોરલને સ્થળાંતર કરવાની કામગીરી પોણા ત્રણ વર્ષ સુધી ચાલી. કુલ પાંચ કિમીના વિસ્તારમાં દરિયાની ઉપરની સપાટી અને નીચેના ભાગથી આ કામગીરી કરવામાં આવી. રાજ્યના ઈતિહાસમાં પ્રથમ વખત કોરલનું ટ્રાન્સપ્લાન્ટ હાથ ધરવામાં આવ્યું. નરારા ટાપુ આસપાસના વિસ્તારમાંથી 16 હજાર કોરલને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા અને નરારાથી પાંચ કિમી દુર નેશનલ પાર્કના જ અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું.

જામનગર જીલ્લામાં સિક્કા રેંજ તાબાના નરારા ટાપુના રીફ વિસ્તારમાંથી કોરલને સ્થળાંતર કરવાની કામગીરી પોણા ત્રણ વર્ષ સુધી ચાલી. કુલ પાંચ કિમીના વિસ્તારમાં દરિયાની ઉપરની સપાટી અને નીચેના ભાગથી આ કામગીરી કરવામાં આવી. રાજ્યના ઈતિહાસમાં પ્રથમ વખત કોરલનું ટ્રાન્સપ્લાન્ટ હાથ ધરવામાં આવ્યું. નરારા ટાપુ આસપાસના વિસ્તારમાંથી 16 હજાર કોરલને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા અને નરારાથી પાંચ કિમી દુર નેશનલ પાર્કના જ અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું.

4 / 5
પોણા ત્રણ વર્ષની કામગીરી દરમિયાન કોરલની જુદી જુદી દસ પ્રજાતિઓના 16 હજાર કોરલનું રીલોકેસન કરવામાં આવેલ.સ્થળાંતર કરાયા બાદ આ વિસ્તાર મરીન ફોરેસ્ટની દેખરેખ હેઠળ છે. હાલ આ કોરલનો સારો વિકાસ થઇ રહ્યો છે એમ મરીન ફોરેસ્ટ તંત્રનું કહેવું છે. ઝૂઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમના અનુભવી સ્કૂબા ડાઈવરો દ્રારા આ પ્રોજેકટને સફળતા મળી છે. આ પહેલા 2018માં કોરલની એક જાતિના નાના સમુહને સ્થળાંતર કરવામાં સફળતા મળી હતી. જે બાદ આ ભારતના સૌથી મોટા પ્રમાણમાં પરવાળાને જીવંત મૂળ સ્વરૂપમાં રાખીને સ્થળાંતર કરવાના પ્રોજેકટને સફળતા મળી છે.

પોણા ત્રણ વર્ષની કામગીરી દરમિયાન કોરલની જુદી જુદી દસ પ્રજાતિઓના 16 હજાર કોરલનું રીલોકેસન કરવામાં આવેલ.સ્થળાંતર કરાયા બાદ આ વિસ્તાર મરીન ફોરેસ્ટની દેખરેખ હેઠળ છે. હાલ આ કોરલનો સારો વિકાસ થઇ રહ્યો છે એમ મરીન ફોરેસ્ટ તંત્રનું કહેવું છે. ઝૂઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમના અનુભવી સ્કૂબા ડાઈવરો દ્રારા આ પ્રોજેકટને સફળતા મળી છે. આ પહેલા 2018માં કોરલની એક જાતિના નાના સમુહને સ્થળાંતર કરવામાં સફળતા મળી હતી. જે બાદ આ ભારતના સૌથી મોટા પ્રમાણમાં પરવાળાને જીવંત મૂળ સ્વરૂપમાં રાખીને સ્થળાંતર કરવાના પ્રોજેકટને સફળતા મળી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">