શિવસેના
શિવસેના મહારાષ્ટ્રમાં મહત્વનો પ્રાદેશિક રાજકીય પક્ષ છે. બાળાસાહેબ ઠાકરેએ 19 જૂન 1966ના રોજ શિવસેનાની સ્થાપના કરી હતી. મનોહર જોશી શિવસેનાના પ્રથમ મુખ્યમંત્રી બન્યા.
બાળાસાહેબ ઠાકરેના નિધન બાદ ઉદ્ધવ ઠાકરે શિવસેનાના પક્ષ પ્રમુખ બન્યા. 2019ની ચૂંટણીમાં શિવસેનાના 18 સાંસદો ચૂંટાયા હતા. જોકે, વિધાનસભા ચૂંટણી બાદ શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને મહા વિકાસ અઘાડી બનાવી અને સત્તા સ્થાને બેઠી. ઉદ્ધવ ઠાકરે રાજ્યના મુખ્યમંત્રી બન્યા.
પરંતુ અઢી વર્ષ બાદ શિવસેનાના નેતા એકનાથ શિંદેએ પાર્ટીમાં બળવો કર્યો. શિંદેએ 40 ધારાસભ્યો અને 10 અપક્ષ ધારાસભ્યો સાથે શિવસેના છોડી દીધી હતી. તેમણે ભાજપ સાથે હાથ મિલાવ્યા અને સરકાર બનાવી. એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા. જ્યારે શિવસેના કોની એ મામલો કોર્ટ સુધી પહોંચ્યો, શિંદે જૂથને પાર્ટીનું પ્રતીક આપવામાં આવ્યું. હાલ શિવસેના બે પક્ષમાં વહેંચાયેલી છે, એક ઉદ્ધવ ઠાકરે જુથ અને એક એકનાથ શિંદે જુથ છે.
મરાઠી ભાષાવાદ : રાજકારણનો ફ્લોપ હીરો, સરદાર-મોરારજીના નામે સફળ થવા ઈચ્છે છે
બાળા સાહેબ ઠાકરેના ભત્રીજા રાજ ઠાકરે મહારાષ્ટ્રના રાજકારણનો નિષ્ફળ ચહેરો છે. તે પોતાના ચહેરાને રાજકારણમાં ચમકાવવા માટે અવાર નવાર પ્રયાસ કરે છે. તાજેતરમાં બાળાસાહેબ ઠાકરેના પુત્ર ઉદ્ધવ ઠાકરે સાથે એક જ મંચ ઉપર દોડી આવ્યો. હવે મહારાષ્ટ્રના રાજકારણમાં છવાયેલ મરાઠી ભાષાના વિવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈને પરાણે ઢસડીને સફળતા હાંસલ કરવા માંગે છે.
- TV9 Gujarati
- Updated on: Jul 22, 2025
- 2:50 pm
Breaking News: મહારાષ્ટ્રની રાજનીતિમાં નવાજુનીના એંધાણ, CM દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે બંધ બારણે બેઠક
મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી નવા જુની થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. હજુ ગઈકાલે જ વિધાનસભામાં હળવા અંદાજમાં દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરને સત્તા પક્ષમાં અલગ રીતે આવવાની ઓફર આપી હતી. જે બાદ આજે CM દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરેની બંધ બારણે બેઠક મળી હતી.
- Mina Pandya
- Updated on: Jul 22, 2025
- 3:38 pm
RSS નેતાના એક નિવેદનથી મરાઠી અસ્મિતાની ચિંગારી ફરી સળગી, અસલમાં ભાષા નહીં વોટબેંક છે ખરુ લક્ષ્ય
મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાને વિવાદ ત્યારથી શરૂ થયો જ્યારે RSS ના વરિષ્ઠ નેતા સુરેશ ભૈયાજી જોશીએ કહ્યુ કે મુંબઈની એક ભાષા નથી અને એ જરૂરી નથી કે મુંબઈ આવનારા દરેક વ્યક્તિએ મરાઠી શીખવી પડે. આ નિવેદન પર વિપક્ષી મહાવિકાસ અઘાડી દળના નેતાઓ વિફર્યા અને શરૂ થયો મરાઠી ભાષા વિવાદ
- Mina Pandya
- Updated on: Jul 6, 2025
- 1:00 am
શિંદે જૂથને પંસદ ના આવી કૃણાલ કામરાની સ્ટેન્ડઅપ કોમેડી, શિવસૈનિકોએ તોડફોડ કર્યા બાદ, તંત્રે ઉગામ્યો હથોડો
સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ, ગુસ્સે ભરાયેલા શિવસૈનિકોએ સ્ટુડિયોમાં તોડફોડ કરી હતી. આ પછી, શિવસેના યુવા સેના (શિંદે જૂથ) ના મહાસચિવ રાહુલ કનાલ વિરુદ્ધ પોલીસ સ્ટેશને FIR નોંધવામાં આવી છે. FIR દાખલ થયા પછી, તેણે કુણાલ કામરાને સંદેશ મોકલ્યો કે, આ તો માત્ર ટ્રેલર છે, પિક્ચર હજુ બાકી છે.
- TV9 Gujarati
- Updated on: Mar 24, 2025
- 3:39 pm
એશિયનને નામે ભારત સહીતના અન્ય દેશને બદનામ ના કરો, સ્પષ્ટપણે પાકિસ્તાન ગેંગ કહો, એલન મસ્કે પણ કહ્યું સાચું
બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમર માટે, એશિયન શબ્દનો ઉપયોગ કરવો ખુબ જ મુશ્કેલ સાબિત થઈ રહ્યો છે. હવે કીર સ્ટારમરને એશિયન શબ્દના ઉચ્ચાર અંગે ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ઉદ્ધવ શિવસેનાના મહિલા સાંસદ, પ્રિયંકા ચતુર્વેદીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બ્રિટિશ વડા પ્રધાને ઉચ્ચારેલા એશિયન શબ્દનો ભારે વિરોધ કર્યો છે, પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું છે કે, એશિયનના બદલે સ્પષ્ટપણે પાકિસ્તાન કહો. પ્રિયંકા ચતુર્વેદીની આ વાતને એલોન મસ્કે પણ સમર્થન આપ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Jan 9, 2025
- 5:43 pm
Maharashtra Cabinet List : મહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણ, કોણ બન્યા મંત્રી, કોનું કપાયું પત્તું ?
મહારાષ્ટ્ર કેબિનેટનું આજે વિસ્તરણ કરવામાં આવ્યું. જેમાં કુલ 39 નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા. આ વખતે ભાજપના સૌથી વધુ 19 મંત્રીઓએ શપથ લીધા, જ્યારે શિવસેના શિંદે જૂથના 11 અને NCP અજિત પવાર જૂથના 9 મંત્રીઓએ શપથ લીધા છે.
- Dilip Chaudhary
- Updated on: Dec 15, 2024
- 8:47 pm
મહારાષ્ટ્રમાં અઢી વર્ષનો રહેશે મંત્રીઓનો કાર્યકાળ, આપવી પડશે એફિડેવિટ, સામે આવી ફડણવીસ કેબિનેટના વિસ્તરણની ફોર્મ્યુલા
મહારાષ્ટ્રમાં લાંબા સસ્પેન્સ બાદ રવિવારે દેવેન્દ્ર ફડણવીસ કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. ભાજપ, એનસીપી અને શિંદે જૂથના 39 નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા હતા, પરંતુ આ મંત્રીઓનો કાર્યકાળ પાંચ વર્ષનો નહીં, પરંતુ અઢી વર્ષનો રહેશે અને મંત્રીઓએ એફિડેવિટ પણ લખવી પડશે.
- Sagar Solanki
- Updated on: Dec 15, 2024
- 7:01 pm