આમ આદમી પાર્ટી

આમ આદમી પાર્ટી

આમ આદમી પાર્ટી અથવા AAP એ ભારતનો એક રાજકીય પક્ષ છે. જેને હવે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળ્યો છે. ભ્રષ્ટાચાર સામે શરુ થયેલા અન્ના હજારેના આંદોલન પછી AAPની રચના 2012માં થઈ હતી. સમાજ સેવક અન્ના હઝારે અને આંદોલન સાથે સંકળાયેલા કેટલાક લોકોનું માનવુ હતુ કે રાજકારણમાં પ્રવેશ કરવો જોઇએ નહીં. જો કે IRS અધિકારી રહી ચુકેલા અરવિંદ કેજરીવાલ અને તેમની સાથેના કેટલાક લોકોનો અભિપ્રાય અલગ હતો અને તેઓ રાજકારણમાં આવીને રાજકારણ બદલવાની વાત કહીને આગળ વધી ગયા.

આમ આદમી પાર્ટીની રચનાની સત્તાવાર જાહેરાત 26 નવેમ્બર 2012ના રોજ દિલ્હીના જંતર મંતર ખાતે કરવામાં આવી હતી. એક વર્ષ પછી 2013માં આમ આદમી પાર્ટી પ્રથમ ચૂંટણી લડી હતી. જે પછી આમ આદમી પાર્ટી 70 બેઠક ધરાવતી દિલ્હી વિધાનસભામાં જીત મેળવી બીજી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી. આમ આદમી પાર્ટીએ 28 બેઠક મેળવી હતી. કોંગ્રેસે તેમને બહારથી ટેકો આપ્યો અને દિલ્હીમાં કેજરીવાલ સરકારની રચના થઇ. જો કે આ સરકાર લાંબા સમય સુધી ટકી શકી નહીં. 49 દિવસ બાદ અરવિંદ કેજરીવાલે રાજીનામું આપ્યું. AAPએ ફક્ત દિલ્હી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. 2015ની વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો હતો.

AAPએ 70માંથી 67 બેઠક મેળવી, પરંતુ તે દરમિયાન પાર્ટીમાં ભંગાણ શરૂ થઇ ગયુ. એપ્રિલ 2015માં પાર્ટીના સંસ્થાપક સભ્ય યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ અને પ્રોફેસર આનંદ કુમારને આમ આદમી પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. હાલમાં પંજાબ અને દિલ્હીમાં આપ સરકાર છે અને આમ આદમી પાર્ટી, દેશના વિરોધ પક્ષોએ ભેગા થઈને રચેલા જોડાણ I.N.D.I.A નો એક ભાગ છે.

Read More

ભરૂચમાં મામા – ભાણાના જંગમાં કોણ ભારે પડશે? જુઓ વીડિયો

ભરૂચ લોકસભા બેઠક ચૂંટણીની જાહેરાત સાથેજ ચર્ચાનું કેન્દ્ર બની હતી. પહેલા કોંગ્રેસ તરફે અહેમદ પટેલના પરિવારનો ટિકિટ માટે દબાવ અને બાદમાં ઇન્ડિયા ગઠબંધનમાં બેઠક આપના ફાળે જવાના વિરોધથી લઇ ભાજપ સામે ક્ષત્રિય અને ખેડૂતોની નારાજગીએ ચકચાર મચાવી હતી.

ગુજરાતમાં મતદાનના દિવસે ગરમીનો પારો ઉંચકાશે, હવામાન વિભાગે હીટવેવની કરી આગાહી, જુઓ Video

લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ગરમીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે મતદાનના દિવસે એટલે કે 7 મેના રોજ અંગ દઝાડતી ગરમી પડે તેવી આગાહી કરી છે.

Breaking News : ભાવનગરમાં AAP ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર, જુઓ વીડિયો

લોકસભાની ભાવનગર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાનુ ઉમેદવારી પત્ર મંજૂર રાખવામાં આવ્યું છે. ઉમેશ મકવાણાની એફિડેવીટમાં આવકને લઈને, શિક્ષણને લઈને વિસંગતતાઓ હોવાની ભાજપ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. જેની સામે કોંગ્રેસના લીગલ સેલના પદાધિકારીઓએ જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ જરૂરી ખુલાસાઓ કર્યા હતા.

Bhavnagar Video : AAP ઉમેદવાર ઉમેશ મકવાણાએ એફિડેવિટમાં ખોટી માહિતી આપી હોવાનો ભાજપે કર્યો આક્ષેપ

ભાવનગરમાં AAP ઉમેદવાર ઉમેશ મકવાણા કલેકટર કચેરી પહોંચ્યા હતા. એફિડેવિટમાં વિસંગતતાઓ સામે ભાજપે વાંધા અરજી કરી છે. જવાબ રજૂ કરવા ઉમેશ મકવાણા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. આ તરફ ભાજપના નેતાઓ પણ લીગલ ટીમ સાથે હાજર થયા હતા.

Loksabha Election 2024 : આમ આદમી પાર્ટીએ ભાવનગર લોકસભાની બેઠક પરથી ઉમેશ મકવાણાને આપી ટિકિટ, જાણો કોણ છે આ ઉમેદવાર

ગુજરાતની વધુ એક લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા છે. ભાવનગર લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટીએ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને મોકો આપ્યો છે.

Tv9 Opinion Poll Survey : ગુજરાતમાં ભાજપના ગઢના કાંગરા પણ કોંગ્રેસ નહીં ખેરવી શકે

Tv9, Peoples Insight, Polstrat દ્વારા કરવામાં આવેલા ઓપિનિયન પોલ સર્વેમાં ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં ફરી મોટી સફળતા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. સર્વે મુજબ ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાનું ખાતું પણ નહીં ખોલાવી શકે.

કેજરીવાલ જેલમાં રહેશે કે પછી તેમને રાહત મળશે? ધરપકડ સામેની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં આજે ચુકાદો

આજે હાઈકોર્ટ અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી પર ચુકાદો આપશે. 3 એપ્રિલે હાઈકોર્ટે તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. કેજરીવાલ હાલમાં દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જેલમાં છે. EDએ 21 માર્ચે કેજરીવાલની ધરપકડ કરી હતી.

કેજરીવાલની ધરપકડ વિરુદ્ધ AAP નેતાઓ આજે ઉપવાસ આંદોલન પર, દેશ સહિત વિદેશમાં પણ પ્રદર્શન

AAP નેતા ગોપાલ રાયે કહ્યું કે ભારતના 25 રાજ્યોમાં ઉપવાસનો કાર્યક્રમ છે. વિદેશોમાં પણ ઉપવાસનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સમર્થકો ન્યુયોર્ક, બોસ્ટન, ટોરોન્ટો, વોશિંગ્ટન ડીસી, મેલબોર્ન અને લંડન સહિતના ઘણા મોટા આંતરરાષ્ટ્રીય કેન્દ્રોમાં એકઠા થશે અને સમુદાયના ઉપવાસ દ્વારા સીએમ કેજરીવાલને તેમનું સમર્થન આપશે.

અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેનની ધરપકડનો મુદ્દો ગુજરાતમાં ગૂંજશે, બંનેના પત્ની ગુજરાતમાં પ્રચાર માટે આવશે, જુઓ Video

લોકસભાની ચૂંટણી ને ભાજપ,કોંગ્રેસ અને AAP સહિતની તમામ પાર્ટીઓ ધીરે ધીરે ચૂંટણી નજીક આવતા મેદાનમાં આવી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેનની ધરપકડનો મુદ્દો પણ ગૂંજશે તેવા એંધાણ સર્જાયા છે.

જામનગર વીડિયો: ‘આપ’ના સંગઠનમાં મોટું ગાબડું, શહેર પ્રમુખ કરસન કરમુરે સહિત 17 લોકોએ આપ્યુ રાજીનામું

લોકસભાની ચૂંટણી પૂર્વે જામનગરમાં ‘આપ'ના સંગઠનમાં મોટું ગાબડું પડ્યુ છે. AAP શહેર પ્રમુખ કરસન કરમુરે રાજીનામું આપ્યું છે. તેમની સાથે ઉપપ્રમુખ આશિષ સોજીત્રા, આશિષ કટારીયાએ પણ રાજીનામું આપી લીધુ છે. અશ્વિન પ્રજાપતિ સહિત 17 હોદ્દેદારોના રાજીનામા પડ્યા છે.

ED ના આપી શકી આ પ્રશ્નનો જવાબ, પછી સુપ્રીમ કોર્ટે સંજયસિંહને આપ્યા જામીન, જાણો AAPનો દાવો

સુપ્રીમ કોર્ટે પુછેલા પ્રશ્નનો જવાબ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આપી શક્યું નહોતું. સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને ઠપકો આપતા કહ્યું, તમે 10 નિવેદનો કચરાના ઢગલામાં ફેંકી દેશો અને એક નિવેદનના આધારે કોઈની પણ ધરપકડ કરી લેશો.

AAPના આ નેતાનો દાવો, ભાજપમાં જોડાવા માટે કરવામાં આવી રહ્યું છે દબાણ, નહીં જોડાઈએ તો ED કરશે ધરપકડ

દિલ્હી સરકારના મંત્રી આતિશી માર્લેનાએ કહ્યું છે કે મને ભાજપમાં જોડાવા માટે કહેવામાં આવ્યું છે. જો હું આવું નહીં કરું તો ED એક મહિનામાં મારી ધરપકડ કરશે. સાથે જ તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીના 4 નેતાઓ - હું, સૌરભ ભારદ્વાજ, દુર્ગેશ પાઠક અને રાઘવ ચઢ્ઢાને જેલમાં નાખવામાં આવશે.

સ્પેશિયલ ડાયટ-સુગર મશીન અને રામાયણ… CM અરવિંદ કેજરીવાલને જેલમાં શું-શું મળ્યું?

સોમવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી દરમિયાન અરવિંદ કેજરીવાલે કોર્ટ પાસે ધાર્મિક પુસ્તકો, ડાયાબિટીસ ચેક કરવાનું સાધન, વિશેષ આહાર અને અન્ય વસ્તુઓની માંગણી કરી હતી. કોર્ટે તેમની અરજી સ્વીકારી લીધી છે.

Breaking News : 15 એપ્રિલ સુધી જેલમાં રહેશે કેજરીવાલ, તિહાડ જેલમાં મોકલવામાં આવશે

ઈડીએ અરવિંદ કેજરીવાલને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાની માંગ કરી છે. જેના પર કોર્ટે મંજૂરી આપી દીધી છે. ત્યારે કેજરીવાલને 15 દિવસ જેલમાં વિતાવવા પડશે. મળતી માહિતી મુજબ કેજરિવાલને આ દરમિયાન તિહાડ જેલ મોકલવામાં આવશે.

ભરૂચ બેઠક પર ચતુષ્કોણીય જંગ જામશે : ભાજપા, આપ અને AIMIM બાદ હવે છોટુ વસાવાએ ચૂંટણીમાં ઉતરવાની જાહેરાત કરી , જુઓ વીડિયો

ભરૂચ : લોકસભા ચૂંટણીમાં આદિવાસીઓના રૉબિનહૂડ તરીકે ઓળખાતા છોટુ વસાવા ચોથા  મોરચા તરીકે સામે આવશે. ભાજપા અને ઇન્ડિયા ગઠબંધન આપ ના ઉમેદવાર સામે પહેલા AIMIM અને હવે છોટુ વસાવા મોરચો માંડશે.

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">