AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિવસેના

શિવસેના

શિવસેના મહારાષ્ટ્રમાં મહત્વનો પ્રાદેશિક રાજકીય પક્ષ છે. બાળાસાહેબ ઠાકરેએ 19 જૂન 1966ના રોજ શિવસેનાની સ્થાપના કરી હતી. મનોહર જોશી શિવસેનાના પ્રથમ મુખ્યમંત્રી બન્યા.

બાળાસાહેબ ઠાકરેના નિધન બાદ ઉદ્ધવ ઠાકરે શિવસેનાના પક્ષ પ્રમુખ બન્યા. 2019ની ચૂંટણીમાં શિવસેનાના 18 સાંસદો ચૂંટાયા હતા. જોકે, વિધાનસભા ચૂંટણી બાદ શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને મહા વિકાસ અઘાડી બનાવી અને સત્તા સ્થાને બેઠી. ઉદ્ધવ ઠાકરે રાજ્યના મુખ્યમંત્રી બન્યા.

પરંતુ અઢી વર્ષ બાદ શિવસેનાના નેતા એકનાથ શિંદેએ પાર્ટીમાં બળવો કર્યો. શિંદેએ 40 ધારાસભ્યો અને 10 અપક્ષ ધારાસભ્યો સાથે શિવસેના છોડી દીધી હતી. તેમણે ભાજપ સાથે હાથ મિલાવ્યા અને સરકાર બનાવી. એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા. જ્યારે શિવસેના કોની એ મામલો કોર્ટ સુધી પહોંચ્યો, શિંદે જૂથને પાર્ટીનું પ્રતીક આપવામાં આવ્યું. હાલ શિવસેના બે પક્ષમાં વહેંચાયેલી છે, એક ઉદ્ધવ ઠાકરે જુથ અને એક એકનાથ શિંદે જુથ છે.

Read More

RSS નેતાના એક નિવેદનથી મરાઠી અસ્મિતાની ચિંગારી ફરી સળગી, અસલમાં ભાષા નહીં વોટબેંક છે ખરુ લક્ષ્ય

મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાને વિવાદ ત્યારથી શરૂ થયો જ્યારે RSS ના વરિષ્ઠ નેતા સુરેશ ભૈયાજી જોશીએ કહ્યુ કે મુંબઈની એક ભાષા નથી અને એ જરૂરી નથી કે મુંબઈ આવનારા દરેક વ્યક્તિએ મરાઠી શીખવી પડે. આ નિવેદન પર વિપક્ષી મહાવિકાસ અઘાડી દળના નેતાઓ વિફર્યા અને શરૂ થયો મરાઠી ભાષા વિવાદ

શિંદે જૂથને પંસદ ના આવી કૃણાલ કામરાની સ્ટેન્ડઅપ કોમેડી, શિવસૈનિકોએ તોડફોડ કર્યા બાદ, તંત્રે ઉગામ્યો હથોડો

સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ, ગુસ્સે ભરાયેલા શિવસૈનિકોએ સ્ટુડિયોમાં તોડફોડ કરી હતી. આ પછી, શિવસેના યુવા સેના (શિંદે જૂથ) ના મહાસચિવ રાહુલ કનાલ વિરુદ્ધ પોલીસ સ્ટેશને FIR નોંધવામાં આવી છે. FIR દાખલ થયા પછી, તેણે કુણાલ કામરાને સંદેશ મોકલ્યો કે, આ તો માત્ર ટ્રેલર છે, પિક્ચર હજુ બાકી છે.

એશિયનને નામે ભારત સહીતના અન્ય દેશને બદનામ ના કરો, સ્પષ્ટપણે પાકિસ્તાન ગેંગ કહો, એલન મસ્કે પણ કહ્યું સાચું

બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમર માટે, એશિયન શબ્દનો ઉપયોગ કરવો ખુબ જ મુશ્કેલ સાબિત થઈ રહ્યો છે. હવે કીર સ્ટારમરને એશિયન શબ્દના ઉચ્ચાર અંગે ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ઉદ્ધવ શિવસેનાના મહિલા સાંસદ, પ્રિયંકા ચતુર્વેદીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બ્રિટિશ વડા પ્રધાને ઉચ્ચારેલા એશિયન શબ્દનો ભારે વિરોધ કર્યો છે, પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું છે કે, એશિયનના બદલે સ્પષ્ટપણે પાકિસ્તાન કહો. પ્રિયંકા ચતુર્વેદીની આ વાતને એલોન મસ્કે પણ સમર્થન આપ્યું છે.

Maharashtra Cabinet List : મહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણ, કોણ બન્યા મંત્રી, કોનું કપાયું પત્તું ?

મહારાષ્ટ્ર કેબિનેટનું આજે વિસ્તરણ કરવામાં આવ્યું. જેમાં કુલ 39 નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા. આ વખતે ભાજપના સૌથી વધુ 19 મંત્રીઓએ શપથ લીધા, જ્યારે શિવસેના શિંદે જૂથના 11 અને NCP અજિત પવાર જૂથના 9 મંત્રીઓએ શપથ લીધા છે.

મહારાષ્ટ્રમાં અઢી વર્ષનો રહેશે મંત્રીઓનો કાર્યકાળ, આપવી પડશે એફિડેવિટ, સામે આવી ફડણવીસ કેબિનેટના વિસ્તરણની ફોર્મ્યુલા

મહારાષ્ટ્રમાં લાંબા સસ્પેન્સ બાદ રવિવારે દેવેન્દ્ર ફડણવીસ કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. ભાજપ, એનસીપી અને શિંદે જૂથના 39 નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા હતા, પરંતુ આ મંત્રીઓનો કાર્યકાળ પાંચ વર્ષનો નહીં, પરંતુ અઢી વર્ષનો રહેશે અને મંત્રીઓએ એફિડેવિટ પણ લખવી પડશે.

આજે એકનાથ શિંદે લઈ શકે છે મોટો નિર્ણય, શું ભાજપની ટેન્શન વધશે?

મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનામાં સતત વિલંબ થઈ રહ્યો છે. સીએમ એકનાથ શિંદે તેમના વતન ગામની મુલાકાત લેવાના કારણે શુક્રવારે પ્રસ્તાવિત મહાયુતિની બેઠક મોકૂફ રાખવામાં આવી હતી. શિવસેનાના નેતા સંજય શિરસાટે કહ્યું કે, શિંદે શનિવાર સાંજ સુધીમાં મોટો નિર્ણય લેશે. શિવસેનાના સૂત્રોએ જણાવ્યું કે હવે આ બેઠક રવિવારે મુંબઈમાં યોજાય તેવી શક્યતા છે.

શિંદેએ પોતાને CM રેસમાંથી ગણાવ્યા બહાર, ફડણવીસ પર સસ્પેન્સ, જાણો કયા સમીકરણથી મુખ્યમંત્રી બનશે?

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે ભાજપના મહાસચિવ વિનોદ તાવડેએ બુધવારે મોડી રાતે મુલાકાત કરી હતી. જેેણે ફરીથી CMના નામ પર સસ્પેન્સ વધારી દીધું છે, કારણ કે પીએમ મોદી અને શાહ તેમના નિર્ણયોથી હંમેશા સૌને આશ્ચર્યમાં મુકી દે છે. મહારાષ્ટ્રમાં બીજેપી નવા સીએમના નામને લઈને ખૂબ જ હિલચાલ કરી રહી છે. ચૂંટણીમાં શાનદાર પરિણામો બાદ ભાજપ દરેક રાજકીય સમીકરણોને વ્યવસ્થિત રાખવા માંગે છે.

28 નવેમ્બરના મહત્વના સમાચાર : 6000 કરોડના BZ ગ્રૂપના કૌભાંડ મામલે CID ક્રાઇમની તપાસનો ધમધમાટ, અત્યાર સુધીમાં 7 આરોપીઓની ધરપકડ

Gujarat Live Updates : આજે 28 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

એકનાથ શિંદેએ ખુરશી છોડવાના આપ્યા સંકેત, કહ્યું- ભાજપના CM મને મંજૂર

થાણેમાં પત્રકાર પરિષદને સંબોધતા એકનાથ શિંદેએ સીએમને લઈને મોટી જાહેરાત કરી અને કહ્યું કે સરકાર બનાવવામાં અમારી તરફથી કોઈ અવરોધ નથી. મને ભાજપ સરકારથી કોઈ વાંધો નથી. પીએમ મોદી જે પણ નિર્ણય લેશે તે અમે સ્વીકારીશું.

મહારાષ્ટ્રની વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ છતા CM કોણ તે નક્કી નહીં, રાજ્યપાલે કહ્યુ- એકનાથ શિંદે હાલ કાર્યકારી મુખ્યમંત્રી રહેશે

ચૂંટણીના પરિણામો આવ્યાને 3 દિવસ થઈ ગયા છે, પરંતુ મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રીને લઈને સતત ચર્ચા ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શિંદેની આગેવાની હેઠળની શિવસેનાના  એવા આગ્રહને કારણે મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનામાં વિલંબ થઈ રહ્યો છે કે એકનાથ શિંદે જ મુખ્યમંત્રી રહે. 

26 નવેમ્બરના મહત્વના સમાચાર : ખ્યાતિ હોસ્પિટલમાં બોગસ ઓપરેશન મામલે હોસ્પિટલના CEO સહિત પાંચ આરોપીઓ સકંજામાં, CEO ચિરાગ રાજપૂત મુખ્ય આરોપી, હજુ ત્રણ આરોપી ફરાર

Gujarat Live Updates : આજે 26 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

મહારાષ્ટ્રમાં CMના પદ પર કોણ તેનું સસ્પેન્સ યથાવત, શિંદે અડગ તો પવાર દેખાડી રહ્યા છે પાવર

આટલો જંગી જનાદેશ મળ્યા બાદ પણ મહાગઠબંધનમાં મુખ્યમંત્રી પદને લઈને હજુ પણ સસ્પેન્સ છે. ભાજપ સૌથી મોટી પાર્ટી બન્યા બાદ દેવેન્દ્ર ફડણવીસનું નામ મુખ્યમંત્રી પદની રેસમાં આગળ છે, પરંતુ અંતિમ મંજૂરી મેળવવી સરળ નથી. જ્યારે એકનાથ શિંદે સીએમ પદ પર મક્કમ છે, ત્યારે અજિત પવાર કેમ્પ પણ રાજકીય સત્તા માટે તલપાપડ છે. શિવસેના અને એનસીપી બંને કેમ્પ સીએમ પદ માટે દાવો કરી રહ્યા છે.

25 નવેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદના આંબલી બોપલ રોડ પર અકસ્માત સર્જનાર રિપલ પંચાલ પોલીસ સંકજામાં આવ્યો

Gujarat Live Updates : આજે 25 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

એકનાથ શિંદે મહારાષ્ટ્રમાં શિવસેના જૂથના નેતા તરીકે ચૂંટાયા, ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય

શિવસેના-શિંદે જૂથના તમામ નવા ચૂંટાયેલા 57 ધારાસભ્યોની આજે મુંબઈમાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં ચાર ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. જૂથના નેતા તરીકે એકનાથ શિંદેની પસંદગી કરવામાં આવી હતી. આ ઉપરાંત મોદી-શાહને અભિનંદન આપતો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો અને શિંદેને અભિનંદન અને લોકોનો આભાર માન્યો હતો.

મહારાષ્ટ્રની એ 5 બેઠકો, જ્યાં માત્ર 75 થી 1300 મતોના તફાવતથી થઈ હાર-જીત

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપ અને તેની ગઠબંધન મહાયુતિએ ઐતિહાસિક જીત હાંસલ કરી છે. ત્યારે વિધાનસભાની એ બેઠકો પર એક નજર કરીએ જ્યાં જીત અને હાર સૌથી નાના માર્જિનથી નક્કી થઈ છે.

રાજકોટમાં મનપા સંચાલિત ઢોર ડબ્બામાં કાદવ, કિચડ, ગંદકી વચ્ચે રખાઈ ગાયો
રાજકોટમાં મનપા સંચાલિત ઢોર ડબ્બામાં કાદવ, કિચડ, ગંદકી વચ્ચે રખાઈ ગાયો
Tv9 ના અહેવાલ બાદ તંત્ર હરક્તમાં, RTO સર્વિસ રોડ પરના ખાડા બુરાયા
Tv9 ના અહેવાલ બાદ તંત્ર હરક્તમાં, RTO સર્વિસ રોડ પરના ખાડા બુરાયા
Breaking News: અમદાવાદમાં ત્રણ દિવસ પાણી કાપ, 3 ઝોનના 17 વોર્ડમાં કાપ
Breaking News: અમદાવાદમાં ત્રણ દિવસ પાણી કાપ, 3 ઝોનના 17 વોર્ડમાં કાપ
જામનગરની જીજી હોસ્પિટલે આડેધડ ફેંકી દીધો બાયોમેડિકલ વેસ્ટ- જુઓ Video
જામનગરની જીજી હોસ્પિટલે આડેધડ ફેંકી દીધો બાયોમેડિકલ વેસ્ટ- જુઓ Video
ગીરના જંગલમાં વરસાદનો આનંદ માણતી સિંહણ જોવા મળી, જુઓ video
ગીરના જંગલમાં વરસાદનો આનંદ માણતી સિંહણ જોવા મળી, જુઓ video
મચ્છરજન્ય રોગો પર નિયંત્રણ રાખવા ડ્રોનની મદદથી કરાયો દવા છંટકાવ
મચ્છરજન્ય રોગો પર નિયંત્રણ રાખવા ડ્રોનની મદદથી કરાયો દવા છંટકાવ
ઉમરપાડામાં 15 જેટલા શ્વાને મહિલાને ફાડી ખાધી
ઉમરપાડામાં 15 જેટલા શ્વાને મહિલાને ફાડી ખાધી
જામનગરમાં એક પુલ માટે ત્રણ વખત ટેન્ડર પ્રક્રિયા, છતાં નથી બન્યો પુલ
જામનગરમાં એક પુલ માટે ત્રણ વખત ટેન્ડર પ્રક્રિયા, છતાં નથી બન્યો પુલ
બનાસકાંઠાનું નાગલા ગામ બેટમાં ફેરવાયું !
બનાસકાંઠાનું નાગલા ગામ બેટમાં ફેરવાયું !
અમદાવાદ એરપોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમદાવાદ એરપોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
g clip-path="url(#clip0_868_265)">