આમ આદમી પાર્ટી

આમ આદમી પાર્ટી

આમ આદમી પાર્ટી અથવા AAP એ ભારતનો એક રાજકીય પક્ષ છે. જેને હવે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળ્યો છે. ભ્રષ્ટાચાર સામે શરુ થયેલા અન્ના હજારેના આંદોલન પછી AAPની રચના 2012માં થઈ હતી. સમાજ સેવક અન્ના હઝારે અને આંદોલન સાથે સંકળાયેલા કેટલાક લોકોનું માનવુ હતુ કે રાજકારણમાં પ્રવેશ કરવો જોઇએ નહીં. જો કે IRS અધિકારી રહી ચુકેલા અરવિંદ કેજરીવાલ અને તેમની સાથેના કેટલાક લોકોનો અભિપ્રાય અલગ હતો અને તેઓ રાજકારણમાં આવીને રાજકારણ બદલવાની વાત કહીને આગળ વધી ગયા.

આમ આદમી પાર્ટીની રચનાની સત્તાવાર જાહેરાત 26 નવેમ્બર 2012ના રોજ દિલ્હીના જંતર મંતર ખાતે કરવામાં આવી હતી. એક વર્ષ પછી 2013માં આમ આદમી પાર્ટી પ્રથમ ચૂંટણી લડી હતી. જે પછી આમ આદમી પાર્ટી 70 બેઠક ધરાવતી દિલ્હી વિધાનસભામાં જીત મેળવી બીજી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી. આમ આદમી પાર્ટીએ 28 બેઠક મેળવી હતી. કોંગ્રેસે તેમને બહારથી ટેકો આપ્યો અને દિલ્હીમાં કેજરીવાલ સરકારની રચના થઇ. જો કે આ સરકાર લાંબા સમય સુધી ટકી શકી નહીં. 49 દિવસ બાદ અરવિંદ કેજરીવાલે રાજીનામું આપ્યું. AAPએ ફક્ત દિલ્હી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. 2015ની વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો હતો.

AAPએ 70માંથી 67 બેઠક મેળવી, પરંતુ તે દરમિયાન પાર્ટીમાં ભંગાણ શરૂ થઇ ગયુ. એપ્રિલ 2015માં પાર્ટીના સંસ્થાપક સભ્ય યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ અને પ્રોફેસર આનંદ કુમારને આમ આદમી પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. હાલમાં પંજાબ અને દિલ્હીમાં આપ સરકાર છે અને આમ આદમી પાર્ટી, દેશના વિરોધ પક્ષોએ ભેગા થઈને રચેલા જોડાણ I.N.D.I.A નો એક ભાગ છે.

Read More

બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં જામશે ત્રિપાંખિયો જંગ, જુઓ Video

વાવ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત સાથે રાજકારણ પણ ગરમાયું છે. બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામી શકે છે. વાવ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીનો ઉમેદવાર ચૂંટણીમાં ઉતરી શકે છે.

દિલ્હીના CM આતિશીનો, મહિલા કોર્પોરેટરોને ઉશ્કેરવાનો જૂનો વીડિયો થયો વાયરલ, જુઓ

દિલ્હીના મુખ્ય પ્રધાન બનેલ આતિશીનો એક બહુ જુનો વીડિયો ફરી સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં આતિશી શાંતિથી ઊભી છે પરંતુ તે તેમના પક્ષના કેટલાક લોકોને કાનમાં કોઈ વાત કરીને ઉશ્કેરણી કરી રહી છે. આતિશીએ જે મહિલાઓના કાન ફુંક્યા હોય છે તે મહિલા ધીમે ધીમે આગળ જઈને ભાજપના પુરુષ સભ્યોની સાથે હાથાપાઈ કરીને ઝધડી પડે છે.

આતિશી ભરતજીના પગલે ચાલ્યા, કેજરીવાલની ખુરશી પર ન બેઠા, CM પદનો સંભાળ્યો ચાર્જ

દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ મુખ્યમંત્રી પદનો ચાર્જ સંભાળી લીધો છે. CM આતિષી આજે પહેલીવાર દિલ્હી સચિવાલય પહોંચી હતી, પરંતુ તે દિલ્હીના પૂર્વ CM અને પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલની ખુરશી પર બેઠી ન હતી. CM આતિશી પોતાની એક ખુરશી સાથે સચિવાલય પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, જ્યાં સુધી કેજરીવાલ ફરીથી ચૂંટણી જીતીને સીએમ નહીં બને ત્યાં સુધી CMની ખુરશી અહીં જ રહેશે.

જનતાની અદાલતમાં આવ્યા કેજરીવાલ, કહ્યું- પ્રમાણિક લાગતો હોઉ તો AAPને મત આપજો

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ આજે પહેલીવાર દિલ્હીના જંતર-મંતર ખાતે જનતાને સંબોધિત કરી હતી. અરવિંદ કેજરીવાલે 2011માં જનલોકપાલ બિલ માટે આંદોલનના દિવસો યાદ કર્યા. કેજરીવાલે કહ્યું, તે 4 એપ્રિલ, 2011નો દિવસ હતો અને સ્વતંત્ર ભારતનું સૌથી મોટું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન જંતર-મંતરથી જ શરૂ થયું હતું, જે દોઢથી બે વર્ષ સુધી ચાલ્યું.

Breaking News : આતિશી દિલ્હીના નવા CM હશે, AAPની બેઠકમાં લેવાયો નિર્ણય

આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી હશે. તે અરવિંદ કેજરીવાલની જગ્યાએ દિલ્હી સરકારનો હવાલો સંભાળશે. કેજરીવાલે ખુદ મુખ્યમંત્રી પદ માટે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. ધારાસભ્યોએ આતિશીના નામનું સ્વાગત કર્યું.

Breaking News : દિલ્હી લિકર પોલિસી કેસમાં સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને આપ્યા જામીન

કેજરીવાલને 10 લાખના બોન્ડ પર જામીન મળ્યા છે. કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં બે અરજી દાખલ કરી હતી. પ્રથમ જામીન અરજી અને બીજી સીબીઆઈ દ્વારા કરાયેલી ધરપકડ અને રિમાન્ડને પડકારવામાં આવી હતી.

સુરત મનપાના કોર્પોરેટરોનો ખરડાયેલો ઇતિહાસ ! ભાજપ, કોંગ્રેસ અને AAP ના આ કોર્પોરેટરો લાંચ માંગતા અને લેતા ઝડપાઈ ચૂક્યા છે, જુઓ List

સુરતમાં આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર લાંચ માંગવાના કેસમાં ઝડપાયા છે જેને લઈને હવે રાજકારણ ગરમાયું છે. જોકે રાજ્યમાં અત્યાર સુધીમાં કોર્પોરેટરો દ્વારા કોઈપણ કામ માટે લાંચ માંગવામાં આવી હોય અને ACB એ પકડી પાડ્યા હોય તેવા કિસ્સાઓ સુરતમાં જ સામે આવ્યા છે.

Narmada : આદિવાસી યુવકોના મોતના મામલે ગરમાઈ રાજનીતિ, ચૈતર વસાવા અને ધારાસભ્ય અનંત પટેલ નજરકેદ કરાયા- જુઓ Video

રાજપીપળાના કેવડિયા પાસે નિર્માણ પામી રહેલા ટ્રાઈબલ મ્યુઝિયમમાં પાસે ચોરીની આશંકાએ બે આદિવાસી યુવકોને દોરડાથી બાંધી ઢોર માર માર્યો બાદ મૃત્યુ પામ્યા હોવાની ઘટના બની હતી.

છત્તીસગઢના કોરબામાં રસ્તાઓની ખરાબ સ્થિતિનો સંગીતમય રીતે કર્યો વિરોધ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો

છત્તીસગઢના કોરબામાં રસ્તાઓની ખરાબ સ્થિતિનો વિરોધ કરવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ એક સંગીત પ્રદર્શન કર્યું હતું. કાર્યકરોએ લોકોને તેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓની પસંદગી માટે સવાલો કર્યા હતા.

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">