AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મરાઠી ભાષાવાદ : રાજકારણનો ફ્લોપ હીરો, સરદાર-મોરારજીના નામે સફળ થવા ઈચ્છે છે

બાળા સાહેબ ઠાકરેના ભત્રીજા રાજ ઠાકરે મહારાષ્ટ્રના રાજકારણનો નિષ્ફળ ચહેરો છે. તે પોતાના ચહેરાને રાજકારણમાં ચમકાવવા માટે અવાર નવાર પ્રયાસ કરે છે. તાજેતરમાં બાળાસાહેબ ઠાકરેના પુત્ર ઉદ્ધવ ઠાકરે સાથે એક જ મંચ ઉપર દોડી આવ્યો. હવે મહારાષ્ટ્રના રાજકારણમાં છવાયેલ મરાઠી ભાષાના વિવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈને પરાણે ઢસડીને સફળતા હાંસલ કરવા માંગે છે.

મરાઠી ભાષાવાદ : રાજકારણનો ફ્લોપ હીરો, સરદાર-મોરારજીના નામે સફળ થવા ઈચ્છે છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2025 | 2:50 PM
Share

મહારાષ્ટ્રના રાજકારણમાં મરાઠી ભાષાનો વિવાદ ફરી એકવાર સતત ચર્ચામાં છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના નેતા રાજ ઠાકરેએ હિન્દી-મરાઠી વિશે સતત વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે. હવે તેણે સરદાર પટેલ અને મોરારજી દેસાઈનું નામ લઈને મરાઠી ભાષાના વિવાદમાં ખેચ્યાં છે. સરદાર પટેલ પરની ટિપ્પણીને લઈને, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત અનેક મોટાસામાજીક સંગઠનો વિરોધમાં ઉતર્યા છે. રાજ ઠાકરે દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને નિશાન બનાવવાનું કારણ શું છે ? શું આ તેમની ભૂલ છે કે કોઈ રાજકીય ચાલ ?

ગત સપ્તાહે, શુક્રવારે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક જાહેર રેલીને સંબોધતા રાજ ઠાકરેએ કહ્યું હતું કે, જ્યારે ગુજરાતમાં બિહારથી આવેલા સ્થળાંતરીત લોકોને માર મારવામાં આવતો હતો અને ભગાડવામાં આવતા હતા, ત્યારે તે રાજકારણનો કે ચર્ચાનો મુદ્દો બન્યો નહીં, પરંતુ મહારાષ્ટ્રમાં એક નાની ઘટનાને રાષ્ટ્રીય મુદ્દો બનાવવામાં આવ્યો.

સરદાર પટેલ અને મોરારજી મરાઠી વિરોધી !

આ દરમિયાન રાજ ઠાકરેએ સ્વતંત્રતા પછી સરદાર પટેલ અને મોરારજી દેસાઈના કથિત મરાઠી વિરોધી વલણનો પણ ઉલ્લેખ કર્યો. આ દરમિયાન, એક પુસ્તકનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, વલ્લભભાઈ પટેલે સૌપ્રથમ કહ્યું હતું કે, મુંબઈ મહારાષ્ટ્રને ના આપવું જોઈએ. એટલું જ નહીં, તેમણે મોરારજી દેસાઈ ઉપર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે, તેમણે અલગ મહારાષ્ટ્ર માટે આંદોલન દરમિયાન ગોળીબાર કરાવ્યો હતો. જેમાં ઘણા મરાઠીભાષી લોકો માર્યા ગયા હતા.

રાજ 2005 માં ઠાકરે પરિવારથી અલગ થયા

બાળ ઠાકરેના પરિવાર સાથે જોડાયેલા રાજ ઠાકરે અત્યાર સુધી મહારાષ્ટ્રના રાજકારણમાં કોઈ ખાસ મોભાને છાજે તેવુ સ્થાન પ્રાપ્ત કરી શક્યા નથી. બાળા સાહેબ ઠાકરે દ્વારા તેમના પુત્ર ઉદ્ધવ ઠાકરેને શિવસેનાની કમાન સોંપવાની જાહેરાતથી ગુસ્સે ભરાયેલા ભત્રીજા રાજ ઠાકરેએ, 2005માં શિવસેના સામે બળવો કર્યો અને અલગ રસ્તો અપનાવ્યો. કાકા બાળા સાહેબ ઠાકરેએ, રાજને શિવસેનામાં પાછા ફરવા માટે ઘણી વાર વિનંતી કરી, પરંતુ ભત્રીજા રાજએ અલગ રસ્તો અપનાવ્યો. માર્ચ 2006માં તેમણે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના નામથી એક નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરી.

જોકે, 2006થી 2024 સુધીમાં યેન કેન પ્રકારના ઘણા પ્રયાસો કરવા છતાં, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના, મહારાષ્ટ્રના રાજકારણમાં ખાસ સ્થાન જમાવી શકી નથી. હવે જ્યારે મહારાષ્ટ્રમાં હિન્દી-મરાઠી વિવાદ ફરી એકવાર ઉછાળવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં, એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, રાજ ઠાકરે આ અભિયાન દ્વારા ફરીથી પોતાનું નસીબ રાજકીય ક્ષેત્રે અજમાવવા માંગે છે. ગયા વર્ષે, રાજ્યને લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આગામી થોડા મહિનામાં મુંબઈમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની ચૂંટણીઓ યોજાવાની શક્યતા છે અને રાજ ઠાકરે આમાં તેમના પક્ષ માટે શક્યતાઓ જોઈ રહ્યા છે.

BMC ચૂંટણીમાં રાજની આશા

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની છેલ્લી ચૂંટણી ફેબ્રુઆરી 2017 માં યોજાઈ હતી અને તેનો કાર્યકાળ માર્ચ 2022 માં સમાપ્ત થયો હતો. પરંતુ ત્યારથી ચૂંટણીઓ થઈ શકી ન હતી. મે મહિનામાં એક નિર્ણયમાં, સુપ્રીમ કોર્ટે બહુપ્રતિક્ષિત ચૂંટણીઓ ટૂંક સમયમાં યોજવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે ચૂંટણી પંચને ચૂંટણી સૂચના જારી કરવાનો નિર્દેશ આપ્યો હતો. સૂચના જારી થયા પછી, કદાચ 4 મહિનાની અંદર ચૂંટણીઓ યોજવી પડશે. રાજ્યમાંથી ચોમાસું સમાપ્ત થયા પછી ચૂંટણીઓ યોજાઈ શકે છે.

આવી સ્થિતિમાં, BMC ચૂંટણીઓની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે. તેથી રાજ ઠાકરેનો પ્રયાસ છે કે દેશના સૌથી ધનિક મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન પાર્ટીની સ્થિતિ મજબૂત રહે. 2017 માં અહીં યોજાયેલી છેલ્લી ચૂંટણીની વાત કરીએ તો, 227 સભ્યોની BMC માં શિવસેનાએ 84 બેઠકો જીતી હતી, જ્યારે ભાજપને 82 બેઠકો મળી હતી. કોંગ્રેસને 31 બેઠકો મળી હતી અને તે ત્રીજા સ્થાને રહી હતી. રાજ ઠાકરેની પાર્ટીએ 7 બેઠકો જીતી હતી. પરંતુ પાછલી ચૂંટણીની તુલનામાં તેને ઘણું નુકસાન થયું હતું. 2012ની ચૂંટણીમાં મનસેએ 28 બેઠકો જીતી હતી, પરંતુ 2017માં તેનું પ્રદર્શન ઘટીને માત્ર 7 થઈ ગયું.

વિધાનસભા ચૂંટણીઓમાં પ્રદર્શન સતત ઘટતું રહ્યું

જો આપણે બીએમસી સિવાય વિધાનસભા ચૂંટણીઓ પર નજર કરીએ તો, રાજ ઠાકરેનું પ્રદર્શન ઘટ્યું છે. 2006માં પાર્ટીની રચના પછી, તેણે 2009ની ચૂંટણીમાં 13 બેઠકો જીતી હતી. પરંતુ તે 2014, 2019 અને 2014ની ચૂંટણીમાં તેના પ્રદર્શનની નજીક પણ પહોંચી શક્યું નહીં. 2024ની ચૂંટણીમાં, રાજ ઠાકરેએ માહિમ વિધાનસભા બેઠક પરથી તેમના પુત્ર અમિત ઠાકરેને મેદાનમાં ઉતાર્યા હતા. તેમને ફક્ત 36,611 મતો મળી શક્યા. તેઓ ત્રીજા સ્થાને રહ્યા. તેઓ ચૂંટણી હારનારા ઠાકરે પરિવારના પ્રથમ નેતા બન્યા. રાજ ઠાકરેએ આખા મહારાષ્ટ્રમાં અમિત સહિત 128 ઉમેદવારો ઉભા રાખ્યા હતા પરંતુ એક પણ જીત્યા ન હતા.

પક્ષની રચના થઈ ત્યારથી, રાજ ઠાકરે ઉત્તર ભારતીયો વિરુદ્ધ મરાઠી માનુષ અને નફરતનું રાજકારણ કરી રહ્યા છે. પરંતુ 2009 પછી, કોઈપણ સ્તરની ચૂંટણીમાં તેમનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. ફરી એકવાર રાજ્યમાં હિન્દી-મરાઠી વિવાદ પૂરજોશમાં છે. આ વિવાદને કારણે, બંને ઠાકરે પરિવારો પણ નજીક આવ્યા છે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે લગભગ 20 વર્ષ પહેલા ઠાકરે પરિવારના સંબંધોમાં રહેલી ખટાશ હવે સમાપ્ત થવાના માર્ગે છે. દરમિયાન, લાંબા સમય પછી, ગુજરાતી અને મરાઠી વચ્ચે તણાવ ફરી જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ ઠાકરેને આશા છે કે મરાઠી ઓળખના નામે સરદાર પટેલ અને ગુજરાતીઓને નિશાન બનાવવાની આ યોજના BMC ચૂંટણીમાં તેમના માટે અસરકારક સાબિત થઈ શકે છે.

મુંબઈ- મહારાષ્ટ્રને લગતા તમામ સમાચારો જાણવા માટે અહીં ક્લિક કરો.

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">