સાયન્સ
પ્રાચીન ભારતમાં ‘જ્ઞાન’ શબ્દમાં ‘વિ’ ઉપસર્ગ ઉમેરીને વિજ્ઞાન શબ્દની ઉત્પત્તિ થઈ. વિજ્ઞાન એટલે કે વિશેષ જ્ઞાન. ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને ગણિત સહિત અનેકવિધ વિજ્ઞાનની શાખાઓ છે. કેટલાક લોકો કહે છે કે વિજ્ઞાનનું પૂર્ણ સ્વરૂપ “Systematic Inquiry of Nature and Creation” છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈને ગેલિલિયોને “આધુનિક વિજ્ઞાનના પિતા” કહ્યા.
વિજ્ઞાન એક વ્યવસ્થિત અભ્યાસ છે જે પ્રકૃતિ અને બ્રહ્માંડની સમજ વિકસાવવા માટે નિરીક્ષણ, પ્રયોગ અને તર્કનો ઉપયોગ કરે છે. વિજ્ઞાન હેઠળ ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન, ભૂસ્તરશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર સહિતના ઘણા વિષયો આવરી લેવામાં આવ્યા છે. સમય જતાં વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે અને વીજળી, દવાઓ, કમ્પ્યુટર અને સંદેશાવ્યવહાર જેવી ઘણી તકનીકો વિકસાવવામાં આપણને મદદ કરી છે. વિજ્ઞાનના કારણે જ આપણે બ્રહ્માંડ અને આપણા ગ્રહ પૃથ્વીને સમજી શકીએ છીએ.
વિજ્ઞાનમાં ભારત દેશ ઘણો પ્રગતિ કરી રહ્યો છે. અવનવા સંસોધનો કરીને તે નવી-નવી ટેકનોલોજી વિકસાવી રહ્યો છે. ભારતનું વિજ્ઞાનમાં આગવું મહત્ત્વ રહ્યું છે. રોજીંદા જીવનમાં આપણે વિજ્ઞાન સાથે જ જોડાયેલા છીએ. મોબાઈલ હોય કે રોકેટ, કાર હોય કે પછી અન્ય વાહનો તેમજ કોઈ નવા અવકાશ ક્ષેત્રે કે મેડિકલમાં સંસોધનો થાય તે બધા વિષયો વિજ્ઞાનમાં આવરી લેવામાં આવે છે.
વિજ્ઞાન એક ગતિશીલ ક્ષેત્ર છે જે સતત વિકાસ પામી રહ્યું છે. વૈજ્ઞાનિકો સતત નવી શોધો કરી રહ્યા છે અને જૂની માન્યતાઓને પડકારી રહ્યા છે. વિજ્ઞાને આપણને બ્રહ્માંડ અને તેમાં આપણા સ્થાનને સમજવામાં ઘણું શીખવ્યું છે અને ભવિષ્યમાં પણ તે આપણને ઘણું શીખવશે. અહીં તમને વિજ્ઞાન સંબંધિત નવી અને જૂની માહિતી વાંચવા અને સમજવા મળશે.
Read MoreBreaking News : ગુજરાતમાં AI માટે ₹100 કરોડનું રોકાણ, વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ્સ અને MSMEs ને મળશે ફાયદો !
ગુજરાત સરકારે સોમવાર 17 ઓગસ્ટના રોજ ઓટોમેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કંપની Automation Anywhere સાથે રાજ્યના AI ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. કંપની આગામી 10 વર્ષમાં આશરે ₹100 કરોડનું યોગદાન આપશે. આ રકમનો ઉપયોગ યુવાનોની ટ્રેનિંગ, કેપેસિટી અને AI સંબંધિત પહેલો માટે કરવામાં આવશે.
- Dhruval Shah
- Updated on: Aug 18, 2026
- 1:07 pm
દૃષ્ટિહીન લોકોને દિવસ-રાત થવાનો સંકેત કેવી રીતે મળે છે ? જાણો વિજ્ઞાન
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જે લોકો જોઈ શકતા નથી, તેમને માત્ર ગાઢ અંધકાર જ દેખાય છે. જોકે, મેડિકલ સાયન્સ મુજબ સંપૂર્ણપણે પ્રકાશનો અનુભવ ન થવાની સ્થિતિ દૃષ્ટિહીન લોકોમાં પ્રમાણમાં ઓછી જોવા મળે છે.
- Dhruval Shah
- Updated on: Aug 14, 2026
- 9:52 am
એલન મસ્કની કંપની સ્પેસએક્સનું 4 ટન વજન ધરાવતુ રોકેટ 8,700 કિમીની ઝડપે ચંદ્ર સાથે અથડાયું, જુઓ Video
એલોન મસ્કની કંપની, સ્પેસએક્સનું 4 ટન વજન ધરાવતા અને સ્કૂલ બસ જેટલા આકારનું રોકેટ, પ્રતિ કલાકની 8,700 કિમીની ઝડપે ચંદ્ર સાથે અથડાયું છે. 18 મહિનાથી અવકાશમાં ફરતા આ કાટમાળના ટુકડાના ક્રેશ અંગેની વિગતો અહીં છે.
- Bipin Prajapati
- Updated on: Aug 6, 2026
- 12:35 pm
Astronomy Facts: તારા કેવી રીતે બને છે? 9500 પ્રકાશવર્ષ દૂર મળી આવી અનોખી ખગોળીય ઘટના, ભારતીય સંશોધનથી બ્રહ્માંડના રહસ્યો ખુલશે
ભારતીય વૈજ્ઞાનિકોએ આંતરરાષ્ટ્રીય સંશોધકો સાથે મળીને એક એવા બ્લૂ સ્ટ્રેગલર સ્ટારની શોધ કરી છે જે હાલમાં રચાઈ રહ્યો છે. આ શોધથી તારાઓના જન્મ અને તેમના વિકાસની પ્રક્રિયા સમજવામાં વૈજ્ઞાનિકોને મોટી મદદ મળશે.
- Nishat
- Updated on: Jul 28, 2026
- 10:50 am
ભારતમાં ડેન્ગ્યુ વિરોધી રસી તાકેડાની QDENGAને DCGI ની મળી મંજૂરી, 4 થી 60 વર્ષના લોકો લઈ શકશે
ડેન્ગ્યુ એક જીવલેણ, ખતરનાક મચ્છરજન્ય રોગ છે. વિશ્વના વિકાસશીલ દેશોમાં ડેન્ગ્યુ એક મોટી સમસ્યા છે. આજે વિશ્વભરના 125 થી વધુ દેશમાં ડેન્ગ્યુથી પ્રભાવિત છે. તાકેડા બાયોફાર્માસ્યુટિકલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે કંપનીના જણાવ્યા અનુસાર, વૈશ્વિક સ્તરે નોંધાયેલા કુલ ડેન્ગ્યુના કેસમાંથી ભારતમાં લગભગ એક તૃતીયાંશ કેસ નોંધાય છે.
- Bipin Prajapati
- Updated on: Jul 20, 2026
- 3:42 pm
હાઇડ્રોજન ટ્રેનમાં ઇંધણ કેવી રીતે બને છે ? રૉકેટ ટેક્નોલોજી કેમ નથી ઉપયોગી ?
ડીઝલ કે પેટ્રોલ વગર દોડતી હાઇડ્રોજન ટ્રેન આખરે કેવી રીતે ચાલે છે? શું તેમાં મુસાફરી દરમિયાન જ ઇંધણ બને છે? જાણો ફ્યુઅલ સેલ ટેક્નોલોજી પાછળનું સંપૂર્ણ વિજ્ઞાન.
- RajSingh Sisodiya
- Updated on: Jul 18, 2026
- 3:37 pm
Breaking News : દેશનું પ્રથમ ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1એ શ્રીહરિકોટાથી ભરી ઐતિહાસિક ઉડાન
હૈદરાબાદ સ્થિત ખાનગી અવકાશ કંપની સ્કાયરૂટ એરોસ્પેસે શ્રીહરિકોટાથી ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ, વિક્રમ-1 લોન્ચ કર્યું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ મિશનને ભારતની અવકાશ યાત્રામાં એક ઐતિહાસિક શરૂઆત ગણાવી અને સ્કાયરૂટ ટીમને શુભેચ્છાઓ મોકલી.
- Dhruval Shah
- Updated on: Jul 18, 2026
- 1:04 pm
મેઘધનુષ હંમેશા અર્ધ વર્તુળાકારમાં જ કેમ હોય છે ? સીધી રેખા કે અન્ય આકારમાં કેમ નહીં ? જાણો તેના આકાર પાછળનું ‘રહસ્ય’
જ્યારે પણ વરસાદ વરસી જાય ત્યાર બાદ આકાશમાં દેખાતુ મેઘધનુષ હંમેશા અર્ધ વર્તુળ આકારમાં જ કેમ દેખાય છે ? તે સીધી રેખામાં કેમ નથી દેખાતુ ? મેઘધનુષ હંમેશા અર્ધવર્તુળકાર કે વર્તુળાકારમાં હોય છે ? તે જાણવા આ અહેવાલ વાંચો
- Bipin Prajapati
- Updated on: Jul 10, 2026
- 2:13 pm
Science Facts: લાખો ટન વજન, ગુરુત્વાકર્ષણ હોવા છતાં વાદળો આકાશમાંથી નીચે કેમ નથી પડતા? જાણો વૈજ્ઞાનિક કારણ
વાદળો દેખાવમાં હળવા લાગે છે, પરંતુ તેમનું વજન લાખો ટન સુધી હોઈ શકે છે. તેમ છતાં તે આકાશમાં કેવી રીતે ટકી રહે છે અને વરસાદ ક્યારે પડે છે? જાણો સરળ ભાષામાં તેની પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય.
- Nishat
- Updated on: Jul 7, 2026
- 2:16 pm
Rain Earthy Scent: વરસાદ પડતા જ માટીમાંથી કેમ આવે છે મનમોહક સુગંધ? જાણો તેની પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
વરસાદ પડ્યા પછી માટીમાંથી આવતી મનમોહક સુગંધનું રહસ્ય હવે જાણી લો. Petrichor, બેક્ટેરિયા અને છોડના કુદરતી તેલ સાથે જોડાયેલું છે આ રસપ્રદ વિજ્ઞાન.
- Nishat
- Updated on: Jun 30, 2026
- 9:32 am
ISRO ભરતી 2026: ટેકનિશિયનથી લઈને સાયન્ટિફિક આસિસ્ટન્ટ સુધી અનેક જગ્યાઓ ખાલી, ઓનલાઈન અરજી શરૂ
ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) માં સરકારી નોકરીઓ માટે તૈયારી કરી રહેલા યુવાનો માટે એક સુવર્ણ તક આવી છે. ISRO ના ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક (ISTRAC) એ ટેકનિકલ, વૈજ્ઞાનિક અને અન્ય વિવિધ પદો માટે અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા ઉમેદવારો 20 જુલાઈ, 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.
- Meera Kansagara
- Updated on: Jun 29, 2026
- 10:05 am
Earthquake: શું પૃથ્વી સિવાય બીજા કોઈ ગ્રહ પર આવે છે ભૂકંપ? જાણો અહીં
Earthquake: પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ ખેંચાણ વારંવાર ચંદ્ર પર ભૂકંપનું કારણ બને છે. આ સતત ભરતી બળ ચંદ્રના આંતરિક ભાગને ખેંચે છે અને સંકુચિત કરે છે, જેનાથી તેની ખડકાળ રચનામાં તણાવ ઉત્પન્ન થાય છે. જ્યારે આ સંચિત તણાવ મુક્ત થાય છે ત્યારે ભૂકંપ આવે છે.
- Devankashi rana
- Updated on: Jun 29, 2026
- 10:02 am
Breaking News : ચંદ્રયાન 3નો દુનિયામાં ડકો, અંતરિક્ષ વિજ્ઞાનનો સર્વોચ્ચ પુરસ્કાર મળ્યો
ભારતના ચંદ્રયાન 3 મિશનને અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રેમાં મોટી ઓળખ મળી છે.અમેરિકાએ અવકાશ વિજ્ઞાનમાં સર્વોચ્ચ સન્માન આપ્યું છે, તેની ખાસિયત જાણો
- Nirupa Duva
- Updated on: May 22, 2026
- 2:10 pm
Tea Flavor Science: શું ચાને લાંબા સમય સુધી ઉકાળવાથી તેનો સ્વાદ કડવો લાગે છે? ઉકાળવા પાછળનું વિજ્ઞાન સમજો
International Tea Day : આપણા દેશમાં ચા ફક્ત એક પીણું નથી, પરંતુ લોકોની રોજિંદા આદતો અને લાગણીઓનો એક ભાગ છે. ચાલો જાણીએ કે તેનો સ્વાદ કડવો કેમ થાય છે.
- Meera Kansagara
- Updated on: May 21, 2026
- 3:10 pm
‘કેળા’ હંમેશા ‘વાંકા’ જ કેમ હોય છે ? સીધા કેમ નહીં ? જાણો આની પાછળનું રસપ્રદ વિજ્ઞાન
કેળા તો આપણે બધા ખાઈએ છીએ પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, તે હંમેશા વળેલા જ કેમ હોય છે? બીજા ફળો જ્યારે, ગોળ અથવા સીધા હોય છે, ત્યારે કેળું હંમેશા વળેલું જોવા મળે છે. આની પાછળ કોઈ સંયોગ નથી પરંતુ એક ખાસ વિજ્ઞાન કામ કરે છે.
- Ravi Prajapati
- Updated on: May 13, 2026
- 4:49 pm