ઉત્તરકાશી: ‘રેટ-હોલ’ ટેકનિકની મદદથી બચી 41 મજૂરોની જીંદગી, જાણો આ ટેકનોલોજી વિશે
ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં છેલ્લા 17 દિવસથી ફસાયેલા 41 મજૂરો માત્ર આશાના આધારે જીવી રહ્યા છે. તેઓને બહાર કાઢવા માટે બચાવ કામગીરીમાં વારંવાર મુશ્કેલીઓ આવી રહી છે. હાલમાં જે રીતે ખોદકામ કરવામાં આવી રહ્યું છે, તેને 'રેટ હોલ' ટેકનિક કહેવામાં આવે છે.

ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં છેલ્લા 17 દિવસથી ફસાયેલા 41 મજૂરો માત્ર આશાના આધારે જીવી રહ્યા છે. તેઓને બહાર કાઢવા માટે બચાવ કામગીરીમાં વારંવાર મુશ્કેલીઓ આવી રહી છે. હાલમાં જે રીતે ખોદકામ કરવામાં આવી રહ્યું છે, તેને 'રેટ હોલ' ટેકનિક કહેવામાં આવે છે.

મજૂરોની છેલ્લી આશા કહેવાતી આ ટેકનિકનો ઈતિહાસ વિવાદાસ્પદ છે. NGT એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે 9 વર્ષ પહેલા તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. રેટ હોલ માઇનિંગમાં ખાણોમાં કામ કરતા લોકો ટનલમાં નીચે જાય છે. તેઓ ખૂબ જ સાંકડી ટનલમાં પ્રવેશીને કોલસો કાઢે છે.

આ ટનલ એટલી સાંકડી છે કે એક સમયે માંડ એક વ્યક્તિ ટનલમાં જઈ શકે છે અને પછી તે વ્યક્તિ ઉંદરની જેમ પોતાના હાથ વડે ટનલ ખોદીને કાટમાળ હટાવે છે. આ ટેક્નોલોજીની મદદથી હવે 41 મજૂરોના જીવ બચાવવામાં આવ્યા છે.

ખાણોમાં કામ કરતા લોકો માટે રેટ હોલ માઈનિંગની ટેક્નિક ઘણી ખતરનાક સાબિત થઈ છે. તેથી, વર્ષ 2014 માં, NGT એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમ છતાં મેઘાલય જેવા રાજ્યોમાં તેનો ઉપયોગ ચાલુ રહ્યો હતો.

NGTએ તેના પર પ્રતિબંધ લગાવ્યો હતો, ત્યારે કહ્યું હતું કે આ સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે અવૈજ્ઞાનિક છે. મેઘાલયના ખાસી અને જયંતિયા પહાડી વિસ્તારોમાં દુર્ગમ કોલસાની ખાણો છે. ઘણા લોકોએ આ ટેક્નોલોજીની મદદથી પોતાનું જીવન નિર્વાહ ચાલુ રાખ્યુ હતું.
