શિવસેના

શિવસેના

શિવસેના મહારાષ્ટ્રમાં મહત્વનો પ્રાદેશિક રાજકીય પક્ષ છે. બાળાસાહેબ ઠાકરેએ 19 જૂન 1966ના રોજ શિવસેનાની સ્થાપના કરી હતી. મનોહર જોશી શિવસેનાના પ્રથમ મુખ્યમંત્રી બન્યા.

બાળાસાહેબ ઠાકરેના નિધન બાદ ઉદ્ધવ ઠાકરે શિવસેનાના પક્ષ પ્રમુખ બન્યા. 2019ની ચૂંટણીમાં શિવસેનાના 18 સાંસદો ચૂંટાયા હતા. જોકે, વિધાનસભા ચૂંટણી બાદ શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને મહા વિકાસ અઘાડી બનાવી અને સત્તા સ્થાને બેઠી. ઉદ્ધવ ઠાકરે રાજ્યના મુખ્યમંત્રી બન્યા.

પરંતુ અઢી વર્ષ બાદ શિવસેનાના નેતા એકનાથ શિંદેએ પાર્ટીમાં બળવો કર્યો. શિંદેએ 40 ધારાસભ્યો અને 10 અપક્ષ ધારાસભ્યો સાથે શિવસેના છોડી દીધી હતી. તેમણે ભાજપ સાથે હાથ મિલાવ્યા અને સરકાર બનાવી. એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા. જ્યારે શિવસેના કોની એ મામલો કોર્ટ સુધી પહોંચ્યો, શિંદે જૂથને પાર્ટીનું પ્રતીક આપવામાં આવ્યું. હાલ શિવસેના બે પક્ષમાં વહેંચાયેલી છે, એક ઉદ્ધવ ઠાકરે જુથ અને એક એકનાથ શિંદે જુથ છે.

Read More

Tv9 Polstrat Opinion Poll: મહારાષ્ટ્રમાં NDA 28 અને INDI Alliance 20 બેઠકો જીતી શકે છે, અજિત પવારની પત્નીને લાગી શકે છે ઝટકો

લોકસભા ચૂંટણીને લઈને TV9, Peoples Insight, Polstrat દ્વારા કરાયેલ સર્વે દર્શાવે છે કે, મહારાષ્ટ્રમાં બેઠકો અંકે કરવા માટે હરીફાઈ થવાની છે. રાજ્યની 48 લોકસભા બેઠકોમાંથી એનડીએ 28 બેઠકો કબજે કરી શકે છે. આમાં 25 બેઠકો ભાજપને અને ત્રણ બેઠકો શિવસેના (શિંદે જૂથ)ને જાય તેમ જણાય છે. જ્યારે ઈન્ડિયા એલાયન્સને 20 સીટો મળી રહી છે.

મહારાષ્ટ્ર : શિંદેની શિવસેનાના બે સાંસદોની ટિકિટ કેમ રદ કરવામાં આવી?

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે શિવસેનાના બે સાંસદોની ટિકિટ રદ્દ કરવામાં આવી છે. આ અંગે કેબિનેટ મંત્રી શંભુરાજ દેસાઈએ જણાવ્યું હતું કે, જે ઉમેદવારોની ટિકિટ કપાઈ છે તેમના પરિવારના સભ્યોને ટિકિટ આપવામાં આવી છે. સાથે જ કહ્યું કે અમારી પાર્ટીમાં કોઈ પણ પ્રકારની નારાજગી નથી.

પરિવારથી લઈ ભ્રષ્ટાચાર સુધીના તમામ મુદ્દાઓ પર ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર કર્યા આકરા પ્રહારો, જાણો શું કહ્યું

ઉદ્ધવ ઠાકરેએ ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે જ્યારથી ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો સામે આવ્યો છે, લોકો ભાજપ એટલે ભ્રષ્ટ જનતા પાર્ટીનો અસલી ચહેરો જાણી ગયા છે. સાથે જ તેમને કહ્યું કે તે પરિવારનો મતલબ સમજતા નથી ઠાકરેએ ભાજપને સવાલ પુછતા કહ્યું કે ભાજપ જે ભ્રષ્ટાચારની વાત કરી રહી છે, પહેલા તે જણાવે કે જેટલા ભ્રષ્ટાચારના આરોપ જે નેતાઓ પર લગાવ્યા તેને પોતાની પાર્ટીમાં કેમ લઈ લીધા?

મોટા નેતા આજે ભાજપમાં જોડાશે તો.. ચૂંટણી ગાળામાં ઠાકરેને પડશે મોટો ફટકો

Shivsena Uddhav Thackeray Group Leder Itern in BJP Today : શિવસેના ઠાકરે જૂથના મોટા નેતા આજે ભાજપમાં જોડાશે. આજે સવારે 10 વાગ્યે ઠાકરે જૂથના એક મોટા નેતા ભાજપમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. આ પ્રવેશ ભાજપની પાર્ટી ઓફિસમાં થશે. કોણ છે આ નેતા? જાણો વિગતે

‘રાજાબાબુ’ની રાજકારણમાં રિએન્ટ્રી, શિંદેજૂથની શિવસેનામાં સામેલ થયા ગોવિંદા, આ બેઠકથી લડી શકે ચૂંટણી

બોલિવુડની ક્વીન કંગના રણૌત બાદ વધુ એક ફિલ્મી સીતારાની રાજકારણમાં રિએન્ટ્રી થઈ છે. રાજાબાબુથી જાણીતા ગોવિંદાએ ફરી એકવાર રાજકારણમાં ઝંપલાવવાનું મન બનાવ્યુ છે અને તેઓ શિંદે જૂથની શિવસેનામાં સામેલ થઈ ગયા છે. આ લોકસભા ચૂંટણીમાં તેઓ ઉત્તર પશ્ચિમ મુંબઈબેઠક પરથી ચૂંટણી લડી શકે છે.

મહારાષ્ટ્રમાં સીટોની વહેંચણી નક્કી ! જાણો શરદ…ઉદ્ધવ…કોંગ્રેસ…કોને કેટલી બેઠકો મળી?

કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીએ મંગળવારે પાર્ટી હેડક્વાર્ટરમાં બેઠક યોજી હતી અને પાર્ટીના ઉમેદવારોના નામ પર ચર્ચા કરી હતી. પાર્ટીની સેન્ટ્રલ ઇલેક્શન કમિટી આજે એટલે કે 20 માર્ચ મહારાષ્ટ્રમાંથી તેના ઉમેદવારો અંગે ચર્ચા કરવા અને તેમના નામ ફાઇનલ કરવા માટે બેઠક કરશે.

Maharashtra : સીટ વહેંચણીમાં પેચ જ પેચ, INDIA ગઠબંધનમાં બબાલ, NDA માટે રસ્તો સાફ

પ્રકાશ આંબેડકરે કહ્યું કે, કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે 10 સીટો પર ચર્ચા ચાલી રહી છે. આ કારણોસર સીટ વિતરણ થયું નથી. કોંગ્રેસ, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે 5 બેઠકો માટે મતભેદ છે. તેમણે કહ્યું કે, સંજય રાઉત મીડિયાને ખોટી માહિતી આપી રહ્યા છે કે વંચિતે સીટ માંગી નથી.

મહારાષ્ટ્ર અંગે આજે અંતિમ નિર્ણય! અમિત શાહની સાથે શિંદે-અજિત પવારની બેઠકમાં નક્કી થશે સીટોની વહેંચણી

દિલ્હીમાં આ બેઠક કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના આવાસ પર થશે. આ બેઠકમાં મહારાષ્ટ્રમાં સીટ શેયરિંગ પર ચર્ચા કરવામાં આવશે, ત્યારબાદ ઝડપી જ લોકસભા ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે.

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો, ધારાસભ્ય રવિન્દ્ર વાયકર શિંદે જૂથમાં જોડાયા

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. શિવસેના યુબીટી નેતા અને જોગેશ્વરી પૂર્વ બેઠકના ધારાસભ્ય રવિન્દ્ર વાયકર શિંદે જૂથની શિવસેનામાં જોડાયા છે. વાયકર ઉદ્ધવ ઠાકરેના નજીકના હોવાનું કહેવાય છે.

મહારાષ્ટ્ર NDAમાં સીટ વહેંચણીનો વિવાદ, દેવેન્દ્ર ફડણવીસે આ સ્પષ્ટતા કરી

ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે મહારાષ્ટ્રમાં સીટ શેરિંગ વિવાદ પર પોતાની સ્પષ્ટતા રજૂ કરી હતી. તેમજ કોઈપણ પ્રકારના વિવાદને જન્મ ન આપવા જણાવ્યું હતું. ફડણવીસે કહ્યું કે અમારા ગઠબંધનના ત્રણેય પક્ષો વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું છે. માત્ર બે-ત્રણ બેઠકો પર મડાગાંઠ છે પરંતુ હજુ પણ ચર્ચા ચાલી રહી છે. તેનો પણ ટૂંક સમયમાં ઉકેલ આવશે.

અમિત શાહે એકનાથ શિંદે અને અજીત પવારને રોકડું પરખાવ્યું, લોકસભાની આટલી જ બેઠકો મળશે, વિધાનસભા વખતે જોયું જશે

અમિત શાહે ગઈકાલ મોડી રાત્રીએ મંગળવારે મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને સહયોગી પક્ષોના વડા સાથે બેઠકોની વહેંચણી પર વિચાર વિમર્શ કર્યો. તેમણે અજિત પવાર અને એકનાથ શિંદે સામે એક મુશ્કેલ ડીલ રજૂ કરી હતી.

મહારાષ્ટ્ર: સીટોનો વિવાદ ખતમ! અમિત શાહે મુંબઈમાં અડધી રાત્રે યોજી બેઠક

અમિત શાહની બેઠક બાદ એવી અપેક્ષા છે કે મહાગઠબંધન એટલે કે એનડીએમાં સીટોની વહેંચણીને લઈને ચાલી રહેલા વિવાદનો અંત આવશે. હવે મુદ્દો એ છે કે કઈ અને કેટલી બેઠકો પર ત્રણેય પક્ષો વચ્ચે વિવાદ છે, જેને લઈને મહાયુતિમાં બેઠકોને લઈને વિવાદ ચાલી રહ્યો છે.

મહારાષ્ટ્રમાં સીટ શેરીંગમાં અટવાયો NDAનો મામલો, શું અમિત શાહની મુલાકાત સમજૂતીની ફોર્મ્યુલા કાઢશે?

મહારાષ્ટ્રની 48 લોકસભા સીટોને લઈને NDA મુશ્કેલીમાં ફસાયેલ છે. રાજ્યમાં મોટા ભાઈની ભૂમિકા ભજવનાર ભાજપની નજર 30 બેઠકો પર છે, જ્યારે તે બાકીની 18 બેઠકો તેના સહયોગી શિવસેના અને એનસીપીને આપવા માંગે છે. ભાજપ એકનાથ શિંદેની પાર્ટીને 12 અને અજિત પવારની પાર્ટીને 6 બેઠકો આપવા માંગે છે, પરંતુ શિંદે જૂથ 22 બેઠકોની માંગ કરી રહ્યું છે, જેના કારણે જંગ ચાલી રહ્યો છે.

સંજય રાઉતે કર્યો ધડાકો, કહ્યું- ઉદ્ધવ ઠાકરેને ભાજપની સાથે આવવા માટે PM Modi એ કરી હતી ઓફર

શિવસેના ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે TV9 મરાઠીના વિશેષ કાર્યક્રમ 'લોકસભા મહાસંગ્રામ'માં આપેલા એક ઈન્ટરવ્યુમાં મોટો ખુલાસો કર્યો છે. આ ઈન્ટરવ્યુમાં સંજય રાઉતે ઘણા સવાલોના દિલ ખોલીને જવાબ આપ્યા છે.

CM શિંદેના નામે નકલી સહી અને સ્ટેમ્પનો મામલો, મુંબઈ પોલીસે આદરી તપાસ

શું મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના નામનો દુરુપયોગ થયો? એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યના CM એકનાથ શિંદેના નામ પર નકલી હસ્તાક્ષર અને સ્ટેમ્પ બનાવીને સરકારને ઘણા મેમોરેન્ડા સબમિટ કરવામાં આવ્યા હતા. હવે આ મામલે FIR નોંધવામાં આવી છે અને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO
NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ
કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ
g clip-path="url(#clip0_868_265)">