AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આમ આદમી પાર્ટી

આમ આદમી પાર્ટી

આમ આદમી પાર્ટી અથવા AAP એ ભારતનો એક રાજકીય પક્ષ છે. જેને હવે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળ્યો છે. ભ્રષ્ટાચાર સામે શરુ થયેલા અન્ના હજારેના આંદોલન પછી AAPની રચના 2012માં થઈ હતી. સમાજ સેવક અન્ના હઝારે અને આંદોલન સાથે સંકળાયેલા કેટલાક લોકોનું માનવુ હતુ કે રાજકારણમાં પ્રવેશ કરવો જોઇએ નહીં. જો કે IRS અધિકારી રહી ચુકેલા અરવિંદ કેજરીવાલ અને તેમની સાથેના કેટલાક લોકોનો અભિપ્રાય અલગ હતો અને તેઓ રાજકારણમાં આવીને રાજકારણ બદલવાની વાત કહીને આગળ વધી ગયા.

આમ આદમી પાર્ટીની રચનાની સત્તાવાર જાહેરાત 26 નવેમ્બર 2012ના રોજ દિલ્હીના જંતર મંતર ખાતે કરવામાં આવી હતી. એક વર્ષ પછી 2013માં આમ આદમી પાર્ટી પ્રથમ ચૂંટણી લડી હતી. જે પછી આમ આદમી પાર્ટી 70 બેઠક ધરાવતી દિલ્હી વિધાનસભામાં જીત મેળવી બીજી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી. આમ આદમી પાર્ટીએ 28 બેઠક મેળવી હતી. કોંગ્રેસે તેમને બહારથી ટેકો આપ્યો અને દિલ્હીમાં કેજરીવાલ સરકારની રચના થઇ. જો કે આ સરકાર લાંબા સમય સુધી ટકી શકી નહીં. 49 દિવસ બાદ અરવિંદ કેજરીવાલે રાજીનામું આપ્યું. AAPએ ફક્ત દિલ્હી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. 2015ની વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો હતો.

AAPએ 70માંથી 67 બેઠક મેળવી, પરંતુ તે દરમિયાન પાર્ટીમાં ભંગાણ શરૂ થઇ ગયુ. એપ્રિલ 2015માં પાર્ટીના સંસ્થાપક સભ્ય યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ અને પ્રોફેસર આનંદ કુમારને આમ આદમી પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. હાલમાં પંજાબ અને દિલ્હીમાં આપ સરકાર છે અને આમ આદમી પાર્ટી, દેશના વિરોધ પક્ષોએ ભેગા થઈને રચેલા જોડાણ I.N.D.I.A નો એક ભાગ છે.

Read More

હવે કોંગ્રેસના અનંત પટેલના બદલાયા તેવર કહ્યુ પાર્ટી સમાજ સાથે અન્યાય કરશે તો મને પાર્ટી છોડી દેતા વાર નહીં લાગે- Video

ગુજરાતમાં કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ પાર્ટી છોડવાની ધમકી આપતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. નવસારીના વાંસદાથી ધારાસભ્ય અનંત પટેલે કહ્યુ છે કે સમાજ સાથે અન્યાય થશે તો પાર્ટી છોડતા મને વાર નહીં લાગે. તેમની આ ચીમકીથી રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે.

Breaking News : ગોપાલ ઇટાલિયા ક્યારેય આમ આદમી પાર્ટીને ઉભી થવા નહિ દે : રાજુ કરપડા જુઓ Video

આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડાએ પત્રકાર પરિષદ યોજી. તેમણે ખેડૂતોના મુદ્દે પાર્ટીના કથિત સમર્થનના અભાવ અને જેલવાસ દરમિયાન મળેલા કડવા અનુભવોને રાજીનામાનું કારણ ગણાવ્યું. કરપડાએ પાર્ટી પર ખેડૂતોના જામીન મામલે બેદરકારી અને આંતરિક રાજકારણનો આક્ષેપ કર્યો. તેઓ હવે બિનરાજકીય રીતે ખેડૂતો માટે લડવાની વાત કરી રહ્યા છે.

Breaking News : આમ આદમી પાર્ટીને મોટો ફટકો! બોટાદ હિંસા બાદ રાજુ કરપડાનું રાજીનામું, સ્થાનિક ચૂંટણી પહેલા ખળભળાટ, જુઓ Video

આમ આદમી પાર્ટીના કિસાન સેલના નેતા રાજુ કરપડાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને કડદા પ્રથા મુદ્દે તેઓ ચર્ચામાં આવ્યા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા કરપડાના રાજીનામાને કારણે આમ આદમી પાર્ટીને મોટો રાજકીય ફટકો પડ્યો છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને તાલુકાનો લુખ્ખો કહ્યો – જુઓ વીડિયો

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફરી એક વખત ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહારો કરતા કહ્યું છે કે, ચૈતર એન્ડ કંપની અને આમ આદમી પાર્ટીએ ગુજરાતભરમાં નર્મદા જિલ્લાને બદનામ કરી દીધો છે. ચૈતર એન્ડ કંપની બધાને ગેરમાર્ગે દોરે છે.

ઈટાલિયાની સભામાં ફરી જૂતાકાંડ! માળિયાહાટીનામાં ઇટાલિયા પર જૂતું ફેંકનારની અટકાયત, સસ્તી પ્રસિદ્ધી માટે આવા કૃત્ય કરાવતા હોવાનો ભાજપનો આરોપ – જુઓ Video

જૂનાગઢના માળિયા હાટીનામાં યોજાયેલી એક જાહેર સભા દરમિયાન ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ થયો હતો. આ ઘટનાને લઈને ગોપાલ ઇટાલિયાએ સત્તાધારી પક્ષ પર ગંભીર આરોપો લગાવ્યા, જ્યારે જૂનાગઢના ભાજપના ધારાસભ્ય સંજય કોરડીયાએ વાક્પ્રહાર કર્યા.

AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરી હુંકાર, વર્ષ 2027માં અમારી સરકાર બનશે એવો દાવો કર્યો – જુઓ Video

AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ દાવો કર્યો છે કે, વર્ષ 2027 માં રાજ્યમાં સત્તા પરિવર્તન થશે અને તેમની સરકાર બનશે. ચૈતર વસાવાએ આકરા અંદાજમાં જણાવ્યું કે, આદિવાસી યુવાનોને ગેરમાર્ગે દોરવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

Breaking News : સુરતમાં ગોપાલ ઇટાલિયા સહિતના AAP નેતાના પોસ્ટર પર સાહી ફેંકાઇ, ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધનો વંટોળ

સુરતના ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. VHP કાર્યકરો દ્વારા ગોપાલ ઇટાલિયા સહિતના આમ આદમી પાર્ટીના નેતાના પોસ્ટર પર સાહી ફેંકીને વિરોધ દર્શાવવામાં આવ્યો છે. હિંદુ વિસ્તારમાં મુસ્લિમ ટોપી પહેરી આપ નેતાઓની તસવીરનું પોસ્ટર લગાવાના પગલે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.

નર્મદાના સાગબારાના કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ નેતાઓ વચ્ચે શાબ્દિક યુધ્ધ, જુઓ Video

નર્મદાના સાગબારામાં એકલવ્ય મોડેલ સ્કૂલના લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાને આમંત્રણ ન મળતા તેમણે ભાજપના નેતાઓ સાથે સ્ટેજ પર જ શાબ્દિક યુધ્ધ. વસાવાએ ખર્ચ પર સવાલ ઉઠાવતા સાંસદ મનસુખ વસાવાએ આદિવાસી વિકાસ કાર્યક્રમના હિસાબને અપમાન ગણાવ્યો.

જૂનાગઢ જેલમાં આમ આદમી પાર્ટીના પ્રમુખને કેદીએ ધોઈ નાખ્યાં, સામ-સામે નોંધાઈ ફરિયાદ

જૂનાગઢ જેલમાં, આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ અને કેદી વચ્ચે થયેલ ઉગ્ર બોલાચાલી બાદ મારા મારી થઈ હતી. જેલમાં કેદીઓ વચ્ચે થયેલ મારામારીને લઈને જેલ અધિક્ષકે તપાસના આદેશ આપ્યા છે.

Junagadh : AAP નેતાઓને ખોટા કેસમાં ફસાવાયા હોવાનો ઇટાલિયાનો આરોપ, મહિલા પોલીસકર્મીને પગે પડી કરી રજૂઆત, જુઓ Video

આ સમગ્ર મામલે ગુનો નોંધાતા પોલીસ સ્ટેશન પર વરઘોડો કાઢી AAPનાં નેતાઓ હાજર થયા હતા. AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ આ વરઘોડામાં જોડાયા હતા. અહીં ગોપાલ ઇટાલિયાએ નાટકિય રીતે મહિલા પોલીસકર્મીને પગે પડી રજૂઆત કરી હતી કે તે આમ આદમી પાર્ટીના નેતાઓને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતુ. 

નર્મદામાં રુ 75 લાખ મામલે રાજકારણ ગરમાયું, મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ

ભાજપના પીઢ સાંસદ મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ 75 લાખ રુપિયાની માગણી કરી છે. સાંસદે દાવો પણ કર્યો હતો કે આ અંગે તેમને જાણકારી ખુદ જિલ્લા કલેક્ટરે આપી છે. આ મામલે હવે મનસુખ વસાવા આકરા પાણીએ છે અને તપાસ નહીં થાય તો પોતે ભાજપ છોડી દેશે ચીમકી ઉચ્ચારી છે.

ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું- ચૈતર વસાવાએ સરકારી અધિકારી પાસે 75 લાખ માંગ્યા, ચૈતર વસાવાએ કહ્યું-પીએમ મોદીની સભામાં ભાજપના મળતિયાને બખ્ખેબખ્ખા

ભરૂચના સાંસદ અને ડેડીયાપાડાના ધારાસભ્ય સામસામે આવી ગયા છે. ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ, આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર સરકારી અધિકારી પાસે રૂપિયા 75 લાખ માંગ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. જેની સામે ચૈતર વસાવાએ પડકાર ફેકતા કહ્યું કે, સરકારી અધિકારી પાસે રૂપિયા માંગ્યા હોવાના પુરાવા વસાવા પુરા પાડે, ચૈતર વસાવાએ પ્રતિ આક્ષેપ કરતા કહ્યું કે, વડાપ્રધાનના કાર્યક્રમમાં કરોડો રૂપિયાના ખોટા બિલ ઉધારવામાં આવ્યા છે. આ મુદ્દે આંદોલન કરાશે.

Year Ender 2025 : આ વર્ષે ગુજરાતના રાજકરણમાં થયા મોટા ફેરફાર, અનેક રાજકીય ઘટનાઓ ઘટી

ગુજરાતમાં વર્ષ 2025માં રાજકીય ક્ષેત્રમાં પણ વિવિધ બદલાવ થયા છે. કેટલા રાજનેતાઓએ રાજકીય પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. તો ગુજરાતને ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે. તો ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી મંડળનું પણ પુનર્ગઠન કરવામાં આવ્યું છે.

Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ- Video

જામનગરમાં આમ આદમી પાર્ટીની સભા દરમિયાન ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે જૂતું ફેંક્યું હતું. આ ઘટનાથી સભામાં ભારે હંગામો મચી ગયો હતો. સભામાં હાજર લોકોએ તેની ધોલાઈ કરી હતી. પોલીસે તુરંત જૂતું ફેંકનારની અટકાયત કરી હતી.

2027માં ભાજપ સરકારનુ ફિંડલુ વળી જશે, દિલ્હીમાં ગુજરાતના પ્રધાનો નક્કી કરાય છેઃ AAP

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે ગત સપ્તાહે ખેડૂતો માટે જાહેર કરેલ 10,000 કરોડના રાહત પેકેજ બાદ, આજે ભાણવડ ખાતે આમ આદમી પાર્ટીનું ખેડૂત મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલનમાં, આમ આદમી પાર્ટીએ, ખેડૂતોના સંપૂર્ણ દેવામાફી અને પાક વીમા યોજના લાગુ કરવાની માંગણી કરી હતી.

સાંસદ ગેનીબેન ઠાકોરે ગળામાં બટાટાનો હાર પહેરી કલેક્ટર કચેરી પહોંચ્યા
સાંસદ ગેનીબેન ઠાકોરે ગળામાં બટાટાનો હાર પહેરી કલેક્ટર કચેરી પહોંચ્યા
મોદી સરકારે ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના મેટ્રોના વિસ્તરણને આપી મંજૂરી
મોદી સરકારે ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના મેટ્રોના વિસ્તરણને આપી મંજૂરી
જામીન મળ્યા બાદ ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ કીર્તિ પટેલ
જામીન મળ્યા બાદ ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ કીર્તિ પટેલ
કપાસ પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર: CCI ખરીદી બંધ કરશે
કપાસ પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર: CCI ખરીદી બંધ કરશે
દેલાડ તળાવમાં કરોડોનું બજેટ પણ કામગીરી 'થર્ડ ક્લાસ'
દેલાડ તળાવમાં કરોડોનું બજેટ પણ કામગીરી 'થર્ડ ક્લાસ'
અસામાજીક તત્વો-હિસ્ટ્રીશિટરના ધીકતા ધંધા પર ફરી વળ્યું બુલડોઝર
અસામાજીક તત્વો-હિસ્ટ્રીશિટરના ધીકતા ધંધા પર ફરી વળ્યું બુલડોઝર
Breaking News: હિસ્ટ્રીશીટરોના ભવ્ય બંગલાઓ જમીનદોસ્ત
Breaking News: હિસ્ટ્રીશીટરોના ભવ્ય બંગલાઓ જમીનદોસ્ત
નકલી પનીર ,ધી નહી પરંતુ નોટ છાપવાનું રેકેટ ઝડપાયું
નકલી પનીર ,ધી નહી પરંતુ નોટ છાપવાનું રેકેટ ઝડપાયું
આરોપીઓની કોલ ડીટેલના આધારે તપાસ શરૂ
આરોપીઓની કોલ ડીટેલના આધારે તપાસ શરૂ
બહાર ભોજન કરતાં પહેલા સાવધાન! થાળીમાં નકલી પનીર પીરસી આરોગ્ય સાથે ખેલ
બહાર ભોજન કરતાં પહેલા સાવધાન! થાળીમાં નકલી પનીર પીરસી આરોગ્ય સાથે ખેલ
g clip-path="url(#clip0_868_265)">