AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈમરાન ખાન

ઈમરાન ખાન

ઈમરાન ખાનનો જન્મ 5 ઓક્ટોબર 1952ના રોજ પાકિસ્તાનના લાહોરમાં એક પશ્તુન પરિવારમાં થયો હતો. ઈમરાનખાનનું પૂરું નામ ઈમરાન ખાન અહેમદ ખાન નિયાઝી છે. તેમનું પ્રારંભિક શિક્ષણ લાહોરની એચિસન કોલેજમાંથી થયું હતું. તેણે આગળનો અભ્યાસ લંડનથી કર્યો. ઈમરાન ઓક્સફર્ડ યુનિવર્સિટીની કેબલ કોલેજમાંથી સ્નાતક થયા છે. તેમણે ફિલોસોફી, પોલિટિકલ સાયન્સ અને ઈકોનોમિક્સમાં ડિગ્રી મેળવી. તેણે પોતાની ક્રિકેટ કારકિર્દી નાની ઉંમરે શરૂ કરી હતી. તેણે પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે 1971માં બર્મિંગહામમાં ઈંગ્લેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું. 1982 થી 1992 સુધી તેઓ પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન હતા. તેના નેતૃત્વમાં પાકિસ્તાને 1992માં ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો.

ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ઈમરાન ખાન રાજકારણમાં જોડાયા. તેમણે 1996માં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) નામની પોતાની રાજકીય પાર્ટી બનાવી. 1997માં, તેમણે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલી માટે બે બેઠકો પર ચૂંટણી લડી હતી પરંતુ તેમનો પરાજય થયો હતો. આ પછી, 2018 માં, તેમની પાર્ટીએ પૂર્ણ બહુમતી સાથે જીત મેળવી અને ઇમરાન ખાન પ્રથમ વખત પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા. તેમને 2022માં વડાપ્રધાન પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. તોશાખાના કેસમાં ઈમરાન ખાનને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

ઈમરાન ખાને ત્રણ લગ્ન કર્યા છે. 1995 માં, તેણે જેમિમા ગોલ્ડસ્મિથ સાથે લગ્ન કર્યા, જેનાથી તેને બે પુત્રો છે. તેમના બીજા લગ્ન રેહમ નય્યર ખાન સાથે થયા હતા. રેહમ સાથે છૂટાછેડા બાદ ઈમરાને 2018માં બુશરા બીબી સાથે ત્રીજી વખત લગ્ન કર્યા હતા.

Read More

Breaking News : સસ્પેન્સ ખતમ, ઈમરાનખાન જીવે છે, 28 દિવસ બાદ અદિયાલા જેલમાં ઈમરાનખાન સાથે બહેન ઉઝમાની થઈ મુલાકાત

ઈમરાન ખાનની બહેન છેલ્લે 4 નવેમ્બરે ઈમરાન ખાનને મળી હતી ત્યારથી, કોઈને પણ ઈમરાનખાનને મળવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આ પછી, ઈમરાન ખાનના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા. આ લોકજૂવાળ ફાટી નીકળતા, પાકિસ્તાન સરકારે ઈમરાન ખાનની બહેનને જેલની અંદર મળવાની પરવાનગી આપી હતી.

જેલમાં બંધ ઈમરાન ખાન સાથે મુનીરે શું કર્યુ? કેમ દોઢ મહિનાથી તેમના પરિવારજનોને તેમને મળવા દેવાયા નથી?

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને લઈને અનેક અટકળો ચાલી રહી છે. પાકિસ્તાનમાં જેલમાં બંધ ઈમરાન ખાનની હત્યા થઈ ગઈ હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. છેલ્લા દોઢ મહિનાથી ઈમરાનને ના તો કોઈ મળી શક્યુ છે કે ના તો તેનો કોઈ વીડિયો કે તસવીર જારી કરાઈ છે. તેના પરિવારજનો કે તેમના પુત્રને પણ ઈમરાનને મળવા દેવામાં આવતા નથી. આથી પાકિસ્તાનમાં ઈમરાનની જેલમાં જ હત્યા કરી દેવાઈ હોવાની અફવાએ વેગ પકડ્યો છે.

જેલમાં કઈ થયું ! ઇમરાન ખાન પર સસ્પેન્સ, 5 સંકેતો જેણે ઘટનાની શંકાને વધુ ઘેરી બનાવી  

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની આસપાસની પરિસ્થિતિ દિવસે દિવસે વધુ રહસ્યમય બની રહી છે. અફઘાન મીડિયાએ તેમની હત્યાનો દાવો કર્યો છે, જ્યારે તેમના પરિવારને ત્રણ અઠવાડિયાથી મુલાકાતની મંજૂરી આપવામાં આવી નથી. છેલ્લા બે અઠવાડિયાથી સરકાર તરફથી કોઈ સત્તાવાર અપડેટ કે ફોટો બહાર આવ્યો નથી. જોકે, TV9 તેમના મૃત્યુ અંગેના દાવાઓની પુષ્ટિ કરતું નથી.

Pakistan Politics : 5 નિર્ણય, 3 મોટા સંકેત… શાહબાઝ-મુનીરને પાકિસ્તાનમાંથી હાંકી કાઢવા માટે ઇમરાન ખાનની મોટી તૈયારી !

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન અને પીટીઆઈના સ્થાપક ઈમરાન ખાને આખરે સરકાર સાથે વાતચીત માટે લીલી ઝંડી આપી દીધી છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે વડા પ્રધાન શાહબાઝ શરીફે તાજેતરમાં રાષ્ટ્રીય સભામાં ઉભા થઈને તમામ રાજકીય પક્ષોને વાતચીત માટે હાકલ કરી હતી.

પાકિસ્તાન સામે ભારતની વધુ એક મોટી કાર્યવાહી,ભારતે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને બિલાવલ ભુટ્ટોના સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક કર્યા

પાકિસ્તાન સામે ભારતે વધુ એક ડિજિટલ સ્ટ્રાઈક કરી છે.પહેલગામ આતંકવાદી હુમલાનો ભારત પાકિસ્તાન સામે બદલો લઈ રહ્યું છે.સરકારે ઈમરાન ખાન અને બિલાવલ ભુટ્ટો પર સોશિયલ મીડિયા અકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે. આ પહેલા ભારતે પાકિસ્તાની સેલિબ્રિટી , ક્રિકેટર અને હવે બિલાવલ ભુટ્ટો અને ઈમરાન ખાનના અકાઉન્ટ બ્લોક કર્યા છે.

Breaking News: પાકિસ્તાનના પૂર્વ PM ઇમરાન ખાનને 14 વર્ષ જેલ ! પત્ની બુશરા બીબીને પણ 7 વર્ષની જેલની સજા ફટકારાઈ

અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં પાકિસ્તાનની કોર્ટે તેમને 14 વર્ષની જેલની સજા ફટકારી છે. આ કેસમાં તેમની પત્ની બુશરા બીબીને પણ દોષિત ઠેરવવામાં આવી છે અને તેમને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">