AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC Breaking : કપિલ દેવથી ગૌતમ ગંભીર … આ પાંચ વર્લ્ડ કપ વિજેતા ખેલાડીઓ બન્યા ટીમ ઈન્ડિયાના કોચ

ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં અનેક એવા દિગ્ગજ ખેલાડીઓ રહ્યા છે જેમણે પહેલા વર્લ્ડ કપ જીતવાની સિદ્ધિ હાંસલ કરી અને ત્યારબાદ ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે જવાબદારી સંભાળી. વર્તમાન સમયમાં ગૌતમ ગંભીર આ ભૂમિકા નિભાવી રહ્યો છે. પરંતુ તેના પહેલા પણ ચાર વર્લ્ડ કપ વિજેતા ખેલાડીઓ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રહી ચૂક્યા છે.

| Updated on: Feb 24, 2026 | 7:33 PM
Share
ભારતીય ક્રિકેટમાં પાંચ દિગ્ગજ ખેલાડીઓ એવા છે જે વર્લ્ડ કપ વિજેતા છે અને તેમણે મેદાન પર દેશને ગૌરવ અપાવ્યા બાદ કોચ તરીકે નવી પેઢીને માર્ગદર્શન પણ આપ્યું છે. ખેલાડીથી કોચ સુધીની તેમની સફર ભારતીય ક્રિકેટ માટે પ્રેરણાદાયક રહી છે અને આવનારી પેઢી માટે માર્ગદર્શક બની રહી છે.

ભારતીય ક્રિકેટમાં પાંચ દિગ્ગજ ખેલાડીઓ એવા છે જે વર્લ્ડ કપ વિજેતા છે અને તેમણે મેદાન પર દેશને ગૌરવ અપાવ્યા બાદ કોચ તરીકે નવી પેઢીને માર્ગદર્શન પણ આપ્યું છે. ખેલાડીથી કોચ સુધીની તેમની સફર ભારતીય ક્રિકેટ માટે પ્રેરણાદાયક રહી છે અને આવનારી પેઢી માટે માર્ગદર્શક બની રહી છે.

1 / 6
ભારતને 2011 ના વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ગૌતમ ગંભીર હાલમાં ટીમ ઈન્ડિયાનો હેડ કોચ તરીકે કાર્યરત છે. 2011 ના વર્લ્ડ કપ ફાઈનલમાં તેણે 97 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી. તેના શાંત સ્વભાવ અને દબાણમાં રમવાની ક્ષમતા ટીમ માટે મજબૂત આધાર બની હતી. હવે તે પોતાના અનુભવથી યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપી રહ્યો છે.

ભારતને 2011 ના વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ગૌતમ ગંભીર હાલમાં ટીમ ઈન્ડિયાનો હેડ કોચ તરીકે કાર્યરત છે. 2011 ના વર્લ્ડ કપ ફાઈનલમાં તેણે 97 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી. તેના શાંત સ્વભાવ અને દબાણમાં રમવાની ક્ષમતા ટીમ માટે મજબૂત આધાર બની હતી. હવે તે પોતાના અનુભવથી યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપી રહ્યો છે.

2 / 6
1983 ની ઐતિહાસિક વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય રવિ શાસ્ત્રી પણ ટીમ ઈન્ડિયાના હેડ કોચ રહી ચૂક્યા છે. 2007 માં તેઓ પ્રથમ વખત વચગાળાના કોચ બન્યા હતા. બાદમાં 2017 થી 2021 દરમિયાન તેમણે હેડ કોચ તરીકે સેવા આપી. તેમના કાર્યકાળ દરમિયાન ભારતે ટેસ્ટ ક્રિકેટમાં નોંધપાત્ર સફળતા મેળવી.

1983 ની ઐતિહાસિક વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય રવિ શાસ્ત્રી પણ ટીમ ઈન્ડિયાના હેડ કોચ રહી ચૂક્યા છે. 2007 માં તેઓ પ્રથમ વખત વચગાળાના કોચ બન્યા હતા. બાદમાં 2017 થી 2021 દરમિયાન તેમણે હેડ કોચ તરીકે સેવા આપી. તેમના કાર્યકાળ દરમિયાન ભારતે ટેસ્ટ ક્રિકેટમાં નોંધપાત્ર સફળતા મેળવી.

3 / 6
ભારતને 1983 માં પ્રથમ વર્લ્ડ કપ જીતાડનાર કપ્તાન કપિલ દેવ સપ્ટેમ્બર 1999 માં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બન્યા હતા. તેઓએ એક વર્ષ સુધી આ જવાબદારી સંભાળી. તેમના નેતૃત્વ અને ઓલરાઉન્ડ પ્રદર્શનને કારણે 1983 ની જીત ભારતીય ક્રિકેટ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી.

ભારતને 1983 માં પ્રથમ વર્લ્ડ કપ જીતાડનાર કપ્તાન કપિલ દેવ સપ્ટેમ્બર 1999 માં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બન્યા હતા. તેઓએ એક વર્ષ સુધી આ જવાબદારી સંભાળી. તેમના નેતૃત્વ અને ઓલરાઉન્ડ પ્રદર્શનને કારણે 1983 ની જીત ભારતીય ક્રિકેટ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી.

4 / 6
1983 ના વર્લ્ડ કપમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર મદન લાલ પણ ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે સેવા આપી ચૂક્યા છે. 1983ના ટુર્નામેન્ટમાં તેમણે 17 વિકેટ લઈને ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 1996 થી 1997 દરમિયાન તેમણે ભારતીય ટીમને માર્ગદર્શન આપ્યું હતું.

1983 ના વર્લ્ડ કપમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર મદન લાલ પણ ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે સેવા આપી ચૂક્યા છે. 1983ના ટુર્નામેન્ટમાં તેમણે 17 વિકેટ લઈને ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 1996 થી 1997 દરમિયાન તેમણે ભારતીય ટીમને માર્ગદર્શન આપ્યું હતું.

5 / 6
1983 ની જ વિજેતા ટીમના સભ્ય સંદીપ પાટિલ વર્લ્ડ કપ જીતનાર ટીમમાંથી પ્રથમ એવા ખેલાડી હતા જેઓ બાદમાં ટીમ ઈન્ડિયાના હેડ કોચ બન્યા. 1996 માં તેમણે આ પદ સંભાળ્યું હતું. તેમની આક્રમક બેટિંગ શૈલી અને સ્પષ્ટ વિચારોને કારણે તેઓ હંમેશા ચર્ચામાં રહ્યા.(PC: PTI/X)

1983 ની જ વિજેતા ટીમના સભ્ય સંદીપ પાટિલ વર્લ્ડ કપ જીતનાર ટીમમાંથી પ્રથમ એવા ખેલાડી હતા જેઓ બાદમાં ટીમ ઈન્ડિયાના હેડ કોચ બન્યા. 1996 માં તેમણે આ પદ સંભાળ્યું હતું. તેમની આક્રમક બેટિંગ શૈલી અને સ્પષ્ટ વિચારોને કારણે તેઓ હંમેશા ચર્ચામાં રહ્યા.(PC: PTI/X)

6 / 6

Breaking News : સ્મૃતિ મંધાના-હરમનપ્રીત કૌરની ફિફ્ટી વ્યર્થ ગઈ, ઓસ્ટ્રેલિયાએ ભારતને પહેલી ODI માં હરાવ્યું

Follow Us
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું
જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો
રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો
વડોદરાના અડધોઅડધ વિસ્તારોમાં 30 દિવસ સુધી રહેશે પાણીકાપ
વડોદરાના અડધોઅડધ વિસ્તારોમાં 30 દિવસ સુધી રહેશે પાણીકાપ
દાંતીવાડામાં બેફામ ખનીજ ચોરી, યુવકના મોત બાદ કલેક્ટર કચેરીએ મોરચો
દાંતીવાડામાં બેફામ ખનીજ ચોરી, યુવકના મોત બાદ કલેક્ટર કચેરીએ મોરચો
g clip-path="url(#clip0_868_265)">