AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આમ આદમી પાર્ટી

આમ આદમી પાર્ટી

આમ આદમી પાર્ટી અથવા AAP એ ભારતનો એક રાજકીય પક્ષ છે. જેને હવે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળ્યો છે. ભ્રષ્ટાચાર સામે શરુ થયેલા અન્ના હજારેના આંદોલન પછી AAPની રચના 2012માં થઈ હતી. સમાજ સેવક અન્ના હઝારે અને આંદોલન સાથે સંકળાયેલા કેટલાક લોકોનું માનવુ હતુ કે રાજકારણમાં પ્રવેશ કરવો જોઇએ નહીં. જો કે IRS અધિકારી રહી ચુકેલા અરવિંદ કેજરીવાલ અને તેમની સાથેના કેટલાક લોકોનો અભિપ્રાય અલગ હતો અને તેઓ રાજકારણમાં આવીને રાજકારણ બદલવાની વાત કહીને આગળ વધી ગયા.

આમ આદમી પાર્ટીની રચનાની સત્તાવાર જાહેરાત 26 નવેમ્બર 2012ના રોજ દિલ્હીના જંતર મંતર ખાતે કરવામાં આવી હતી. એક વર્ષ પછી 2013માં આમ આદમી પાર્ટી પ્રથમ ચૂંટણી લડી હતી. જે પછી આમ આદમી પાર્ટી 70 બેઠક ધરાવતી દિલ્હી વિધાનસભામાં જીત મેળવી બીજી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી. આમ આદમી પાર્ટીએ 28 બેઠક મેળવી હતી. કોંગ્રેસે તેમને બહારથી ટેકો આપ્યો અને દિલ્હીમાં કેજરીવાલ સરકારની રચના થઇ. જો કે આ સરકાર લાંબા સમય સુધી ટકી શકી નહીં. 49 દિવસ બાદ અરવિંદ કેજરીવાલે રાજીનામું આપ્યું. AAPએ ફક્ત દિલ્હી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. 2015ની વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો હતો.

AAPએ 70માંથી 67 બેઠક મેળવી, પરંતુ તે દરમિયાન પાર્ટીમાં ભંગાણ શરૂ થઇ ગયુ. એપ્રિલ 2015માં પાર્ટીના સંસ્થાપક સભ્ય યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ અને પ્રોફેસર આનંદ કુમારને આમ આદમી પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. હાલમાં પંજાબ અને દિલ્હીમાં આપ સરકાર છે અને આમ આદમી પાર્ટી, દેશના વિરોધ પક્ષોએ ભેગા થઈને રચેલા જોડાણ I.N.D.I.A નો એક ભાગ છે.

Read More

જુનાગઢ માંગરોળના ભાજપના ધારાસભ્ય સામે ખેડૂત અને આપના કાર્યકરને અપશબ્દ કહેવાનો આરોપ, ધારાસભ્યે આરોપો નકાર્યા- Video

જુનાગઢના માંગરોળના ભાજપના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા અપશબ્દો બોલવા બાબતે વિવાદમાં આવ્યા. પૂલના નિરીક્ષણ દરમિયાન ખેડૂતો અને AAP ના કાર્યકરને અપશબ્દો બોલ્યા હોવાનો તેમની સામે આરોપ લાગ્યો છે. જોકે ધારાસભ્યે તેમની સામે થઈ રહેલા આક્ષેપોને નકાર્યા છે.

Dahod Breaking News : દેવગઢ બારીયા નગરપાલિકાની 6 સીટો પર મતદાન! ભાજપ, કોંગ્રેસ કે આપ… કોણ મારશે બાજી? જુઓ Video

આજે 28 જુલાઈના રોજ, દાહોદની દેવગઢ બારીયા નગરપાલિકાની 6 બેઠક પર પણ પેટાચૂંટણી યોજાઈ છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપના 6 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારથી આ બેઠકો ખાલી પડી હતી.

ચૈતર વસાવા તો ભોળા છે, AAP તેમને મ્હોરુ બનાવે છે, સંકટમાં હતા ત્યારે કેમ કોઈ દોડી ના આવ્યુંઃ ભાજપ સાંસદ મનસુખ વસાવા

મનસુખ વસાવાના જણાવ્યા મુજબ, હવે આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ ચૈતર વસાવાના સમર્થનમાં આગળ આવી રહ્યા છે, પરંતુ કેસ ચાલી રહ્યો હતો ત્યારે તેમની તરફ પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નહોતું. તેમણે વધુમાં દાવો કર્યો કે ચૈતર વસાવા રાજ્ય સરકારના કેટલાક મંત્રીઓ અને નેતાઓ સાથે સંપર્કમાં રહેતા હતા તથા તેમના વિકાસકાર્યો અંગે સરકાર સાથે સંવાદ કરતા હતા.

ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ બચાવવા ‘AAP’ની તૈયારી, હાઇકોર્ટમાં લડાશે કાનૂની જંગ

હાલમાં આમ આદમી પાર્ટીનું મોવડી મંડળ વિવિધ કાનૂની પાસાઓનું મૂલ્યાંકન કરી રહ્યું છે અને નિષ્ણાતો પાસેથી સલાહ-સૂચન મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. પાર્ટીનું માનવું છે કે કાયદાકીય રીતે પોતાની દલીલો મજબૂત બનાવીને ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ જાળવી રાખી શકાય છે.

Breaking News : ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ આજે જણાવ્યું કે, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને સાત વર્ષની સજા થતાની સાથે જ ચૈચર વસાવાએ, તેમનું ધારાસભ્યપદ ગુમાવી દિધુ છે. આની સાથોસાથ આગામી 6 વર્ષ સુધી ચૈતર વસાવા કોઈ પણ ચૂંટણી નહીં લડી શકે.

Breaking News : વડોદરા AAP શહેર પ્રમુખ અને દીકરા પર શારીરિક શોષણનો આરોપ લાગ્યો

આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝા અને તેના પરિવાર સામે મહિલાએ મહિલાએ શારીરિક શોષણ અને બ્લેકમેલિંગનો ગંભીર આરોપ લગાવ્યો છે.દારૂ પીવડાવી અશ્લીલ વીડિયો ઉતારી દુષ્કર્મ કર્યાનો આરોપ.

ખુરશી બચાવવા માટે ‘AAP’ પ્રમુખે પાર કરી તમામ હદો! કેન્દ્રીય નેતાને આપી IBના નામે ધમકી, આણંદ પોલીસે ભાંડો ફોડ્યો – જુઓ Video

આમ આદમી પાર્ટી (AAP)ના આંતરિક વિખવાદનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આણંદ સાયબર ક્રાઈમ પોલીસે પક્ષના જ કેન્દ્રીય નેતાને આઈબી (IB) અધિકારીના નામે નકલી ફોન કરવાના આરોપમાં ‘આપ’ના પ્રમુખ અશોક ઓઝા અને નીતિન ડોબરિયાની ધરપકડ કરી છે.

Amreli Breaking News : લો બોલો, ભાજપે સામેથી AAPના વિજેતા સભ્યને બનાવ્યા તાલુકા પંચાયતના પ્રમુખ

મને ક મને પણ તાલુકા પંચાયતના પ્રમુખનું પદ સામેથી આમ આદમી પાર્ટીના સભ્યને આપ્યા બાદ, ભાજપના નેતાઓ, તેમની વગ અને રાજકીય તાકાત લાઠીમાં યથાવત રાખવા માટે, કોંગ્રેસની ઈચ્છા ફળીભુત ના થવા દીધીનુ ગાણું ગાઈ રહ્યાં છે. કોંગ્રેસના માત્ર 2 જ સભ્યો વિજય પામ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીના 4 સભ્યો તાલુકા પંચાયતની ચૂંટણીમાં વિજયી થયા હતા.

Breaking News : નેત્રંગમાં સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ; તાલુકા પંચાયતમાં AAP સૌથી મોટો પક્ષ બનવા છતાં સત્તા વિહોણી રહી

ભરૂચ: નેત્રંગ તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને પગલે ભારે હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો. નેત્રંગ તાલુકા પંચાયતની સત્તા હાંસલ કરવા માટે ભારતીય જનતા પાર્ટી (BJP) અને આમ આદમી પાર્ટી (AAP) એ એડીચોટીનું જોર લગાવ્યું હતું જોકે સૌથી વધુ સભ્ય હોવા છતાં આમ આદમી પાર્ટી (AAP) સત્તાથી દૂર રહી હતી.

Breaking News : ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા, જૂનાગઢ તાલુકા પંચાયતના AAPના સભ્યની ધરપકડ કરાઈ, જુઓ વીડિયો

આજે જૂનાગઢ તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી છે. તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો છે.તાલુકા પંચાયતના AAPના સભ્યની ધરપકડ કરવામાં આવી છે. જાણો આખો મામલો શું છે.

ગદ્દાર કહેતા જ ભડક્યો હરભજનસિંહ, કહ્યું- પંજાબની રાજ્યસભાની બેઠક કેટલા કરોડમાં વેચી ? ખબર ના હોય તો હું કહીંશ

તાજેતરમાં આમ આદમી પાર્ટીમાંથી રાજયસભાના બીજા સભ્યોની સાથેસાથે ભાજપમાં જોડાયેલા 'આપ'ના ભૂતપૂર્વ સભ્ય હરભજન સિંહને સોશિયલ મીડિયામાં 'દેશદ્રોહી' કહેવા પર વિવાદ સર્જાયો છે. હરભજન સિંહે 'આપ'ના નેતાઓ દ્વારા કરવામાં આવેલા શાબ્દિક હુમલાઓનો તીખો જવાબ આપ્યો છે. તેણે કહ્યું કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તે દરેક આરોપનો જવાબ આપશે, જો કે, હરભજનસિંહે પણ વળતો હુમલો કરતા પૂછ્યું છે કે, "પંજાબ રાજ્યસભાની બેઠક કેટલામાં વેચી હતી?"

અચાનક ટ્રેન્ડિંગ થયેલી ‘Cockroach Janta Party’ શું છે? જાણો કેમ અચાનક આ નવી ડિજિટલ પોલિટિકલ લહેર ફેલાઇ

Cockroach Janta Party નામની ડિજિટલ રાજકીય ચળવળ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ બની રહી છે. મીમ કલ્ચર, યુવાઓની બેરોજગારી અને રાજકીય અસંતોષ વચ્ચે ઉભી થયેલી આ મૂવમેન્ટ હવે ચર્ચાનો મુખ્ય વિષય બની ગઈ છે.

  • Nishat
  • Updated on: May 21, 2026
  • 9:48 am

Breaking News : AAP ધારાસભ્ય ચૈતર વસાવા વધુ એક કાયદાકીય ગુંચવણમાં ફસાયા, હવે ભરૂચની કોર્ટે તેડું મોકલ્યું

ભરૂચ: ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાર કાયદાકીય ગુંચવણમાં ફસાયા છે. ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી બે ફરિયાદો બાદ હવે ભરૂચની કોર્ટે પોલીસની છબી ખરડવાના નિવેદન બદલ તેમને તેડું મોકલ્યું છે.

Breaking News: ભાજપના પરાજિત ઉમેદવારને જાહેરમાં તલવાર બતાવવી ભારે પડી; પોલીસ કેસ બાદ કહ્યું – “મેં તો રીલ બનાવી હતી”

ભરૂચ : જંબુસરમાં હાર પચાવી ન શકનાર ભાજપ ઉમેદવારે તલવાર સાથે ધમકી આપવાના મામલે આરોપીએ યુ ટર્ન લીધો છે.પોલીસે મામલે ગુનો દાખલ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

Breaking News: દેવભૂમિ દ્વારકામાં ભાજપ જીતનો અનોખો જશ્ન, ઉમેદવાર પર સોના-ચાંદીની નોટોનો વરસાદ, જુઓ Video

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા નગરપાલિકાના વોર્ડ-1માં ભાજપની જીત બાદ અનોખી ઉજવણી જોવા મળી હતી. જીતની ખુશીમાં કાર્યકરો અને સમર્થકોએ એવો જશ્ન મનાવ્યો કે તેનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">