આમ આદમી પાર્ટી
આમ આદમી પાર્ટી અથવા AAP એ ભારતનો એક રાજકીય પક્ષ છે. જેને હવે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળ્યો છે. ભ્રષ્ટાચાર સામે શરુ થયેલા અન્ના હજારેના આંદોલન પછી AAPની રચના 2012માં થઈ હતી. સમાજ સેવક અન્ના હઝારે અને આંદોલન સાથે સંકળાયેલા કેટલાક લોકોનું માનવુ હતુ કે રાજકારણમાં પ્રવેશ કરવો જોઇએ નહીં. જો કે IRS અધિકારી રહી ચુકેલા અરવિંદ કેજરીવાલ અને તેમની સાથેના કેટલાક લોકોનો અભિપ્રાય અલગ હતો અને તેઓ રાજકારણમાં આવીને રાજકારણ બદલવાની વાત કહીને આગળ વધી ગયા.
આમ આદમી પાર્ટીની રચનાની સત્તાવાર જાહેરાત 26 નવેમ્બર 2012ના રોજ દિલ્હીના જંતર મંતર ખાતે કરવામાં આવી હતી. એક વર્ષ પછી 2013માં આમ આદમી પાર્ટી પ્રથમ ચૂંટણી લડી હતી. જે પછી આમ આદમી પાર્ટી 70 બેઠક ધરાવતી દિલ્હી વિધાનસભામાં જીત મેળવી બીજી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી. આમ આદમી પાર્ટીએ 28 બેઠક મેળવી હતી. કોંગ્રેસે તેમને બહારથી ટેકો આપ્યો અને દિલ્હીમાં કેજરીવાલ સરકારની રચના થઇ. જો કે આ સરકાર લાંબા સમય સુધી ટકી શકી નહીં. 49 દિવસ બાદ અરવિંદ કેજરીવાલે રાજીનામું આપ્યું. AAPએ ફક્ત દિલ્હી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. 2015ની વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો હતો.
AAPએ 70માંથી 67 બેઠક મેળવી, પરંતુ તે દરમિયાન પાર્ટીમાં ભંગાણ શરૂ થઇ ગયુ. એપ્રિલ 2015માં પાર્ટીના સંસ્થાપક સભ્ય યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ અને પ્રોફેસર આનંદ કુમારને આમ આદમી પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. હાલમાં પંજાબ અને દિલ્હીમાં આપ સરકાર છે અને આમ આદમી પાર્ટી, દેશના વિરોધ પક્ષોએ ભેગા થઈને રચેલા જોડાણ I.N.D.I.A નો એક ભાગ છે.
Breaking News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે મતદાનનો મહાસંગ્રામ, 9,292 બેઠકોનું ભવિષ્ય આજે EVMમાં થશે કેદ
ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે અને રાજ્યભરમાં લોકશાહીનો મહાપર્વ ઉજવાઈ રહ્યો છે. કુલ 9,292 બેઠકો માટે 25,579 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર છે, જ્યારે 730 ઉમેદવારો પહેલાથી જ બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે. રાજ્યભરમાં 4 કરોડ 18 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.
- Meera Kansagara
- Updated on: Apr 26, 2026
- 7:51 am
Gujarat Local Body Election 2026 LIVE : પાટણમાં મતદાન સમયે હાર્ટ એટેકથી વૃદ્ધાનું મોત, મતદાન કેન્દ્ર પર ઢળી પડયા હતા વૃદ્ધા
Gujarat Local Body Election 2026 LIVE Updates in Gujarati : રાજ્યભરમાં આજે ખરાખરીનો જંગ યોજાશે. આજે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત માટે ચૂંટણી માટે મતદાન શરુ થઇ ગયુ છે. ગુજરાતના ચૂંટણીપંચના દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, આગામી ચૂંટણી દરમિયાન ચાર કરોડ 19 લાખ જેટલા મતદારો તેમના બંધારણીય અધિકારનો ઉપયોગ કરશે. 26મી એપ્રિલના રોજ ચૂંટણી યોજાશે તથા 28મી એપ્રિલે પરિણામો જાહેર થશે. આ સિવાય જો કોઈ પોલિંગ સ્ટેશન ઉપર ફેરમતદાનની જરૂર પડશે તો તે 27મી એપ્રિલના રોજ યોજાશે.
- TV9 Gujarati
- Updated on: Apr 26, 2026
- 2:23 pm
રાઘવ ચઢ્ઢાએ 7 સાંસદો સાથે ધારણ કર્યો કેસરીયો, જાણો પ્રોફેશનલ લાઈફથી પોલિટિક્સ સુધીની સફર
રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાનો મોટો નિર્ણય લીધો છે. છેલ્લા 13 વર્ષથી કેજરીવાલના સૌથી વિશ્વાસુ મનાતા રાઘવ ચઢ્ઢા રાજકારણમાં આવતા પહેલા લંડનમાં સ્થાયી હતા અને જાણીતી કંપનીઓમાં CA તરીકે કામ કરતા હતા. વાંચો તેમની સફર.
- Sachin Agrawal
- Updated on: Apr 25, 2026
- 8:30 pm
Gen Z જો ચૂંટણી લડવા માગે છે, તો યોગ્ય લાયકાત શું હોવી જોઈએ?
આજની યુવા પેઢી માત્ર સોશિયલ મીડિયા સુધી મર્યાદિત નથી રહી. પરંતુ સમાજમાં સકારાત્મક બદલાવ લાવવા માટે આગળ વધી રહી છે. ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવી એ માત્ર વ્યક્તિગત સપનું નથી, પરંતુ પોતાના વિસ્તારના લોકો માટે કામ કરવાની પ્રતિબદ્ધતા હોય છે.
- Dhruval Shah
- Updated on: Apr 25, 2026
- 4:15 pm
Junagadh: AAPના હવાલાકાંડનો વધુ એક વીડિયો વાયરલ, પૈસાના કવર બનાવી રહેલા માણસો અને નોટોના થપ્પા દેખાયા, જુઓ Video
ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ હવે પ્રચાર શાંત થયા છે. આવતી કાલે સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. તેના પરિણામ 28મી એપ્રિલ 2026ના રોજ રહેશે.
- Dhruval Shah
- Updated on: Apr 25, 2026
- 1:06 pm
ઉલટો પડી જશે રાઘવ ચઢ્ઢાનો દાવ? AAPમાંથી BJPમાં જોડાયેલ સાંસદોનું સભ્યપદ જશે? જાણો શું કહે છે પક્ષપલટા વિરોધી કાયદો
રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, બંધારણ અનુસાર, પાર્ટીના કુલ સંસદ સભ્યો (સાંસદો) ના બે તૃતીયાંશ સભ્યોને બીજા પક્ષમાં ગયા છે. AAP માંથી રાજીનામું આપ્યા પછી, રાઘવ ચઢ્ઢા, અશોક મિત્તલ અને સંદીપ પાઠક ભાજપમાં જોડાયા.
- Devankashi rana
- Updated on: Apr 25, 2026
- 11:06 am
Breaking News: કન્ટેન્ટ ચોરીના કિસ્સાઓ બાદ AAP ગુજરાતનું ફેસબુક-ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ
ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ જોરદાર પ્રચાર કરવામાં આવ્યા છે. ઉમેદવારો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ડોર-ટૂ-ડોર પ્રચાર કરી રહ્યા હતા તો ઘણા લોકો સોશિયલ મિડીયાનો પણ ઉપયોગ કરી રહ્યા હતા.
- Dhruval Shah
- Updated on: Apr 25, 2026
- 12:56 pm
AAP MP: આમ આદમી પાર્ટીના પહેલા રાજ્યસભા સાંસદ કોણ હતા, જાણો હવે પાર્ટીમાં કેટલા સાંસદ બાકી છે?
AAP MP: આમ આદમી પાર્ટીના સાત રાજ્યસભા સાંસદો ભાજપમાં જોડાયા છે. ચાલો જાણીએ કે આમ આદમી પાર્ટીના પહેલા રાજ્યસભા સાંસદ કોણ હતા.
- Meera Kansagara
- Updated on: Apr 25, 2026
- 10:58 am
AAP છોડી BJPમાં સામેલ થનારા રાજ્યસભાના સાંસદોમાં કોણ સૌથી વધારે ધનિક? જાણો અહીં
અહેવાલ મુજબ, પાર્ટીના રાજ્યસભાના સાત સાંસદોએ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે હાથ મિલાવ્યા છે. આ પરિવર્તનથી માત્ર રાજકીય ચર્ચા જ નહીં પરંતુ આ નેતાઓના નાણાકીય પ્રોફાઇલ પર પણ ધ્યાન ખેંચાયું છે. ચાલો જાણીએ કે તેમાંથી સૌથી ધનિક કોણ છે.
- Devankashi rana
- Updated on: Apr 25, 2026
- 9:37 am
પંજાબમાં AAPનો ગઢ હચમચી ગયો, રાજ્યસભાના 6 સાંસદો ભાજપમાં જોડાયા, કેવી રીતે બદલાયા રાજકીય સમીકરણો?
Raghav Chadha Quits AAP: પંજાબમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે, જ્યાં રાઘવ ચઢ્ઢા સહિત છ રાજ્યસભા સાંસદો ભાજપમાં જોડાયા છે. આ બળવાથી રાજ્યસભામાં પાર્ટીની તાકાત ઘટી ગઈ છે.
- Meera Kansagara
- Updated on: Apr 25, 2026
- 9:24 am
રાજ્યસભાના આ સાંસદોએ AAP ઉપર ફેરવ્યો સાવરણો, કયા કયા ક્ષેત્રના નિષ્ણાંતે ધારણ કર્યો ભાજપનો ભગવો ?
પશ્ચિમ બંગાળની ચૂંટણી વચ્ચે આમ આદમી પાર્ટી (AAP) ને આજે મોટો ફટકો પડ્યો છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભાના બે તૃતીયાશ સંસદ સભ્યો, ભાજપમાં જોડાશે. જેમાંથી ત્રણ સાંસદોએ તો આજે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતીન નબિનના હસ્તે પેંડા ખાઈને મ્હો પણ મીઠુ કરી લીધુ.
- TV9 Gujarati
- Updated on: Apr 24, 2026
- 7:07 pm
Breaking News: AAPમાં મોટો બળવો! રાઘવ ચઢ્ઢા સહિત 3 સાંસદોએ છોડ્યો કેજરીવાલનો સાથ, હવે જોડાઇ ગયા ભાજપમાં
આમ આદમી પાર્ટીમાં એક મોટો રાજકીય ફેરફાર જોવા મળ્યો છે. રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા સહિત ત્રણ મુખ્ય નેતાઓએ પાર્ટી સાથેનો પોતાનો વર્ષો જૂનો સાથ તોડીને ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે.
- Ravi Prajapati
- Updated on: Apr 24, 2026
- 6:03 pm
ગીર-સોમનાથમાં AAPના કાર્યકર કુવામાં ખાબક્યા, સ્થાનિક લોકોની મદદથી કરાયું રેસ્ક્યૂ, જુઓ- Video
ઘટના સમયે આસપાસના વિસ્તારમાં અંધારું વધુ હોવાથી કાર્યકરને કુવો નજરમાં ન આવ્યો, જેના કારણે આ દુર્ઘટના બની હતી. કુવામાં પડ્યા બાદ કાર્યકરે બુમાબુમ કરતાં સ્થાનિક લોકોનું ધ્યાન ગયું અને તાત્કાલિક તેમને કુવામાંથી બાહર કાઢવામાં આવ્યા હતા.
- TV9 Gujarati
- Updated on: Apr 24, 2026
- 1:58 pm
Breaking News : પ્રચારનો અંતિમ દિવસ, અંતિમ ઘડીએ CM ભૂપેન્દ્રનો 48 વોર્ડમાં ઝંઝાવાતી પ્રચાર, જુઓ Video
અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં 48 વોર્ડમાં બાઇક રેલી અને રોડશો યોજી જોર લગાવ્યું. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ સઘન પ્રચાર કરી રહી છે. હવાલા કાંડ અને નેતાઓના વિવાદાસ્પદ નિવેદનો ચર્ચામાં રહ્યા. આજે સાંજે 5 વાગ્યે પ્રચારનો અંત આવશે.
- Hasmukh Ramani
- Updated on: Apr 24, 2026
- 11:55 am
Local Body Election Gujarat: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પહેલા ઉમેદવારોનો ગુનાહિત ઈતિહાસ આવ્યો સામે!
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે.ઉમેદવારો મતદારોને રીઝવવા વિસ્તારમાં નીકળ્યા છે. ત્યારે ટીવી નાઈન ઇન્વેસ્ટિગેશન રિપોર્ટમાં ઉમેદવારોની કર્મ કુંડળી સામે આવી છે. જેમાં અમદાવાદ મહાનગરપાલિકાના કેટલા ઉમેદવારો એવા ચેહરા સામે આવ્યા છે કે જેમના વિરુદ્ધ ગંભીર ગુનાઓ નોંધાયા છે. કોણ છે એ ઉમેદવારો જોઈએ આ લેખમાં.
- Mihir Soni
- Updated on: Apr 22, 2026
- 2:41 pm