AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આમ આદમી પાર્ટી

આમ આદમી પાર્ટી

આમ આદમી પાર્ટી અથવા AAP એ ભારતનો એક રાજકીય પક્ષ છે. જેને હવે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળ્યો છે. ભ્રષ્ટાચાર સામે શરુ થયેલા અન્ના હજારેના આંદોલન પછી AAPની રચના 2012માં થઈ હતી. સમાજ સેવક અન્ના હઝારે અને આંદોલન સાથે સંકળાયેલા કેટલાક લોકોનું માનવુ હતુ કે રાજકારણમાં પ્રવેશ કરવો જોઇએ નહીં. જો કે IRS અધિકારી રહી ચુકેલા અરવિંદ કેજરીવાલ અને તેમની સાથેના કેટલાક લોકોનો અભિપ્રાય અલગ હતો અને તેઓ રાજકારણમાં આવીને રાજકારણ બદલવાની વાત કહીને આગળ વધી ગયા.

આમ આદમી પાર્ટીની રચનાની સત્તાવાર જાહેરાત 26 નવેમ્બર 2012ના રોજ દિલ્હીના જંતર મંતર ખાતે કરવામાં આવી હતી. એક વર્ષ પછી 2013માં આમ આદમી પાર્ટી પ્રથમ ચૂંટણી લડી હતી. જે પછી આમ આદમી પાર્ટી 70 બેઠક ધરાવતી દિલ્હી વિધાનસભામાં જીત મેળવી બીજી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી. આમ આદમી પાર્ટીએ 28 બેઠક મેળવી હતી. કોંગ્રેસે તેમને બહારથી ટેકો આપ્યો અને દિલ્હીમાં કેજરીવાલ સરકારની રચના થઇ. જો કે આ સરકાર લાંબા સમય સુધી ટકી શકી નહીં. 49 દિવસ બાદ અરવિંદ કેજરીવાલે રાજીનામું આપ્યું. AAPએ ફક્ત દિલ્હી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. 2015ની વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો હતો.

AAPએ 70માંથી 67 બેઠક મેળવી, પરંતુ તે દરમિયાન પાર્ટીમાં ભંગાણ શરૂ થઇ ગયુ. એપ્રિલ 2015માં પાર્ટીના સંસ્થાપક સભ્ય યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ અને પ્રોફેસર આનંદ કુમારને આમ આદમી પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. હાલમાં પંજાબ અને દિલ્હીમાં આપ સરકાર છે અને આમ આદમી પાર્ટી, દેશના વિરોધ પક્ષોએ ભેગા થઈને રચેલા જોડાણ I.N.D.I.A નો એક ભાગ છે.

Read More

2027માં ભાજપ સરકારનુ ફિંડલુ વળી જશે, દિલ્હીમાં ગુજરાતના પ્રધાનો નક્કી કરાય છેઃ AAP

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે ગત સપ્તાહે ખેડૂતો માટે જાહેર કરેલ 10,000 કરોડના રાહત પેકેજ બાદ, આજે ભાણવડ ખાતે આમ આદમી પાર્ટીનું ખેડૂત મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલનમાં, આમ આદમી પાર્ટીએ, ખેડૂતોના સંપૂર્ણ દેવામાફી અને પાક વીમા યોજના લાગુ કરવાની માંગણી કરી હતી.

“હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બની રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં નહીં જોડાવ”- આ ધારાસભ્યે કર્યો હુંકાર

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ફાયરબ્રાંડ નેતા ચૈતર વસાવાએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. વસાવાએ છોટાઉદેપુરની સભામાં કહ્યુ કે મને આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાવા માટે દબાણ કરવામાં આવી રહ્યુ છે પરંતુ અમે કોઈ સર્કસના વાઘ બનવા નથી માગતા અમે સ્વતંત્ર જંગલના વાઘ બનીને રહેવા માગીએ છીએ. ચૈતર વસાવાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડેડિયાડાની મુલાકાતના 4 દિવસ પહેલા આપ્યુ છે.

મંત્રીઓ ખેતરમાં ફોટા પડાવવાનું નાટક બંધ કરે, હેક્ટર દીઠ 50 હજારની સહાય આપોઃ ગોપાલ ઈટાલિયા

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ સરકારને વેધક સવાલ કરતા કહ્યું છે કે, ગુજરાતમાં ઉદ્યોગપતિનું કરોડો રૂપિયાનું દેવું માફ કરવામાં આવે છે ત્યારે કોઈ સર્વે કરવામાં આવતો નથી અને જ્યારે કુદરતની થપાટ ખાનારા ખેડૂતોને સહાય આપવાની વાત આવે છે તો શા માટે સરવેનું નાટક કરવામાં આવે છે તે સમજાતુ નથી.

વારંવાર પૂછવા છતાં SIR અંગે સ્પષ્ટ જવાબ ન મળ્યા ! ચૂંટણી પંચ પર વિશ્વાસ કરવો કે નહીં ? વોટ ચોરાઈ જાય તેવી આશંકા – જુઓ Video

ગાંધીનગરમાં ચૂંટણી પંચ દ્વારા SIR અંતર્ગત બેઠક યોજાઈ હતી. બેઠકમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Breaking News : પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના ઘરે ગુંજી કિલકારી, બેબી બોયનું કર્યું વેલકમ

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ બેબી બોયને જન્મ આપ્યો છે. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા એક દીકરાના માતા પિતા બન્યા છે. રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ ગુડ ન્યુઝ ચાહકો સાથે શેર કર્યા છે.

Botad :  હડદડ ગામે ‘AAP’ ની મહાપંચાયતમાં થયો પથ્થરમારો, પોલીસે છોડ્યા ટીયર ગેસના શેલ- Video

કડદા પ્રથાના વિરોધમાં બોટાદના હડદડ ગામે ખેડૂતોએ મહાપંચાયત બોલાવી હતી જેમાં ખેડૂતો આવી રહ્યાં હતા તે સમયે પોલીસ સાથે ખેડૂતોનું ઘર્ષણ થયું અને આક્રોશમાં આવેલા ખેડૂતોએ પોલીસ પર પથ્થરમારો કર્યો.

દિલ્હીના પૂર્વ આરોગ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજના ઘરે ત્રાટકી ED, હોસ્પિટલ બાંધકામ કૌભાંડમાં પાડ્યા દરોડા

ED એ દિલ્હીના આમ આદમી પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજના ઘરે દરોડા પાડ્યા છે. ED એ મંગળવારે સવારે આ કાર્યવાહી કરી છે. હોસ્પિટલ બાંધકામ કૌભાંડમાં સૌરભ ભારદ્વાજ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ વધશે, EDએ 3 નેતાઓ સામે કેસ દાખલ કર્યો, ટૂંક સમયમાં પૂછપરછ કરવામાં આવશે

દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) ના મોટા નેતાઓની મુશ્કેલીઓ વધવાની છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ત્રણ કથિત કૌભાંડોમાં કેસ નોંધ્યો છે. તેમના પર આરોપ એવા છે કે, તેમણે આમ આદમી પાર્ટીની સરકાર વખતે આ કૌંભાડને અંજામ આપ્યો હતો.

Gopal Italia Salary : સરકાર સામે બાયો ચડાવનારા ગોપાલ ઈટાલિયાને ધારાસભ્ય તરીકે હવે કેટલો પગાર મળશે ? જાણી લો

MLA Gujarat : વિસાવદર વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા ગોપાલ ઇટાલિયાએ ગુજરાત વિધાનસભામાં શપથ લીધા છે. હવે તેમને ધારાસભ્ય તરીકે પગાર અને ભથ્થા મળશે.

Breaking News : ‘આ શપથ ગુજરાતને ભ્રષ્ટાચાર મુકત કરવાના, તાનાશાહી હટાવવાના’ , AAPના ગોપાલ ઇટાલિયાનો શપથ લેતા જ હુંકાર

પેટાચૂંટણીમાં વિજેતા બન્યા બાદ વિધાનસભામાં ગોપાલ ઈટાલિયાએ ધારાસભ્ય પદના શપથ લીધા છે. શપથ લેતાની સાથે જ મીડિયા સમક્ષ વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે આ શપથ મે માત્ર ધારાસભ્ય તરીકેના લીધા નથી, પરંતુ આ શપથ ગુજરાતને ભ્રષ્ટાચાર મુકત કરવાના, ગુજરાતમાંથી તાનાશાહી હટાવવાના, ડ્રગ્સના દૂષણને દૂર કરવાની મુહિમ ચલાવવાના છે.

કાંતિ અમૃતિયા અને ગોપાલ ઈટાલિયાની ચેલેન્જ વોરમાં હવે કોંગ્રેસના લલિત કગથરાએ ઝંપલાવ્યુ, ગેરકાયદે બાંધકામોને લઈને અમૃતિયાને ઘેર્યા

કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે ચાલી રહેલા ચેલેન્જ વોરમાં હવે કોંગ્રેસ પણ કૂદી પડી છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરાએ અમૃતિયાને ગેરકાયદે બાંધકામોનું ડિમોલિશન કરવાનો પડકાર ફેંક્યો છે. આ પહેલાં અમૃતિયાએ ઇટાલિયાને મોરબીથી ચૂંટણી લડવાનો પડકાર આપ્યો હતો, જે ઇટાલિયાએ સ્વીકાર્યો હતો.

હવે વાંકનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ ગોપાલ ઈટાલિયાને ફેંક્યો પડકાર, કરી આ મોટી જાહેરાત- Video

ગોપાલ ઈટાલિયા અમે કાંતિ અમૃતિયા વચ્ચેની રાજકીય લડાઈમાં હવે વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણી પણ કૂદી પડ્યા છે અને ગોપાલ ઈટાલિયાને આ પડકાર ફેંક્યો છે. વાંચો જીતુ સોમાણીએ કઈ મોટી જાહેરાત કરી

કાંતિ અમૃતિયા અને ગોપાલ ઈટાલિયાના ચેલેન્જ વિવાદમાં નરેશ પટેલની એન્ટ્રી, આપ્યુ મોટુ નિવેદન- જુઓ VIDEO

કાંતિ અમૃતિયા અને ગોપાલ ઈટાલિયા જ્યા એકબીજાને પડકાર આપવામાં લાગેલા છે ત્યા આ બંનેના વિવાદમાં હવે પાટીદાર નેતાઓએ પણ હસ્તક્ષેપ કર્યો છે. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે આ અંગે ગોપાલ ઈટાલિયાને મહત્વપૂર્ણ સલાહ આપતા જોવા મળ્યા તો સાથોસાથ હવે પાસના નેતા અલ્પેશ કથિરિયાએ પણ ઈટાલિયાને સલાહ આપી દીધી.

Breaking News : ગુજરાતમાં AAPને મોટો ઝટકો, બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પાર્ટીના બંન્ને પદ પરથી આપ્યું રાજીનામુ

બોટાદથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આજે આમ આદમી પાર્ટીના વિધાનસભા દંડક અને રાષ્ટ્રીય જોડાણ સચિવ સહિતના તમામ પદોથી રાજીનામું આપ્યાની જાહેરાત કરી છે.

વિસાવદરની ચૂંટણી જીતતા જ ગોપાલ ઇટાલિયાનું યુવાનોને આહ્વાન, કહ્યુ- આત્માને જગાડો, આપણે પરિવર્તન માટે લડવુ પડશે, જુઓ Video

જુનાગઢ જિલ્લાના વિસાવદર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થતાં જ રાજકારણમાં નવી હલચલ શરૂ થઈ છે. ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ ગોપાલ ઇટાલિયાએ જનતાનો આભાર માનતા એક તીવ્ર સંદેશ આપ્યો હતો.

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">