AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ ભારતનું એક હિન્દુ રાષ્ટ્રવાદી સ્વયંસેવક સંગઠન છે. તે વ્યાપકપણે ભારતીય જનતા પાર્ટીનું પિતૃ સંગઠન માનવામાં આવે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સંઘ ઉપરાંત આરએસએસ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશ્વની સૌથી મોટી સ્વૈચ્છિક સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કેશવ બલરામ હેડગેવાર દ્વારા કરવામાં આવી હતી. ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના ધ્યેય સાથે 27 સપ્ટેમ્બર 1925ના રોજ વિજયાદશમીના દિવસે આરએસએસની સ્થાપના કરવામાં આવી હતી.

આ સંસ્થા 2025માં 100 વર્ષની થઈ જશે. નાગપુરના અખાડાઓમાંથી બનેલા સંઘે, હાલમાં આધુનિક સ્વરૂપ ધારણ કર્યું છે. સંઘના પ્રથમ સરસંઘચાલક હેડગેવારે પોતાના ઘરે 17 લોકો સાથે એક પરિસંવાદમાં સંઘની રચનાની યોજના બનાવી હતી. સંઘનું નામ શું હશે, પ્રવૃતિઓ શું હશે, બધું જ સમયની સાથે ધીરે ધીરે નક્કી થયું. તે સમયે વિચાર માત્ર હિંદુઓને સંગઠિત કરવાનો હતો. 17 એપ્રિલ 1926ના રોજ સંગઠનનું નામ પણ ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ રાખવામાં આવ્યું હતું.

તે જ દિવસે હેડગેવાર સર્વસંમતિથી આરએસએસના વડા તરીકે ચૂંટાયા હતા, પરંતુ નવેમ્બર 1929માં તેમને સરસંઘચાલક બનાવવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક દાયકાઓમાં દેશના ખૂણે ખૂણે સંઘની શાખાઓ સ્થાપિત થઈ છે. હાલમાં મોહન ભાગવત સંઘ પ્રમુખની ભૂમિકા નિભાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સંઘના પ્રચારક રહી ચૂક્યા છે.

Read More

ભારતમાં મુસ્લિમો ના હોવા જોઈએ તેવુ વિચારનાર હિન્દુ ના હોઈ શકેઃ ન્યૂયોર્કમાં ‘યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન’માં બોલ્યા મોહન ભાગવત

આરએસએસના વડા મોહન ભાગવતે અમેરિકાના ન્યૂ યોર્કમાં 'યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન'માં હાજરી આપી હતી. તેમણે વિવિધ રાષ્ટ્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર અનેક મુદ્દે વાત કરી હતી અને તમામ ધર્મોના લોકો સાથે મળીને આગળ વધવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

USAના મેડિસન સ્ક્વેર ખાતે આરએસએસ વડા મોહન ભાગવતનુ સંબોધન-એકતા અને વિવિધતા ભારતના ડીએનએમાં છે

આરએસએસ વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે ભારતનું મિશન વિશ્વને વિવિધતામાં એકતાના ખ્યાલને સાકાર કરવાનું છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે વિદેશમાં રહેતા ભારતીયો ભારત દ્વારા તેમનામાં સ્થાપિત મૂલ્યોને જાળવી રાખશે.

Breaking News : Gujarat Election 2027 ને લઈ RSS અને સરકારની સંકલન બેઠક, અનેક મુદ્દાઓ પર મંથન, જુઓ Video

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027 પૂર્વે RSS અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ છે. બે દિવસીય આ બેઠકમાં RSS અને ભગિની સંસ્થાઓના આગેવાનો, ઉપરાંત મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RSS વડા મોહન ભાગવતનું Gen-Z પર મોટું નિવેદન, કહ્યું, યુવાશક્તિ ભારતનું ડેમોગ્રાફિક ડિવિડન્ડ, જુઓ Video

RSS વડા મોહન ભાગવતે 80મા સ્વતંત્રતા દિવસે Gen-Z અને યુવાનોને ભારતનું ડેમોગ્રાફિક ડિવિડન્ડ ગણાવ્યા છે. તેમણે જણાવ્યું કે જો યુવાશક્તિને યોગ્ય દિશા મળે તો તે દેશ માટે મોટી તાકાત બની શકે છે, અન્યથા સમાજ પર બોજ બની જશે.

વિરોધ કરવો એ રાજદ્રોહ નથી, પરંતુ બંધારણની મર્યાદામાં થવો જોઈએ, Gen Z અંગે મોહન ભાગવતનું મોટું નિવેદન

મોહન ભાગવતે કહ્યું કે Gen Zનો વિરોધ રાજદ્રોહ નથી, લોકશાહીમાં બંધારણીય મર્યાદામાં વિરોધ કરવાનો અધિકાર છે. તેમણે Gen Zની તાર્કિક વિચારસરણીને સકારાત્મક ગણાવી.

રામ ભક્તોની શ્રદ્ધાને ઠેસ પહોંચી, દોષીને કડક સજા થાય, હિન્દુ સમાજ ધીરજ રાખેઃ રામમંદિરના દાનની ચોરી અંગે RSS નુ નિવેદન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના મહામંત્રી દત્તાત્રેય હોસબોલેએ, રામ મંદિરમાં ભક્તો દ્વારા આવેલા દાનની ચોરીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તેમણે કહ્યું કે, આ ઘટનાથી રામ ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. હોસબોલેએ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા, મંદિર વ્યવસ્થાપનમાં પારદર્શિતા અને યોગ્ય નાણાકીય વ્યવસ્થાની ખાતરીની માંગ કરી છે. તેમણે હિન્દુ સમુદાયને આ મુશ્કેલ સમયમાં જરૂરી ધીરજ અને સંયમ જાળવવા આગ્રહ કર્યો છે.

“ભારત પહેલેથી હિંદુ રાષ્ટ્ર છે એ વાસ્તવિક્તા છે, તો ઘોષિત કરવાની જરૂર નથી…” – મોહન ભાગવત

RSS વડા મોહન ભાગવતે કહ્યુ કે દેશના નેતૃત્વની ઈચ્છાશક્તિ, પ્રતિબદ્ધતા અને જનસમર્થન ના કારણે રામ મંદિર બન્યુ છે. તેમમએ કહ્યુ કે જે લોકો પહેલેથી ભારતનો મજાક ઉઠાવતા હતા, તેઓ પણ તેને હિંદુઓની ભૂમિ કહેવા લાગ્યા છે.

Breaking News: એક સમયે જે લોકો હસતા હતા… તેઓ હવે હિન્દુસ્તાનને હિન્દુઓની ભૂમિ કહે છે: મોહન ભાગવત

ડૉ. હેડગેવાર મેમોરિયલ કમિટી, નાગપુર દ્વારા શ્રી રામ જન્મભૂમિ ખાતે ભવ્ય મંદિરના નિર્માણમાં યોગદાન આપનારાઓનું સન્માન કરવા માટે એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. RSS વડા મોહન ભાગવતે કહ્યું કે મંદિર ભગવાન રામની ઇચ્છાથી બનાવવામાં આવ્યું છે.

દિલ્હીમાં RSS વડા મોહન ભાગવતના હસ્તે માય હોમ ઇન્ડસ્ટ્રીઝના MDનું વિશેષ સન્માન

દિલ્હીમાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે માય હોમ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર જુપલ્લી રણજીત રાવનું સન્માન કર્યું હતું. સંસ્કૃત ભારતીના નવા કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સહિત અનેક અગ્રણી ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.

બધાને એક કરીને યુદ્ધ રોકાવવાની ભારત પાસે તાકાત છે : મોહન ભાગવત

મોહન ભાગવતે એમ પણ કહ્યું કે, આજે વિશ્વ વિનાશ તરફ જઈ રહ્યું હોય તેવું લાગે છે. હાલમાં ચાલી રહેલા વૈશ્વિક સંઘર્ષો વચ્ચે, એક અલગ અવાજ ઉભરી રહ્યો છે. જે સૂચવે છે કે, ભારત એક એવું રાષ્ટ્ર છે જે તમામને રોકવા માટે સક્ષમ છે.

ભાગવતના આખા પરિવારનું RSS સાથે છે ખાસ કનેક્શન, જુઓ પરિવારમાં કોણ કોણ છે

મોહન મધુકર ભાગવતનો જન્મ 11 સપ્ટેમ્બર 1950ના રોજ થયો છે.2009થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના છઠ્ઠા અને વર્તમાન સરસંઘચાલક (મુખ્ય) છે, આજે આપણે RSS વડા મોહન ભાગવતના પરિવાર વિશે વાત કરીશું

RSS સરસંઘચાલક મોહન ભાગવતે સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી, કહ્યું ધર્મ બધાને જોડીને સાથે ચાલે છે

RSS સરસંઘચાલક મોહન ભાગવત બે દિવસીય ગુજરાત મુલાકાતે છે.વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતો સાથે મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું બધાના રસ્તાઓ અલગ છે પરંતુ જવાનું એક જગ્યાએ છે. આચરણમાં જ ધર્મ છે.

What Gujarat Thinks Today : Gen Z ધર્મ અને રાષ્ટ્રવાદ સાથે દેશને આગળ લઈ જવા માટે તૈયાર, TV9ના મહામંચ પર સુનિલ આંબેકરે મનની વાત કરી

TV9 ગુજરાતીના સૌથી મોટા મંચ 'થિંક ફેસ્ટ'માં આજે સમાજને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ પર દિગ્ગજો સાથે સંવાદ યોજાયો હતો. આ 'થિંક ફેસ્ટ'માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકરે પોતાના મનની વાત કરી હતી.

Breaking News : RSS ના કાર્યક્રમમાં પહોંચ્યું બોલીવુડ, સલમાન ખાનથી શિલ્પા શેટ્ટી સુધીના મોટા સેલિબ્રિટીઓ હાજર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની 100મી વર્ષગાંઠ નિમિત્તે મુંબઈમાં યોજાયેલ "સંઘ યાત્રા: ન્યૂ હોરાઇઝન્સ" કાર્યક્રમમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ ઉમટી પડી હતી. સલમાન ખાન, રણબીર કપૂર, કરણ જોહર, વિકી કૌશલ, અને અનન્યા પાંડે જેવા મોટા નામોની હાજરીએ આ કાર્યક્રમને રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બનાવ્યો હતો, જે સંઘની વિસ્તૃત પહોંચ દર્શાવે છે.

RSS ના 100 વર્ષ પર બનેલી ફિલ્મ ‘શતક’ના ટીઝરની દેશભરમાં ચર્ચા, એક્ટર અજય દેવગણે શું કહ્યું.. જુઓ

"શતક: સંઘના 100 વર્ષ" ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે, જે RSSના 100 વર્ષના પ્રવાસ, યોગદાન અને રાષ્ટ્રનિર્માણમાં ભૂમિકા દર્શાવે છે. જે ફિલ્મની આખા દેશમાં ચર્ચા છે.

સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">