TMKOC: ‘તારક મહેતાના’ ટપ્પુ ભવ્ય ગાંધીએ મુનમુન દત્તા સાથેની સગાઈ પર તોડ્યું મૌન, કહ્યું-મમ્મી ભડકી ગઈ
તારક મહેતા શોમાં ટપ્પુનું પાત્ર ભજવનાર પહેલો કલાકાર ભવ્ય ગાંધી આજે મોટું નામ બની ગયો છે. સિરિયલ છોડ્યા બાદ હવે ગુજરાતી ફિલ્મોમાં ભવ્ય દેખાય છે. જોકે થોડા સમય પહેલા ટપ્પુના પાછા ફરવાની ચર્ચા વચ્ચે તેણે બબીતાજી સાથેની સગાઈની અફવાઓએ પણ જોર પક્યું હતુ. જે બાદ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, ભવ્ય એ ખુલીને વાત કરી છે.

ગોકુલધામ સોસાયટીના તોફાની બાળકનું નામ લેતા જ ટપ્પુ યાદ આવી જાય છે. ત્યારે તારક મહેતા શોમાં ટપ્પુનું પાત્ર ભજવનાર પહેલો કલાકાર ભવ્ય ગાંધી આજે મોટું નામ બની ગયો છે. સિરિયલ છોડ્યા બાદ હવે ગુજરાતી ફિલ્મોમાં ભવ્ય દેખાય છે. આમ તે તેણે કારકિર્દીમાં એક સંપૂર્ણપણે નવા અધ્યાયમાં પ્રવેશ કર્યો છે. જોકે થોડા સમય પહેલા ટપ્પુના પાછા ફરવાની ચર્ચા વચ્ચે તેણે બબીતાજી સાથેની સગાઈની અફવાઓએ પણ જોર પક્યું હતુ. જે બાદ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, ભવ્ય એ ખુલીને વાત કરી છે.

હિન્દી રશ સાથેના તાજેતરના ઇન્ટરવ્યુમાં, ભવ્ય ગાંધીએ મુનમુન દત્તા વિશે વાત કરી, કે જ્યારે તેમની સગાઈની અફવાઓ ખૂબ ફેલાઈ હતી.

આ અંગે તેણે આખરે ખુલાસો કર્યો કે તે કેવું હતું અને તેના કારણે તેમના ઘરના લોકોના અને ખાસ કરીને તેની માતાના રિએક્શન કેવા હતા. ઇન્ટરવ્યુમાં, ભવ્ય એ કહ્યું કે અફવા એવી હતી કે મેં અને મુનમુન દત્તાએ વડોદરામાં સગાઈ કરી લીધી છે.

ભવ્ય એ આગળ કહ્યું, આ અંગે લોકો એ બઢાઈ ચઢાઈને વાતો ફેલાવી હતી. આ સમયે મારી મમ્મીને આ અંગે જાણવા ઘણા ફોન આવવા લાગ્યા હતા અને તે ગુસ્સામાં બોલવા લાગી કે તમને લોકોને કઈ સમજાતુ નથી, દિમાગ જેવું કઈ છે કે નહીં તમારી પાસે, અને આમ કહેતા તે ફોનમાં લોકો પર ભડકી ગઈ હતી. ભવ્ય એ કહ્યું આ વાતમાં કોઈ સચ્ચાઈ નહોંતી, લોકોએ ફક્ત વાત ફેલાવી." તેમાં કંઈ નહોતું.'

2017 માં TMKOC છોડ્યા પછી, ભવ્ય ગુજરાતી સિનેમા તરફ વળ્યો. પ્રાદેશિક ફિલ્મોમાં તેમના અભિનય માટે તેમની પ્રશંસા થઈ છે. જ્યારે તેઓ હજુ સુધી મોટા પડદા પર કોઈ બોલિવૂડ ફિલ્મમાં દેખાયા નથી, ત્યારે ચાહકો તારક મહેતાના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે.

ભવ્ય ગાંધીએ 2008 માં ટપ્પુ તરીકે "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" માં પ્રવેશ કર્યો. તેની માસૂમિયત અને અભિનયથી, તેણે દર્શકોના દિલ જીતી લીધા. તેઓ લગભગ સાત વર્ષ સુધી શોનો ભાગ રહ્યા અને 2017 માં શો છોડી દીધો. તેમના જવાથી દર્શકો નિરાશ થયા, કારણ કે ટપ્પુના પાત્રને શોનું જીવન માનવામાં આવતું હતું. ભવ્યના ગયા પછી, શરૂઆતમાં આ ભૂમિકા રાજ અનડકટ દ્વારા ભજવવામાં આવી હતી, અને હવે તે નિતેશ ભુલાણી દ્વારા ભજવવામાં આવી રહી છે.
Bigg Boss 19: આ દિવસે ટેલિકાસ્ટ થશે બિગ બોસ 19નો “ગ્રાન્ડ ફિનાલે”, શોને નથી મળ્યું કોઈ એક્સટેન્શન, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
