AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ ભારતનું એક હિન્દુ રાષ્ટ્રવાદી સ્વયંસેવક સંગઠન છે. તે વ્યાપકપણે ભારતીય જનતા પાર્ટીનું પિતૃ સંગઠન માનવામાં આવે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સંઘ ઉપરાંત આરએસએસ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશ્વની સૌથી મોટી સ્વૈચ્છિક સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કેશવ બલરામ હેડગેવાર દ્વારા કરવામાં આવી હતી. ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના ધ્યેય સાથે 27 સપ્ટેમ્બર 1925ના રોજ વિજયાદશમીના દિવસે આરએસએસની સ્થાપના કરવામાં આવી હતી.

આ સંસ્થા 2025માં 100 વર્ષની થઈ જશે. નાગપુરના અખાડાઓમાંથી બનેલા સંઘે, હાલમાં આધુનિક સ્વરૂપ ધારણ કર્યું છે. સંઘના પ્રથમ સરસંઘચાલક હેડગેવારે પોતાના ઘરે 17 લોકો સાથે એક પરિસંવાદમાં સંઘની રચનાની યોજના બનાવી હતી. સંઘનું નામ શું હશે, પ્રવૃતિઓ શું હશે, બધું જ સમયની સાથે ધીરે ધીરે નક્કી થયું. તે સમયે વિચાર માત્ર હિંદુઓને સંગઠિત કરવાનો હતો. 17 એપ્રિલ 1926ના રોજ સંગઠનનું નામ પણ ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ રાખવામાં આવ્યું હતું.

તે જ દિવસે હેડગેવાર સર્વસંમતિથી આરએસએસના વડા તરીકે ચૂંટાયા હતા, પરંતુ નવેમ્બર 1929માં તેમને સરસંઘચાલક બનાવવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક દાયકાઓમાં દેશના ખૂણે ખૂણે સંઘની શાખાઓ સ્થાપિત થઈ છે. હાલમાં મોહન ભાગવત સંઘ પ્રમુખની ભૂમિકા નિભાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સંઘના પ્રચારક રહી ચૂક્યા છે.

Read More

“ભારત પહેલેથી હિંદુ રાષ્ટ્ર છે એ વાસ્તવિક્તા છે, તો ઘોષિત કરવાની જરૂર નથી…” – મોહન ભાગવત

RSS વડા મોહન ભાગવતે કહ્યુ કે દેશના નેતૃત્વની ઈચ્છાશક્તિ, પ્રતિબદ્ધતા અને જનસમર્થન ના કારણે રામ મંદિર બન્યુ છે. તેમમએ કહ્યુ કે જે લોકો પહેલેથી ભારતનો મજાક ઉઠાવતા હતા, તેઓ પણ તેને હિંદુઓની ભૂમિ કહેવા લાગ્યા છે.

Breaking News: એક સમયે જે લોકો હસતા હતા… તેઓ હવે હિન્દુસ્તાનને હિન્દુઓની ભૂમિ કહે છે: મોહન ભાગવત

ડૉ. હેડગેવાર મેમોરિયલ કમિટી, નાગપુર દ્વારા શ્રી રામ જન્મભૂમિ ખાતે ભવ્ય મંદિરના નિર્માણમાં યોગદાન આપનારાઓનું સન્માન કરવા માટે એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. RSS વડા મોહન ભાગવતે કહ્યું કે મંદિર ભગવાન રામની ઇચ્છાથી બનાવવામાં આવ્યું છે.

દિલ્હીમાં RSS વડા મોહન ભાગવતના હસ્તે માય હોમ ઇન્ડસ્ટ્રીઝના MDનું વિશેષ સન્માન

દિલ્હીમાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે માય હોમ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર જુપલ્લી રણજીત રાવનું સન્માન કર્યું હતું. સંસ્કૃત ભારતીના નવા કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સહિત અનેક અગ્રણી ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.

બધાને એક કરીને યુદ્ધ રોકાવવાની ભારત પાસે તાકાત છે : મોહન ભાગવત

મોહન ભાગવતે એમ પણ કહ્યું કે, આજે વિશ્વ વિનાશ તરફ જઈ રહ્યું હોય તેવું લાગે છે. હાલમાં ચાલી રહેલા વૈશ્વિક સંઘર્ષો વચ્ચે, એક અલગ અવાજ ઉભરી રહ્યો છે. જે સૂચવે છે કે, ભારત એક એવું રાષ્ટ્ર છે જે તમામને રોકવા માટે સક્ષમ છે.

ભાગવતના આખા પરિવારનું RSS સાથે છે ખાસ કનેક્શન, જુઓ પરિવારમાં કોણ કોણ છે

મોહન મધુકર ભાગવતનો જન્મ 11 સપ્ટેમ્બર 1950ના રોજ થયો છે.2009થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના છઠ્ઠા અને વર્તમાન સરસંઘચાલક (મુખ્ય) છે, આજે આપણે RSS વડા મોહન ભાગવતના પરિવાર વિશે વાત કરીશું

RSS સરસંઘચાલક મોહન ભાગવતે સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી, કહ્યું ધર્મ બધાને જોડીને સાથે ચાલે છે

RSS સરસંઘચાલક મોહન ભાગવત બે દિવસીય ગુજરાત મુલાકાતે છે.વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતો સાથે મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું બધાના રસ્તાઓ અલગ છે પરંતુ જવાનું એક જગ્યાએ છે. આચરણમાં જ ધર્મ છે.

What Gujarat Thinks Today : Gen Z ધર્મ અને રાષ્ટ્રવાદ સાથે દેશને આગળ લઈ જવા માટે તૈયાર, TV9ના મહામંચ પર સુનિલ આંબેકરે મનની વાત કરી

TV9 ગુજરાતીના સૌથી મોટા મંચ 'થિંક ફેસ્ટ'માં આજે સમાજને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ પર દિગ્ગજો સાથે સંવાદ યોજાયો હતો. આ 'થિંક ફેસ્ટ'માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકરે પોતાના મનની વાત કરી હતી.

Breaking News : RSS ના કાર્યક્રમમાં પહોંચ્યું બોલીવુડ, સલમાન ખાનથી શિલ્પા શેટ્ટી સુધીના મોટા સેલિબ્રિટીઓ હાજર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની 100મી વર્ષગાંઠ નિમિત્તે મુંબઈમાં યોજાયેલ "સંઘ યાત્રા: ન્યૂ હોરાઇઝન્સ" કાર્યક્રમમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ ઉમટી પડી હતી. સલમાન ખાન, રણબીર કપૂર, કરણ જોહર, વિકી કૌશલ, અને અનન્યા પાંડે જેવા મોટા નામોની હાજરીએ આ કાર્યક્રમને રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બનાવ્યો હતો, જે સંઘની વિસ્તૃત પહોંચ દર્શાવે છે.

RSS ના 100 વર્ષ પર બનેલી ફિલ્મ ‘શતક’ના ટીઝરની દેશભરમાં ચર્ચા, એક્ટર અજય દેવગણે શું કહ્યું.. જુઓ

"શતક: સંઘના 100 વર્ષ" ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે, જે RSSના 100 વર્ષના પ્રવાસ, યોગદાન અને રાષ્ટ્રનિર્માણમાં ભૂમિકા દર્શાવે છે. જે ફિલ્મની આખા દેશમાં ચર્ચા છે.

આપણે માત્ર મહાસત્તા જ નહીં પણ વિશ્વ ગુરુ પણ બનવાનું છે… મોહન ભાગવતે જણાવ્યું સંઘનું મુખ્ય લક્ષ્ય

RSS વડા મોહન ભાગવતે જણાવ્યું કે ભારતે માત્ર મહાસત્તા નહીં, પણ વિશ્વ ગુરુ બનવાની જવાબદારી નિભાવવી પડશે. સનાતન ધર્મ અને હિંદુ એકતા આ માટે અનિવાર્ય છે.

સંઘની ટીકા કરનારાઓનું નામ લીધા વગર મોહન ભાગવતે આપ્યો જવાબ.. કહ્યું, સંઘ જેવું સંગઠન દેશમાં ક્યાંય નથી, જુઓ Video

આરએસએસ વડા મોહન ભાગવતે બંગાળ પ્રવાસ દરમિયાન હિન્દુ રાષ્ટ્ર, બાબરી વિવાદ અને રાજકીય સ્થિતિ પર મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે બાબરી મુદ્દાને રાજકીય લાભનું ષડયંત્ર ગણાવ્યો અને હિન્દુ એકતા પર ભાર મૂક્યો.

“હિન્દુ વિના દુનિયાનું અસ્તિત્વ નથી…” RSS વડા મોહન ભાગવતે કહ્યું – ગ્રીસ, ઇજિપ્ત અને રોમની સંસ્કૃતિઓ નકશામાંથી ગાયબ થઈ ગઈ

મોહન ભાગવતે મણિપુરમાં જણાવ્યું કે હિન્દુ સમાજ અમર છે અને ભારત સનાતન સંસ્કૃતિનું પ્રતીક છે. તેમણે કહ્યું કે હિન્દુઓ વિના વિશ્વનું અસ્તિત્વ શક્ય નથી.

પાકિસ્તાન સાથે કેવો વ્યવહાર કરવો? RSS વડા મોહન ભાગવતે જણાવી રણનીતિ..

મોહન ભાગવતે ભારત-પાક સંબંધો પર ભારપૂર્વક કહ્યું કે ભારત હંમેશા શાંતિ અને સહયોગ ઈચ્છે છે, પરંતુ પાકિસ્તાનનું શત્રુતાપૂર્ણ વલણ ચાલુ રહેશે તો યોગ્ય જવાબ અપાશે.

શું મુસ્લિમો પણ RSSની શાખામાં જોડાઈ શકે ? RSSના વડા મોહન ભાગવતે શું આપ્યો જવાબ ?

રાષ્ટ્રીય સ્વંયસેવક સંધના મૂળ ઉદ્દેશ્યને સમજાવતા, મોહન ભાગવતે કહ્યું કે, અમારી પાસે ફક્ત એક જ હેતુ છે; તે હેતુ પૂર્ણ કર્યા પછી, અમે બીજું કંઈ પણ કરવા માંગતા નથી. અમારો દ્રષ્ટિકોણ સમગ્ર હિન્દુ સમાજને એક કરવાનો છે, અને તે જ અમારું કાર્ય છે.

‘નમો માતૃભૂમિ’ થી ‘નમસ્તે સદા વત્સલે..’ કેવી રીતે બની સંઘની પ્રાર્થના… શું સંઘમાં ક્યારેય કોઈ મહિલા સરસંઘચાલક બની શકે ખરી? વાંચો

સંઘની યાત્રામાં પ્રાર્થનાની પસંદગી પણ એક મહત્વપૂર્ણ પડાવ છે. આ પ્રાર્થના સંઘની ઓળખ બની જાય છે. પરંતુ તમે કદાચ નહીં જાણતા હો કે નમસ્તે સદા વત્સલે સંઘની પહેલી પ્રાર્થના નથી. સંઘની પહેલી પ્રાર્થના હતી 'નમો માતૃભૂમિ'. તો પછી તેને શા માટે બદલવામાં આવી. બીજુ કે સંઘે તેની સ્થાપના થી જ પોતાને એક સિદ્ધાંત-આધારિત સાંસ્કૃતિક સંગઠન તરીકે રજૂ કર્યું છે, પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે: શું મહિલાઓની સંઘમાં પુરુષો જેટલી પ્રત્યક્ષ ભૂમિકા છે? શું કોઈ મહિલા ક્યારેય સંગઠનમાં સર્વોચ્ચ પદ, સરસંઘચાલક, સંભાળી શકે છે? આવો જાણીએ

રાજ્યસભાની બેઠકો માટે 50થી વધુ નામોની યાદી દિલ્હી મોકલાઈ
રાજ્યસભાની બેઠકો માટે 50થી વધુ નામોની યાદી દિલ્હી મોકલાઈ
સમગ્ર કેરળમાં આજથી બેસી ગયું નૈઋત્યનુ ચોમાસુ
સમગ્ર કેરળમાં આજથી બેસી ગયું નૈઋત્યનુ ચોમાસુ
24 કલાકમાં 424 ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઝડપાયા, જુઓ Video
24 કલાકમાં 424 ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઝડપાયા, જુઓ Video
જામકંડોણાની મહિલાની કેદારનાથમાં તબિયત લથડી
જામકંડોણાની મહિલાની કેદારનાથમાં તબિયત લથડી
પાટણમાં AC બ્લાસ્ટ થતા મહિલા પોલીસ કર્મીનું મોત ! જુઓ-Video
પાટણમાં AC બ્લાસ્ટ થતા મહિલા પોલીસ કર્મીનું મોત ! જુઓ-Video
એરફોર્સ જમીન પરના પ્રોજેક્ટમાંથી 15 લાખના લોખંડના સળિયા ચોરાયા
એરફોર્સ જમીન પરના પ્રોજેક્ટમાંથી 15 લાખના લોખંડના સળિયા ચોરાયા
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
g clip-path="url(#clip0_868_265)">