
એનડીએ
નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) જેને રાષ્ટ્રીય જનતાંત્રીક ગઠબંધન તરીકે પણ ઓળખવમાં આવે છે. એનડીએ એ ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળનુંરાજકીય પક્ષોનું જોડાણ છે. એનડીએની રચના 1998 માં કરવામાં આવી હતી અને હાલમાં તે ભારત સરકાર તેમજ 17 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની સરકાર ધરાવે છે.
એનડીએના પ્રથમ અધ્યક્ષ ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી હતા. ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન એલ.કે. અડવાણીએ 2004માં એનડીએનું અધ્યક્ષનું પદ સંભાળ્યું હતું અને 2014 સુધી સેવા આપી હતી. તેમના બાદ અમિત શાહ 2014થી એનડીએના અધ્યક્ષ છે. એનડીએના ગઠબંધને 1998 થી 2004 સુધી કેન્દ્રમાં શાસન કર્યું હતું. 2014ની સામાન્ય ચૂંટણીઓમાં ગઠબંધન સત્તામાં પાછું આવ્યું હતું. એ સમયે 38.5 % નો સંયુક્ત મત હિસ્સો હતો. એનડીએના નેતા નરેન્દ્ર મોદીએ 26 મે 2014ના રોજ ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. 2019ની સામાન્ય ચૂંટણીમાં, ગઠબંધન 45.43 %ના સંયુક્ત વોટ શેર સાથે તેની સંખ્યા વધારીને 353 બેઠકો સુધી પહોંચાડી હતી.
બધા સાંસદો લોકસભામાં હાજર રહે, ભાજપે વકફ સુધારા બિલને લઈને 3 લાઈનનો વ્હીપ ઈસ્યું કર્યો
કેન્દ્ર સરકાર, આવતીકાલ 2 એપ્રિલને બુધવારે લોકસભામાં વક્ફ સુધારા બિલ રજૂ કરશે. આ સંદર્ભે, પાર્ટીએ તેના લોકસભા સાંસદોને આવતીકાલે ગૃહમાં હાજર રહેવા માટે ત્રણ લાઇનનો વ્હિપ ઈસ્યું કર્યો છે.
- TV9 Gujarati
- Updated on: Apr 1, 2025
- 4:48 pm
ભાજપના સાંસદો લાકડી લગાવેલ પોસ્ટર સંસદ ભવનમાં કેવી રીતે લાવ્યા ? કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
સંસદ સંકુલમાં વિપક્ષી સાંસદો અને ભાજપના સાંસદો વચ્ચે ઘર્ષણ બાદ આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર ચાલી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો કે ભાજપના સાંસદોએ તેમને ધક્કો માર્યો, જ્યારે ભાજપે આ ઘટના માટે રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવીને, તેમની સામે પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ ખડગેએ લોકસભા અધ્યક્ષને પત્ર લખીને, સમગ્ર મામલાની તપાસની માંગ કરી છે.
- TV9 Gujarati
- Updated on: Dec 19, 2024
- 3:01 pm
વન નેશન વન ઈલેકશન : શા માટે મોદી સરકારે JPC ને બિલ મોકલ્યું ?
મોદી સરકારે લોકસભામાં 'વન નેશન, વન ઇલેક્શન' બિલ રજૂ કર્યું છે. મોદી સરકારે આ બિલ પણ JPCને પણ મોકલી દીધું છે. વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન જેપીસીને મોકલાયેલું આ બીજું બિલ છે.
- TV9 Gujarati
- Updated on: Dec 17, 2024
- 3:35 pm
Maharashtra Election Result 2024 Live: મહારાષ્ટ્રમાં પ્રચંડ જીત પર BJP કાર્યકર્તાઓને સંબોધિત કરતા બોલ્યા પીએમ મોદી, આ વિકાસવાદની, સાચા સામાજિક ન્યાયની જીત, નકારાત્મક પરિવારવાદી રાજનીતિની હાર
Maharashtra and Jharkhand Assembly Election Results 2024 LIVE Counting and Updates: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે. મહારાષ્ટ્રના વિવિધ જિલ્લા મથકોએ વિધાનસભાની 288 બેઠકોની મતગણતરી શરુ થઈ ચૂકી છે. બપોર સુધીમાં કયા પક્ષ-જૂથને સરકાર રચવા માટે જરૂરી બહુમતી મળી છે કે નહીં તે સ્પષ્ટ થઈ જશે. અત્યાર સુધીમાં સામે આવી રહેલા શરૂઆતી વલણોમાં બહુમતીના આંકડાને સ્પર્શવા માટે મહાયુતિ અને મહાવિકાસ અઘાડી વચ્ચે ભારે રસાકસી છે.
- TV9 Gujarati
- Updated on: Nov 23, 2024
- 9:19 pm
મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામોમાં કંઈક મોટું થવાનું છે ? શેરબજારના આ ઐતિહાસિક આંકડાએ આપ્યા મોટા સંકેત
મહારાષ્ટ્ર ચૂંટણી અથવા કોઈ પણ મોટા રાજકીય ઘટનાક્રમ શેર બજારની સ્થિતિ પર ઘણા પ્રભાવ નાખતો હોય છે. પસંદગીના પરિણામો અને પ્રથમ ઘટનાઓ રોકાણકારોનો રૂખ અને બજાર પર સારી અસર કરે છે. તારીખ 23 નવેમ્બર 2024ના રોજ મહારાષ્ટ્રની મત ગણતરી છે. જેમાં મત ગણતરીના આગળના દિવસે 2024ની ચૂંટણીમાં ઐતિહાસિક ફેરફાર આવ્યો છે જે મતગણતરીના પરિણામો અંગે એક મોટો સંકેત આપે છે. ત્યારે આ સમગ્ર બાબતે Nifty 50 index ના આંકડા અનુસાર સમગ્ર બાબત સમજીએ.
- Sagar Solanki
- Updated on: Nov 22, 2024
- 9:30 pm
ભાજપનો વોટ શેર ઓછો પણ બેઠકો વધુ; કોંગ્રેસને મતની ટકાવારી વધુ છતાં આંકડામાં કેમ પાછળ ?
હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામોના વલણોમાં ભાજપને મોટી બહુમતી મળતી દેખાઈ રહી છે. કેન્દ્રીય ચૂંટણી પંચની વેબસાઈટ ઉપર દર્શાવાતા આંકડા અનુસાર જે રૂઝાન સામે આવી રહ્યું છે તે મુજબ ભાજપને 48 અને કોંગ્રેસને 36 બેઠકો મળી રહી છે. જો કે આ પરિણામોમાં એક બાબત જોવા જેવી છે તે છે વોટ શેર.
- TV9 Gujarati
- Updated on: Oct 8, 2024
- 12:40 pm
મોદી સરકાર-3 ના 100 દિવસ, સરકારે ગણાવી ઉપલબ્ધિઓ, અમિત શાહે કહ્યું- આખી દુનિયાની નજર પીએમ મોદી પર
આજે વડાપ્રધાન મોદી પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ સાથે જ મોદી સરકારના ત્રીજા કાર્યકાળના 100 દિવસ પણ પૂર્ણ થઈ ગયા છે. આ અંગે મોદી સરકારે મંગળવારે 100 દિવસની ઉપલબ્ધિઓ પર વિશેષ પુસ્તિકા બહાર પાડી છે. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, છેલ્લા એક દાયકામાં મોદી સરકારે દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષાને મજબૂત કરીને એક મજબૂત ભારતનું નિર્માણ કર્યું છે. આગામી દિવસોમાં સરકારનો એજન્ડા શું હશે તેની પણ માહિતી આપી છે.
- TV9 Gujarati
- Updated on: Sep 17, 2024
- 1:19 pm
મોદી સરકારે પોર્ટ બ્લેરનુ નામ બદલ્યું, હવે શ્રી વિજયપુરમ તરીકે ઓળખાશે
કેન્દ્રની નરેન્દ્ર મોદીની આગેવાની વાળી એનડીએ સરકારે પોર્ટ બ્લેરનું નામ બદલીને 'શ્રી વિજયપુરમ' કરી દીધું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ અંગેની સત્તાવાર જાણકારી આપી છે. તેમણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટમાં કહ્યું છે કે, અમે પોર્ટ બ્લેરનું નામ બદલીને શ્રી વિજય પુરમ કરવાનો નિર્ણય લીધો છે.
- TV9 Gujarati
- Updated on: Sep 13, 2024
- 6:19 pm
29 હજાર કરોડનો પ્રોજેક્ટ, 10 લાખને મળશે રોજગાર, મોદી કેબિનેટનો નિર્ણય
કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ વડા પ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા વચ્ચે પણ એક અલગ બેઠક યોજાઈ હતી.
- TV9 Gujarati
- Updated on: Aug 28, 2024
- 5:11 pm
મોદી સરકારની યુનિફાઇડ પેન્શન સ્કીમને, કોંગ્રેસના આંકડા વિશ્લેષકે વખાણીને કહી આ વાત, જાણો
નરેન્દ્ર મોદી સરકારે ગઈકાલ શનિવારે સરકારી કર્મચારીઓ માટે મંજૂર કરેલ યુનિફાઇડ પેન્શન સ્કીમને કોંગ્રેસના નેતાઓ વખોડી રહ્યાં છે, ત્યારે કોંગ્રેસના ડેટા એનાલિસ્ટે, યુનિફાઇડ પેન્શન સ્કીમને આવકારીને મોદી સરકારનું આ પગલું સમજદારીભર્યું અને આવકારદાયક ગણાવ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Aug 25, 2024
- 7:58 pm
મોદી સરકાર કાર્યકાળ તો પૂરો કરશે જ, 2029માં પણ આવશે તો મોદી જ : અમિત શાહ
અમિત શાહે ચંડીગઢમાં વિપક્ષ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણની એનડીએ સરકાર પોતાનો કાર્યકાળ તો પૂરો કરશે જ, પરંતુ આગામી સરકાર પણ એનડીએની જ બનશે અને મોદી ફરી એકવાર પીએમ બનશે. કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં શાહે કહ્યું કે, લોકસભાની 3 ચૂંટણીમાં કોંગ્રેસે જેટલી બેઠકો મેળવી હતી એના કરતા પણ વધુ બેઠકો ભાજપે આ ચૂંટણીમાં જીતી છે.
- TV9 Gujarati
- Updated on: Aug 4, 2024
- 6:54 pm
હિંમત ના હારશો…, PM મોદીએ ભાજપના મુખ્યમંત્રીઓને શું કહ્યું ?
ભાજપ-એનડીએ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો- નાયબ મુખ્યપ્રધાનોની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, લોકસભાની ચૂંટણી અને તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામોના ઉપલબ્ધ ડેટાને ટાંકીને મુખ્ય પ્રધાનોના કામની પ્રશંસા કરી હતી. સાથોસાથ તેમનું મનોબળ પણ વધાર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, પાર્ટીએ લોકસભા અને વિધાનસભા બંને ચૂંટણીમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે અને કોઈપણ રીતે હિંમત હારવાની જરૂર નથી.
- TV9 Gujarati
- Updated on: Jul 28, 2024
- 12:43 pm
Budget 2024 : જમીન ક્ષેત્રે કરાનારા સુધારાની અસર શહેરી અને ગ્રામીણ ક્ષેત્રે જોવા મળશે, જાણો હવે જમીન ક્ષેત્રે કેવા થશે ફેરફાર
નાણાકીય વર્ષ 2024-2025ના અંદાજપત્રમાં મોદી સરકાર-03ની નવ પ્રાથમિકતા ઉપર ભાર મૂક્યો હતો. નવ પ્રાથમિકતામાં શહેરી અને ગ્રામીણ ક્ષેત્રે અસર કરે તેવી એક પ્રાથમિકતા છે જમીન ક્ષેત્રે સુધારણા. આગામી દિવસોમા મોદી સરકાર દ્વારા જમીન ક્ષેત્રે અનેક સુધારણા કરવામાં આવશે. જાણો આ સુધારાઓ અંગે.
- TV9 Gujarati
- Updated on: Jul 23, 2024
- 6:17 pm
કટોકટીના કાળા દિવસ 25 જૂન હવેથી સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવવા કેન્દ્ર સરકારે કરી જાહેરાત
samvidhaan hatya diwas : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે દેશમાં દર વર્ષે 25મી જૂને બંધારણ હત્યા દિવસની ઉજવણી કરવામાં આવશે. 25મી જૂન 1975માં દેશમાં ઈમરજન્સી લાદવામાં આવી હતી. લોકસભા ચૂંટણી બાદથી જ વિપક્ષ બંધારણને લઈને મોદીની આગેવાનીની એનડીએ સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કરી રહ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Jul 12, 2024
- 5:02 pm
Parliament Session Updates : PM મોદીના સંબોધન વચ્ચે વિપક્ષે રાજ્યસભામાંથી કર્યો વોકઆઉટ, મોદીએ કહ્યું- જનતાનો જનાદેશ વિપક્ષ પચાવી શકતુ નથી
પીએમ મોદીએ રાજ્યસભામાં કહ્યું કે છેલ્લા 10 વર્ષોમાં સમર્પણ અને સતત સેવા સાથે કરવામાં આવેલા પ્રજાલક્ષી કામને જનતાએ દિલથી સમર્થન આપ્યું છે. દેશની જનતાએ તેમના આશીર્વાદ આપ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Jul 3, 2024
- 2:57 pm