Mahashivratri 2025 : મહાશિવરાત્રી પર 4 પ્રહરની પૂજામાં કરો મહાદેવ પર આ વસ્તુઓનો અભિષેક,જાણો સંપૂર્ણ વિગત
મહાશિવરાત્રીના પર્વ પર ભગવાન શિવ અને શક્તિના મિલનનો ઉત્સવ માનવામાં આવે છે. શિવરાત્રીના દિવસે દેશભરમાં ઉત્સાહનો માહોલ હોય છે. શિવરાત્રીની રાત્રે પણ ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે.

મહાશિવરાત્રીના દિવસે જ નહીં રાત્રી દરમિયાન પણ ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. મહાશિવરાત્રીના રોજ ભગવાન શિવની 4 પ્રહરની પૂજા કરવામાં આવે છે. તો જાણીએ કે ક્યાં ચરણમાં ક્યાં પ્રવાહીથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ.

શિવરાત્રીના દિવસે પહેલા ચરણની પૂજા સંધ્યાકાળથી શરુ થાય છે. પહેલા ચરણમાં પૂજા કરવાથી વ્યક્તિને મોક્ષ, ધન અને કાર્યની પ્રાપ્તિ થાય છે. પહેલા ચરણમાં તમે ભગવાન શિવનો જળથી અભિષેક કરી શકો છો.

મહાશિવરાત્રીના બીજા ચરણમાં તમે ભગવાન શિવનો દહીંથી અભિષેક કરી શકો છો. બીજા ચરણમાં દહીંથી અભિષેક કરવાથી વ્યક્તિને ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

ત્રીજા ચરણની પૂજામાં તમે ભગવાન શિવનો ઘી દ્વારા અભિષેક કરી શકો છો. ઘીનો અભિષેક કરવાથી વ્યક્તિને શારીરિક સમસ્યાઓમાંથી રાહત મળે છે. આ ઉપરાંત તમને અનેક બીમારીઓમાંથી રાહત મળે છે.

મહાશિવરાત્રીની ચોથા ચરણની પૂજા વહેલી સવારે કરવામાં આવે છે. આ બ્રહ્મ મુહૂર્તમાં થાય છે. આ સમય દરમિયાન ભગવાન શિવનો અભિષેક મધથી કરવામાં આવે છે. આ પછી પાણીથી અભિષેક કરવામાં આવે છે.
મહાશિવરાત્રી પર શિવલિંગની પૂજા કરશો તો બધાં દુઃખ દૂર થઈ જશે! મહાશિવરાત્રીને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો






































































