આમ આદમી પાર્ટી
આમ આદમી પાર્ટી અથવા AAP એ ભારતનો એક રાજકીય પક્ષ છે. જેને હવે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળ્યો છે. ભ્રષ્ટાચાર સામે શરુ થયેલા અન્ના હજારેના આંદોલન પછી AAPની રચના 2012માં થઈ હતી. સમાજ સેવક અન્ના હઝારે અને આંદોલન સાથે સંકળાયેલા કેટલાક લોકોનું માનવુ હતુ કે રાજકારણમાં પ્રવેશ કરવો જોઇએ નહીં. જો કે IRS અધિકારી રહી ચુકેલા અરવિંદ કેજરીવાલ અને તેમની સાથેના કેટલાક લોકોનો અભિપ્રાય અલગ હતો અને તેઓ રાજકારણમાં આવીને રાજકારણ બદલવાની વાત કહીને આગળ વધી ગયા.
આમ આદમી પાર્ટીની રચનાની સત્તાવાર જાહેરાત 26 નવેમ્બર 2012ના રોજ દિલ્હીના જંતર મંતર ખાતે કરવામાં આવી હતી. એક વર્ષ પછી 2013માં આમ આદમી પાર્ટી પ્રથમ ચૂંટણી લડી હતી. જે પછી આમ આદમી પાર્ટી 70 બેઠક ધરાવતી દિલ્હી વિધાનસભામાં જીત મેળવી બીજી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી. આમ આદમી પાર્ટીએ 28 બેઠક મેળવી હતી. કોંગ્રેસે તેમને બહારથી ટેકો આપ્યો અને દિલ્હીમાં કેજરીવાલ સરકારની રચના થઇ. જો કે આ સરકાર લાંબા સમય સુધી ટકી શકી નહીં. 49 દિવસ બાદ અરવિંદ કેજરીવાલે રાજીનામું આપ્યું. AAPએ ફક્ત દિલ્હી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. 2015ની વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો હતો.
AAPએ 70માંથી 67 બેઠક મેળવી, પરંતુ તે દરમિયાન પાર્ટીમાં ભંગાણ શરૂ થઇ ગયુ. એપ્રિલ 2015માં પાર્ટીના સંસ્થાપક સભ્ય યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ અને પ્રોફેસર આનંદ કુમારને આમ આદમી પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. હાલમાં પંજાબ અને દિલ્હીમાં આપ સરકાર છે અને આમ આદમી પાર્ટી, દેશના વિરોધ પક્ષોએ ભેગા થઈને રચેલા જોડાણ I.N.D.I.A નો એક ભાગ છે.
પત્ની બોલિવુડ સ્ટાર, બહેન CA, પિતા ઉદ્યોગપતિ આવો છે AAPના નેતા રાધવ ચઢ્ઢાનો પરિવાર
આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા હાલમાં ખુબ ચર્ચામાં છે.આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં AAPના ઉપનેતા પદ પરથી હટાવી દીધા છે. તો આજે આપણે રાધવ ચઢ્ઢાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.
- Nirupa Duva
- Updated on: Apr 6, 2026
- 7:11 am
Breaking News : રાઘવ ચઢ્ઢા કેટલો પૈસાદાર છે ? AAP સાંસદની કુલ સંપત્તિ, સોનું, ચાંદી, મિલકત અને રોકાણ વિશે જાણો
રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના ઉપનેતાના પદ પરથી દુર કર્યા બાદ રાધવ ચઢ્ઢા સતત ચર્ચામાં આવ્યા છે. તો આજે આપણે રાધવ ચઢ્ઢા અને તેની પત્ની પરિણીતી ચોપરાની કુલ સંપત્તિ વિશે વાત કરીશુ.
- Nirupa Duva
- Updated on: Apr 3, 2026
- 4:29 pm
Breaking News : રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટીને આપ્યો જવાબ, ‘ચૂપ કરાવવામાં આવ્યો છે, પણ હાર્યો નથી’
AAPએ રાઘવ ચઢ્ઢાને ગૃહના ઉપનેતા પદ પરથી દૂર કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે પાર્ટીએ રાજ્યસભા સચિવાલયને સત્તાવાર પત્ર લખ્યો હતો. પાર્ટીએ તેમના સ્થાને પંજાબના સાંસદ અશોક મિત્તલનું નામ ઉપનેતા તરીકે પ્રસ્તાવિત કર્યું છે. જો કે આ નિર્ણય પછી સોશિયલ મીડિયા પર રાઘવ ચઢ્ઢાનું પ્રથમ નિવેદન સામે આવ્યુ છે.
- TV9 Gujarati
- Updated on: Apr 3, 2026
- 1:40 pm
Breaking News : ગુજરાતમાં AAPની લોકપ્રિયતાથી BJP ડરી, AAPના કાર્યકરો-હોદેદારોને જેલોમાં પૂરીને, ગુજરાત સરકાર જેલભરો આંદોલન ચલાવે છે
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળવા માટે સમય ફાળવવા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પત્ર લખ્યો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાને ડામવા માટે ગુજરાત સરકાર એક પછી એક કાર્યકરો અને હોદ્દેદારોને જેલમાં ધકેલી રહી છે. એવુ લાગે છે કે, આમ આદમી પાર્ટીના કાર્યકરોને વિવિધ જેલમાં ધકેલી દઈને, ભાજપ સરકાર જેલભરો આંદોલન ચલાવી રહી છે.
- TV9 Gujarati
- Updated on: Apr 2, 2026
- 6:59 pm
AAPમાં મોટું ‘ઓપરેશન’ : રાઘવ ચઢ્ઢાની પાંખો કપાઈ ! પક્ષે લીધા એવા પગલાં કે રાજ્યસભામાં બોલવા પર પણ લાગ્યો ‘બ્રેક’
આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક અને સોશિયલ મીડિયા પર છવાયેલા રહેતા રાઘવ ચઢ્ઢા સામે હાઈકમાન્ડે લાલ આંખ કરી છે. પદ છીનવાયું એટલું જ નહીં, પણ હવે સંસદમાં તેમનો અવાજ પણ રુંધાઈ જશે. જાણો કેમ કેજરીવાલના ખાસ ગણાતા ચઢ્ઢા અચાનક પક્ષની નજરમાં ખટકાવા લાગ્યા?
- Sachin Agrawal
- Updated on: Apr 2, 2026
- 6:18 pm
Breaking News : હાઇવોલ્ટેજ ડ્રામા બાદ અડધી રાતે દ્વારકામાં AAP નેતાઓનો જામીન પર છુટકારો, મુક્ત થતા જ ભાજપ પર લગાવ્યા આરોપ, જુઓ Video
સરકારી કામમાં અવરોધ સર્જવાના કેસમાં અટકાયત કરાયેલા AAP નેતાઓને આખરે અડધી રાતે જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. આ યાદીમાં મુખ્યત્વે AAP પ્રદેશ પ્રમુખ Isudan Gadhvi સહિતના નેતાઓ સામેલ હતા, જેઓને મોડીરાતે મુક્ત કરવામાં આવ્યા છે. જો કે જામીન મળતા તેમને મોટા રાહતનો શ્વાસ લીધો હતો અને તરત જ ભાજપ પર આરોપ લગાવ્યા હતા.
- TV9 Gujarati
- Updated on: Apr 2, 2026
- 11:06 am
Breaking News: પોલીસ સ્ટેશનમાં અધિકારીઓ સાથે ઘર્ષણ ‘આપ’ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની અટકાયત, ચૂંટણી પહેલા માહોલ ગરમાયો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની દ્વારકા નજીક ખંભાળિયામાં અટકાયત કરવામાં આવતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.
- TV9 Gujarati
- Updated on: Apr 1, 2026
- 5:51 pm
Breaking News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું, AAP અને કોંગ્રેસના 50 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અનેક કાર્યકરો અને કેટલાક નેતાઓ ભાજપમાં જોડાયા છે. એક સાથે અંદાજે 50 જેટલા કાર્યકરોએ પક્ષ પલટો કરતાં સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટના ચૂંટણી પહેલા પક્ષોની સ્થિતિ પર સીધી અસર કરી શકે છે.
- Devankashi rana
- Updated on: Apr 1, 2026
- 12:40 pm
Breaking News : અરવિંદ કેજરીવાલે અમરેલીમાં સંબોધી જાહેરસભા, સરકાર બનશે તો મહિલાઓને દર મહિને રૂ. એક-એક હજાર આપવા આપ્યું વચન
અમરેલીના સાવરકુંડલા રોડ પર ચક્કરગઢ ગામના પાટીયા પાસે આમ આદમી પાર્ટીની જંગી જાહેર સભા યોજાઈ હતી. જેમાં જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર સહિતના જિલ્લાઓમાથી કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અરવિંદ કેજરીવાલે, ઈકો સેન્સેટીવ ઝોન, માવઠાથી ખેડૂતોને થયેલા નુકસાન જેવા મુદ્દે ગુજરાત સરકાર પર પસ્તાળ પાડી હતી.
- TV9 Gujarati
- Updated on: Mar 26, 2026
- 9:16 am
Breaking News : સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે AAPએ 460 ઉમેદવારોની યાદી જાહેર કરી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે AAP ઉમેદવારોની યાદી જાહેર કરી છે.AAPની પ્રથમ યાદીમાં 460 ઉમેદવારોના નામ સામેલ છે. તાલુકા અને જિલ્લા પંચાયત માટે ઉમેદવારોના નામ જાહેર થયા છે.પાલિકા અને મહાનગર પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી તૈયાર છે.
- TV9 Gujarati
- Updated on: Mar 24, 2026
- 1:25 pm
ફરી એકસાથે દેખાયા સૌરાષ્ટ્રના દિગ્ગજ પાટીદાર નેતા જયેશ રાદડિયા અને AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, 13 દિવસમાં બીજી મુલાકાત- Video
સૌરાષ્ટ્રના દિગ્ગજ પાટીદાર નેતા અને જેતપુરથી ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા અને AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ફરી એકસાથે જોવા મળ્યા છે. સુરતમાં આયોજિત સમૂહ લગ્નોત્સવમાં બંને એકસાથે મંચ પર જોવા મળ્યા હતા. 13 દિવસમાં બંનેની આ બીજી મુલાકાત છે.
- TV9 Gujarati
- Updated on: Mar 2, 2026
- 1:27 pm
Breaking News : શરાબ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા નિર્દોષ જાહેર, કોર્ટે કહ્યુ- પુરાવાનો અભાવ છે
રાઉસ એવન્યુ કોર્ટે આજે કથિત દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં પોતાનો ચુકાદો આપ્યો. આ ચુકાદો સીધી રીતે ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને મોટી રાહત આપે છે. કોર્ટે મનીષ સિસોદિયાને એક્સાઇઝ કેસમાં નિર્દોષ જાહેર કર્યા. પોતાના ચુકાદામાં કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે આખા કેસમાં કોઈ કાવતરું નહોતું.
- Tanvi Soni
- Updated on: Feb 27, 2026
- 1:31 pm
સાંસદ મનસુખ વસાવા DyCM સંઘવીની હાજરીમાં બન્યા બેફામ, MLA ચૈતર વસાવા માટે કર્યો અશિષ્ટ ભાષાનો ઉપયોગ, જુઓ વીડિયો
ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ, શિક્ષકોની ઘટનો મુદ્દો ઉઠાવ્યો હોવાથી, સાંસદ એકાએક આગ બબુલા થઈને ચૈતર વસાવા ઉપર ભડકી ઉઠ્યા હતા. મનસુખ વસાવાએ, સામાન્ય રીતે જાહેર મંચ ઉપરથી વિરોધી માટે ના બોલાય તેવી શૈલીમાં ચૈતર વસાવાને આડે હાથે લીધા હતા.
- TV9 Gujarati
- Updated on: Feb 26, 2026
- 8:13 pm
હવે કોંગ્રેસના અનંત પટેલના બદલાયા તેવર કહ્યુ પાર્ટી સમાજ સાથે અન્યાય કરશે તો મને પાર્ટી છોડી દેતા વાર નહીં લાગે- Video
ગુજરાતમાં કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ પાર્ટી છોડવાની ધમકી આપતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. નવસારીના વાંસદાથી ધારાસભ્ય અનંત પટેલે કહ્યુ છે કે સમાજ સાથે અન્યાય થશે તો પાર્ટી છોડતા મને વાર નહીં લાગે. તેમની આ ચીમકીથી રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે.
- TV9 Gujarati
- Updated on: Feb 15, 2026
- 7:49 pm
Breaking News : ગોપાલ ઇટાલિયા ક્યારેય આમ આદમી પાર્ટીને ઉભી થવા નહિ દે : રાજુ કરપડા જુઓ Video
આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડાએ પત્રકાર પરિષદ યોજી. તેમણે ખેડૂતોના મુદ્દે પાર્ટીના કથિત સમર્થનના અભાવ અને જેલવાસ દરમિયાન મળેલા કડવા અનુભવોને રાજીનામાનું કારણ ગણાવ્યું. કરપડાએ પાર્ટી પર ખેડૂતોના જામીન મામલે બેદરકારી અને આંતરિક રાજકારણનો આક્ષેપ કર્યો. તેઓ હવે બિનરાજકીય રીતે ખેડૂતો માટે લડવાની વાત કરી રહ્યા છે.
- Hasmukh Ramani
- Updated on: Feb 12, 2026
- 1:10 pm