AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સનાતન ધર્મના અનુયાયીઓ નિરાશ થાય તેવુ શાસન હવે આ દેશમાં ક્યારેય નહીં આવેઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, છેલ્લા 11 વર્ષથી દેશમાં ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્ર મોદીની સરકાર છે. આઝાદી બાદ સનાતન ધર્મના અનેક સંપ્રદાયના સૌ અનુયાયીઓ રાહ જોતા હતા કે એક એવી સરકાર આવે કે જે આપણા સનાતન ધર્મને મહત્વ આપી તેના આધાર પર દેશ ચલાવે. 550 વર્ષ પહેલા બાબરે તોડેલ મંદિર ફરી બને અને જોત જોતામાં મંદીર બન્યું એટલુ જ નહીં તેના પર ભગવી ધજા પણ લહેરાય છે.

સનાતન ધર્મના અનુયાયીઓ નિરાશ થાય તેવુ શાસન હવે આ દેશમાં ક્યારેય નહીં આવેઃ અમિત શાહ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2026 | 7:37 PM
Share

સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મગ્રંથ શિક્ષાપત્રીને 200 વર્ષ પૂર્ણ થવા અંગે, ગાંધીનગરના અડાલજ ખાતે સમૈયાનું આયોજન કરાયેલ છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહે આજે શિક્ષાપત્રી સામૈયામાં ઉપસ્થિત રહીને સંબોધન કર્યું હતું. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, છેલ્લા 11 વર્ષથી દેશમાં ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્ર મોદીની સરકાર છે. આઝાદી બાદ સનાતન ધર્મના અનેક સંપ્રદાયના સૌ અનુયાયીઓ રાહ જોતા હતા કે એક એવી સરકાર આવે કે જે આપણા સનાતન ધર્મને મહત્વ આપી તેના આધાર પર દેશ ચલાવે. 550 વર્ષ પહેલા બાબરે તોડેલ મંદિર ફરી બને અને જોત જોતામાં મંદીર બન્યું એટલુ જ નહીં તેના પર ભગવી ધજા પણ લહેરાય છે.

અમિત શાહે વધુમાં કહ્યું કે, આર્ટીકલ 370મી કલમ કાશ્મીરને આપણું પોતાનું કરવાની વાત પૂરી થઈ, ત્રિપલ તલ્લાક પૂરા થયા. કોમન સિવીલ કોડ, યોગ, ગૌસેવા, બદ્રીનાથ, મહાકાળ સહિતના અનેક મંદિરનો કોરિડોર રચાયો. હવે સોમનાથનો બની રહ્યો છે. છેલ્લા 11 વર્ષમાં સનાતન ધર્મ માટે હાથ ઉપર લીધેલા તમામ કાર્યો પૂરા કર્યા છે. હવે સનાતન ધર્મના અનુયાયીઓને નિરાશ થવું પડે તેવી સરકાર કે તેમનુ શાસન આ દેશમાં ક્યારેય આવવાનું નથી.

વિક્રમ સંવત 1882 ની વસંત પંચમીએ વડતાલની ધરતી પર ભગવાન સ્વામિનારાયણ દ્વારા શિક્ષાપત્રી રચાયેલી હતી. આ શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થતા અડાલજ ખાતે સમૈયો યોજાઈ રહેલ છે. સામૈયા મહોત્સવના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિભક્તોને વીડિયો સંદેશ પાઠવ્યો હતો. કાલુપુર સ્વામિનારાયણ મંદિર ના મુખ્ય ગાદીપતિ કૌશલેન્દ્ર પ્રસાદ મહારાજ તથા વ્રજેન્દ્રપ્રસાદ જી (લાલજી) મહારાજ એ શિક્ષાપત્રી અને તેના મૂલ્યો લોકો સુધી પહોંચાડવા હરિભક્તોને અપીલ કરી છે.

Breaking News : ખેડૂતો પાસેથી સરકાર પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 2585ના દરે ઘઉં ખરીદશે, 1 ફેબ્રુઆરીથી શરૂ થશે ઓનલાઇન નોંધણી

Follow Us
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">