AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ત્રીજા વિશ્વયુદ્ધનો તીખારો..! ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવના મૂળભૂત કારણો શું છે ? અહીં જાણો

વિશ્વભરમાં હાલ સૌથી વધુ ચિંતા જન્માવતો પ્રશ્ન છે કે.. શું ઈરાન અને ઈઝરાયલ વચ્ચે પૂર્ણ યુદ્ધના દરવાજા ખુલવા જઇ રહ્યા છે? ઈઝરાયલના તાજેતરના હુમલાઓ અને ઈરાનના વળતા પ્રહારો વચ્ચે સંઘર્ષ ગહન બનતો જાય છે. અને એ બધું શરૂ થયું ઈરાનના અણુકાર્યક્રમના પ્રશ્ન પરથી.

ત્રીજા વિશ્વયુદ્ધનો તીખારો..! ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવના મૂળભૂત કારણો શું છે ? અહીં જાણો
| Updated on: Jul 15, 2025 | 7:10 PM
Share

ઈઝરાયલની અણુ વિષયક નીતિ હંમેશાં સ્પષ્ટ રહી છે. કોઈ પણ ઈસ્લામિક દેશ પાસે અણુશસ્ત્રો હોવો તેને ક્યારેય માન્ય નથી. 1981માં ઈઝરાયલે ઓપરેશન ઓપેરા હેઠળ ઈરાકના ઓસીરાક અણુમથક પર હુમલો કર્યો હતો. 2007માં આ જ રીતે સિરિયામાં અણુમથક નષ્ટ કર્યો.

આક્રમક ડોકટ્રીના હિસ્સા તરીકે ઈઝરાયલે 1980ના દાયકાની શરૂઆતમાં પાકિસ્તાનના કાહુટા અણુમથક પર હુમલો કરવા ભારતની પણ મદદ માંગેલી હતી, જે તેને મળી ન શકી.

ઇરાન અને ઇઝરાયલના બગડેલા સંબંધોની પૃષ્ઠભૂમિ

વિશિષ્ટ વાત એ છે કે ઈરાન એ પહેલો મુસ્લિમ દેશ હતો જેણે ઈઝરાયલને રાષ્ટ્ર તરીકે માન્યતા આપી હતી. પણ 1979ની ઇસ્લામિક ક્રાંતિ પછી મામલાઓ પરિવર્તિત થયા. આયાતોલ્લા ખોમેનીએ ઈઝરાયલને “શત્રુ રાષ્ટ્ર” જાહેર કર્યું અને ત્યારથી હમાસ, હેઝબુલ્લા અને હુથીના માધ્યમથી ઈઝરાયલ પર હંમેશા આક્રમણ કરાવ્યું છે.

ઈરાન પરમાણુ શક્તિ બનવાની દિશામાં પગલાં

ઈરાનનો અણુકાર્યક્રમ શરૂઆતમાં શાહ રેઝા પેહલવીના શાસનમાં 1957માં અમેરિકાની મદદથી શરૂ થયો હતો. પણ 1979 પછી પશ્ચિમના દેશોએ સહાય બંધ કરી દીધી. છતાં ઈરાને કાર્યક્રમ ચાલુ રાખ્યો. 2002માં નાટન્ઝ અને અરાકના અણુમથકો વિશે માહિતીઓ બહાર આવી, જેનાથી પશ્ચિમમાં ચિંતાનું મોજું ફેલાયું.

છેલ્લા દાયકામાં ઈરાને યુરેનિયમને 60% સુધી શુદ્ધ કર્યું છે. જ્યારે અણુશસ્ત્રો માટે 90% શુદ્ધતાની જરૂર હોય છે. અત્યારની માહિતી મુજબ ઈરાન પાસે એવું માલ છે જેનાથી તે થોડા મહિનામાં અણુબૉમ્બ બનાવી શકે.

ઇઝરાયલની આતંક વિરોધી સ્ટ્રાઈક: ઓપરેશન રાઈઝિંગ લાયન

13 જૂન, 2025ના રોજ ઇઝરાયલે “ઓપરેશન રાઈઝિંગ લાયન” લૉન્ચ કર્યું, જેમાં 200થી વધુ લડાકૂ વિમાનો દ્વારા ઈરાનના 100 જેટલા અણુમથકો, લશ્કરી ઠેકાણાં અને રિફાઈનરીઝ પર હુમલા કરાયા. ડ્રોનના સહારે એર ડિફેન્સ સિસ્ટમનો નાશ થયો. ઇરાનના કેટલાક ટોપના કમાન્ડરો અને વિજ્ઞાનીઓ પણ આ હુમલામાં હણાયા.

ઈરાનનો વળતો પ્રહાર: મિસાઈલ અટૅકથી ઇઝરાયલને જડબાતોડ જવાબ

ઈરાને પણ જવાબમાં તેલ અવીવ, જેરુસલેમ અને અન્ય શહેરો પર મિસાઈલ હુમલા કર્યા. જોકે ઈઝરાયલની ઍર ડિફેન્સ મજબૂત છે, છતાં અમુક મિસાઈલ રહેણાંક વિસ્તારમાં પડતા ઓછામાં ઓછા 15 લોકોનાં મૃત્યુ થયા.

વૈશ્વિક અસર: ઈંધણના ભાવમાં ઊંચાળો સંભવ

હોર્મુઝની સાંકડી જળમાર્ગ ઉપર તણાવ વધ્યો છે, જ્યાંથી વિશ્વના 20% કાચા તેલનો વહન થાય છે. જો આ જળમાર્ગ ઈરાન દ્વારા અવરોધિત થાય તો આંતરરાષ્ટ્રીય ઈંધણ બજારમાં ભીષણ ઊથલપાથલ થઈ શકે છે.

યુદ્ધનો અર્થ શા માટે ગંભીર હોય?

  • ઈરાનના અણુકાર્યક્રમને ગંભીર નુકસાન થયું હતું, ખાસ કરીને નાટન્ઝ અને ફોર્ડો અણુમથકોને.

  • યુદ્ધ લાંબું ચાલ્યું હોત તો ઈરાન “અણુ અપ્રસાર સંધિ”માંથી બહાર આવી શકે તેવી વાત હતી.

  • ઈઝરાયલ પાસે પણ 80થી 200 અણુશસ્ત્રો હોવાનો અંદાજ છે.

  • તણાવ વધી શકે છે તો અન્ય મુસ્લિમ દેશો (સાઉદી, તુર્કી, ઈજિપ્ત) પણ અણુકાર્યક્રમ શરૂ કરવા માંગે તે શક્ય છે.

  • આ યુદ્ધનું ત્રીજું મંચ છે – અમેરિકા, જે ભલે સીધું ભાગ નથી લેતું, પણ ભારત સહિત દુનિયાભરમાં રાજકીય અને આર્થિક અસર પડી શકે છે.

ઈઝરાયેલ એ એક આરબ દેશ છે. દક્ષિણ પૂર્વ ભૂમધ્ય સમુદ્રના પૂર્વ કાંઠે આવેલો આ દેશ ઈઝરાયેલની ઉત્તરમાં લેબનોન, પૂર્વ તરફમાં જોર્ડન અને સીરિયાથી જોડાયેલો છે. ઈઝરાયેલના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">