ઈમરાન ખાન

ઈમરાન ખાન

ઈમરાન ખાનનો જન્મ 5 ઓક્ટોબર 1952ના રોજ પાકિસ્તાનના લાહોરમાં એક પશ્તુન પરિવારમાં થયો હતો. ઈમરાનખાનનું પૂરું નામ ઈમરાન ખાન અહેમદ ખાન નિયાઝી છે. તેમનું પ્રારંભિક શિક્ષણ લાહોરની એચિસન કોલેજમાંથી થયું હતું. તેણે આગળનો અભ્યાસ લંડનથી કર્યો. ઈમરાન ઓક્સફર્ડ યુનિવર્સિટીની કેબલ કોલેજમાંથી સ્નાતક થયા છે. તેમણે ફિલોસોફી, પોલિટિકલ સાયન્સ અને ઈકોનોમિક્સમાં ડિગ્રી મેળવી. તેણે પોતાની ક્રિકેટ કારકિર્દી નાની ઉંમરે શરૂ કરી હતી. તેણે પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે 1971માં બર્મિંગહામમાં ઈંગ્લેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું. 1982 થી 1992 સુધી તેઓ પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન હતા. તેના નેતૃત્વમાં પાકિસ્તાને 1992માં ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો.

ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ઈમરાન ખાન રાજકારણમાં જોડાયા. તેમણે 1996માં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) નામની પોતાની રાજકીય પાર્ટી બનાવી. 1997માં, તેમણે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલી માટે બે બેઠકો પર ચૂંટણી લડી હતી પરંતુ તેમનો પરાજય થયો હતો. આ પછી, 2018 માં, તેમની પાર્ટીએ પૂર્ણ બહુમતી સાથે જીત મેળવી અને ઇમરાન ખાન પ્રથમ વખત પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા. તેમને 2022માં વડાપ્રધાન પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. તોશાખાના કેસમાં ઈમરાન ખાનને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

ઈમરાન ખાને ત્રણ લગ્ન કર્યા છે. 1995 માં, તેણે જેમિમા ગોલ્ડસ્મિથ સાથે લગ્ન કર્યા, જેનાથી તેને બે પુત્રો છે. તેમના બીજા લગ્ન રેહમ નય્યર ખાન સાથે થયા હતા. રેહમ સાથે છૂટાછેડા બાદ ઈમરાને 2018માં બુશરા બીબી સાથે ત્રીજી વખત લગ્ન કર્યા હતા.

Read More

પાકિસ્તાનના ફરીથી ભાગલા પડશે, ઈમરાન ખાને જેલમાંથી ભાખ્યું ભવિષ્ય !

જેલમાં કેદ રહેલા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું છે કે, ફરી એકવાર બાગ્લાદેશની માફક દેશના ભાગલા પડશે. ઈમરાન ખાન રાવલપિંડીની અદિયાલા જેલમાં કેદ છે. જેલમાંથી પાકિસ્તાનની વર્તમાન સ્થિતિને અનુલક્ષીને કહ્યું હતું કે, દેશની આવી સ્થિતિમાં ફરી એકવાર પાકિસ્તાનના ભાગલા પડે તો નવાઈ નહી.

ઈમરાનખાનની સજા માફ કરવા સાથે ફટકારાયો આકરો દંડ, 10 વર્ષ સુધી કોઈ પદ નહીં ભોગવી શકે

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી પહેલા નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો કોર્ટે તોશાખાના કેસમાં ઈમરાન ખાન અને તેની પત્ની બુશરા બીબીને 14 વર્ષની જેલની સજા સંભળાવી હતી. ઈસ્લામાબાદ હાઈકોર્ટે આ સજાને સ્થગિત કરી દીધી છે, પરંતુ બંને પર ભારે દંડ ફટકારવામાં આવ્યો છે.

Pakistan : ઈમરાન ખાન અને તેમની પત્નીને કોર્ટમાં હાજર થવા આદેશ, આ કેસોમાં જેલની સજા ભોગવી રહ્યા છે પૂર્વ PM

ઈસ્લામાબાદની જિલ્લા અને સત્ર અદાલતે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના સ્થાપક ઈમરાન ખાનને તેમની સામે દાખલ કરાયેલા બે કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. ઈસ્લામાબાદમાં પાર્ટીની લોંગ માર્ચ દરમિયાન ઈમરાન ખાન વિરુદ્ધ લુહી ભીર અને સહલા પોલીસ સ્ટેશનમાં બે કેસ નોંધવામાં આવ્યા છે.

Pakistan News: ઈમરાનની પાર્ટી પર કડક કાર્યવાહી, ઈસ્લામાબાદમાં વિરોધ રેલી યોજવા પર પ્રતિબંધ

પાકિસ્તાનના જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીએ પાકિસ્તાનમાં ચૂંટણીમાં ધાંધલધમાલ સામે ઈસ્લામાબાદમાં વિરોધ રેલી યોજવાની પરવાનગી માંગી હતી, પરંતુ વહીવટીતંત્રએ વિનંતીને ફગાવી દીધી છે. 8મી ફેબ્રુઆરીની ચૂંટણી બાદ આ પ્રથમ ઘટના હતી.

Pakistan : શું શાહબાઝ સરકાર પડી જશે ? ઈમરાન ખાનના આ પગલાથી પાકિસ્તાનમાં રાજકીય ખળભળાટ

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના વડા અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પાકિસ્તાનમાં સરકારના પતનને લઈને ઘણા કોન્ફિડન્ટ દેખાઈ રહ્યા છે. આ સિવાય તેમણે જેલમાંથી છૂટવાની વાત પણ કરી છે. તાજેતરમાં જ ઈમરાન ખાને કહ્યું હતું કે પાકિસ્તાનની વર્તમાન સરકાર ચાર-પાંચ મહિનાથી વધુ સત્તામાં નહીં રહે.

ઈમરાન ખાનનું EVM પર નિવેદન, કહ્યું- ‘જો પાકિસ્તાનમાં હોત તો…’

ઈમરાને કહ્યું કે પાકિસ્તાનના ચૂંટણી પંચ, કેટલાક રાજકીય પક્ષો અને સંસ્થાઓએ દેશમાં ઈવીએમ દાખલ કરવાની યોજનાને બરબાદ કરી દીધી છે. જેલમાં રહેલા ઇમરાને કહ્યું છે કે જો પાકિસ્તાનમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) હોત તો ચૂંટણીમાં આવો ભ્રષ્ટાચાર થયો ન હોત.

પાકિસ્તાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી, ઇમરાન સમર્થીત ઉમેદવારોએ ચૂંટણી રદ કરવાની કરી માગ

પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલીની ચૂંટણી પૂર્ણ થયા બાદ અને શાહબાઝ શરીફ ફરીથી વડાપ્રધાન બન્યા બાદ નવા રાષ્ટ્રપતિ માટે આજે ચૂંટણી યોજાવાની છે. પરંતુ ઈમરાન ખાન દ્વારા સમર્થિત ઉમેદવારે આ ચૂંટણી મોકૂફ રાખવાની માંગ કરી છે. એ અલગ વાત છે કે હજુ સુધી તેમની માંગણીઓ પર વિચાર કરવામાં આવ્યો નથી.

પાકિસ્તાનમાં વડાપ્રધાન માટે 3 માર્ચે ચૂંટણી, કોણ જીતશે શાહબાઝ શરીફ કે ઈમરાનખાનનો ઉમેદવાર ?

પાકિસ્તાનમાં આગામી 3 માર્ચે નક્કી થશે કે પાકિસ્તાનના નવા વઝીર-એ-આઝમ કોણ બનશે. મુસ્લિમ લીગ નવાઝ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સંયુક્ત ઉમેદવાર તરીકે શાહબાઝ શરીફ ચૂંટણી મેદાનમાં છે. ઈમરાનખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફે ઓમર અયુબ ખાનને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. પાકિસ્તાનના નેશનલ એસેમ્બલીમાં વડાપ્રધાનપદ માટે ચૂંટણી યોજાશે. વડાપ્રધાનપદ માટે ઉમેદવારી નોંધાવવાનો આવતીકાલ 2 માર્ચ છેલ્લો દિવસ છે.

પાકિસ્તાનમાં હજુ પણ નથી બની શકી સરકાર, ઈમરાન ખાન શિયા સુન્નીની જાળમાં ફસાઈ ગયા ?

પાકિસ્તાનમા 8 ફેબ્રુઆરીએ યોજાયેલ નેશનલ એસેમ્બલીની ચૂંટણીના પરિણામ મુજબ કોઈ પક્ષને સ્પષ્ટ બહુમત સાપડ્યો નથી. પાકિસ્તાનની જનતાનો ખંડિત જનાદેશ મળ્યો હોવા છતા પાકિસ્તાન રાજકીય પક્ષો વચ્ચે સરકાર રચવા માટે સહમતી બનતી નથી, આ દરમિયાન પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ સમર્થિત ઉમેદવારો પાકિસ્તાનમાં સરકાર બનાવવા માટે સુન્ની ઇત્તેહાદ કાઉન્સિલમાં જોડાવા જઈ રહ્યા છે. પીએમએલ-એન અને પીપીપીના ગઠબંધન બાદ પીટીઆઈએ પણ ગઠબંધનની જાહેરાત કરી છે.

પાકિસ્તાનમાં ફરીથી યોજાશે ચૂંટણી ? રાવલપિંડીના કમિશનરના નિવેદન બાદ રાજકીય ખળભળાટ

પાકિસ્તાનમાં રાવલપિંડીના કમિશનર લિયાકત અલી ચટ્ટાએ સામાન્ય ચૂંટણીમાં ગેરરિતીના આરોપ લગાવ્યા છે. આ દરમિયાન પાકિસ્તાનના ચૂંટણી પંચે (ECP) આ દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધા છે અને એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. જે આ દાવાઓની તપાસ કરશે.

પાકિસ્તાનમાં નથી અટકી રહ્યો રાજકીય વિવાદ, ઈમરાનના સમર્થકોનું પોલીસ સાથે ઘર્ષણ

8 ફેબ્રુઆરીએ યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં કથિત ધાંધલધમાલના વિરોધમાં પાકિસ્તાનના જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટીના સમર્થકોએ દેશભરના વિવિધ શહેરોમાં પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. વિરોધીઓ એકઠા થાય તે પહેલા જ પોલીસ વિરોધ સ્થળ પર પહોંચી ગઈ અને પાર્ટીના ઘણા નેતાઓ, ઉમેદવારો, કાર્યકરો અને સમર્થકોની ધરપકડ કરી લીધી હતી.

ચૂંટણીના પરિણામોના 9 દિવસ બાદ, પાકિસ્તાનમાં નથી બની સરકાર, નવાઝ અને બિલાવલ વચ્ચે સમજૂતી કેમ પડી ભાંગી ?

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની, પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટી દ્વારા સમર્થિત ઉમેદવારોએ 8 ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીમાં 93 નેશનલ એસેમ્બલી બેઠકો જીતી હતી. જોકે, અન્ય પાર્ટીના સમર્થનના અભાવે તેઓ સરકાર બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. 265 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં નવાઝની પાર્ટીને 75 અને ભુટ્ટોની પાર્ટીને 57 બેઠકો મળી હતી.

ઈમરાન ખાનની સરકાર પાડવા પાછળ તેના અંગતના આ નેતાનો હાથ, આ પાકિસ્તાની નેતાએ લગાવ્યો મોટો આરોપ

પાકિસ્તાનના અગ્રણી નેતાએ ટોચના સૈન્ય અધિકારીઓ પર 2022માં ઈમરાન ખાનની સરકારને તોડી પાડવાનો આરોપ લગાવ્યો છે. બીજા પ્રધાનમંત્રીની જેમ ઈમરાન ખાન પણ 5 વર્ષ સુધી સરકાર ચલાવવામાં સફળ રહ્યા નહોતા અને તેમની સરકાર પાડી દેવામાં આવી હતી.

ઈમરાન ખાનની પાર્ટીએ ઓમર અયુબને PM પદના ઉમેદવાર તરીકે કર્યા પસંદ, જાણો આ નેતા વિશે બધું

ઓમર અયુબ પાકિસ્તાનના પ્રખ્યાત અયુબ ખાન પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમના દાદા જનરલ મોહમ્મદ અય્યાબ ખાન પાકિસ્તાનના બીજા રાષ્ટ્રપતિ હતા. તેમના પિતા પણ દેશના મોટા રાજનેતા રહી ચૂક્યા છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પણ સરકાર બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

Pakistan : કોણ બનશે વડાપ્રધાન, ક્યાં ગુંચવાયું છે કોકડું, સત્તાનો સ્વાદ ચાખી ચૂકેલ સૈન્ય હવે કેવી ભજવશે ભૂમિકા ?

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીના પરિણામ સામે આવ્યા બાદ પણ હજુ સુધી કોઈ વડાપ્રધાન બની શક્યું નથી. સત્તાનો સ્વાદ ચાખી ચૂકેલા પાકિસ્તાન સૈન્ય, પોતાના કહ્યાં પર કામ કરે તેવા વડાપ્રધાન ઈચ્છે છે. સ્પષ્ટ બહુમતીના અભાવે જોડાણવાળી સરકાર અસ્તિત્વમાં આવશે પરંતુ પાકિસ્તાન સૈન્યને એ જોડાણના કેટલાક ચહેરા પસંદ નથી. 

કાળઝાળ ગરમી અને માવઠાની આગાહી
કાળઝાળ ગરમી અને માવઠાની આગાહી
કાળઝાળ ગરમી વચ્ચે આ વર્ષે કેસર કેરીના ભાવે પણ આપ્યા ડામ- જુઓ Video
કાળઝાળ ગરમી વચ્ચે આ વર્ષે કેસર કેરીના ભાવે પણ આપ્યા ડામ- જુઓ Video
ઘોડાએ કર્યો એવો ડાન્સ કે જોઈને સહુ કોઈ બોલી ઉઠ્યા વાહ- જુઓ વીડિયો
ઘોડાએ કર્યો એવો ડાન્સ કે જોઈને સહુ કોઈ બોલી ઉઠ્યા વાહ- જુઓ વીડિયો
ઈફ્કો વિવાદ મુદ્દે જયેશ રાદડિયાનો પલટવાર, વિરોધ કરનારાઓ જુએ ભૂતકાળ
ઈફ્કો વિવાદ મુદ્દે જયેશ રાદડિયાનો પલટવાર, વિરોધ કરનારાઓ જુએ ભૂતકાળ
બનાસકાંઠા: એરોમા સર્કલની ખોરંભે ચડેલી કામગીરી શરૂ, TV9 ના અહેવાલની અસર
બનાસકાંઠા: એરોમા સર્કલની ખોરંભે ચડેલી કામગીરી શરૂ, TV9 ના અહેવાલની અસર
મહેસાણાઃ કાળજાળ ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કનો લઈ રહ્યા છે સહારો
મહેસાણાઃ કાળજાળ ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કનો લઈ રહ્યા છે સહારો
હવામાન વિભાગની આગામી 5 દિવસ માટે અગાહી, સામાન્ય વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગામી 5 દિવસ માટે અગાહી, સામાન્ય વરસાદની શક્યતા
ગુજરાતમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની અંબાલાલે કરી આગાહી-VIDEO
ગુજરાતમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની અંબાલાલે કરી આગાહી-VIDEO
અરવલ્લીઃ રુ. 500 અને 1000 ની રદ થયેલી ચલણી નોટો સાથે યુવક ઝડપાયો
અરવલ્લીઃ રુ. 500 અને 1000 ની રદ થયેલી ચલણી નોટો સાથે યુવક ઝડપાયો
Rajkot : જેતપુરના જૂનાગઢ રોડ પર ગેરેજમાં લાગી ભીષણ આગ
Rajkot : જેતપુરના જૂનાગઢ રોડ પર ગેરેજમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">