AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈમરાન ખાન

ઈમરાન ખાન

ઈમરાન ખાનનો જન્મ 5 ઓક્ટોબર 1952ના રોજ પાકિસ્તાનના લાહોરમાં એક પશ્તુન પરિવારમાં થયો હતો. ઈમરાનખાનનું પૂરું નામ ઈમરાન ખાન અહેમદ ખાન નિયાઝી છે. તેમનું પ્રારંભિક શિક્ષણ લાહોરની એચિસન કોલેજમાંથી થયું હતું. તેણે આગળનો અભ્યાસ લંડનથી કર્યો. ઈમરાન ઓક્સફર્ડ યુનિવર્સિટીની કેબલ કોલેજમાંથી સ્નાતક થયા છે. તેમણે ફિલોસોફી, પોલિટિકલ સાયન્સ અને ઈકોનોમિક્સમાં ડિગ્રી મેળવી. તેણે પોતાની ક્રિકેટ કારકિર્દી નાની ઉંમરે શરૂ કરી હતી. તેણે પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે 1971માં બર્મિંગહામમાં ઈંગ્લેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું. 1982 થી 1992 સુધી તેઓ પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન હતા. તેના નેતૃત્વમાં પાકિસ્તાને 1992માં ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો.

ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ઈમરાન ખાન રાજકારણમાં જોડાયા. તેમણે 1996માં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) નામની પોતાની રાજકીય પાર્ટી બનાવી. 1997માં, તેમણે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલી માટે બે બેઠકો પર ચૂંટણી લડી હતી પરંતુ તેમનો પરાજય થયો હતો. આ પછી, 2018 માં, તેમની પાર્ટીએ પૂર્ણ બહુમતી સાથે જીત મેળવી અને ઇમરાન ખાન પ્રથમ વખત પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા. તેમને 2022માં વડાપ્રધાન પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. તોશાખાના કેસમાં ઈમરાન ખાનને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

ઈમરાન ખાને ત્રણ લગ્ન કર્યા છે. 1995 માં, તેણે જેમિમા ગોલ્ડસ્મિથ સાથે લગ્ન કર્યા, જેનાથી તેને બે પુત્રો છે. તેમના બીજા લગ્ન રેહમ નય્યર ખાન સાથે થયા હતા. રેહમ સાથે છૂટાછેડા બાદ ઈમરાને 2018માં બુશરા બીબી સાથે ત્રીજી વખત લગ્ન કર્યા હતા.

Read More

પાકિસ્તાનમાં સુપ્રીમ કોર્ટની પણ ઐસી કી તૈસી, સપ્ટેમ્બર સુધી હોસ્પિટલમાં રાખવાના આદેશ છતા, ઈમરાનને પાછો જેલમાં ધકેલી દેવાયો

ઇમરાન ખાનના પરિવાર અને સમર્થકો દ્વારા તેમના સ્વાસ્થ્ય અને પૂરતી તબીબી સુવિધાઓના અભાવ અંગે ઘણા મહિનાઓથી ઉઠાવવામાં આવેલી ચિંતાઓને પગલે સુપ્રીમ કોર્ટે તેમને હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો.

ઈમરાનખાનને જેલમાંથી હોસ્પિટલમાં ખસેડાયા, સૈન્ય કિલ્લામાં ફેરવાઈ શિફા હોસ્પિટલ, તબીબી કર્મચારીઓના ફોન લઈ લેવાયા

ઇમરાન ખાનની પાર્ટી 'પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ' (PTI) ના પ્રવક્તા ઝુલ્ફી બુખારીએ પુષ્ટિ આપી છે કે, ઈમરાન ખાન શિફા ઇન્ટરનેશનલ હોસ્પિટલમાં પહોંચ્યા છે, તેમણે કહ્યું કે, પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવામાં આવ્યું છે.

ઇમરાન ખાનને જેલમાંથી હોસ્પિટલ ખસેડવાનો આદેશ, પાકિસ્તાન SCએ કેમ લીધો મોટો નિર્ણય?

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની તબિયત લથડતાં સુપ્રીમ કોર્ટે તેમને જેલમાંથી હોસ્પિટલ શિફ્ટ કરવાનો આદેશ આપ્યો છે. જમણી આંખની ગંભીર બીમારીને કારણે તેમને 16 સપ્ટેમ્બર સુધી સારવાર હેઠળ રાખવામાં આવશે.

Breaking News : પાકિસ્તાનમાં ઈમરાન ખાનના સમર્થકો, જમાત-એ-ઇસ્લામી નેતાઓએ મચાવી ધાંધલ ધમાલ, ડરીને ઈસ્લામાબાદનું રાષ્ટ્રપતિ ભવન છોડીને ભાગ્યા ઝરદારી

પાકિસ્તાનની જેલમાં બંધ, પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સમર્થનમાં પ્રદર્શનકારીઓએ શનિવારે રાત્રે કરાચી, લાહોર, ઈસ્લામાબાદ અને રાવલપિંડીમાં ધાંધલ ધમાલ મચાવી હતી. પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો તો તેઓ હિંસક બન્યા હતા.

Breaking News : તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાન અને તેની પત્નીને થઇ 17 વર્ષની સજા

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની મુશ્કેલીઓ ફરી એકવાર વધી ગઈ છે. ભ્રષ્ટાચારના કેસમાં કોર્ટે ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને 17 વર્ષની જેલની સજા ફટકારી છે. સમાચાર એજન્સી પીટીઆઈએ સ્થાનિક મીડિયાને ટાંકીને આ માહિતી આપી છે.

Breaking News : સસ્પેન્સ ખતમ, ઈમરાનખાન જીવે છે, 28 દિવસ બાદ અદિયાલા જેલમાં ઈમરાનખાન સાથે બહેન ઉઝમાની થઈ મુલાકાત

ઈમરાન ખાનની બહેન છેલ્લે 4 નવેમ્બરે ઈમરાન ખાનને મળી હતી ત્યારથી, કોઈને પણ ઈમરાનખાનને મળવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આ પછી, ઈમરાન ખાનના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા. આ લોકજૂવાળ ફાટી નીકળતા, પાકિસ્તાન સરકારે ઈમરાન ખાનની બહેનને જેલની અંદર મળવાની પરવાનગી આપી હતી.

જેલમાં બંધ ઈમરાન ખાન સાથે મુનીરે શું કર્યુ? કેમ દોઢ મહિનાથી તેમના પરિવારજનોને તેમને મળવા દેવાયા નથી?

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને લઈને અનેક અટકળો ચાલી રહી છે. પાકિસ્તાનમાં જેલમાં બંધ ઈમરાન ખાનની હત્યા થઈ ગઈ હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. છેલ્લા દોઢ મહિનાથી ઈમરાનને ના તો કોઈ મળી શક્યુ છે કે ના તો તેનો કોઈ વીડિયો કે તસવીર જારી કરાઈ છે. તેના પરિવારજનો કે તેમના પુત્રને પણ ઈમરાનને મળવા દેવામાં આવતા નથી. આથી પાકિસ્તાનમાં ઈમરાનની જેલમાં જ હત્યા કરી દેવાઈ હોવાની અફવાએ વેગ પકડ્યો છે.

જેલમાં કઈ થયું ! ઇમરાન ખાન પર સસ્પેન્સ, 5 સંકેતો જેણે ઘટનાની શંકાને વધુ ઘેરી બનાવી  

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની આસપાસની પરિસ્થિતિ દિવસે દિવસે વધુ રહસ્યમય બની રહી છે. અફઘાન મીડિયાએ તેમની હત્યાનો દાવો કર્યો છે, જ્યારે તેમના પરિવારને ત્રણ અઠવાડિયાથી મુલાકાતની મંજૂરી આપવામાં આવી નથી. છેલ્લા બે અઠવાડિયાથી સરકાર તરફથી કોઈ સત્તાવાર અપડેટ કે ફોટો બહાર આવ્યો નથી. જોકે, TV9 તેમના મૃત્યુ અંગેના દાવાઓની પુષ્ટિ કરતું નથી.

સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">