AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગરમીમાં આ શાકભાજી જરૂર ખાઓ, પોષક તત્વો સાથે શરીરમાં પાણીની ઉણપ પણ પૂરી થશે

ગરમી આવી ગઈ છે, આ ગરમીમાં શરીરને અનુકૂળ બનાવવા માટે આહાર સંતુલિત રાખવો ખૂબ જરૂરી છે. તેના માટે સૌથી સારો રસ્તો એ છે કે તમે તમારા આહારમાં સીઝનલ ફળ અને શાકભાજીનો સમાવેશ કરો. આ લેખમાં એવી શાકભાજી વિશે જાણીએ જે પોષક તત્ત્વોથી ભરપૂર હોવા ઉપરાંત શરીરમાં પાણીની ઉણપ પૂરી કરવામાં મદદ કરે છે. તેથી ગરમીના સમયમાં તેને ખાસ કરીને ખાવા જોઈએ.

ગરમીમાં આ શાકભાજી જરૂર ખાઓ, પોષક તત્વો સાથે શરીરમાં પાણીની ઉણપ પણ પૂરી થશે
Image Credit source: google
| Updated on: Mar 15, 2026 | 12:21 PM
Share

ગરમીમાં શરીરને પોષણ સાથે સાથે હાઈડ્રેટ રાખવાની પણ ખૂબ જરૂર પડે છે. તેથી આ સમયમાં માત્ર પાણી જ નહીં પરંતુ રસદાર ફળ, જ્યુસ, છાશ અને નાળિયેર પાણી જેવી વસ્તુઓ લેવાની સલાહ આપવામાં આવે છે. સાથે જ કેટલીક શાકભાજી એવી પણ છે જે શરીરમાં પાણીની માત્રા જાળવવામાં મદદ કરે છે.

ગરમીના સમયમાં શરીરમાં પાણીનું સંતુલન જાળવવું ખૂબ જરૂરી છે. જો શરીરમાં પ્રવાહીનું સંતુલન બગડે તો થાક, ચક્કર આવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. સીઝનલ શાકભાજી વિટામિન અને મિનરલ્સની કમી પૂરી કરે છે અને હીટવેવથી પણ બચાવવામાં મદદરૂપ બને છે. ચાલો હવે એવી શાકભાજી વિશે જાણીએ જે પોષક તત્ત્વો અને પાણીથી ભરપૂર છે.

ખીરા કાકડી ખાવામાં રાખો ધ્યાન

ગરમીના દિવસોમાં ખીરા કાકડી રોજ ખાવાનો એક ભાગ બનાવવો જોઈએ. ખીરા કાકડી ખરીદતાં સમયે દેશી ખીરા કાકડી પસંદ કરવું વધુ સારું રહે છે. ખીરા કાકડીમાં પાણીની માત્રા વધુ હોય છે. તે વિટામિન C, ફાઈબર, પોટેશિયમ અને વિટામિન K નું સારો સ્ત્રોત છે. આ ઉપરાંત તમે ખીરા કાકડીને પણ આહારમાં સામેલ કરી શકો છો.

ટામેટાં પણ છે ઉત્તમ વિકલ્પ

ગરમીમાં ટામેટાંને શાકભાજી તરીકે અથવા કાચા સલાડ તરીકે ખાઈ શકાય છે. તેમાં વિટામિન C સાથે લાયકોપીન પણ પૂરતું હોય છે. સાથે જ તેમાં પોટેશિયમ પણ સારી માત્રામાં હોય છે. હેલ્થલાઇન મુજબ 100 ગ્રામ ટામેટાંમાં લગભગ 95% પાણી હોય છે.

લૂથી બચાવે છે ડુંગળી

ગરમીના સમયમાં ડુંગળી કાચા સલાડ તરીકે ખાવું ખૂબ ફાયદાકારક છે. ડુંગળી દરેક ઋતુમાં ખવાય છે, તેમાય ખાસ કરીને ગરમીની ઋતુ આવે ત્યારે ખાસ ઉપયોગી માનવામાં આવે છે, કારણ કે તે લૂથી બચાવવામાં મદદ કરે છે. 100 ગ્રામ ડુંગળીમાં લગભગ 89.1 ગ્રામ પાણી હોય છે.

આ શાકભાજી-ફળ પણ છે પાણીથી ભરપૂર

ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક અને પોષણ આપતા શાકભાજી અને ફળો શ્રેષ્ઠ છે. શાકભાજીમાં ભીંડા, કાકડી, દૂધી, કારેલા, તુરીયા, ગુવાર અને લીલી ડુંગળી અને ફળોમાં કેરી, તરબૂચ, દ્રાક્ષ, લીંબુ, અનાનસ અને જામફળ નો સમાવેશ થાય છે,આવા શાકભાજી અને ફળ લેવાથી શરીરમાં પાણી જળવાય રહે છે, ડીહાઈડ્રેશનથી અને ગરમીના પ્રભાવથી બચવામાં મદદ મળે છે.

શું ખાટા ઓડકાર આવવા પેટના અલ્સરનું લક્ષણ છે? નિષ્ણાત પાસેથી જાણો વધુ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

Follow Us
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
g clip-path="url(#clip0_868_265)">