Mango Festival: કેરી રસિયાઓ માટે આનંદના સમાચાર, અમદાવાદ હાટમાં 15 દિવસ ચાલશે કેસર કેરી મહોત્સવ
આજથી 15 દિવસ ચાલનારા કેસર કેરી મહોત્સવમાં ( Kessar mango festival ) સીધા જ ખેડૂત ( Farmers ) તેમની કેરી વેચી શકે છે જેનાથી તેમને પૂરતો ભાવ પણ મળે છે તો લોકો પણ કાર્બાઈડ વગરની ( Carbide free ) સારી ગુણવત્તા વાળી કેસર કેરી મેળવી શકે છે.

છેલ્લા બે વર્ષ થી કોરોનાના કારણે મોકૂફ રખાયેલો કેસર કેરી મહોત્સવ આ વર્ષે ફરી યોજવામાં આવ્યો છે. અમદાવાદમાં ગીર તેમજ અન્ય વિસ્તારોની કેસર કેરી માટે કેસર કેરી મહોત્સવ યોજવામાં આવ્યો છે.

આજથી 15 દિવસ ચાલનારા કેસર કેરી મહોત્સવમાં સીધા જ ખેડૂત તેમની કેરી વેચી શકે છે જેનાથી તેમને પૂરતો ભાવ પણ મળે છે તો લોકો પણ કાર્બાઈડ વગરની સારી ગુણવત્તા વાળી કેસર કેરી મેળવી શકે છે.

મંત્રી રાઘવજી પટેલ તેમજ મુકેશ પટેલ દ્વારા કેરી મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે જે રીતે ગત વર્ષે તાઉતે વાવાઝોડા કે કારણે કેરીના પાકને માઠિ અસર પહોંચી હતી અને આ વર્ષે પણ કમોસમી વરસાદ તેમજ પવનને કારણે કેરીના પાકને નુકશાન થયું હોવાથી ખૂબ ઓછા પ્રમાણમાં કેરીનો પાક આવી રહ્યો છે અને બજાર કિંમત પણ ખૂબ ઊંચી જોવા મળી રહી છે.

કેસર કેરીની વિદેશોમાં પણ ઘણી માંગ છે જેના કારણે સારી કેસર કેરી ઊંચા ભાવે વિદેશ મોકલવામાં આવે છે.

જોકે ઘઉંની જેમ કેરી પણ વિદેશ મોકલવા પર પ્રતિબંધ મૂકવા મામલે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે કૃષિમંત્રી તરીકે તેમને ઉપરથી કોઈ પદાધિકારી દ્વારા પૂછવામાં આવશે તો તેવો પોતાનો અભિપ્રાય વ્યક્ત કરશે તેમ જણાવ્યું હતું.