એનડીએ

એનડીએ

નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) જેને રાષ્ટ્રીય જનતાંત્રીક ગઠબંધન તરીકે પણ ઓળખવમાં આવે છે. એનડીએ એ ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળનુંરાજકીય પક્ષોનું જોડાણ છે. એનડીએની રચના 1998 માં કરવામાં આવી હતી અને હાલમાં તે ભારત સરકાર તેમજ 17 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની સરકાર ધરાવે છે.

એનડીએના પ્રથમ અધ્યક્ષ ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી હતા. ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન એલ.કે. અડવાણીએ 2004માં એનડીએનું અધ્યક્ષનું પદ સંભાળ્યું હતું અને 2014 સુધી સેવા આપી હતી. તેમના બાદ અમિત શાહ 2014થી એનડીએના અધ્યક્ષ છે. એનડીએના ગઠબંધને 1998 થી 2004 સુધી કેન્દ્રમાં શાસન કર્યું હતું. 2014ની સામાન્ય ચૂંટણીઓમાં ગઠબંધન સત્તામાં પાછું આવ્યું હતું. એ સમયે 38.5 % નો સંયુક્ત મત હિસ્સો હતો. એનડીએના નેતા નરેન્દ્ર મોદીએ 26 મે 2014ના રોજ ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. 2019ની સામાન્ય ચૂંટણીમાં, ગઠબંધન 45.43 %ના સંયુક્ત વોટ શેર સાથે તેની સંખ્યા વધારીને 353 બેઠકો સુધી પહોંચાડી હતી.

Read More

પીએમ મોદી અને રાહુલ ગાંધીને ચૂંટણી પંચે ફટકારી નોટિસ, 29 એપ્રિલ સુધીમાં માંગ્યો જવાબ

કેન્દ્રીય ચૂંટણી પંચે, આજે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નેતા રાહુલ ગાંધીને તેમના ભાષણોમાં બોલાયેલા શબ્દોને લઈને નોટિસ ફટકારી છે. પંચે ભાજપ અને કોંગ્રેસ અધ્યક્ષ પાસેથી, આગામી 29મી એપ્રિલ સુધીમાં જવાબ માંગ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના નેતાઓ પર ધર્મ, જાતિ, સમુદાય અથવા ભાષાના આધારે નફરત અને ભાગલા પાડવાનો આરોપ છે.

Election 2nd Phase : 13 રાજ્યોની 88 બેઠકો પર પ્રચાર થયો બંધ, રાહુલ ગાંધી, હેમામાલિની, શશિ થરૂર, અરુણ ગોવિલની પ્રતિષ્ઠા દાવ પર

બીજા તબક્કામાં વાયનાડથી પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, મથુરાથી હેમા માલિની અને મેરઠથી અરુણ ગોવિલ મેદાનમાં છે. શશિ થરૂર તિરુવનંતપુરમથી કેન્દ્રીય મંત્રી ચંદ્રશેખર સામે ચૂંટણી લડી રહ્યા છે. જમ્મુ લોકસભા સીટ પરથી ભાજપના જુગલ કિશોર કોંગ્રેસના રમણ ભલ્લા સામે ચૂંટણી લડી રહ્યા છે.

પહેલા તબક્કાની ચૂંટણી માટે પ્રચારના પડઘમ શાંત, જાણો કયા રાજ્યમાં કઈ કઈ બેઠક પર 19 એપ્રિલે થશે મતદાન

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણી માટેના પ્રચાર પડઘમ આજે બુધવારે સાંજે શાંત થઈ ગયા છે. 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવેલ 102 બેઠક પર કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે 19 એપ્રિલે મતદાન થશે.

નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાહુલ ગાંધીથી લઈને યુસુફ પઠાણ સુધીના VVIP ઉમેદવારોને કેટલા મળશે વોટ, જાણો

PEOPLE’S INSIGHT, POLSTRAT અને TV9એ ફાઈનલ ઓપિનિયન પોલ દ્વારા અનુમાન લગાવ્યું છે કે બીજેપીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનને કુલ 362 સીટો મળી શકે છે. આ ઓપિનિયન પોલમાં તમે દેશની દરેક VIP બેઠક પર લડતા ઉમેદવારની હાલત જાણી શકો છો. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 19 એપ્રિલે મતદાન થશે.

Tv9 Polstrat Opinion Poll: રાજસ્થાનમાં BJPને લાગી શકે છે ઝટકો, આ દિગ્ગજ હારે તો નવાઈ નહીં

પ્રથમ તબક્કાના મતદાન પહેલા TV9, Peoples Insight, Polstrat નો સર્વેના પરિણામ સામે આવી ગયા છે. રાજસ્થાનમાં કોણ જીતી રહ્યું છે અને કોણ હારી રહ્યું છે તે જણાવતા પહેલા, તમને જણાવી દઈએ કે આ સર્વે આશરે 25 લાખ લોકોના સેમ્પલ સાઈઝ છે. રાજસ્થાનની વાત કરીએ તો સર્વે કહે છે કે. ગત ચૂંટણીની સરખામણીએ આ વખતે ભાજપને 6 બેઠકોનું પર નુકસાન થઈ રહ્યું છે.

Tv9 Polstrat Opinion Poll: મહારાષ્ટ્રમાં NDA 28 અને INDI Alliance 20 બેઠકો જીતી શકે છે, અજિત પવારની પત્નીને લાગી શકે છે ઝટકો

લોકસભા ચૂંટણીને લઈને TV9, Peoples Insight, Polstrat દ્વારા કરાયેલ સર્વે દર્શાવે છે કે, મહારાષ્ટ્રમાં બેઠકો અંકે કરવા માટે હરીફાઈ થવાની છે. રાજ્યની 48 લોકસભા બેઠકોમાંથી એનડીએ 28 બેઠકો કબજે કરી શકે છે. આમાં 25 બેઠકો ભાજપને અને ત્રણ બેઠકો શિવસેના (શિંદે જૂથ)ને જાય તેમ જણાય છે. જ્યારે ઈન્ડિયા એલાયન્સને 20 સીટો મળી રહી છે.

Tv9 Opinion Poll : ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, દેશભરમાં NDAને પણ મળશે માત્ર આટલી સીટ, જુઓ VIDEO

ચૂંટણી તૈયારીઓ વચ્ચે Tv9 દેશનો સૌથી મોટો ઓપિનિયન પોલ લઈને આવ્યું છે. આ ઓપિનિયન પોલમાં દેશની તમામ 543 સીટોનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાં NDAની સરકાર 400ને પાર કરી શકશે કે નહી તેમજ INDIA ગઠબંધન કેટલા મતો મળશે ચાલો અહીં જાણીએ.

Lok Sabha Election Schedule 2024: 13 મેના રોજ થશે ચોથા ચરણનું મતદાન, 10 રાજ્યોની 96 લોકસભા બેઠક પર થશે મતદાન

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. લોકસભાની ચૂંટણી કુલ સાત તબક્કામાં 543 લોકસભા સીટો માટે યોજાવાની છે.જેમાં ચોથા તબક્કાની ચૂંટણી 13 મેના રોજ યોજાશે. આ તબક્કામાં કુલ 96 લોકસભા સીટો પર ચૂંટણી યોજાશે.

Lok sabha Election: ઓડિશામાં ભાજપ એકલા હાથે લડશે ચૂંટણી, BJD સાથે ન થયું ગઠબંધન

ભારતીય જનતા પાર્ટી અને બીજુ જનતા દળ વચ્ચે લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે બેઠકો પર કોઈ સમજૂતી થઈ નથી. ભાજપે ઓડિશામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરી છે. લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ અને બીજેડી વચ્ચે બેઠકો પર સમજૂતીની વાત થઈ હતી

Lok Sabha Election: શું NDAનો ભાગ બનશે MNS? અમિત શાહને મળ્યા રાજ ઠાકરે, આ માટે જરૂરી છે સાથ

મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. એવા અહેવાલો છે કે મહારાષ્ટ્રમાં NDAને MNS એટલે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનું સમર્થન મળી શકે છે. મનસે પ્રમુખ રાજ ઠાકરેએ દિલ્હીમાં અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. બીજી તરફ, રાજ ઠાકરેની દિલ્હી મુલાકાત પર, NCPએ સોશિયલ મીડિયા પર કટાક્ષ કર્યો છે અને કહ્યું છે કે રેલવે એન્જિનની બેવડી ભૂમિકા આખરે સ્પષ્ટ થઈ ગઈ છે. આ પ્રસંગને સરકારની લાચારી કહો કે EDની તપાસથી બચવાની તકેદારી કહો.

ચૂંટણી જાહેર થયા બાદ મોદીનો પહેલો પ્રવાસ દક્ષિણ ભારતમાં, આંધ્રપ્રદેશમાં કહ્યું-મને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના આશીર્વાદ, ત્રીજા કાર્યકાળમાં લેવાશે મોટા નિર્ણયો

ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની તારીખોની ગઈકાલે જાહેરાત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશના પ્રવાસે હતા. જ્યાં, પલનાડુ જિલ્લામાં એનડીએની મોટી રેલીને સંબોધિત કરી. આ રેલીમાં ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ ઉપરાંત જનસેના પ્રમુખ પવન કલ્યાણ પણ સામેલ થયા હતા. જાહેર સભામાં લોકો લાઈટના થાંભલા પર ચડી ગયા હતા. પીએમ મોદીએ લોકોને લાઈટના થાંભલા પરથી નીચે ઉતરી આવવા કહ્યું હતું.

Maharashtra : સીટ વહેંચણીમાં પેચ જ પેચ, INDIA ગઠબંધનમાં બબાલ, NDA માટે રસ્તો સાફ

પ્રકાશ આંબેડકરે કહ્યું કે, કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે 10 સીટો પર ચર્ચા ચાલી રહી છે. આ કારણોસર સીટ વિતરણ થયું નથી. કોંગ્રેસ, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે 5 બેઠકો માટે મતભેદ છે. તેમણે કહ્યું કે, સંજય રાઉત મીડિયાને ખોટી માહિતી આપી રહ્યા છે કે વંચિતે સીટ માંગી નથી.

મહારાષ્ટ્ર NDAમાં સીટ વહેંચણીનો વિવાદ, દેવેન્દ્ર ફડણવીસે આ સ્પષ્ટતા કરી

ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે મહારાષ્ટ્રમાં સીટ શેરિંગ વિવાદ પર પોતાની સ્પષ્ટતા રજૂ કરી હતી. તેમજ કોઈપણ પ્રકારના વિવાદને જન્મ ન આપવા જણાવ્યું હતું. ફડણવીસે કહ્યું કે અમારા ગઠબંધનના ત્રણેય પક્ષો વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું છે. માત્ર બે-ત્રણ બેઠકો પર મડાગાંઠ છે પરંતુ હજુ પણ ચર્ચા ચાલી રહી છે. તેનો પણ ટૂંક સમયમાં ઉકેલ આવશે.

લોકસભાની ચૂંટણી ટાણે મંદિરોની પ્રાણપ્રતિષ્ઠા ચૂંટણીલક્ષી રાજકારણ કે બીજું કંઈ ? જાણો સમગ્ર બાબત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહી તેમજ મંદિરના લોકાર્પણ દ્વારા સમગ્ર દેશમાં રામ લહેર ઊભી કરી દીધી છે. રામ મંદિરનુ આમંત્રણ હોવા છતા 22 જાન્યુઆરીએ અયોધ્યા ના જનાર વિપક્ષના નેતાઓને રામ વિરોધી હોવાનું સોશિયલ મીડિયામાં કહેવામાં આવી રહ્યું છે. આમ છતા, વિપક્ષના નેતાઓ અયોધ્યાના રામ મંદિરને બદલે અન્ય મંદિરોમાં ભગવાનના દર્શન કરતા હોય તેવા ફોટા સોશિયલ મીડિયામાં વહેતા કર્યા છે. ટુંકમાં લોકસભાની ચૂંટણી પૂર્વે મંદિર મંદિર થઈ જવા પામ્યું છે.

શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ
કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ
આ રાશિના જાતકો આજે આજે અચાનક ધનલાભની સંભાવના
આ રાશિના જાતકો આજે આજે અચાનક ધનલાભની સંભાવના
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
g clip-path="url(#clip0_868_265)">