AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Mavthu: ભાવનગર જિલ્લાને માવઠાથી થયેલા નુકસાન મુદ્દે પરશોત્તમ સોલંકીએ જિલ્લા વહીવટીતંત્ર સાથે કરી સમીક્ષા- Video

ભાવનગર જિલ્લાને માવઠાથી મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને કપાસ, જુવાર, મગફળી અને બાગાયતી પાકોને ભારે નુકસાન થયુ છે ત્યારે ખેડૂતોને સત્વરે સહાય મળે તે હેતુથી કેબિનેટ મંત્રી પરસોત્તમ સોલંકીએ જિલ્લા વહીવટીતંત્ર સાથે સમીક્ષા બેઠક કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2025 | 3:58 PM
Share

સમગ્ર ગુજરાતમાં માવઠાને કારણે ખેતપેદાશોને ભારે નુકસાન થયુ છે. ખેડૂતો બેહાલ બન્યા છે. સૌથી વધુ સૌરાષ્ટ્રના ખેડૂતોને માવઠાને કારણે મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને તેઓ પાયમાલ થવા જેવી સ્થિતિમાં મુકાઈ ગયા છે ત્યારે ભાવનગર જિલ્લામાં પણ જુવાર, કપાસ, મગફળી સહિત અન્ય બાગાયતી પાકોને ભારે નુકસાન થયુ છે. ખેડૂતોને હાથમાં કંઈ બચ્યુ નથી. આવી કફોડી સ્થિતિમાં ખેડૂતો હવે એકમાત્ર સરકાર સમક્ષ મીટ માંડીને બેઠા છે કે સરકાર સત્વરે કોઈ રાહત પેકેજ જાહેર કરે તો તેમને થોડોઘણો ટેકો થઈ શકે. બાકી હાલ જે પરિસ્થિતિ છે તેમા તો ખેડૂતો પાસે ના તો મજૂરી ના આપવાના પૈસા બચ્યા છે કે ના તો શિયાળુ પાક લેવા માટેના પૈસા બચ્યા છે. ત્યારે કેબિનેટ મંત્રી પરશોત્તમ સોલંકીએ પણ ભાવનગર જિલ્લાના ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી છે.

મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરશોત્તમ સોલંકીએ માવઠાથી થયેલી નુકસાનીનો તાગ મેળવી તંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. તાબડતોબ નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને તાત્કાલિક સહાય મળે તે માટેના પરશોત્તમ સોલંકીએ પ્રયાસો હાથ ધર્યા છે. tv9 ગુજરાતી સાથેની વાતચીતમાં મંત્રીએ જણાવ્યુ કે માછીમારોને થયેલા નુકસાન મુદ્દે પણ CMને રજૂઆત કરવામાં આવી છે. રાજુલા, જાફરાબાદ અને ઉના તાલુકાના માછીમારોના અનેક પ્રશ્નો છે તેમણે ઉમેર્યુ કે ખેડૂતોને નુકસાનમાં મદદરૂપ થવા CM સતત ચિંતિત છે. તેમણે જણાવ્યુ કે ગરીબ ખેડૂતોને બને તેટલી ઝડપી સહાય મળે તે મુદ્દે પણ મંત્રી દ્વારા CM અને જેતે વિભાગના મંત્રીઓને રજૂઆત કરવામાં આવી છે.

ખેડૂતોની માગ છે કે તેમની મંડળીઓ માફ કરવામાં આવે અને તેમને સહાય આપવામાં આવે આ અંગે પરશોત્તમ સોલંકીએ જણાવ્યુ કે સર્વે કર્યા બાદ જરૂર જણાય તો સરકાર મંડળીઓ માફ કરવા અંગે વિચારશે.

Breaking News: આ વર્ષે નહીં યોજાય ગીરનારની લીલી પરિક્રમા, માવઠાને કારણે મોટાપાયે રસ્તાઓનુ ધોવાણ થતા નિર્ણય

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">