શિવસેના
શિવસેના મહારાષ્ટ્રમાં મહત્વનો પ્રાદેશિક રાજકીય પક્ષ છે. બાળાસાહેબ ઠાકરેએ 19 જૂન 1966ના રોજ શિવસેનાની સ્થાપના કરી હતી. મનોહર જોશી શિવસેનાના પ્રથમ મુખ્યમંત્રી બન્યા.
બાળાસાહેબ ઠાકરેના નિધન બાદ ઉદ્ધવ ઠાકરે શિવસેનાના પક્ષ પ્રમુખ બન્યા. 2019ની ચૂંટણીમાં શિવસેનાના 18 સાંસદો ચૂંટાયા હતા. જોકે, વિધાનસભા ચૂંટણી બાદ શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને મહા વિકાસ અઘાડી બનાવી અને સત્તા સ્થાને બેઠી. ઉદ્ધવ ઠાકરે રાજ્યના મુખ્યમંત્રી બન્યા.
પરંતુ અઢી વર્ષ બાદ શિવસેનાના નેતા એકનાથ શિંદેએ પાર્ટીમાં બળવો કર્યો. શિંદેએ 40 ધારાસભ્યો અને 10 અપક્ષ ધારાસભ્યો સાથે શિવસેના છોડી દીધી હતી. તેમણે ભાજપ સાથે હાથ મિલાવ્યા અને સરકાર બનાવી. એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા. જ્યારે શિવસેના કોની એ મામલો કોર્ટ સુધી પહોંચ્યો, શિંદે જૂથને પાર્ટીનું પ્રતીક આપવામાં આવ્યું. હાલ શિવસેના બે પક્ષમાં વહેંચાયેલી છે, એક ઉદ્ધવ ઠાકરે જુથ અને એક એકનાથ શિંદે જુથ છે.
BMC Mayor Breaking News : મુંબઈને મળશે મહિલા મેયર, કલ્યાણ-ડોંબિવલીમાં ભાજપનો દાવો નબળો પડ્યો
મહારાષ્ટ્રમાં ગત 15મી જાન્યુઆરીના રોજ યોજાયેલ 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણી બાદ, આજે ગુરુવારે લોટરી દ્વારા કોણ કઈ મહાનગરપાલિકામાં મેયર બનશે તેની કેટેગરી નક્કી કરવામાં આવીહતું. આ લોટરી મુજબ, મુંબઈ સહિત નવ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર મહિલા બનશે.
- TV9 Gujarati
- Updated on: Jan 22, 2026
- 1:34 pm
Breaking News : ભાજપ ઉદ્ધવ ઠાકરે સાથે જઈ શકે છે, તો શિંદે વંચિત અને AIMIM સાથે…? મહારાષ્ટ્રમાં મેયર પદ માટે રાજકીય મારામારી
Mayor Elections 2026 : મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ પછી, બધાનું ધ્યાન હવે મેયર કોણ બનશે તેના પર છે. જોકે, આ માટે, ઘણી મહાનગરપાલિકાઓમાં વિવિધ પક્ષો એકબીજા સાથે જાય તેવી શક્યતા છે. ચાલો આ વિશે વિગતો જાણીએ.
- TV9 Gujarati
- Updated on: Jan 19, 2026
- 4:25 pm
Breaking News : BMC મેયર પદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી- અઢી વર્ષની ફોર્મ્યુલા થશે લાગું ?
મુંબઈમાં 89 બેઠકો જીત્યા બાદ, ભાજપ મેયરની પસંદગી કરવાની તૈયારી કરી રહ્યું છે. આ બાબતે ભાજપ છાવણીમાં આંતરિક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, અને દરેકની નજર મહારાષ્ટ્ર શહેરી વિકાસ વિભાગ દ્વારા મેયર માટેની અનામતની જાહેરાત પર છે. દરમિયાન શિંદે જૂથના અનેક પ્રધાનો અને નેતાઓ બીએમસીના મેયર પદ માટે દાવો કરી રહ્યાં છે.
- TV9 Gujarati
- Updated on: Jan 18, 2026
- 10:16 am
BMC Election Breaking: BMCના ચૂંટણી પરિણામો બાદ શિંદે સેનાને હોર્સ ટ્રેડિંગનો ડર.. ચૂંટાયેલા કાઉન્સિલરોને 5 સ્ટાર હોટલમાં કરાયા શિફ્ટ..
ભાજપે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં શિવસેનાના વર્ચસ્વનો અંત લાવી દીધો છે. 25 વર્ષ પછી, ભાજપ પોતાના મેયરની પસંદગી કરવા માટે તૈયાર છે. એકનાથ શિંદે આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આનાથી તેમની સોદાબાજી શક્તિમાં પણ વધારો થયો છે. કદાચ આ જ કારણ છે કે શિવસેના હોટલ રાજકારણનો આશરો લઈ રહી છે.
- Sachin Agrawal
- Updated on: Jan 17, 2026
- 8:26 pm
BMC Election Results 2026 Breaking News : આમચી મુંબઈ-મરાઠી માણૂસના નામે ચાલતી ઠાકરેના રાજકારણની દુકાનને તાળુ મારી દેતા ફડણવીસ-એકનાથ શિંદે
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામોના સામે આવી રહેલા વલણોમાં મરાઠી માણૂસ અને આમચી મુંબઈના નામે રાજકારણ રમનારા ઠાકરે બંધુઓને ભારે ફટકો પડ્યો છે. ઉદ્ધવ ઠાકરે અને તેના પિતરાઈ ભાઈ રાજ ઠાકરેના અવારનવાર મરાઠી માણૂસ અને આમચી મુંબઈ, મરાઠી ભાષાના નામે રાજકારણ રમતા આવ્યા છે પરંતુ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોએ દેવેનેદ્ર ફડણવીસ અને એકનાથ શિંદેએ, ઉદ્ધવ ઠાકરે અને તેના પિતરાઈ ભાઈ રાજ ઠાકરેની દુકાનને તાળુ મારી દઈને ચાવી અરબી સમુદ્રમાં ફેકી દીધી છે.
- TV9 Gujarati
- Updated on: Jan 16, 2026
- 3:07 pm
BMC Election Results 2026 Breaking News : મુંબઈ ઠાકરે મુક્ત થતા, ભાજપની આવી પહેલી પ્રતિક્રિયા, ઠાકરે બંધુના મરાઠી રાજકારણની, દુકાન બંધ થઈ ગઈ ?
આખા દેશનું ધ્યાન ખેંચનારી, સૌથી ધનિક મ્યુનિસિપલ કોર્પોરેશનની મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થવા લાગ્યા છે. ભાજપ અને શિંદે જૂથની શિવસેનાએ, મુંબઈમાં ધારી સફળતા મેળવી છે. આ દરમિયાન, ભાજપના નેતા પ્રવિણ દરેકરે આપેલી પ્રતિક્રિયા સૌ કોઈનું ધ્યાન ખેંચી રહી છે.
- TV9 Gujarati
- Updated on: Jan 16, 2026
- 2:24 pm
BMC Election Breaking news : EVM સાથે VVPAT નહીં PADU મશીન લાગશે, વિપક્ષે ઉઠાવ્યા ચૂંટણી પંચ ઉપર સવાલ
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીમાં EVMની સાથે નવા PADU મશીનના ઉપયોગ કરવા ઉપર વિવાદ સર્જાયો છે. રાજ ઠાકરે સહિત વિપક્ષી પક્ષોએ, ચૂંટણી પંચના નિર્ણય પર સવાલ ઉઠાવી રહ્યા છે. જો કે ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે, PADU એક સહાયક ડિસ્પ્લે યુનિટ છે. જે EVMના કંટ્રોલ યુનિટને બેકઅપ પૂરું પાડે છે. આ PADU મશીન, VVPAT જેવી રસીદ નહીં આપે.
- TV9 Gujarati
- Updated on: Jan 14, 2026
- 3:47 pm
BMC Election Breaking News: રાજ ઠાકરેએ અન્નામલાઈને કહ્યું કે રસમલાઈ મુંબઈ આવ્યું, સંજય રાઉતે કીડો કહી સંબોધ્યું
ભાજપના નેતા કે. અન્નામલાઈ અને મહારાષ્ટ્રના નેતાઓ વચ્ચે રાજકીય નિવેદનબાજી વધુ તીવ્ર બની છે. સંજય રાઉતે તેમને "કીડો" કહ્યા, જ્યારે રાજ ઠાકરેએ તેમને "રસમલાઈ" કહ્યા, મહારાષ્ટ્ર સંબંધિત બાબતો પર બોલવાના તેમના અધિકાર પર સવાલ ઉઠાવ્યા. જવાબમાં અન્નામલાઈએ શું કહ્યું?
- Sachin Agrawal
- Updated on: Jan 12, 2026
- 8:49 pm
BMC Election Breaking News: ભાજપ માટે ચિંતા! શિવસેના શિંદે જૂથ અને અજિતદાદા જૂથ લઈ શકે છે મોટું પગલું
મ્યુનિસિપલ ચૂંટણીઓ પહેલા જ, મહારાષ્ટ્રના રાજકીય બેડામાંથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે, અજિત પવાર જૂથ અને શિવસેનાના શિંદે જૂથે ભાજપને મોટો ફટકો આપ્યો છે. એક મોટો રાજકીય વળાંક આવી રહ્યો હોય તેવું લાગે છે.
- Sachin Agrawal
- Updated on: Jan 12, 2026
- 8:48 pm
મરાઠી ભાષાવાદ : રાજકારણનો ફ્લોપ હીરો, સરદાર-મોરારજીના નામે સફળ થવા ઈચ્છે છે
બાળા સાહેબ ઠાકરેના ભત્રીજા રાજ ઠાકરે મહારાષ્ટ્રના રાજકારણનો નિષ્ફળ ચહેરો છે. તે પોતાના ચહેરાને રાજકારણમાં ચમકાવવા માટે અવાર નવાર પ્રયાસ કરે છે. તાજેતરમાં બાળાસાહેબ ઠાકરેના પુત્ર ઉદ્ધવ ઠાકરે સાથે એક જ મંચ ઉપર દોડી આવ્યો. હવે મહારાષ્ટ્રના રાજકારણમાં છવાયેલ મરાઠી ભાષાના વિવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈને પરાણે ઢસડીને સફળતા હાંસલ કરવા માંગે છે.
- TV9 Gujarati
- Updated on: Jul 22, 2025
- 2:50 pm
Breaking News: મહારાષ્ટ્રની રાજનીતિમાં નવાજુનીના એંધાણ, CM દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે બંધ બારણે બેઠક
મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી નવા જુની થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. હજુ ગઈકાલે જ વિધાનસભામાં હળવા અંદાજમાં દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરને સત્તા પક્ષમાં અલગ રીતે આવવાની ઓફર આપી હતી. જે બાદ આજે CM દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરેની બંધ બારણે બેઠક મળી હતી.
- Mina Pandya
- Updated on: Jul 22, 2025
- 3:38 pm
RSS નેતાના એક નિવેદનથી મરાઠી અસ્મિતાની ચિંગારી ફરી સળગી, અસલમાં ભાષા નહીં વોટબેંક છે ખરુ લક્ષ્ય
મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાને વિવાદ ત્યારથી શરૂ થયો જ્યારે RSS ના વરિષ્ઠ નેતા સુરેશ ભૈયાજી જોશીએ કહ્યુ કે મુંબઈની એક ભાષા નથી અને એ જરૂરી નથી કે મુંબઈ આવનારા દરેક વ્યક્તિએ મરાઠી શીખવી પડે. આ નિવેદન પર વિપક્ષી મહાવિકાસ અઘાડી દળના નેતાઓ વિફર્યા અને શરૂ થયો મરાઠી ભાષા વિવાદ
- Mina Pandya
- Updated on: Jul 6, 2025
- 1:00 am
શિંદે જૂથને પંસદ ના આવી કૃણાલ કામરાની સ્ટેન્ડઅપ કોમેડી, શિવસૈનિકોએ તોડફોડ કર્યા બાદ, તંત્રે ઉગામ્યો હથોડો
સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ, ગુસ્સે ભરાયેલા શિવસૈનિકોએ સ્ટુડિયોમાં તોડફોડ કરી હતી. આ પછી, શિવસેના યુવા સેના (શિંદે જૂથ) ના મહાસચિવ રાહુલ કનાલ વિરુદ્ધ પોલીસ સ્ટેશને FIR નોંધવામાં આવી છે. FIR દાખલ થયા પછી, તેણે કુણાલ કામરાને સંદેશ મોકલ્યો કે, આ તો માત્ર ટ્રેલર છે, પિક્ચર હજુ બાકી છે.
- TV9 Gujarati
- Updated on: Mar 24, 2025
- 3:39 pm