27 ડિસેમ્બરના મહત્વના સમાચાર : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે, શેલામાં મહત્વપૂર્ણ ડ્રેનેજ પાઈપલાઈનનું કરશે લોકાર્પણ
આજે 27 ડિસેમ્બરને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES
-
રાજકોટ: 31ST ડિસેમ્બરને લઈ શહેર પોલીસ એક્શનમાં
રાજકોટ: 31ST ડિસેમ્બરને લઈ શહેર પોલીસ એક્શનમાં આવી ગઇ છે. ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવવા FSLની ટીમ સાથે SOGએ ચેકિંગ હાથ ધર્યુ. મોડી રાત સુધી અનેક વિસ્તારોમાં વાહનોનું ચેકિંગ કરાયું. નવા વર્ષની ઉજવણી પર પોલીસની બાજ નજર રહેશે. દારુ, ડ્રગ્સ સહિતની ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા પોલીસ એલર્ટ મોડ પર છે.
-
જાપાનમાં બરફના કહેરે મચાવ્યો હાહાકાર
જાપાનમાં બરફના કહેરે મચાવ્યો હાહાકાર મચી ગયો છે. અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડતા કાતિલ ઠંડી પડી રહી છે. ઠંડા પવન ફૂંકાતા લોકો હાડ થીજવતી ઠંડીમાં ઠુંઠવાયા.સતત હિમવર્ષા પડતા ચારેકોર બરફની ચાદરો છવાઈ છે. હિમવર્ષાને કારણે રસ્તા સહિત વાહનો, મકાનો પર બરફ જામી ગયો છે. કાતિલ ઠંડીમાં લોકોનું બહાર નીકળવુ મુશ્કેલ બન્યુ.
-
-
દાહોદઃ મધ્યપ્રદેશ પરિવહનની બસને નડ્યો અકસ્માત
દાહોદઃ મધ્યપ્રદેશ પરિવહનની બસને અકસ્માત નડ્યો. હોટલ પર બસ ટર્ન લેતા સમયે પાછળથી ટ્રકે ટક્કર મારી. ટ્રકની જોરદાર ટક્કરથી બસની પલટી, એક મુસાફરનું મોત થયુ છે. બસમાં સવાર 17 ઇજાગ્રસ્ત નજીકની હોસ્પિટલમાં ખસેડાયા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી.
-
પેરિસ મેટ્રો સ્ટેશનો પર ત્રણ મહિલાઓ પર ચાકુથી હુમલો, શંકાસ્પદની ધરપકડ
પેરિસના અલગ અલગ મેટ્રો સ્ટેશનો પર ત્રણ મહિલાઓ પર ચાકુથી હુમલાની ઘટના બની, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો. સમાચાર અહેવાલો અનુસાર, ફ્રેન્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે મેટ્રો લાઇન 3 પર ટૂંકા ગાળામાં હુમલાઓ થયા હતા.
-
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી ગુજરાત પ્રવાસે આવશે
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી ગુજરાત પ્રવાસે આવશે. 27 અને 28 ડિસેમ્બરે અમદાવાદની મુલાકાત લેશે. 28 ડિસેમ્બરે શેલામાં મહત્વપૂર્ણ ડ્રેનેજ પાઈપલાઈનનું લોકાર્પણ કરશે. થોડા સમય અગાઉ રહીશોએ કેન્દ્રીય ગૃહપ્રધાનને રજૂઆત કરી હતી. અમિત શાહે 600 કરોડના ખર્ચે ઝડપથી કાર્ય પૂર્ણ કરવા ખાતરી આપી હતી. સાબરમતી નદી વિસ્તારમાં રહેતા લોકોને પુનર્વસન અને સર્ટિફિકેશન પણ આપશે. પકવાન સર્કલ ખાતે તૈયાર થયેલા આઈકોનિક S.G હાઈવે પ્રોજેક્ટની મુલાકાત લેશે. બપોરે 2 વાગ્યે ગુરુદ્વારા ગોવિંદધામ દર્શન કરશે. સાંજે 7 વાગ્યે વિશ્વ ઉમિયાધામ ખાતે યુવા બિઝનેસ મહાસંમેલનમાં હાજરી આપશે. સાંજે 6 વાગ્યે નમોત્સવમાં પણ હાજર રહેશે.
-
આજે 27 ડિસેમ્બરને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Dec 27,2025 7:25 AM