શિવસેના
શિવસેના મહારાષ્ટ્રમાં મહત્વનો પ્રાદેશિક રાજકીય પક્ષ છે. બાળાસાહેબ ઠાકરેએ 19 જૂન 1966ના રોજ શિવસેનાની સ્થાપના કરી હતી. મનોહર જોશી શિવસેનાના પ્રથમ મુખ્યમંત્રી બન્યા.
બાળાસાહેબ ઠાકરેના નિધન બાદ ઉદ્ધવ ઠાકરે શિવસેનાના પક્ષ પ્રમુખ બન્યા. 2019ની ચૂંટણીમાં શિવસેનાના 18 સાંસદો ચૂંટાયા હતા. જોકે, વિધાનસભા ચૂંટણી બાદ શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને મહા વિકાસ અઘાડી બનાવી અને સત્તા સ્થાને બેઠી. ઉદ્ધવ ઠાકરે રાજ્યના મુખ્યમંત્રી બન્યા.
પરંતુ અઢી વર્ષ બાદ શિવસેનાના નેતા એકનાથ શિંદેએ પાર્ટીમાં બળવો કર્યો. શિંદેએ 40 ધારાસભ્યો અને 10 અપક્ષ ધારાસભ્યો સાથે શિવસેના છોડી દીધી હતી. તેમણે ભાજપ સાથે હાથ મિલાવ્યા અને સરકાર બનાવી. એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા. જ્યારે શિવસેના કોની એ મામલો કોર્ટ સુધી પહોંચ્યો, શિંદે જૂથને પાર્ટીનું પ્રતીક આપવામાં આવ્યું. હાલ શિવસેના બે પક્ષમાં વહેંચાયેલી છે, એક ઉદ્ધવ ઠાકરે જુથ અને એક એકનાથ શિંદે જુથ છે.
Breaking News: ઉદ્ધવ-ફડણવીસ એક જ ફ્લાઈટમાં સાથે નીકળ્યા, મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા બદલાવના સંકેત
મહારાષ્ટ્રના રાજકારણમાં 'ઓપરેશન ટાઈગર' બાદ મોટો ઉલટફેર થયો છે. એક તરફ ઉદ્ધવ ઠાકરેના 6 સાંસદો શિંદે જૂથમાં જોડાતા મોટો ઝટકો લાગ્યો છે, તો બીજી તરફ આ જ રાજકીય ગરમાવા વચ્ચે ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ એક જ ફ્લાઈટમાં સાથે જોવા મળ્યા છે.
- Ravi Prajapati
- Updated on: Jun 26, 2026
- 7:38 pm
મહારાષ્ટ્રમાં ઉદ્ધવનો ઉદ્ધાર નહીં પડતી ! 6 સાંસદ પક્ષ છોડીને એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા
ઉદ્ધવ જૂથના છ સાંસદોને આવકારતા શિંદેએ કહ્યું કે,, "શિવસેના એક પરિવાર છે. કટ્ટર શિવસૈનિક સાંસદો વાસ્તવિક શિવસેનાના પરિવારમાં જોડાયા છે. શિવસેના પરિવાર જે બાળાસાહેબના આદર્શોને સમર્થન આપે છે. હું તેમનું પક્ષમાં સ્વાગત કરું છું." "આપણી વિચારધારાની લડાઈ છે,"
- Bipin Prajapati
- Updated on: Jun 22, 2026
- 7:22 pm
ઉદ્ધવ જૂથને મોટો ઝટકો? શિંદે સાથે જોડાશે આ સાંસદ, કાર્યકરોને કહ્યું- જનકલ્યાણ માટે સત્તા સાથે રહેવું જરૂરી
ધારાશિવના સાંસદ ઓમરાજે નિંબાલકર એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થઈ શકે છે. કાર્યકરોની બેઠકમાં તેમણે લોકહિતના કામો માટે સત્તા સાથે રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
- Sachin Agrawal
- Updated on: Jun 21, 2026
- 9:19 pm
કુતરા ભસતા રહે, વાઘ શિકાર કરે- શિવસેનાના સ્થાપના દિવસે ઉદ્ધવ ઠાકરે પર એકનાથ શિંદેના પ્રહાર
શિંદેએ દાવો કર્યો હતો કે, "મારા શિવસૈનિકો બાળાસાહેબ ઠાકરેના સાચા વારસદાર છે. ઉત્તરાધિકાર લોહીના સંબંધોથી નહીં, પણ વિચારધારાથી નક્કી થાય છે. શિવસેના જમીનનો ટુકડો નથી. તે લાખો લોકોની વિચારધારા છે."
- Bipin Prajapati
- Updated on: Jun 20, 2026
- 9:19 am
મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ, હું પદ છોડવા તૈયાર છું, પણ… પક્ષના વિભાજન વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ ભાજપ અને શિંદે જૂથ પર કર્યા પ્રહારો
શિવસેના સ્થાપના દિવસે ઉદ્ધવ ઠાકરેએ ભાજપ અને શિંદે જૂથ પર આકરા પ્રહારો કર્યા. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ સત્તા માટે રાજકારણ નથી કરતા અને જ્યારે પણ પ્રશ્નો ઉભા થયા, પદ છોડવા તૈયાર હતા.
- Sagar Solanki
- Updated on: Jun 19, 2026
- 10:11 pm
Breaking News : શિવસેનાના 60માં સ્થાપના દિવસે મહારાષ્ટ્રની રાજનીતિનો મોટો દિવસ, બંને જૂથ કરશે આજે તાકાતનું પ્રદર્શન
આજે 19 જૂને મુંબઈમાં બે અલગ અલગ જૂથો દ્વારા શિવસેનાનો 60મો સ્થાપના દિવસ ઉજવવામાં આવશે. એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના ગોરેગાંવમાં એક કાર્યક્રમ યોજશે. જ્યારે ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) સાયનમાં એક કાર્યક્રમ યોજશે.
- Dhruval Shah
- Updated on: Jun 19, 2026
- 9:52 am
ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો! 6 બાગી સાંસદોએ બનાવ્યો અલગ જૂથ, પાર્ટીમાં ફૂટ લગભગ નિશ્ચિત
શિવસેના (UBT)માં આંતરિક વિખવાદ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. સંસદીય દળની બેઠકમાં માત્ર 3 સાંસદો હાજર રહ્યા હતા, જ્યારે 6 સાંસદોએ ગેરહાજરી નોંધાવી અલગ સંસદીય જૂથ બનાવ્યાનો દાવો થયો છે. આ ઘટનાક્રમ બાદ ઉદ્ધવ ઠાકરેની પાર્ટીમાં વધુ એક મોટા વિભાજનની અટકળો તેજ બની છે.
- Sachin Agrawal
- Updated on: Jun 18, 2026
- 8:15 pm
Maharashtra Breaking News : સુરત-ગુવાહાટી નહીં, આ જગ્યાએ છુપાયા છે ઉદ્ધવ ઠાકરેના સાંસદો !
ગઈકાલથી (17 જૂન) ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે (UBT)ના સાંસદો શિંદેના જૂથમાં જોડાયા હોવાનું જાણવા મળ્યું છે. હવે આ સંદર્ભમાં એક મોટી અને મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે અને ઠાકરેના સાંસદનું સ્થાન સામે આવ્યું છે.
- Dhruval Shah
- Updated on: Jun 18, 2026
- 12:25 pm
Maharashtra Breaking News : દરેક સાંસદને ₹15 કરોડ એડવાન્સ ! સંજય રાઉતના દાવાથી મહારાષ્ટ્રની રાજનીતિમાં ખળભળાટ
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) ને વધુ એક મોટો ઝટકો લાગી શકે છે. 'ઓપરેશન ટાઇગર' ના ભાગ રૂપે 6 UBT સાંસદો એકનાથ શિંદે જૂથમાં જોડાઈ શકે છે. સંજય રાઉતે દાવો કર્યો છે કે આ સાંસદોને ₹15 કરોડની ઓફર મળી છે. શિંદે અને ઘણા UBT સાંસદો દિલ્હીમાં છે. જેના કારણે રાજકીય ગતિવિધિઓમાં તીવ્ર વધારો થયો છે.
- Dhruval Shah
- Updated on: Jun 17, 2026
- 7:37 am
Breaking News: ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં ફરી મોટું ભંગાણ? 7 સાંસદોને લઈને મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ
ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT)ના 7 લોકસભા સાંસદ એકનાથ શિંદેના ગૂટમાં જોડાશે તેવી અટકળોએ મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરીથી ગરમાવો લાવ્યો છે. જોકે UBT નેતૃત્વે તમામ દાવાઓને નકારી કાઢ્યા છે.
- Sachin Agrawal
- Updated on: Jun 16, 2026
- 7:20 pm
Breaking news: બંગાળ પછી મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ, ઓપરેશન ટાઇગરથી ઉદ્ધવ ઠાકરે સતર્ક, ઘરે મોટી બેઠક બોલાવી
બંગાળ પછી મહારાષ્ટ્રનું રાજકીય દ્રશ્ય હવે તેજ બન્યું છે. એવી અટકળો ચાલી રહી છે કે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) ના કેટલાક સાંસદો પક્ષ બદલી રહ્યા છે. દરમિયાન, પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરેએ રવિવારે (રવિવાર, 14મી) ના રોજ તેમના તમામ સાંસદોની બેઠક બોલાવી છે.
- Meera Kansagara
- Updated on: Jun 14, 2026
- 8:15 am
Mumbai News : હવે મુંબઈમાં મરાઠી વગર ધંધો મુશ્કેલ? BMCનો નવો આદેશ ચર્ચામાં
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની (BMC) દુકાનો અને વ્યવસાયિક સંસ્થાઓના અધિકારીઓ સાથેની બેઠક બાદ, મુંબઈના ડેપ્યુટી મેયરે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર મરાઠીમાં લખેલા સાઇનબોર્ડ ફરજિયાત છે. આનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
- Dhruval Shah
- Updated on: May 14, 2026
- 10:20 am
Breaking News : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેનું હેલિકોપ્ટર ખરાબ હવામાન-ભારે પવનથી તૂટતા બચ્યું
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેનું હેલિકોપ્ટર કલ્યાણ નજીક ખરાબ હવામાનને કારણે ફસાઈ ગયું હતું. પાયલટની સમજદારીને કારણે હેલિકોપ્ટરને મુંબઈના જુહુ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું હતું. હેલિકોપ્ટરમાં સવાર બધા લોકો સુરક્ષિત છે. ખરાબ હવામાનને કારણે, પાયલોટે આગળ ના વધવાનો નિર્ણય લીધો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી જવા પામી હતી.
- TV9 Gujarati
- Updated on: May 7, 2026
- 6:52 pm
Breaking News : મુંબઈમાં પહેલીવાર બનશે ભાજપના મહિલા મેયર, ડેપ્યુટી મેયરપદે શિંદે જૂથના સંજય શંકર
BMC Mayor Elections : મુંબઈને આખરે નવા મેયર રિતુ તાવડે મળ્યા છે. ભાજપ મુંબઈ પ્રમુખ અમિત સાટમે તેમની ઔપચારિક જાહેરાત કરી હતી. શિવસેનાના સંજય શંકર ઘડીને ડેપ્યુટી મેયર બનશે. મુંબઈમાં આ પહેલી વાર મહિલા મેયર બન્યા છે.
- TV9 Gujarati
- Updated on: Feb 7, 2026
- 12:12 pm
BMC Mayor Breaking News : મુંબઈને મળશે મહિલા મેયર, કલ્યાણ-ડોંબિવલીમાં ભાજપનો દાવો નબળો પડ્યો
મહારાષ્ટ્રમાં ગત 15મી જાન્યુઆરીના રોજ યોજાયેલ 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણી બાદ, આજે ગુરુવારે લોટરી દ્વારા કોણ કઈ મહાનગરપાલિકામાં મેયર બનશે તેની કેટેગરી નક્કી કરવામાં આવીહતું. આ લોટરી મુજબ, મુંબઈ સહિત નવ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર મહિલા બનશે.
- TV9 Gujarati
- Updated on: Jan 22, 2026
- 1:34 pm