
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ ભારતનું એક હિન્દુ રાષ્ટ્રવાદી સ્વયંસેવક સંગઠન છે. તે વ્યાપકપણે ભારતીય જનતા પાર્ટીનું પિતૃ સંગઠન માનવામાં આવે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સંઘ ઉપરાંત આરએસએસ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશ્વની સૌથી મોટી સ્વૈચ્છિક સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કેશવ બલરામ હેડગેવાર દ્વારા કરવામાં આવી હતી. ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના ધ્યેય સાથે 27 સપ્ટેમ્બર 1925ના રોજ વિજયાદશમીના દિવસે આરએસએસની સ્થાપના કરવામાં આવી હતી.
આ સંસ્થા 2025માં 100 વર્ષની થઈ જશે. નાગપુરના અખાડાઓમાંથી બનેલા સંઘે, હાલમાં આધુનિક સ્વરૂપ ધારણ કર્યું છે. સંઘના પ્રથમ સરસંઘચાલક હેડગેવારે પોતાના ઘરે 17 લોકો સાથે એક પરિસંવાદમાં સંઘની રચનાની યોજના બનાવી હતી. સંઘનું નામ શું હશે, પ્રવૃતિઓ શું હશે, બધું જ સમયની સાથે ધીરે ધીરે નક્કી થયું. તે સમયે વિચાર માત્ર હિંદુઓને સંગઠિત કરવાનો હતો. 17 એપ્રિલ 1926ના રોજ સંગઠનનું નામ પણ ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ રાખવામાં આવ્યું હતું.
તે જ દિવસે હેડગેવાર સર્વસંમતિથી આરએસએસના વડા તરીકે ચૂંટાયા હતા, પરંતુ નવેમ્બર 1929માં તેમને સરસંઘચાલક બનાવવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક દાયકાઓમાં દેશના ખૂણે ખૂણે સંઘની શાખાઓ સ્થાપિત થઈ છે. હાલમાં મોહન ભાગવત સંઘ પ્રમુખની ભૂમિકા નિભાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સંઘના પ્રચારક રહી ચૂક્યા છે.
મોદીના આગામી ઉત્તરાધિકારી મહારાષ્ટ્રમાંથી હશે… મોદીની RSS મુખ્યાલયની મુલાકાત પર સંજય રાઉતનો મોટો દાવો
વડા પ્રધાન મોદીએ નાગપુરમાં RSS સ્થાપકોને શ્રદ્ધાંજલિ આપી અને મોહન ભાગવતને મળ્યા. તેમની મુલાકાત પછી, શિવસેના (UBT) નેતા સંજય રાઉતે દાવો કર્યો કે પીએમ મોદી સપ્ટેમ્બરમાં નિવૃત્ત થશે. રાઉતે દાવો કર્યો હતો કે સંઘ આગામી પીએમ અને ભાજપ પ્રમુખની પસંદગી કરશે.
- Sagar Solanki
- Updated on: Mar 31, 2025
- 3:31 pm
જ્યાં સેવા ત્યાં સંઘના સ્વયંસેવકો.. RSS એ ભારતની અમર સંસ્કૃતિનું અક્ષયવટ છે: PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે, જ્યાં સેવા છે ત્યાં સ્વયંસેવકો છે. સંઘના સ્વયંસેવકો નિઃસ્વાર્થપણે કામ કરતા રહે છે. ગુલામીના સમયગાળા દરમિયાન ડૉક્ટર સાહેબ અને ગુરુજીએ નવા વિચારો આપ્યા. આજે RSS એક મહાન વડના વૃક્ષ તરીકે વિશ્વ સમક્ષ હાજર છે. આ કોઈ સામાન્ય વડનું ઝાડ નથી પણ ભારતની અમર સંસ્કૃતિનું અક્ષયવટ વૃક્ષ છે.
- Meera Kansagara
- Updated on: Mar 31, 2025
- 7:24 am
સંઘના 2 મજબૂત સ્તંભ…, પીએમ મોદીએ RSS મુખ્યાલયમાં હેડગેવાર-ગોલવલકરને આ રીતે યાદ કર્યા
સ્મારક પર શ્રદ્ધાંજલિ આપ્યા પછી, પીએમ મોદી, રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના જૂના કાર્યકરોને મળ્યા અને તેમના જૂના દિવસોને યાદ કર્યા અને કહ્યું કે આજનો દિવસ મારા માટે ખૂબ જ ખાસ છે. આજે નવા વર્ષ પર અહીં આવવું એ એક લહાવો છે. આ સાથે તેમણે એક સંદેશ પણ લખ્યો હતો.
- TV9 Gujarati
- Updated on: Mar 30, 2025
- 12:19 pm
Nagpur: પીએમ મોદી નાગપુરમાં RSS હેડ ક્વાટર્સ પહોચ્યા, મોહન ભાગવતને મળ્યાં, હેડગેવાર-ગોલવલકરને અર્પી શ્રદ્ધાંજલિ
પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી, પહેલી વાર નાગપુર સ્થિત RSS મુખ્યાલયની મુલાકાત લીધી. અટલ બિહારી વાજપેયી જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે સંઘના મુખ્યાલયની મુલાકાત લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે RSS શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આ સમય દરમિયાન, વડા પ્રધાન મોદીની ડૉક્ટર હેડગેવાર સ્મૃતિ મંદિરની મુલાકાત સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની શકે છે.
- TV9 Gujarati
- Updated on: Mar 30, 2025
- 9:27 am
WITT : કેટલાક લોકો આક્રમણકારોની મહિમા ગાવામાં લાગેલા છે, તેથી આક્રોશ, RSS નેતા સુનીલ આંબેકરે ઔરંગઝેબ વિવાદ પર વાત કરી
RSSના સુનીલ આંબેકરે ઔરંગઝેબના મહિમાની નિંદા કરી છે અને તેમને આક્રમણખોર ગણાવ્યા છે. તેમણે કહ્યું કે કોઈપણ હુમલાખોરના વખાણ કરવાથી સમાજમાં તણાવ પેદા થાય છે. આંબેકરે ઔરંગઝેબ પરની ચર્ચાને ખોટી ગણાવી અને લોકોને છત્રપતિ શિવાજી મહારાજ અને સંભાજી મહારાજ જેવા દેશભક્તો પર ધ્યાન કેન્દ્રિત કરવા હાકલ કરી.
- TV9 Gujarati
- Updated on: Mar 29, 2025
- 12:38 pm
TV9 નેટવર્કનું WITT મહામંચ ફરી સજવા તૈયાર, PM મોદી અને અન્ય પ્રતિષ્ઠિત હસ્તીઓ રહેશે હાજર
'વોટ ઇન્ડિયા થિંક્સ ટુડે (WITT) 2025' નું આ ભવ્ય પ્લેટફોર્મ દિલ્હીના પ્રખ્યાત ભારત મંડપમ ખાતે આયોજિત કરવામાં આવશે. 2 દિવસીય WITT ઇવેન્ટ 28 અને 29 માર્ચના રોજ યોજાશે. TV9 નેટવર્કના આ વાર્ષિક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત 11 કેન્દ્રીય મંત્રીઓ અને 5 મુખ્યમંત્રીઓ પણ ભાગ લેશે. ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પણ આ ભવ્ય મંચ પર ઉપસ્થિત રહેશે.
- Sagar Solanki
- Updated on: Mar 25, 2025
- 11:48 pm
ગુજરાતમાં વધ્યો RSSનો પ્રભાવ, રોજ મળતી સંઘની શાખામાં થયો નોંધપાત્ર વધારો – Video
ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની શાખાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. માર્ચ 2024થી માર્ચ 2025 દરમિયાન શાખાઓની સંખ્યા 1588 થી વધીને 1747 થઈ છે.
- TV9 Gujarati
- Updated on: Mar 24, 2025
- 5:52 pm
મુઘલો સામે પણ લડવામાં આવી હતી સ્વતંત્રતાની લડાઈ, ઔરંગઝેબ વિવાદ મુદ્દે RSSની સત્તાવાર પ્રતિક્રિયા
RSSના મહાસચિવ દત્તાત્રેય હોસાબલેએ કહ્યું કે, લોકો ઔરંગઝેબના ભાઈ દારા શિકોહને પોતાનું પ્રતિક કેમ નથી માનતા ? દિલ્હીના રસ્તાનું નામ દારા શિકોહના નામ પર નહીં, પણ ઔરંગઝેબના નામ પર કેમ રાખવામાં આવ્યું ?
- TV9 Gujarati
- Updated on: Mar 23, 2025
- 2:30 pm
ઔરંગઝેબ મુદ્દે નાગપુરમાં તોફાન બાદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આપ્યું મોટું નિવેદન
હાલ સમગ્ર દેશમાં ઔરંગઝેબને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન, મુઘલ બાદશાહની કબર અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. એક પ્રેસ કોન્ફરન્સમાં, અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકરને પૂછવામાં આવ્યું કે શું ઔરંગઝેબ આજે પણ પ્રાસંગિક છે ? તો આના પર તેમણે જવાબ આપ્યો હતો.
- TV9 Gujarati
- Updated on: Mar 19, 2025
- 3:48 pm
RSS ના નવા કેશવ કુંજ કાર્યાલયનું ઉદ્ઘાટન, જુઓ Video
19 ફેબ્રુઆરી, 2025 ના રોજ દિલ્હીના જાંડેવાલાન ખાતે RSSના નવા કેશવ કુંજ કાર્યાલયનું ઉદ્ઘાટન થયું. ડો. મોહન ભાગવતે ભારતને વિશ્વગુરુ બનાવવાના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો.
- Sagar Solanki
- Updated on: Feb 19, 2025
- 10:28 pm
મોહન ભાગવતે શ્રીમદ્ રાજચંદ્ર મિશન અને શ્રી સદગુરુધામ, બરૂમાળ, ધરમપુરની લીધી મુલાકાત, જુઓ Photos
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે ધરમપુર ખાતે શ્રીમદ્ રાજચંદ્ર મિશન અને શ્રી સદગુરુધામની મુલાકાત લીધી. તેમણે શ્રીમદ રાજચંદ્રજીની પ્રતિમાના દર્શન કર્યા અને શ્રીમદ રાજચંદ્ર વેટરનરી કોલેજનું શિલાન્યાસ કર્યું.
- Sagar Solanki
- Updated on: Jan 2, 2025
- 10:54 pm
મંદિર મસ્જિદ જેવા વિવાદાસ્પદ મુદ્દાઓને લઈને કેટલાક લોકો હિન્દુઓના નેતા બનવા માગે છેઃ મોહન ભાગવત
પુણેમાં હિન્દુ સેવા મહોત્સવ ચાલી રહ્યો છે. જે 22 ડિસેમ્બર સુધી ચાલશે. આરએસએસના વડા ડો. મોહન ભાગવતે ઉત્સવનુ ઉદ્ઘાટન કર્યા બાદ સંબોધન કર્યું હતું, જેમાં તેમણે માનવતા અને વિશ્વ શાંતિના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે તહેવારનો હેતુ હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર કરવાનો છે.
- TV9 Gujarati
- Updated on: Dec 20, 2024
- 8:27 am
હિંદુઓએ પ્રદેશ, ભાષા અને જાતિને બાજુ પર રાખીને એક થવું પડશે : મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે રાજસ્થાનમાં 'સ્વયંસેવક એકત્રીકરણ' કાર્યક્રમને સંબોધતા કહ્યું, ભારત હિન્દુ રાષ્ટ્ર છે. હિંદુ સમાજે ભાષા, જાતિ અને પ્રાદેશિક વિવાદોને ખતમ કરીને પોતાની સુરક્ષા માટે એક થવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે, હિંદુઓ દરેકને પોતાના માને છે અને દરેકને ગળે લગાવે છે.
- TV9 Gujarati
- Updated on: Oct 6, 2024
- 2:08 pm
સંઘ વિના કશું કરી શકાતું નથી… RSSએ કેરળમાં ભાજપ માટે મેદાન કેવી રીતે તૈયાર કર્યું
RSS પ્રેરિત 32 સંસ્થાઓના પ્રતિનિધિઓએ કેરળના પલક્કડમાં ત્રણ દિવસીય સંકલન બેઠકમાં ભાગ લીધો હતો. સંઘની આ બેઠક કેરળના પલક્કડ જિલ્લામાં થઈ હતી. પલક્કડ એ જ જિલ્લો છે જ્યાં 2022માં ભાજપે મ્યુનિસિપલ ચૂંટણી જીતી હતી. સંઘ 5 હજારથી વધુ શાખાઓ સાથે દરેક ગામમાં પહોંચ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Sep 4, 2024
- 7:47 am
રાજકીય પક્ષો સમાજને જાતિઓમાં વહેંચે છે, RSS બધાને સાથે જોડી રાખે છે : મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની કેરળમાં યોજાઈ રહેલ સંકલન બેઠકમાં સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે, રાજકીય લોકોનું કામ સમાજને જ્ઞાતિઓમાં વહેંચવાનું અને તેના કારણે સર્જાયેલી પરિસ્થિતિનો રાજકીય લાભ ઉઠાવવાનું છે, આ માટે તેઓ વિવિધ યુક્તિઓ અપનાવે છે, પરંતુ આપણે બધાને સાથે લઈને ચાલવાનું છે. સંઘની વિચારસરણીના આધારે છે. સામાજિક સમરસતા જાળવવી એ આપણી ફરજ છે.
- TV9 Gujarati
- Updated on: Sep 2, 2024
- 2:30 pm