AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાશનની દુકાનોમાં ચાલતી ગેરરીતિઓ અટકાવવા ગુજરાતમાં અનાજ ATM નો અમિત શાહે કરાવ્યો પ્રારંભ- Video

ગુજરાતમાં હવે ATM માંથી માત્ર પૈસા જ નહીં પરંતુ અનાજ પણ મળશે. દેશના ગૃહમંત્રી અમિત શાહે આજે અનાજ ATM માટેની ડિજિટલ કાર્ડ સિસ્ટમનો પ્રારંભ કરાવ્યો. જેનાથી રાશન કાર્ડની દુકાનો પર ચાલતી ગેરરીતિઓ અટકશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2026 | 10:14 PM
Share

રાજ્યમાં સસ્તા અનાજની દુકાનો પર થતી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર પર લગામ મૂકવા માટે સરકાર 15 ફેબ્રુઆરીથી અનાજ વિતરણ વ્યવસ્થામાં મોટો ફેરફાર થયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ‘અનાજ ATM’ શરૂઆત કરાવી હતી. સાથે જ ડિજિટલ કાર્ડ સિસ્ટમનો પણ અમલ કર્યો હતો. હાલ સુધી લાભાર્થીઓ રેશનકાર્ડના આધારે દુકાન પરથી અનાજ મેળવતા હતા, પરંતુ હવે ATM જેવા મશીનમાંથી 1 કિલોના પેકિંગમાં સીધું અનાજ મળશે.

લાભાર્થીને તેના હક મુજબનું પૂર્ણ વજનનું અનાજ મશીન દ્વારા મળશે, જેથી તોલમાં ગેરરીતિ અથવા કાપકૂપની ફરિયાદો બંધ થશે. ભવિષ્યમાં 24×7 અનાજ ઉપલબ્ધ થાય તેવી પણ વ્યવસ્થા વિકસાવવામાં આવશે. અનાજ ATMમાંથી 35 સેકન્ડમાં 25 કિલો અનાજ મળશે. સાથે જ આપને જણાવી દઈએ કે પ્રથમ મશીન પાયલોટ પ્રોજેક્ટ સ્વરૂપે કલોલમાં મૂકવામાં આવશે.

Input Credit- Ronak Varma- Gandhinagar

હવે કોંગ્રેસના અનંત પટેલના બદલાયા તેવર કહ્યુ પાર્ટી સમાજ સાથે અન્યાય કરશે તો મને પાર્ટી છોડી દેતા વાર નહીં લાગે- Video

g clip-path="url(#clip0_868_265)">