આમ આદમી પાર્ટી
આમ આદમી પાર્ટી અથવા AAP એ ભારતનો એક રાજકીય પક્ષ છે. જેને હવે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળ્યો છે. ભ્રષ્ટાચાર સામે શરુ થયેલા અન્ના હજારેના આંદોલન પછી AAPની રચના 2012માં થઈ હતી. સમાજ સેવક અન્ના હઝારે અને આંદોલન સાથે સંકળાયેલા કેટલાક લોકોનું માનવુ હતુ કે રાજકારણમાં પ્રવેશ કરવો જોઇએ નહીં. જો કે IRS અધિકારી રહી ચુકેલા અરવિંદ કેજરીવાલ અને તેમની સાથેના કેટલાક લોકોનો અભિપ્રાય અલગ હતો અને તેઓ રાજકારણમાં આવીને રાજકારણ બદલવાની વાત કહીને આગળ વધી ગયા.
આમ આદમી પાર્ટીની રચનાની સત્તાવાર જાહેરાત 26 નવેમ્બર 2012ના રોજ દિલ્હીના જંતર મંતર ખાતે કરવામાં આવી હતી. એક વર્ષ પછી 2013માં આમ આદમી પાર્ટી પ્રથમ ચૂંટણી લડી હતી. જે પછી આમ આદમી પાર્ટી 70 બેઠક ધરાવતી દિલ્હી વિધાનસભામાં જીત મેળવી બીજી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી. આમ આદમી પાર્ટીએ 28 બેઠક મેળવી હતી. કોંગ્રેસે તેમને બહારથી ટેકો આપ્યો અને દિલ્હીમાં કેજરીવાલ સરકારની રચના થઇ. જો કે આ સરકાર લાંબા સમય સુધી ટકી શકી નહીં. 49 દિવસ બાદ અરવિંદ કેજરીવાલે રાજીનામું આપ્યું. AAPએ ફક્ત દિલ્હી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. 2015ની વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો હતો.
AAPએ 70માંથી 67 બેઠક મેળવી, પરંતુ તે દરમિયાન પાર્ટીમાં ભંગાણ શરૂ થઇ ગયુ. એપ્રિલ 2015માં પાર્ટીના સંસ્થાપક સભ્ય યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ અને પ્રોફેસર આનંદ કુમારને આમ આદમી પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. હાલમાં પંજાબ અને દિલ્હીમાં આપ સરકાર છે અને આમ આદમી પાર્ટી, દેશના વિરોધ પક્ષોએ ભેગા થઈને રચેલા જોડાણ I.N.D.I.A નો એક ભાગ છે.
AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરી હુંકાર, વર્ષ 2027માં અમારી સરકાર બનશે એવો દાવો કર્યો – જુઓ Video
AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ દાવો કર્યો છે કે, વર્ષ 2027 માં રાજ્યમાં સત્તા પરિવર્તન થશે અને તેમની સરકાર બનશે. ચૈતર વસાવાએ આકરા અંદાજમાં જણાવ્યું કે, આદિવાસી યુવાનોને ગેરમાર્ગે દોરવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Jan 12, 2026
- 5:20 pm
Breaking News : સુરતમાં ગોપાલ ઇટાલિયા સહિતના AAP નેતાના પોસ્ટર પર સાહી ફેંકાઇ, ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધનો વંટોળ
સુરતના ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. VHP કાર્યકરો દ્વારા ગોપાલ ઇટાલિયા સહિતના આમ આદમી પાર્ટીના નેતાના પોસ્ટર પર સાહી ફેંકીને વિરોધ દર્શાવવામાં આવ્યો છે. હિંદુ વિસ્તારમાં મુસ્લિમ ટોપી પહેરી આપ નેતાઓની તસવીરનું પોસ્ટર લગાવાના પગલે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Jan 8, 2026
- 10:36 am
નર્મદાના સાગબારાના કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ નેતાઓ વચ્ચે શાબ્દિક યુધ્ધ, જુઓ Video
નર્મદાના સાગબારામાં એકલવ્ય મોડેલ સ્કૂલના લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાને આમંત્રણ ન મળતા તેમણે ભાજપના નેતાઓ સાથે સ્ટેજ પર જ શાબ્દિક યુધ્ધ. વસાવાએ ખર્ચ પર સવાલ ઉઠાવતા સાંસદ મનસુખ વસાવાએ આદિવાસી વિકાસ કાર્યક્રમના હિસાબને અપમાન ગણાવ્યો.
- Hasmukh Ramani
- Updated on: Jan 3, 2026
- 8:35 am
જૂનાગઢ જેલમાં આમ આદમી પાર્ટીના પ્રમુખને કેદીએ ધોઈ નાખ્યાં, સામ-સામે નોંધાઈ ફરિયાદ
જૂનાગઢ જેલમાં, આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ અને કેદી વચ્ચે થયેલ ઉગ્ર બોલાચાલી બાદ મારા મારી થઈ હતી. જેલમાં કેદીઓ વચ્ચે થયેલ મારામારીને લઈને જેલ અધિક્ષકે તપાસના આદેશ આપ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Dec 31, 2025
- 3:42 pm
Junagadh : AAP નેતાઓને ખોટા કેસમાં ફસાવાયા હોવાનો ઇટાલિયાનો આરોપ, મહિલા પોલીસકર્મીને પગે પડી કરી રજૂઆત, જુઓ Video
આ સમગ્ર મામલે ગુનો નોંધાતા પોલીસ સ્ટેશન પર વરઘોડો કાઢી AAPનાં નેતાઓ હાજર થયા હતા. AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ આ વરઘોડામાં જોડાયા હતા. અહીં ગોપાલ ઇટાલિયાએ નાટકિય રીતે મહિલા પોલીસકર્મીને પગે પડી રજૂઆત કરી હતી કે તે આમ આદમી પાર્ટીના નેતાઓને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતુ.
- Devankashi rana
- Updated on: Dec 29, 2025
- 1:12 pm
નર્મદામાં રુ 75 લાખ મામલે રાજકારણ ગરમાયું, મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ
ભાજપના પીઢ સાંસદ મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ 75 લાખ રુપિયાની માગણી કરી છે. સાંસદે દાવો પણ કર્યો હતો કે આ અંગે તેમને જાણકારી ખુદ જિલ્લા કલેક્ટરે આપી છે. આ મામલે હવે મનસુખ વસાવા આકરા પાણીએ છે અને તપાસ નહીં થાય તો પોતે ભાજપ છોડી દેશે ચીમકી ઉચ્ચારી છે.
- TV9 Gujarati
- Updated on: Dec 25, 2025
- 12:48 pm
ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું- ચૈતર વસાવાએ સરકારી અધિકારી પાસે 75 લાખ માંગ્યા, ચૈતર વસાવાએ કહ્યું-પીએમ મોદીની સભામાં ભાજપના મળતિયાને બખ્ખેબખ્ખા
ભરૂચના સાંસદ અને ડેડીયાપાડાના ધારાસભ્ય સામસામે આવી ગયા છે. ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ, આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર સરકારી અધિકારી પાસે રૂપિયા 75 લાખ માંગ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. જેની સામે ચૈતર વસાવાએ પડકાર ફેકતા કહ્યું કે, સરકારી અધિકારી પાસે રૂપિયા માંગ્યા હોવાના પુરાવા વસાવા પુરા પાડે, ચૈતર વસાવાએ પ્રતિ આક્ષેપ કરતા કહ્યું કે, વડાપ્રધાનના કાર્યક્રમમાં કરોડો રૂપિયાના ખોટા બિલ ઉધારવામાં આવ્યા છે. આ મુદ્દે આંદોલન કરાશે.
- TV9 Gujarati
- Updated on: Dec 22, 2025
- 6:51 pm
Year Ender 2025 : આ વર્ષે ગુજરાતના રાજકરણમાં થયા મોટા ફેરફાર, અનેક રાજકીય ઘટનાઓ ઘટી
ગુજરાતમાં વર્ષ 2025માં રાજકીય ક્ષેત્રમાં પણ વિવિધ બદલાવ થયા છે. કેટલા રાજનેતાઓએ રાજકીય પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. તો ગુજરાતને ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે. તો ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી મંડળનું પણ પુનર્ગઠન કરવામાં આવ્યું છે.
- Disha Thakar
- Updated on: Dec 12, 2025
- 2:38 pm
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ- Video
જામનગરમાં આમ આદમી પાર્ટીની સભા દરમિયાન ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે જૂતું ફેંક્યું હતું. આ ઘટનાથી સભામાં ભારે હંગામો મચી ગયો હતો. સભામાં હાજર લોકોએ તેની ધોલાઈ કરી હતી. પોલીસે તુરંત જૂતું ફેંકનારની અટકાયત કરી હતી.
- Mina Pandya
- Updated on: Dec 5, 2025
- 9:21 pm
2027માં ભાજપ સરકારનુ ફિંડલુ વળી જશે, દિલ્હીમાં ગુજરાતના પ્રધાનો નક્કી કરાય છેઃ AAP
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે ગત સપ્તાહે ખેડૂતો માટે જાહેર કરેલ 10,000 કરોડના રાહત પેકેજ બાદ, આજે ભાણવડ ખાતે આમ આદમી પાર્ટીનું ખેડૂત મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલનમાં, આમ આદમી પાર્ટીએ, ખેડૂતોના સંપૂર્ણ દેવામાફી અને પાક વીમા યોજના લાગુ કરવાની માંગણી કરી હતી.
- TV9 Gujarati
- Updated on: Nov 10, 2025
- 4:03 pm
“હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બની રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં નહીં જોડાવ”- આ ધારાસભ્યે કર્યો હુંકાર
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ફાયરબ્રાંડ નેતા ચૈતર વસાવાએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. વસાવાએ છોટાઉદેપુરની સભામાં કહ્યુ કે મને આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાવા માટે દબાણ કરવામાં આવી રહ્યુ છે પરંતુ અમે કોઈ સર્કસના વાઘ બનવા નથી માગતા અમે સ્વતંત્ર જંગલના વાઘ બનીને રહેવા માગીએ છીએ. ચૈતર વસાવાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડેડિયાડાની મુલાકાતના 4 દિવસ પહેલા આપ્યુ છે.
- Mina Pandya
- Updated on: Nov 9, 2025
- 8:52 pm
મંત્રીઓ ખેતરમાં ફોટા પડાવવાનું નાટક બંધ કરે, હેક્ટર દીઠ 50 હજારની સહાય આપોઃ ગોપાલ ઈટાલિયા
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ સરકારને વેધક સવાલ કરતા કહ્યું છે કે, ગુજરાતમાં ઉદ્યોગપતિનું કરોડો રૂપિયાનું દેવું માફ કરવામાં આવે છે ત્યારે કોઈ સર્વે કરવામાં આવતો નથી અને જ્યારે કુદરતની થપાટ ખાનારા ખેડૂતોને સહાય આપવાની વાત આવે છે તો શા માટે સરવેનું નાટક કરવામાં આવે છે તે સમજાતુ નથી.
- TV9 Gujarati
- Updated on: Nov 5, 2025
- 7:21 pm
વારંવાર પૂછવા છતાં SIR અંગે સ્પષ્ટ જવાબ ન મળ્યા ! ચૂંટણી પંચ પર વિશ્વાસ કરવો કે નહીં ? વોટ ચોરાઈ જાય તેવી આશંકા – જુઓ Video
ગાંધીનગરમાં ચૂંટણી પંચ દ્વારા SIR અંતર્ગત બેઠક યોજાઈ હતી. બેઠકમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
- Ravi Prajapati
- Updated on: Oct 29, 2025
- 7:07 pm
Breaking News : પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના ઘરે ગુંજી કિલકારી, બેબી બોયનું કર્યું વેલકમ
બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ બેબી બોયને જન્મ આપ્યો છે. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા એક દીકરાના માતા પિતા બન્યા છે. રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ ગુડ ન્યુઝ ચાહકો સાથે શેર કર્યા છે.
- Nirupa Duva
- Updated on: Oct 19, 2025
- 4:57 pm
Botad : હડદડ ગામે ‘AAP’ ની મહાપંચાયતમાં થયો પથ્થરમારો, પોલીસે છોડ્યા ટીયર ગેસના શેલ- Video
કડદા પ્રથાના વિરોધમાં બોટાદના હડદડ ગામે ખેડૂતોએ મહાપંચાયત બોલાવી હતી જેમાં ખેડૂતો આવી રહ્યાં હતા તે સમયે પોલીસ સાથે ખેડૂતોનું ઘર્ષણ થયું અને આક્રોશમાં આવેલા ખેડૂતોએ પોલીસ પર પથ્થરમારો કર્યો.
- TV9 Gujarati
- Updated on: Oct 12, 2025
- 7:50 pm