
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ ભારતનું એક હિન્દુ રાષ્ટ્રવાદી સ્વયંસેવક સંગઠન છે. તે વ્યાપકપણે ભારતીય જનતા પાર્ટીનું પિતૃ સંગઠન માનવામાં આવે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સંઘ ઉપરાંત આરએસએસ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશ્વની સૌથી મોટી સ્વૈચ્છિક સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કેશવ બલરામ હેડગેવાર દ્વારા કરવામાં આવી હતી. ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના ધ્યેય સાથે 27 સપ્ટેમ્બર 1925ના રોજ વિજયાદશમીના દિવસે આરએસએસની સ્થાપના કરવામાં આવી હતી.
આ સંસ્થા 2025માં 100 વર્ષની થઈ જશે. નાગપુરના અખાડાઓમાંથી બનેલા સંઘે, હાલમાં આધુનિક સ્વરૂપ ધારણ કર્યું છે. સંઘના પ્રથમ સરસંઘચાલક હેડગેવારે પોતાના ઘરે 17 લોકો સાથે એક પરિસંવાદમાં સંઘની રચનાની યોજના બનાવી હતી. સંઘનું નામ શું હશે, પ્રવૃતિઓ શું હશે, બધું જ સમયની સાથે ધીરે ધીરે નક્કી થયું. તે સમયે વિચાર માત્ર હિંદુઓને સંગઠિત કરવાનો હતો. 17 એપ્રિલ 1926ના રોજ સંગઠનનું નામ પણ ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ રાખવામાં આવ્યું હતું.
તે જ દિવસે હેડગેવાર સર્વસંમતિથી આરએસએસના વડા તરીકે ચૂંટાયા હતા, પરંતુ નવેમ્બર 1929માં તેમને સરસંઘચાલક બનાવવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક દાયકાઓમાં દેશના ખૂણે ખૂણે સંઘની શાખાઓ સ્થાપિત થઈ છે. હાલમાં મોહન ભાગવત સંઘ પ્રમુખની ભૂમિકા નિભાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સંઘના પ્રચારક રહી ચૂક્યા છે.
ઔરંગઝેબ મુદ્દે નાગપુરમાં તોફાન બાદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આપ્યું મોટું નિવેદન
હાલ સમગ્ર દેશમાં ઔરંગઝેબને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન, મુઘલ બાદશાહની કબર અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. એક પ્રેસ કોન્ફરન્સમાં, અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકરને પૂછવામાં આવ્યું કે શું ઔરંગઝેબ આજે પણ પ્રાસંગિક છે ? તો આના પર તેમણે જવાબ આપ્યો હતો.
- TV9 Gujarati
- Updated on: Mar 19, 2025
- 3:48 pm
RSS ના નવા કેશવ કુંજ કાર્યાલયનું ઉદ્ઘાટન, જુઓ Video
19 ફેબ્રુઆરી, 2025 ના રોજ દિલ્હીના જાંડેવાલાન ખાતે RSSના નવા કેશવ કુંજ કાર્યાલયનું ઉદ્ઘાટન થયું. ડો. મોહન ભાગવતે ભારતને વિશ્વગુરુ બનાવવાના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો.
- Sagar Solanki
- Updated on: Feb 19, 2025
- 10:28 pm
મોહન ભાગવતે શ્રીમદ્ રાજચંદ્ર મિશન અને શ્રી સદગુરુધામ, બરૂમાળ, ધરમપુરની લીધી મુલાકાત, જુઓ Photos
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે ધરમપુર ખાતે શ્રીમદ્ રાજચંદ્ર મિશન અને શ્રી સદગુરુધામની મુલાકાત લીધી. તેમણે શ્રીમદ રાજચંદ્રજીની પ્રતિમાના દર્શન કર્યા અને શ્રીમદ રાજચંદ્ર વેટરનરી કોલેજનું શિલાન્યાસ કર્યું.
- Sagar Solanki
- Updated on: Jan 2, 2025
- 10:54 pm
મંદિર મસ્જિદ જેવા વિવાદાસ્પદ મુદ્દાઓને લઈને કેટલાક લોકો હિન્દુઓના નેતા બનવા માગે છેઃ મોહન ભાગવત
પુણેમાં હિન્દુ સેવા મહોત્સવ ચાલી રહ્યો છે. જે 22 ડિસેમ્બર સુધી ચાલશે. આરએસએસના વડા ડો. મોહન ભાગવતે ઉત્સવનુ ઉદ્ઘાટન કર્યા બાદ સંબોધન કર્યું હતું, જેમાં તેમણે માનવતા અને વિશ્વ શાંતિના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે તહેવારનો હેતુ હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર કરવાનો છે.
- TV9 Gujarati
- Updated on: Dec 20, 2024
- 8:27 am
હિંદુઓએ પ્રદેશ, ભાષા અને જાતિને બાજુ પર રાખીને એક થવું પડશે : મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે રાજસ્થાનમાં 'સ્વયંસેવક એકત્રીકરણ' કાર્યક્રમને સંબોધતા કહ્યું, ભારત હિન્દુ રાષ્ટ્ર છે. હિંદુ સમાજે ભાષા, જાતિ અને પ્રાદેશિક વિવાદોને ખતમ કરીને પોતાની સુરક્ષા માટે એક થવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે, હિંદુઓ દરેકને પોતાના માને છે અને દરેકને ગળે લગાવે છે.
- TV9 Gujarati
- Updated on: Oct 6, 2024
- 2:08 pm
સંઘ વિના કશું કરી શકાતું નથી… RSSએ કેરળમાં ભાજપ માટે મેદાન કેવી રીતે તૈયાર કર્યું
RSS પ્રેરિત 32 સંસ્થાઓના પ્રતિનિધિઓએ કેરળના પલક્કડમાં ત્રણ દિવસીય સંકલન બેઠકમાં ભાગ લીધો હતો. સંઘની આ બેઠક કેરળના પલક્કડ જિલ્લામાં થઈ હતી. પલક્કડ એ જ જિલ્લો છે જ્યાં 2022માં ભાજપે મ્યુનિસિપલ ચૂંટણી જીતી હતી. સંઘ 5 હજારથી વધુ શાખાઓ સાથે દરેક ગામમાં પહોંચ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Sep 4, 2024
- 7:47 am
રાજકીય પક્ષો સમાજને જાતિઓમાં વહેંચે છે, RSS બધાને સાથે જોડી રાખે છે : મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની કેરળમાં યોજાઈ રહેલ સંકલન બેઠકમાં સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે, રાજકીય લોકોનું કામ સમાજને જ્ઞાતિઓમાં વહેંચવાનું અને તેના કારણે સર્જાયેલી પરિસ્થિતિનો રાજકીય લાભ ઉઠાવવાનું છે, આ માટે તેઓ વિવિધ યુક્તિઓ અપનાવે છે, પરંતુ આપણે બધાને સાથે લઈને ચાલવાનું છે. સંઘની વિચારસરણીના આધારે છે. સામાજિક સમરસતા જાળવવી એ આપણી ફરજ છે.
- TV9 Gujarati
- Updated on: Sep 2, 2024
- 2:30 pm
હિન્દુઓ પર હુમલો, ડોક્ટર પર રેપ… પશ્ચિમ બંગાળની કથળતી સ્થિતિ કેરળમાં RSSની બેઠકમાં ચર્ચાઈ
RSS meeting in Palakkad : સંઘની સંકલન બેઠકમાં પ્રથમ દિવસે કુલ ચાર સત્રોની ચર્ચા કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળ અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. ત્યાંની વર્તમાન પરિસ્થિતિ ખાસ કરીને ચૂંટણી પછી હિંદુઓ પરના હુમલા, મહિલા ડોક્ટરો સામેની ભીષણ હિંસા સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
- Meera Kansagara
- Updated on: Sep 1, 2024
- 9:39 am
બાંગ્લાદેશમાં હિંદુઓ પરના હુમલાને લઈને RSSના વડા મોહન ભાગવતે શુ કહ્યું ? જુઓ વીડિયો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે 78માં સ્વતંત્રતા દિવસ પર, આરએસએસના મુખ્યાલય ખાતે ત્રિરંગો ફરકાવ્યો હતો. નાગપુરમાં સંઘના મુખ્યાલયમાં સંઘ કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે તેમણે બાંગ્લાદેશમાં હિંદુઓ સામેની હિંસાનો ઉલ્લેખ કર્યો હતો. સંઘ પ્રમુખે કહ્યું કે, હિંદુઓ કોઈપણ કારણ વગર હિંસાનો સામનો કરી રહ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Aug 15, 2024
- 2:46 pm