AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ ભારતનું એક હિન્દુ રાષ્ટ્રવાદી સ્વયંસેવક સંગઠન છે. તે વ્યાપકપણે ભારતીય જનતા પાર્ટીનું પિતૃ સંગઠન માનવામાં આવે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સંઘ ઉપરાંત આરએસએસ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશ્વની સૌથી મોટી સ્વૈચ્છિક સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કેશવ બલરામ હેડગેવાર દ્વારા કરવામાં આવી હતી. ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના ધ્યેય સાથે 27 સપ્ટેમ્બર 1925ના રોજ વિજયાદશમીના દિવસે આરએસએસની સ્થાપના કરવામાં આવી હતી.

આ સંસ્થા 2025માં 100 વર્ષની થઈ જશે. નાગપુરના અખાડાઓમાંથી બનેલા સંઘે, હાલમાં આધુનિક સ્વરૂપ ધારણ કર્યું છે. સંઘના પ્રથમ સરસંઘચાલક હેડગેવારે પોતાના ઘરે 17 લોકો સાથે એક પરિસંવાદમાં સંઘની રચનાની યોજના બનાવી હતી. સંઘનું નામ શું હશે, પ્રવૃતિઓ શું હશે, બધું જ સમયની સાથે ધીરે ધીરે નક્કી થયું. તે સમયે વિચાર માત્ર હિંદુઓને સંગઠિત કરવાનો હતો. 17 એપ્રિલ 1926ના રોજ સંગઠનનું નામ પણ ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ રાખવામાં આવ્યું હતું.

તે જ દિવસે હેડગેવાર સર્વસંમતિથી આરએસએસના વડા તરીકે ચૂંટાયા હતા, પરંતુ નવેમ્બર 1929માં તેમને સરસંઘચાલક બનાવવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક દાયકાઓમાં દેશના ખૂણે ખૂણે સંઘની શાખાઓ સ્થાપિત થઈ છે. હાલમાં મોહન ભાગવત સંઘ પ્રમુખની ભૂમિકા નિભાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સંઘના પ્રચારક રહી ચૂક્યા છે.

Read More

“હિન્દુ વિના દુનિયાનું અસ્તિત્વ નથી…” RSS વડા મોહન ભાગવતે કહ્યું – ગ્રીસ, ઇજિપ્ત અને રોમની સંસ્કૃતિઓ નકશામાંથી ગાયબ થઈ ગઈ

મોહન ભાગવતે મણિપુરમાં જણાવ્યું કે હિન્દુ સમાજ અમર છે અને ભારત સનાતન સંસ્કૃતિનું પ્રતીક છે. તેમણે કહ્યું કે હિન્દુઓ વિના વિશ્વનું અસ્તિત્વ શક્ય નથી.

પાકિસ્તાન સાથે કેવો વ્યવહાર કરવો? RSS વડા મોહન ભાગવતે જણાવી રણનીતિ..

મોહન ભાગવતે ભારત-પાક સંબંધો પર ભારપૂર્વક કહ્યું કે ભારત હંમેશા શાંતિ અને સહયોગ ઈચ્છે છે, પરંતુ પાકિસ્તાનનું શત્રુતાપૂર્ણ વલણ ચાલુ રહેશે તો યોગ્ય જવાબ અપાશે.

શું મુસ્લિમો પણ RSSની શાખામાં જોડાઈ શકે ? RSSના વડા મોહન ભાગવતે શું આપ્યો જવાબ ?

રાષ્ટ્રીય સ્વંયસેવક સંધના મૂળ ઉદ્દેશ્યને સમજાવતા, મોહન ભાગવતે કહ્યું કે, અમારી પાસે ફક્ત એક જ હેતુ છે; તે હેતુ પૂર્ણ કર્યા પછી, અમે બીજું કંઈ પણ કરવા માંગતા નથી. અમારો દ્રષ્ટિકોણ સમગ્ર હિન્દુ સમાજને એક કરવાનો છે, અને તે જ અમારું કાર્ય છે.

‘નમો માતૃભૂમિ’ થી ‘નમસ્તે સદા વત્સલે..’ કેવી રીતે બની સંઘની પ્રાર્થના… શું સંઘમાં ક્યારેય કોઈ મહિલા સરસંઘચાલક બની શકે ખરી? વાંચો

સંઘની યાત્રામાં પ્રાર્થનાની પસંદગી પણ એક મહત્વપૂર્ણ પડાવ છે. આ પ્રાર્થના સંઘની ઓળખ બની જાય છે. પરંતુ તમે કદાચ નહીં જાણતા હો કે નમસ્તે સદા વત્સલે સંઘની પહેલી પ્રાર્થના નથી. સંઘની પહેલી પ્રાર્થના હતી 'નમો માતૃભૂમિ'. તો પછી તેને શા માટે બદલવામાં આવી. બીજુ કે સંઘે તેની સ્થાપના થી જ પોતાને એક સિદ્ધાંત-આધારિત સાંસ્કૃતિક સંગઠન તરીકે રજૂ કર્યું છે, પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે: શું મહિલાઓની સંઘમાં પુરુષો જેટલી પ્રત્યક્ષ ભૂમિકા છે? શું કોઈ મહિલા ક્યારેય સંગઠનમાં સર્વોચ્ચ પદ, સરસંઘચાલક, સંભાળી શકે છે? આવો જાણીએ

પહેલગામ આતંકી હુમલો-ઓપરેશન સિંદૂર બાદ ભારતના કોણ દુશ્મન અને કોણ મિત્ર તે જોવુ પડશે: મોહન ભાગવત

અમેરિકાએ લાદેલ ટેરિફનો ઉલ્લેખ કરીને મોહન ભાગવતે કહ્યું કે, દેશ હિત જાળવવામાં નિર્ભળતા, મજબૂરીમાં ના ફેરવાય તે જોવુ જરૂરી છે. સ્વદેશી અને સ્વાવલંબનનો કોઈ પર્યાય નથી. આત્મનિર્ભર બનવું પડશે. આતંરરાષ્ટ્રીય સંબંધો જાળવી પણ રાખવા પડશે તેમ તેમણે કહ્યું હતું. 

‘પહેલી વાર ચલણ પર ભારત માતાનું ચિત્ર’, PM મોદીએ RSSના કાર્યક્રમમાં ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડ્યો

RSS ની શતાબ્દી નિમિત્તે દિલ્હીમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100 રૂપિયાનો સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પીએમ મોદી મુખ્ય અતિથિ હતા. સભાને સંબોધતા તેમણે સિક્કા અને ટપાલ ટિકિટની અનોખી વિશેષતાઓ સમજાવી.

“ભારતના વધતા કદથી દુનિયાના અનેક દેશો ભયભીત”… અમેરિકાના ટેરિફ લગાવવા પાછળ મોહન ભાગવતે આપ્યુ આ કારણ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના પ્રમુખ મોહન ભાગવતે અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા ટેરિફ પર મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ છે કે અમેરિકાએ ભારત પર ટેરિફ શા માટે લગાવ્યો સંઘ પ્રમુખ મોહન ભાગવતે અમેરિકા દ્વારા પાકિસ્તાનને પુચકારવાની નીતિની પણ કડક ટીકા કરી છે.

‘ઓપરેશન સિંદૂર’ના નામની રંગોળી ભારે પડી, થયો વિવાદ અને 27 RSS કાર્યકરો સામે થશે ‘કાયદેસર કાર્યવાહી’

'ઓપરેશન સિંદૂર' નામની રંગોળીથી ગંભીર વિવાદ સર્જાયો છે. આ મામલે પોલીસે 27 RSS કાર્યકરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણો આખરે શું છે આ સમગ્ર મામલો...

શું સંઘ ભાજપ અધ્યક્ષ નક્કી કરે છે? મોહન ભાગવતે આપ્યો જવાબ

Mohan Bhagwat Vyakhyanmala Day3: મોહન ભાગવતે કહ્યું કે અમે દરેક સરકારમાં સારો સંકલન રાખીએ છીએ. મતભેદોના કોઈ મુદ્દા નથી. અમારી વચ્ચે મતભેદ હોઈ શકે છે પણ કોઈ દુશ્મનાવટ નથી.

ન તો હું નિવૃત્તિ લઈશ, ન તો કોઈને નિવૃત્તિ લેવાનું કહીશ… મોહન ભાગવતે 75 વર્ષની ઉંમરે નિવૃત્તિ પર કહી મોટી વાત, જુઓ Video

RSS શતાબ્દી વર્ષની ઉજવણીનો ત્રીજો દિવસ પ્રશ્નો અને જવાબોનો હતો. આ દરમ્યાન મોહન ભાગવતે કહ્યું કે 75 વર્ષની ઉંમરે નિવૃત્તિ લેવાની કોઈ જરૂર નથી. ન તો હું નિવૃત્તિ લઈશ, ન તો કોઈને નિવૃત્તિ લેવાનું કહીશ. તેમણે કહ્યું કે આપણે જ્યાં સુધી ઈચ્છીએ ત્યાં સુધી કામ કરી શકીએ છીએ.

દરેક ભારતીય પેદા કરે ત્રણ બાળકો… વસ્તીને લઈને સંઘ પ્રમુખ મોહન ભાગવતે આપ્યુ મોટુ નિવેદન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) શતાબ્દી વર્ષ કાર્યક્રમમાં મોહન ભાગવતે જન્મદર પર બોલતા કહ્યુ કે ભારતના તમામ લોકોએ ત્રણ બાળકો કરવા જોઈએ. તેમણે કહ્યુ દુનિયામાં ત્રણથી ઓછા જન્મદરવાળા સમાજ ધીરે-ધીરે લુપ્ત થઈ જાય છે. ભાગવતે યુવાનોને લગ્નમાં વિલંબ ન કરવા અને ત્રણ સંતાનોના ફાયદા અંગે જણાવ્યુ.

ટેકનોલોજી અને આધુનિકતાનો કોઈ વિરોધ નથી, પણ શિષ્ટાચાર જરૂરી છે : મોહન ભાગવત

મોહન ભાગવતે કહ્યું કે ટેકનોલોજી અને આધુનિકતા શિક્ષણનો વિરોધ નથી. ટેકનોલોજી માણસનો ગુલામ રહેવો જોઈએ, શિક્ષણ જરૂરી છે જેથી માણસ ટેકનોલોજીનો ગુલામ ન બને. સંસ્કૃતિથી ભરપૂર રહેવું એ જ સાચું શિક્ષણ છે. શિક્ષણ ફક્ત માહિતી યાદ રાખવાનો નથી. તેનો હેતુ માણસને સંસ્કારી બનાવવાનો છે.

સીપી રાધાકૃષ્ણન આજે ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે, રાજકીય સફર અને પરિવાર વિશે જાણો

NDA એ ઉપરાષ્ટ્રપતિ પદ માટે સીપી રાધાકૃષ્ણનને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.સીપી રાધાકૃષ્ણન ઓબીસી વર્ગમાંથી આવે છે.સીપીઆરને ક્રિકેટ અને વોલીબોલ પણ ખૂબ ગમે છે. તો આજે આપણે સીપી રાધાકૃષ્ણનના પરિવાર વિશે વિસ્તારથી જાણીએ.

Malegaon blast case : મોહન ભાગવતને ખોટી રીતે ધરપકડ કરવાનો મળ્યો હતો આદેશ, પૂર્વ ATS અધિકારીનો મોટો ખુલાસો

માલેગાંવ બ્લાસ્ટ કેસની તપાસમાં સામેલ એક ભૂતપૂર્વ એટીએસ અધિકારીએ દાવો કર્યો છે કે તેમને આ કેસમાં આરએસએસના વડા મોહન ભાગવતની ધરપકડ કરવાનું કહેવામાં આવ્યું હતું.

આરએસએસના શતાબ્દી વર્ષમાં 58,964 મંડળો અને 44,055 કોલોનીમાં હિન્દુ સંમેલનો, દરેક ગામ અને ઘર સુધી પહોંચી વળવાનો લક્ષ્ય

આરએસએસના શતાબ્દી વર્ષમાં દેશવ્યાપી હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવશે. આ અભિયાનનો હેતુ દરેક ગામ અને દરેક ઘર સુધી પહોંચવાનો છે. મંડળો અને કોલોનીમાં આયોજિત સંમેલનો દ્વારા હિન્દુ સમુદાયમાં એકતા અને જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">