Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આમ આદમી પાર્ટી

આમ આદમી પાર્ટી

આમ આદમી પાર્ટી અથવા AAP એ ભારતનો એક રાજકીય પક્ષ છે. જેને હવે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળ્યો છે. ભ્રષ્ટાચાર સામે શરુ થયેલા અન્ના હજારેના આંદોલન પછી AAPની રચના 2012માં થઈ હતી. સમાજ સેવક અન્ના હઝારે અને આંદોલન સાથે સંકળાયેલા કેટલાક લોકોનું માનવુ હતુ કે રાજકારણમાં પ્રવેશ કરવો જોઇએ નહીં. જો કે IRS અધિકારી રહી ચુકેલા અરવિંદ કેજરીવાલ અને તેમની સાથેના કેટલાક લોકોનો અભિપ્રાય અલગ હતો અને તેઓ રાજકારણમાં આવીને રાજકારણ બદલવાની વાત કહીને આગળ વધી ગયા.

આમ આદમી પાર્ટીની રચનાની સત્તાવાર જાહેરાત 26 નવેમ્બર 2012ના રોજ દિલ્હીના જંતર મંતર ખાતે કરવામાં આવી હતી. એક વર્ષ પછી 2013માં આમ આદમી પાર્ટી પ્રથમ ચૂંટણી લડી હતી. જે પછી આમ આદમી પાર્ટી 70 બેઠક ધરાવતી દિલ્હી વિધાનસભામાં જીત મેળવી બીજી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી. આમ આદમી પાર્ટીએ 28 બેઠક મેળવી હતી. કોંગ્રેસે તેમને બહારથી ટેકો આપ્યો અને દિલ્હીમાં કેજરીવાલ સરકારની રચના થઇ. જો કે આ સરકાર લાંબા સમય સુધી ટકી શકી નહીં. 49 દિવસ બાદ અરવિંદ કેજરીવાલે રાજીનામું આપ્યું. AAPએ ફક્ત દિલ્હી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. 2015ની વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો હતો.

AAPએ 70માંથી 67 બેઠક મેળવી, પરંતુ તે દરમિયાન પાર્ટીમાં ભંગાણ શરૂ થઇ ગયુ. એપ્રિલ 2015માં પાર્ટીના સંસ્થાપક સભ્ય યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ અને પ્રોફેસર આનંદ કુમારને આમ આદમી પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. હાલમાં પંજાબ અને દિલ્હીમાં આપ સરકાર છે અને આમ આદમી પાર્ટી, દેશના વિરોધ પક્ષોએ ભેગા થઈને રચેલા જોડાણ I.N.D.I.A નો એક ભાગ છે.

Read More

ફુલની દુકાનમાં કામ કર્યુ, 7 ધોરણ સુધી અભ્યાસ કર્યો પેન્શનના તમામ પૈસા ગામના વિકાસ માટે ખર્ચનાર અન્ના હજારેનો આવો છે પરિવાર

કિસન બાબુરાવ "અન્ના" હજારે એક ભારતીય સામાજિક કાર્યકર છે, જેમણે ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન આપવા, સરકારી પારદર્શિતા વધારવા અને જાહેર જીવનમાં ભ્રષ્ટાચાર દૂર કરવા અનેક કામ કર્યા છે. 1992માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મ ભૂષણ ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તો આજે આપણે અન્ના હજારેના પરિવાર વિશે જાણીએ

અબ તેરા ક્યા હોગા કેજરીવાલ? દિલ્હીમાં ભાજપ સત્તામાં આવતા શું ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા કેજરીવાલની મુશ્કેલી વધશે ?

દિલ્હીમાં આમ આદમી પાર્ટીની કરારી હાર બાદ પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ ઔર વધશે તેમાં કોઈ શક નથી. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે આમ આદમી પાર્ટીને ધોબી પછાડ આપી છે અને 48 બેઠકો સાથે દિલ્હીની કમાન સંભાળવા જઈ રહી છે. ત્યારે એ વાત તો ચોક્કસ છે કે જ્યારે ભાજપ દિલ્હીમાં સત્તામાં ન હતી તો પણ કેજરીવાલને જેલના દરવાજા બતાવી દીધા હતા તો હવે કેજરીવાલ સામેના એ તમામ કેસોની ફરીથી તપાસ થશે. ત્યારે આવો જોઈએ કે અત્યાર સુધી કેજરીવાલ સામે કેટલા કેસ થયેલા છે અને ક્યા કેસની તપાસ લંબિત છે.

09 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર :સુરતથી મહાકુંભ સુધીની વિશેષ ટ્રેન શરૂ, સાંસદ મુકેશ દલાલની રજૂઆત બાદ રેલવે વિભાગે ટ્રેન કરી શરૂ

આજે 09 ફેબુઆરી શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

દિલ્હીમાં ભાજપની જીત, CM ચહેરા અંગે મોટી માહિતી આવી સામે..જાણો ક્યારે થશે જાહેરાત

દિલ્હી માટે આગામી દિવસોમાં નવા મુખ્યમંત્રીની જાહેરાત થવાની સંભાવના છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બૈજયંત જય પાંડાએ આ માહિતી આપતા કહ્યું કે મુખ્યમંત્રીની પસંદગી માટે એક સુસંગત પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની મોટી હેટ્રિક…આ વખતે પણ મળી ‘0’ બેઠક

કોંગ્રેસ દિલ્હીમાં ફરી એક વખત ચૂંટણી હારી છે. પાર્ટીનો દિલ્હીમાં સતત ત્રીજી વખત સફાયો થયો છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ એક પણ બેઠક જીતી નથી. દિલ્હીમાં કોંગ્રેસનું પતન 2015માં શરૂ થયું હતું, 2015માં કોંગ્રેસે તમામ 70 બેઠકો ગુમાવી હતી.

આપની ઐતિહાસિક હાર બાદ કેજરીવાલ પર કુમાર વિશ્વાસનું મોટુ નિવેદન, કેજરીવાલને ગણાવ્યા નિર્લજ્જ, નીચ અને ચરિત્રહિન

દિલ્હી વિધાનસભા ચૂંટણી આમ આદમી પાર્ટીની કારમી હાર થઈ છે. ત્યારે કુમાર વિશ્વાસે જબરો કટાક્ષ કર્યો. મહાભારતમાં કૃષ્ણનું ઉદાહરણ આપતા કહ્યુ કે દૂર્યોધને કૃષ્ણને દૂત તરીકે આવેલા જોઈને પણ ભરી સભામાં અટ્ટહાસ્ય કરીને કહ્યુ હતુ યુદ્ધ કર્યા વિના તો પાંચ ગામ પણ પાંડવોને હું નહીં આપુ. આજે એ દુર્યોધન પોતાની જ સીટ બચાવવા માટે તરસી રહ્યો છે. અને હું જાણુ છુ કે આ દૂર્યોધનનો અંત પણ અત્યંત દારૂણ થવાનો છે.

AAPના છેલ્લા દિવસો આવી ગયા છે ! કેજરીવાલે પહેલા જ કરી દીધી હતી હારની ભવિષ્યવાણી, જુઓ- Viral Video

દિલ્હીમાં AAPનો સફાયો થઈ ગયો છે. જોકે AAPની આ કારમી હારની ભવિષ્યવાણી ખુદ અરવિંદ કેજરીવાલે કરી દીધી હતી.

Delhi Election Results 2025 : આ 8 કારણથી દિલ્હીના દંગલમાં ધૂળ ચાટતી થઈ ગઇ અરવિંદ કેજરીવાલની AAP

27 વર્ષ બાદ દિલ્હીમાં ભાજપની ધમાકેદાર વાપસી થઇ છે.  ભાજપની આંધીમાં વિરોધ પક્ષોના સૂપડાં સાફ થયા છે. આમ આદમી પાર્ટી સૌથી કારમી હાર તરફ છે.આમ આદમી પાર્ટી માત્ર 10 વર્ષમાં જ દિલ્હીમાં સત્તાથી બહાર થઈ ગઈ છે. ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવતી દેખાય છે.

Delhi Election Result 2025: શકુર બસ્તી વિધાનસભા બેઠક પરથી સત્યેન્દ્ર જૈનની 20 હજારથી વધુ મતોથી હાર

Delhi Election Result 2025:દિલ્હી વિધાનસભા ચૂંટણી: હવે ભાજપને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સ્પષ્ટ જનાદેશ મળતો જણાય છે. AAPના ઉમેદવાર અને પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન શકુર બસ્તી વિધાનસભા બેઠક પરથી હારી ગયા છે. તેમને ભાજપના કરનૈલ સિંહે હરાવ્યા છે.

Delhi Election Result 2025 : અરવિંદ કેજરીવાલની હાર થતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થયા મીમ્સ, યુઝર્સે કરી ફની કોમેન્ટ

દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયુ છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલની કારમી હાર થતા સોશિયલ મીડિયા પર મીમ્સ વાયરલ થઈ રહ્યાં છે. જેમાં યુઝર્સે અનેક ફની કોમેન્ટ લખી છે. સોશિયલ મીડિયા પર સ્વાતી માલિવાન અને અરવિંદ કેજરીવાલને લઈને પણ અનેક મીમ્સ વાયરલ થઈ રહ્યાં છે.

Breaking News : AAPના દિગ્ગજ નેતા મનીષ સિસોદિયા જંગપુરાથી 600 મતોથી હાર્યા

જંગપુરા બેઠક પરથી AAP નેતા મનિષ સિસોદિયાની હાર થઇ છે.ભાજપના તરવિંદર સિંઘની જીત થઇ છે. આમ આદમી પાર્ટીએ અહીંથી મનીષ સિસોદિયાને મેદાનમાં ઉતાર્યા હતા. તરવિંદર સિંહ મારવાહ ભાજપ તરફથી ચૂંટણી મેદાનમાં હતા. કોંગ્રેસે ચૂંટણીમાં ફરહાદ સૂરીને મેદાનમાં ઉતાર્યા હતા.

Breaking News : દિલ્હી AAPમાં મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલની કારમી હાર, ભાજપનું કમળ ખીલ્યું

Arvind Kejriwal lost the election : અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. અરવિંદ કેજરીવાલને ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ હરાવ્યા છે. ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની હાર આમ આદમી પાર્ટી માટે મોટો આંચકો માનવામાં આવી રહી છે.

Arvind Kejriwal Kundli: અરવિંદ કેજરીવાલની કુંડળીમા કયા ગ્રહોની બદલાયેલી ચાલે અસર બતાડવાની શરૂ કરી? શું ફરી જવું પડશે જેલ

Arvind Kejriwal Kundli Analysis: દિલ્હીમાં આપ હારી છે, કેજરીવાલની પણ કારમી હાર થઇ છે. કેજરીવાલ આ દિવસોમાં કથીત દારૂના કૌભાંડમાં ફસાયેલા છે અને તેમની ધરપકડ કરવામાં આવી હતી, ચાલો જાણીએ કે અરવિંદ કેજરીવાલની કુંડળીમાં હાજર ગ્રહો અને નક્ષત્રો શું સંકેત આપી રહ્યા છે.

રેડિયો જોકીથી લઈ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી રહી ચૂકેલા મનીષ સિસોદિયાના પરિવાર વિશે જાણો

દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા જંગપુરા વિધાનસભા બેઠક પરથી હારી ગયા છે.તો આજે આપણે મનીષ સિસોદિયાની પર્સનલ લાઈફ વિશે જાણીશું.

દિલ્હીમાં ભાજપ સરકાર બનાવે તો કોણ બનશે મુખ્યમંત્રી ? જાણો કોણ કોણ છે દાવેદાર ?

ભાજપે દિલ્હીમાં મુખ્યમંત્રી પદ માટે પોતાના કોઈપણ નેતાને ચહેરો જાહેર કરીને ચૂંટણી લડી ન હતી. ભાજપે દિલ્હીની ચૂંટણી પીએમ મોદીના નામ અને કામ પર લડી હતી. ત્યારે મુખ્યમંત્રી પદની રેસમાં ફક્ત એક કે બે નહીં પરંતુ પાંચથી છ ભાજપના નેતાઓ છે. આવી સ્થિતિમાં ભાજપ મુખ્યમંત્રી પદ કોને સોંપે છે તે જોવાનું રહેશે.

રાજકોટ હોસ્પિટલની ઘટનાને લઈ ગુજરાતની ગરિમા લજવાઈ
રાજકોટ હોસ્પિટલની ઘટનાને લઈ ગુજરાતની ગરિમા લજવાઈ
સુરતમાં ફરી વિદ્યાર્થીઓના સીન સપાટાનો વીડિયો વાયરલ !
સુરતમાં ફરી વિદ્યાર્થીઓના સીન સપાટાનો વીડિયો વાયરલ !
નગરપાલિકાની ચૂંટણી દરમિયાન બબાલ, જાણો સંપૂર્ણ ઘટના
નગરપાલિકાની ચૂંટણી દરમિયાન બબાલ, જાણો સંપૂર્ણ ઘટના
દ્વારકા સલાયા અને રાજકોટના જેતપુર દેસાઈ વાડી વિસ્તારમાં EVM ખોટવાયુ
દ્વારકા સલાયા અને રાજકોટના જેતપુર દેસાઈ વાડી વિસ્તારમાં EVM ખોટવાયુ
ખેડા નગરપાલિકા અને બિલિમોરા પાલિકાની ચૂંટણી મતદાનમાં EVM ખોટવાયું
ખેડા નગરપાલિકા અને બિલિમોરા પાલિકાની ચૂંટણી મતદાનમાં EVM ખોટવાયું
બુથમાં રાજકીય પક્ષનો પ્રચાર કરવાના આક્ષેપ સાથે મતદાન બંધ કરાવાયું
બુથમાં રાજકીય પક્ષનો પ્રચાર કરવાના આક્ષેપ સાથે મતદાન બંધ કરાવાયું
ઘરની છત પર ટાઈલ્સ લગાવવાની ભૂલ ના કરતા ! થશે આવી સમસ્યા
ઘરની છત પર ટાઈલ્સ લગાવવાની ભૂલ ના કરતા ! થશે આવી સમસ્યા
મહેમદાવાદમાં પ્રિસાઈડિંગ ઓફિસર નશામાં ધૂત ઝડપાયો
મહેમદાવાદમાં પ્રિસાઈડિંગ ઓફિસર નશામાં ધૂત ઝડપાયો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરુ, 38 લાખથી વધુ મતદારો કરશે મતદાન !
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરુ, 38 લાખથી વધુ મતદારો કરશે મતદાન !
રાજ્યનાં હવામાનને લઇ આગાહી, બેવડીઋતુનો થશે અનુભવ
રાજ્યનાં હવામાનને લઇ આગાહી, બેવડીઋતુનો થશે અનુભવ
g clip-path="url(#clip0_868_265)">