AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FASTag વાર્ષિક પાસ કઢાવતી વખતે આ બાબતનુ રાખજો ધ્યાન નહીં તો લાભથી વંચિત રહેવું પડશે

FASTag વાર્ષિક પાસ સિસ્ટમ આજે 15 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. લોકો આજથી 3,000 રૂપિયામાં FASTag વાર્ષિક પાસ ખરીદી શકશે, પરંતુ ખરીદતા પહેલા કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડશે, તો જ તમને તેનો સંપૂર્ણ લાભ મળશે.

FASTag વાર્ષિક પાસ કઢાવતી વખતે આ બાબતનુ રાખજો ધ્યાન નહીં તો લાભથી વંચિત રહેવું પડશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2025 | 3:07 PM
Share

માર્ગ અને પરિવહન મંત્રાલય, આજે 15 ઓગસ્ટથી દેશમાં નવી વાર્ષિક FASTag પાસ સિસ્ટમ શરૂ કરી રહ્યું છે. આ પાસનો હેતુ દેશભરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસવે પર ટોલ ખર્ચ ઘટાડીને લોકોને સુવિધા પૂરી પાડવાનો છે. લોકો આજે 15 ઓગસ્ટથી FASTag વાર્ષિક પાસ ખરીદી શકશે અને તેનો લાભ લઈ શકશે, પરંતુ કેટલીક બાબતો એવી છે જે પાસ ખરીદતા પહેલા ધ્યાનમાં રાખવાની રહેશે.

પાસ ખરીદતા લોકોએ એક વાર 3,000 રૂપિયા ચૂકવવા પડશે. આ પછી, તેઓ 200 વખત અથવા એક વર્ષ માટે ટોલ પ્લાઝા પાર કરી શકશે. આ પાસને કારણે, ટોલ દીઠ સરેરાશ ટોલ ખર્ચ ઘટીને રૂપિયા 15 થઈ જશે. જે અત્યાર સુધી મુસાફરી દરમિયાન 50 રૂપિયાથી વધુ છે. જો આપણે 50 રૂપિયાનો વિચાર કરીએ, તો 200 વાર ટોલ પ્લાઝા પાર કરવા માટે 10,000 રૂપિયા ચૂકવવામાં આવે. પરંતુ આ પાસનો ખર્ચ ફક્ત 3,000 રૂપિયા થશે. એટલે કે, તેનાથી સીધા 7000 રૂપિયાની બચત થઈ શકશે.

FASTag વાર્ષિક પાસ ખરીદનારે આ બાબતો ધ્યાનમાં રાખવી પડશે

  1.  ફક્ત ખાનગી વાહન માલિકો જ ફાસ્ટેગ વાર્ષિક પાસ ખરીદી શકશે. જેમ કે જેમની પાસે જીપ, કાર અથવા વાન જેવા વાહનો છે. આ સિવાય બસ, ટ્રક અથવા અન્ય ટેક્સી માલિકોને આ સુવિધા મળશે નહીં.
  2.  બીજી વાત એ છે કે આ પાસનો ઉપયોગ માત્ર એ જ વાહન માટે થઈ શકશે, જેના માટે તે લેવામાં આવ્યો હોય. એટલે કે, તેને ટ્રાન્સફર કરી શકાશે નહીં. આ પાસ ફક્ત એક જ નોંધાયેલ વાહન માટે માન્ય રહેશે.
  3.  ત્રીજી વાત એ છે કે, આ વાર્ષિક પાસ ફક્ત NHAI અથવા રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયના રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસવે પર જ લાગુ પડશે. જોકે, રાજ્ય અથવા મ્યુનિસિપલ સંસ્થાઓના રસ્તાઓ પર ટોલ અલગથી ચૂકવવો પડશે. રાજ્ય હસ્તકના એક્સપ્રેસવે અને ધોરીમાર્ગોનો આમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.
  4. આ વાર્ષિક પાસ ખરીદ્યા પછી પરત કરી શકાતો નથી. તે રિફંડનેપાત્ર નથી, એટલે કે એકવાર ખરીદ્યા પછી તેના પૈસા પાછા મેળવવાનો કોઈ વિકલ્પ નથી. જ્યારે પાસની માન્યતા સમાપ્ત થાય છે, ત્યારે તમારે ફરીથી ચૂકવણી કરીને નવો પાસ ખરીદવો પડશે.

પાસ કેવી રીતે ખરીદવો

પાસ ખરીદવા માટે, તમારે તમારા વાહન નંબર અને FASTag ID નો ઉપયોગ કરીને હાઇવે ટ્રાવેલ એપ્લિકેશન અથવા NHAI અથવા MoRTH વેબસાઇટ પર લોગ ઇન કરવું પડશે. ખાતરી કરો કે FASTag સક્રિય છે અને યોગ્ય રીતે ઇન્સ્ટોલ કરેલું છે. તમે UPI, ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા રૂપિયા 3,000 ઓનલાઈન ચૂકવી શકો છો.

FASTag ને લગતા તમામ સમચાર જાણવા માટે આપ અહીંયા ક્લિક કરો.

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">