Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાયન્સ

સાયન્સ

પ્રાચીન ભારતમાં ‘જ્ઞાન’ શબ્દમાં ‘વિ’ ઉપસર્ગ ઉમેરીને વિજ્ઞાન શબ્દની ઉત્પત્તિ થઈ. વિજ્ઞાન એટલે કે વિશેષ જ્ઞાન. ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને ગણિત સહિત અનેકવિધ વિજ્ઞાનની શાખાઓ છે. કેટલાક લોકો કહે છે કે વિજ્ઞાનનું પૂર્ણ સ્વરૂપ “Systematic Inquiry of Nature and Creation” છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈને ગેલિલિયોને “આધુનિક વિજ્ઞાનના પિતા” કહ્યા.

વિજ્ઞાન એક વ્યવસ્થિત અભ્યાસ છે જે પ્રકૃતિ અને બ્રહ્માંડની સમજ વિકસાવવા માટે નિરીક્ષણ, પ્રયોગ અને તર્કનો ઉપયોગ કરે છે. વિજ્ઞાન હેઠળ ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન, ભૂસ્તરશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર સહિતના ઘણા વિષયો આવરી લેવામાં આવ્યા છે. સમય જતાં વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે અને વીજળી, દવાઓ, કમ્પ્યુટર અને સંદેશાવ્યવહાર જેવી ઘણી તકનીકો વિકસાવવામાં આપણને મદદ કરી છે. વિજ્ઞાનના કારણે જ આપણે બ્રહ્માંડ અને આપણા ગ્રહ પૃથ્વીને સમજી શકીએ છીએ.

વિજ્ઞાનમાં ભારત દેશ ઘણો પ્રગતિ કરી રહ્યો છે. અવનવા સંસોધનો કરીને તે નવી-નવી ટેકનોલોજી વિકસાવી રહ્યો છે. ભારતનું વિજ્ઞાનમાં આગવું મહત્ત્વ રહ્યું છે. રોજીંદા જીવનમાં આપણે વિજ્ઞાન સાથે જ જોડાયેલા છીએ. મોબાઈલ હોય કે રોકેટ, કાર હોય કે પછી અન્ય વાહનો તેમજ કોઈ નવા અવકાશ ક્ષેત્રે કે મેડિકલમાં સંસોધનો થાય તે બધા વિષયો વિજ્ઞાનમાં આવરી લેવામાં આવે છે.

વિજ્ઞાન એક ગતિશીલ ક્ષેત્ર છે જે સતત વિકાસ પામી રહ્યું છે. વૈજ્ઞાનિકો સતત નવી શોધો કરી રહ્યા છે અને જૂની માન્યતાઓને પડકારી રહ્યા છે. વિજ્ઞાને આપણને બ્રહ્માંડ અને તેમાં આપણા સ્થાનને સમજવામાં ઘણું શીખવ્યું છે અને ભવિષ્યમાં પણ તે આપણને ઘણું શીખવશે. અહીં તમને વિજ્ઞાન સંબંધિત નવી અને જૂની માહિતી વાંચવા અને સમજવા મળશે.

Read More

9 મહિનાથી અખંડ જ્યોત, સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા, જુઓ Video

9 મહિના સુધી અવકાશમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પાછી ફરી છે. જેના પગલે દુનિયાભરમાં ખુશીનો માહોલ છે. ત્યારે સુનિતા વિલિયમ્સના મૂળ વતન એવા ઝૂલાસણમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

સુનિતા વિલિયમ્સે 9 મહિના સુધી અવકાશમાં તેના દિવસો કેવી રીતે વિતાવ્યા ? જીવતા રહેવા માટે શું ખાધું ? કઈ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો

અવકાશમાં રહેવું શારીરિક રીતે ખૂબ જ પડકારજનક છે. ચાલો જાણીએ કે સુનીતા વિલિયમ્સ અને તેના સાથીઓએ અંતરિક્ષમાં રહીને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો અને અંતરિક્ષમાં પોતાને જીવંત રાખવા માટે શું ખાધું.

સુનિતા વિલિયમ્સે ટીમ સાથે દરિયામાં કર્યુ ઉતરાણ, ડ્રેગનમાંથી હસતા હસતા બહાર આવવાનો પ્રથમ Video જુઓ

નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સનું અવકાશયાન પૃથ્વી પર પરત આવી ગયા છે. જેના પગલે સમગ્ર દુનિયામાં ખુશીનો માહોલ છે. સુનિતા વિલિયમ્સ સહિતના અવકાશયાત્રીઓને પૃથ્વી પર આવતા 17 કલાક લાગ્યા છે.

Sunita Williamsની લેન્ડિંગ નથી સરળ ! જો થઈ આ ભૂલ, તો ભસ્મીભૂત થઈ શકે છે સ્પેસક્રાફ્ટ

નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સનું અવકાશયાન પૃથ્વી પર પાછું આવી રહ્યું છે, પરંતુ વાતાવરણમાં ફરી પ્રવેશવું અત્યંત જોખમી છે. ત્યારે આ દરમિયાન જો કોઈ ભૂલ થઈ તો ભસ્મીભૂત થઈ શકે છે સ્પેસક્રાફ્ટ

સુનિતા વિલિયમ્સની આખરે થશે ઘરવાપસી ! ગુજરાતમાં રહેલા પરિવારમાં ખુશી સાથે ચિંતાનો માહોલ, જાણો શા માટે

ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ હવે ટૂંક સમયમાં પૃથ્વી પર પરત ફરવાના છે. સુનિતા વિલિયમ્સ નવ મહિના પછી પૃથ્વી પર પરત ફરવાની છે. દુનિયાભરના લોકો તેમના પાછા ફરવાથી ખુશ છે,

ભારતનો AI યુગ, AI માં ઈન્ડિયાની મોટી છલાંગ, મોદી સરકારની નીતિઓ ભવિષ્યને બદલી રહી છે

AI Revolution : મોદી સરકાર ભારતમાં AI ક્રાંતિ લાવી રહી છે. IndiaAI મિશન હેઠળ કરોડોનું રોકાણ કરવામાં આવ્યું છે. AI ડેટા પ્લેટફોર્મ, સસ્તું કમ્પ્યુટિંગ અને શિક્ષણમાં AI વિસ્તરણ સ્ટાર્ટઅપ્સ અને સંશોધકો માટે નવી તકો પૂરી પાડી રહ્યા છે. ભારત વૈશ્વિક AI લીડર બનવાના માર્ગે છે.

ગુસ્સામાં વ્યક્તિ લાલ કેમ થઈ જાય છે, જાણો આ પાછળનું સાયન્સ ?

એવું કહેવાય છે કે ગુસ્સામાં માણસ લાલ થઈ જાય છે. પરંતુ તે લાલ કેમ છે? વૈજ્ઞાનિકો પણ કહે છે કે તેની પાછળ વિજ્ઞાન છે. સામાન્ય નિયમ તરીકે, તેઓ કહે છે કે જ્યારે વ્યક્તિ ગુસ્સામાં હોય ત્યારે તેનું બ્લડ પ્રેશર વધે છે, જે...વધુ વાંચો

100મા સફળ મિશન છતા ISROનું વધ્યુ ટેન્શન, લાગ્યો આ મોટો ઝટકો, હવે શું થશે ?

ISRO દ્વારા તાજેતરમાં 100મું મિશન લોન્ચ કરવામાં આવ્યુ હતુ. જેણે સફળતાપૂર્વક અવકાશમાં ઉડાન પણ ભરી હતી. જો કે હવે ISRO એટલે કે ભારતીય અવકાશ સંશોધન સંગઠનના મિશનને ઝટકો લાગ્યો છે. જેને લઇને હવે ISROનું ટેન્શન વધી ગયુ છે.

Axiom-4 Mission: અવકાશમાં જનારા બીજા ભારતીય બનશે શુભાંશુ શુક્લા ! નાસાના એક્સિઓમ મિશન 4ના પાયલોટ

એક અનુભવી ટેસ્ટ પાઇલટ તરીકે તેમણે વિવિધ વિમાનોમાં 2000 કલાકથી વધુ ઉડાનનો અનુભવ મેળવ્યો છે. ગ્રુપ કેપ્ટન શુક્લા સાથે, વધુ ત્રણ લોકો આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) જઈ રહ્યા છે

ISROએ રચ્યો ઇતિહાસ, NVS-02 નેવિગેશન સેટેલાઇટ લોન્ચ કર્યુ, અવકાશમાં 100મું મિશન સફળ

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો)એ આજે NVS-02 નેવિગેશન સેટેલાઇટનું GSLV-F15 રોકેટ દ્વારા શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું. આ ઇસરોનું 100મું મિશન હતું, જે ભારતના અવકાશ ક્ષેત્રમાં એક નવી સિદ્ધિ છે. મિશનની સફળતા પર કેન્દ્રીય મંત્રીઓએ ઈસરોને અભિનંદન પાઠવ્યા છે. આ મિશન ભારતની અવકાશ ટેકનોલોજીમાં પ્રગતિ દર્શાવે છે.

Personal Flying Vehicle : હોવરબોર્ડએ એરક્રાફ્ટનું ભવિષ્ય, જુઓ ટેકનોલોજીનો વીડિયો

માનવ સંચાલિત ડ્રોનને ઘણીવાર ઉડતી કાર અથવા ઉડતા વાહનો તરીકે શોધવામાં આવે છે. પર્સનલ ફ્લાઈંગ વ્હીકલ હોવરબોર્ડ એ એરક્રાફ્ટનું ભવિષ્ય છે. ફ્લાઈંગ બોર્ડ કેવી રીતે બનાવવો તે અંગેનો આ વીડિયો છે.

Kite Festival : પતંગ ઉડાડવા માટે કેટલો પવન જરૂરી છે, શું હવાની તેજ ગતિએ પણ પતંગ ઉડાડી શકાય?

Kite Festival : મકરસંક્રાંતિના દિવસે આકાશમાં રંગબેરંગી પતંગો જોઈને દરેક વ્યક્તિ ખુશ થઈ જાય છે. પણ શું તમે જાણો છો કે પતંગ ઉડાડવા માટે કેટલી હવાની જરૂર પડે છે?

ISRO એ અવકાશમાં ઉગાડ્યો છોડ, જાણો શા માટે અવકાશમાં થઈ રહ્યા છે આવા પ્રયોગો, કેટલા થયા સફળ?

ભારતની અવકાશ સંશોધન સંસ્થા (ISRO) એ વધુ એક અદભૂત સિદ્ધિ હાંસલ કરીને પોતાની ક્ષમતા સાબિત કરી છે. ઈસરોએ એક ખાસ પ્રયોગ હેઠળ અવકાશમાં છોડ ઉગાડવામાં સફળતા મેળવી છે. ચાલો જાણીએ કે આ પ્રયોગ કેવી રીતે કરવામાં આવ્યો અને અવકાશમાં છોડ ઉગાડવાની જરૂર કેમ છે?

પૃથ્વીથી મંગળ ગ્રહ પર મેસેજ મોકલવામાં કેટલો સમય લાગે ? જવાબ જાણીને ચોંકી જશો

પૃથ્વીથી મંગળ સુધી મેસેજ મોકલવામાં જે સમય લાગે છે તે બે ગ્રહો તેમની ભ્રમણકક્ષામાં એકબીજાની કેટલા નજીક છે તેના પર નિર્ભર કરે છે. પૃથ્વી અને મંગળ વચ્ચેનું અંતર સતત બદલાયા કરે છે, કારણ કે બંને ગ્રહો પોતપોતાની ભ્રમણકક્ષામાં સૂર્યની આસપાસ ફરે છે.

g clip-path="url(#clip0_868_265)">