રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ ભારતનું એક હિન્દુ રાષ્ટ્રવાદી સ્વયંસેવક સંગઠન છે. તે વ્યાપકપણે ભારતીય જનતા પાર્ટીનું પિતૃ સંગઠન માનવામાં આવે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સંઘ ઉપરાંત આરએસએસ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશ્વની સૌથી મોટી સ્વૈચ્છિક સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કેશવ બલરામ હેડગેવાર દ્વારા કરવામાં આવી હતી. ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના ધ્યેય સાથે 27 સપ્ટેમ્બર 1925ના રોજ વિજયાદશમીના દિવસે આરએસએસની સ્થાપના કરવામાં આવી હતી.
આ સંસ્થા 2025માં 100 વર્ષની થઈ જશે. નાગપુરના અખાડાઓમાંથી બનેલા સંઘે, હાલમાં આધુનિક સ્વરૂપ ધારણ કર્યું છે. સંઘના પ્રથમ સરસંઘચાલક હેડગેવારે પોતાના ઘરે 17 લોકો સાથે એક પરિસંવાદમાં સંઘની રચનાની યોજના બનાવી હતી. સંઘનું નામ શું હશે, પ્રવૃતિઓ શું હશે, બધું જ સમયની સાથે ધીરે ધીરે નક્કી થયું. તે સમયે વિચાર માત્ર હિંદુઓને સંગઠિત કરવાનો હતો. 17 એપ્રિલ 1926ના રોજ સંગઠનનું નામ પણ ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ રાખવામાં આવ્યું હતું.
તે જ દિવસે હેડગેવાર સર્વસંમતિથી આરએસએસના વડા તરીકે ચૂંટાયા હતા, પરંતુ નવેમ્બર 1929માં તેમને સરસંઘચાલક બનાવવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક દાયકાઓમાં દેશના ખૂણે ખૂણે સંઘની શાખાઓ સ્થાપિત થઈ છે. હાલમાં મોહન ભાગવત સંઘ પ્રમુખની ભૂમિકા નિભાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સંઘના પ્રચારક રહી ચૂક્યા છે.
ભાગવતના આખા પરિવારનું RSS સાથે છે ખાસ કનેક્શન, જુઓ પરિવારમાં કોણ કોણ છે
મોહન મધુકર ભાગવતનો જન્મ 11 સપ્ટેમ્બર 1950ના રોજ થયો છે.2009થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના છઠ્ઠા અને વર્તમાન સરસંઘચાલક (મુખ્ય) છે, આજે આપણે RSS વડા મોહન ભાગવતના પરિવાર વિશે વાત કરીશું
- Nirupa Duva
- Updated on: Mar 9, 2026
- 6:51 am
RSS સરસંઘચાલક મોહન ભાગવતે સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી, કહ્યું ધર્મ બધાને જોડીને સાથે ચાલે છે
RSS સરસંઘચાલક મોહન ભાગવત બે દિવસીય ગુજરાત મુલાકાતે છે.વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતો સાથે મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું બધાના રસ્તાઓ અલગ છે પરંતુ જવાનું એક જગ્યાએ છે. આચરણમાં જ ધર્મ છે.
- TV9 Gujarati
- Updated on: Mar 6, 2026
- 10:22 am
What Gujarat Thinks Today : Gen Z ધર્મ અને રાષ્ટ્રવાદ સાથે દેશને આગળ લઈ જવા માટે તૈયાર, TV9ના મહામંચ પર સુનિલ આંબેકરે મનની વાત કરી
TV9 ગુજરાતીના સૌથી મોટા મંચ 'થિંક ફેસ્ટ'માં આજે સમાજને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ પર દિગ્ગજો સાથે સંવાદ યોજાયો હતો. આ 'થિંક ફેસ્ટ'માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકરે પોતાના મનની વાત કરી હતી.
- TV9 Gujarati
- Updated on: Mar 3, 2026
- 7:47 pm
Breaking News : RSS ના કાર્યક્રમમાં પહોંચ્યું બોલીવુડ, સલમાન ખાનથી શિલ્પા શેટ્ટી સુધીના મોટા સેલિબ્રિટીઓ હાજર
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની 100મી વર્ષગાંઠ નિમિત્તે મુંબઈમાં યોજાયેલ "સંઘ યાત્રા: ન્યૂ હોરાઇઝન્સ" કાર્યક્રમમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ ઉમટી પડી હતી. સલમાન ખાન, રણબીર કપૂર, કરણ જોહર, વિકી કૌશલ, અને અનન્યા પાંડે જેવા મોટા નામોની હાજરીએ આ કાર્યક્રમને રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બનાવ્યો હતો, જે સંઘની વિસ્તૃત પહોંચ દર્શાવે છે.
- Sagar Solanki
- Updated on: Feb 8, 2026
- 6:05 pm
RSS ના 100 વર્ષ પર બનેલી ફિલ્મ ‘શતક’ના ટીઝરની દેશભરમાં ચર્ચા, એક્ટર અજય દેવગણે શું કહ્યું.. જુઓ
"શતક: સંઘના 100 વર્ષ" ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે, જે RSSના 100 વર્ષના પ્રવાસ, યોગદાન અને રાષ્ટ્રનિર્માણમાં ભૂમિકા દર્શાવે છે. જે ફિલ્મની આખા દેશમાં ચર્ચા છે.
- Sagar Solanki
- Updated on: Feb 6, 2026
- 3:09 pm
આપણે માત્ર મહાસત્તા જ નહીં પણ વિશ્વ ગુરુ પણ બનવાનું છે… મોહન ભાગવતે જણાવ્યું સંઘનું મુખ્ય લક્ષ્ય
RSS વડા મોહન ભાગવતે જણાવ્યું કે ભારતે માત્ર મહાસત્તા નહીં, પણ વિશ્વ ગુરુ બનવાની જવાબદારી નિભાવવી પડશે. સનાતન ધર્મ અને હિંદુ એકતા આ માટે અનિવાર્ય છે.
- Sagar Solanki
- Updated on: Dec 28, 2025
- 8:44 pm
સંઘની ટીકા કરનારાઓનું નામ લીધા વગર મોહન ભાગવતે આપ્યો જવાબ.. કહ્યું, સંઘ જેવું સંગઠન દેશમાં ક્યાંય નથી, જુઓ Video
આરએસએસ વડા મોહન ભાગવતે બંગાળ પ્રવાસ દરમિયાન હિન્દુ રાષ્ટ્ર, બાબરી વિવાદ અને રાજકીય સ્થિતિ પર મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે બાબરી મુદ્દાને રાજકીય લાભનું ષડયંત્ર ગણાવ્યો અને હિન્દુ એકતા પર ભાર મૂક્યો.
- Sagar Solanki
- Updated on: Dec 21, 2025
- 7:19 pm
“હિન્દુ વિના દુનિયાનું અસ્તિત્વ નથી…” RSS વડા મોહન ભાગવતે કહ્યું – ગ્રીસ, ઇજિપ્ત અને રોમની સંસ્કૃતિઓ નકશામાંથી ગાયબ થઈ ગઈ
મોહન ભાગવતે મણિપુરમાં જણાવ્યું કે હિન્દુ સમાજ અમર છે અને ભારત સનાતન સંસ્કૃતિનું પ્રતીક છે. તેમણે કહ્યું કે હિન્દુઓ વિના વિશ્વનું અસ્તિત્વ શક્ય નથી.
- Sagar Solanki
- Updated on: Nov 22, 2025
- 6:36 pm
પાકિસ્તાન સાથે કેવો વ્યવહાર કરવો? RSS વડા મોહન ભાગવતે જણાવી રણનીતિ..
મોહન ભાગવતે ભારત-પાક સંબંધો પર ભારપૂર્વક કહ્યું કે ભારત હંમેશા શાંતિ અને સહયોગ ઈચ્છે છે, પરંતુ પાકિસ્તાનનું શત્રુતાપૂર્ણ વલણ ચાલુ રહેશે તો યોગ્ય જવાબ અપાશે.
- Sagar Solanki
- Updated on: Nov 9, 2025
- 9:05 pm
શું મુસ્લિમો પણ RSSની શાખામાં જોડાઈ શકે ? RSSના વડા મોહન ભાગવતે શું આપ્યો જવાબ ?
રાષ્ટ્રીય સ્વંયસેવક સંધના મૂળ ઉદ્દેશ્યને સમજાવતા, મોહન ભાગવતે કહ્યું કે, અમારી પાસે ફક્ત એક જ હેતુ છે; તે હેતુ પૂર્ણ કર્યા પછી, અમે બીજું કંઈ પણ કરવા માંગતા નથી. અમારો દ્રષ્ટિકોણ સમગ્ર હિન્દુ સમાજને એક કરવાનો છે, અને તે જ અમારું કાર્ય છે.
- TV9 Gujarati
- Updated on: Nov 9, 2025
- 2:38 pm
‘નમો માતૃભૂમિ’ થી ‘નમસ્તે સદા વત્સલે..’ કેવી રીતે બની સંઘની પ્રાર્થના… શું સંઘમાં ક્યારેય કોઈ મહિલા સરસંઘચાલક બની શકે ખરી? વાંચો
સંઘની યાત્રામાં પ્રાર્થનાની પસંદગી પણ એક મહત્વપૂર્ણ પડાવ છે. આ પ્રાર્થના સંઘની ઓળખ બની જાય છે. પરંતુ તમે કદાચ નહીં જાણતા હો કે નમસ્તે સદા વત્સલે સંઘની પહેલી પ્રાર્થના નથી. સંઘની પહેલી પ્રાર્થના હતી 'નમો માતૃભૂમિ'. તો પછી તેને શા માટે બદલવામાં આવી. બીજુ કે સંઘે તેની સ્થાપના થી જ પોતાને એક સિદ્ધાંત-આધારિત સાંસ્કૃતિક સંગઠન તરીકે રજૂ કર્યું છે, પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે: શું મહિલાઓની સંઘમાં પુરુષો જેટલી પ્રત્યક્ષ ભૂમિકા છે? શું કોઈ મહિલા ક્યારેય સંગઠનમાં સર્વોચ્ચ પદ, સરસંઘચાલક, સંભાળી શકે છે? આવો જાણીએ
- Mina Pandya
- Updated on: Oct 5, 2025
- 4:21 pm
પહેલગામ આતંકી હુમલો-ઓપરેશન સિંદૂર બાદ ભારતના કોણ દુશ્મન અને કોણ મિત્ર તે જોવુ પડશે: મોહન ભાગવત
અમેરિકાએ લાદેલ ટેરિફનો ઉલ્લેખ કરીને મોહન ભાગવતે કહ્યું કે, દેશ હિત જાળવવામાં નિર્ભળતા, મજબૂરીમાં ના ફેરવાય તે જોવુ જરૂરી છે. સ્વદેશી અને સ્વાવલંબનનો કોઈ પર્યાય નથી. આત્મનિર્ભર બનવું પડશે. આતંરરાષ્ટ્રીય સંબંધો જાળવી પણ રાખવા પડશે તેમ તેમણે કહ્યું હતું.
- TV9 Gujarati
- Updated on: Oct 2, 2025
- 10:03 am
‘પહેલી વાર ચલણ પર ભારત માતાનું ચિત્ર’, PM મોદીએ RSSના કાર્યક્રમમાં ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડ્યો
RSS ની શતાબ્દી નિમિત્તે દિલ્હીમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100 રૂપિયાનો સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પીએમ મોદી મુખ્ય અતિથિ હતા. સભાને સંબોધતા તેમણે સિક્કા અને ટપાલ ટિકિટની અનોખી વિશેષતાઓ સમજાવી.
- Meera Kansagara
- Updated on: Oct 1, 2025
- 2:01 pm
“ભારતના વધતા કદથી દુનિયાના અનેક દેશો ભયભીત”… અમેરિકાના ટેરિફ લગાવવા પાછળ મોહન ભાગવતે આપ્યુ આ કારણ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના પ્રમુખ મોહન ભાગવતે અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા ટેરિફ પર મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ છે કે અમેરિકાએ ભારત પર ટેરિફ શા માટે લગાવ્યો સંઘ પ્રમુખ મોહન ભાગવતે અમેરિકા દ્વારા પાકિસ્તાનને પુચકારવાની નીતિની પણ કડક ટીકા કરી છે.
- Mina Pandya
- Updated on: Sep 12, 2025
- 4:21 pm
‘ઓપરેશન સિંદૂર’ના નામની રંગોળી ભારે પડી, થયો વિવાદ અને 27 RSS કાર્યકરો સામે થશે ‘કાયદેસર કાર્યવાહી’
'ઓપરેશન સિંદૂર' નામની રંગોળીથી ગંભીર વિવાદ સર્જાયો છે. આ મામલે પોલીસે 27 RSS કાર્યકરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણો આખરે શું છે આ સમગ્ર મામલો...
- Ravi Prajapati
- Updated on: Sep 7, 2025
- 7:02 pm