AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: જસ્ટિસ વર્મા સામે મહાભિયોગની પ્રક્રિયા શરુ, 3 સભ્યોની બનાવી કમિટી, લોકસભા સ્પીકરે કરી જાહેરાત

અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગ પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી છે. તેમણે જસ્ટિસ યશવંત વર્મા સામેના આરોપોની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરવાની જાહેરાત કરી છે. આ સમિતિ જસ્ટિસ વર્માના કેસની તપાસ કરશે અને લોકસભામાં રિપોર્ટ રજૂ કરશે.

Breaking News: જસ્ટિસ વર્મા સામે મહાભિયોગની પ્રક્રિયા શરુ, 3 સભ્યોની બનાવી કમિટી, લોકસભા સ્પીકરે કરી જાહેરાત
impeachment against Justice Verma
| Updated on: Aug 12, 2025 | 1:05 PM
Share

અલાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગ પ્રક્રિયા શરૂ કરવાની લોકસભામાં સ્પીકર ઓમ બિરલાએ જાહેરાત કરી છે. તેમણે જસ્ટિસ યશવંત વર્મા સામેના આરોપોની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરવાની જાહેરાત કરી છે. આ સમિતિ જસ્ટિસ વર્માના કેસની તપાસ કરશે અને લોકસભામાં રિપોર્ટ રજૂ કરશે. આ સમિતિમાં ત્રણ લોકોને સામેલ કરવામાં આવ્યા છે. જેમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અરવિંદ કુમાર, મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ મનિન્દર મોહન શ્રીવાસ્તવ અને કર્ણાટક હાઈકોર્ટના સિનિયર એડવોકેટ બી.વી. આચાર્યનો સમાવેશ થાય છે.

જસ્ટિસ વર્મા સામે મહાભિયોગની પ્રક્રિયા શરુ

સ્પીકર ઓમ બિરલાએ જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગ શરૂ કરવાની જાહેરાત કરી છે. સ્પીકરની આ જાહેરાત પછી, લોકસભામાં સૂચિબદ્ધ કામકાજ ચાલી રહ્યું છે. આ દરમિયાન, વિપક્ષી સભ્યોએ બિહાર મતદાર યાદી સુધારણાના મુદ્દા પર વેલમાં આવીને હંગામો શરૂ કર્યો છે. ભારે હોબાળા વચ્ચે ગૃહની કાર્યવાહી ચાલી રહી છે.

સ્પિકર ઓમ બિરલાએ કરી જાહેરાત

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગ ચલાવવા માટે 146 સાંસદો દ્વારા સહી કરાયેલ પ્રસ્તાવ સ્વીકાર્યો. સ્પીકર ઓમ બિરલાએ હાઈકોર્ટના જજ જસ્ટિસ યશવંત વર્મા સામેના આરોપોની તપાસ માટે 3 સભ્યોની પેનલની જાહેરાત કરી છે.

માહિતી આપતાં લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું, “સમિતિના સભ્યોમાં સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ અરવિંદ કુમાર, મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ મનિન્દર મોહન શ્રીવાસ્તવ અને કર્ણાટક હાઈકોર્ટના સિનિયર એડવોકેટ બી.વી. આચાર્યનો સમાવેશ થાય છે. સમિતિ શક્ય તેટલી વહેલી તકે પોતાનો રિપોર્ટ રજૂ કરશે. તપાસ સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી આ પ્રસ્તાવ પેન્ડિંગ રહેશે.”

કેમ થઈ રહી જસ્ટિસ વર્માને હટાવવાની પ્રક્રિયા?

તમને જણાવી દઈએ કે 14 માર્ચે નવી દિલ્હીમાં જસ્ટિસ વર્માના નિવાસસ્થાનની બહાર બળી ગયેલી નોટો મળી આવતા આ વિવાદ શરૂ થયો હતો. આ ઘટનાએ ન્યાયિક વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો હતો. આ પછી, જસ્ટિસ વર્માને દિલ્હી હાઈકોર્ટથી અલ્હાબાદ હાઈકોર્ટ મોકલવામાં આવ્યા હતા.

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">