AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટ્રમ્પ ક્યારે સુધરશે? ‘ટેરિફ’ અસરથી 1.5 લાખ નોકરીઓ સંકટમાં અને એમાંય 12,000 કરોડ ડૂબવાના આરે!

અમેરિકા અને ભારત વચ્ચેના ટેરિફ યુદ્ધનો સીધો અસર હવે ભારતીય અર્થવ્યવસ્થાએ અનુભવવાનું શરૂ કર્યું છે. વધતા ટેરિફના ભારથી લાખો નોકરીઓ સંકટમાં આવી ગઈ છે અને હજારો કરોડનું નુકસાન થવાની સ્થિતિ ઊભી થઈ છે.

| Updated on: Aug 26, 2025 | 8:16 PM
Share
ભારતમાં 'નીટવેર રાજધાની' તરીકે ઓળખાતું 'તિરુપુર' હાલ સંકટમાં છે અને તેનું ભવિષ્ય અંધકારમય લાગી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકા દ્વારા લાદવામાં આવેલા નવા 25% ટેરિફને કારણે ગાર્મેન્ટ એક્સપોર્ટ ઇંડસ્ટ્રીને ભારે નુકસાન થશે તેવું લાગી રહ્યું છે. તિરુપુરથી લગભગ 40% ગાર્મેન્ટ એક્સપોર્ટ અમેરિકામાં થાય છે. આવી સ્થિતિમાં, ટેરિફ વધવાથી એક્સપોર્ટને મોટો ફટકો પડી શકે છે અને હજારો કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત, ઘણી ફેક્ટરીઓ બંધ થવાની અને મોટા પાયે લોકો નોકરી ગુમાવશે તેવી શક્યતાઓ વધી ગઈ છે.

ભારતમાં 'નીટવેર રાજધાની' તરીકે ઓળખાતું 'તિરુપુર' હાલ સંકટમાં છે અને તેનું ભવિષ્ય અંધકારમય લાગી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકા દ્વારા લાદવામાં આવેલા નવા 25% ટેરિફને કારણે ગાર્મેન્ટ એક્સપોર્ટ ઇંડસ્ટ્રીને ભારે નુકસાન થશે તેવું લાગી રહ્યું છે. તિરુપુરથી લગભગ 40% ગાર્મેન્ટ એક્સપોર્ટ અમેરિકામાં થાય છે. આવી સ્થિતિમાં, ટેરિફ વધવાથી એક્સપોર્ટને મોટો ફટકો પડી શકે છે અને હજારો કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત, ઘણી ફેક્ટરીઓ બંધ થવાની અને મોટા પાયે લોકો નોકરી ગુમાવશે તેવી શક્યતાઓ વધી ગઈ છે.

1 / 5
તમિલનાડુમાં સ્થિત તિરુપુર ભારતના નીટવેર એક્સપોર્ટમાં 68% ફાળો આપે છે. નાણાકીય વર્ષ 2025 માં તેણે 44,747 કરોડ રૂપિયાનો એક્સપોર્ટ વ્યવસાય કર્યો અને લગભગ 10 લાખ લોકોને રોજગાર આપ્યો. આ શહેર GAP અને Walmart જેવી વૈશ્વિક બ્રાન્ડ્સ માટે કપડાં બનાવે છે. જો કે, અમેરિકાના સતત ટેરિફ વધારાએ આ બિઝનેસ મોડેલને જોખમમાં મૂકી દીધું છે.

તમિલનાડુમાં સ્થિત તિરુપુર ભારતના નીટવેર એક્સપોર્ટમાં 68% ફાળો આપે છે. નાણાકીય વર્ષ 2025 માં તેણે 44,747 કરોડ રૂપિયાનો એક્સપોર્ટ વ્યવસાય કર્યો અને લગભગ 10 લાખ લોકોને રોજગાર આપ્યો. આ શહેર GAP અને Walmart જેવી વૈશ્વિક બ્રાન્ડ્સ માટે કપડાં બનાવે છે. જો કે, અમેરિકાના સતત ટેરિફ વધારાએ આ બિઝનેસ મોડેલને જોખમમાં મૂકી દીધું છે.

2 / 5
"દરેક ઓર્ડર સાઇકલ 120 દિવસની હોય છે. 4,000 કરોડ રૂપિયાના ઓર્ડર પહેલાથી જ પ્રભાવિત થયા છે," આ વાત તિરુપુર એક્સપોર્ટર્સ એસોસિએશન (TEA) ના પ્રમુખ કે એમ સુબ્રમણ્યમે જણાવી હતી. તિરુપુરની નિકાસમાં યુએસ બજાર વાર્ષિક 12,000 કરોડ રૂપિયાનું યોગદાન આપે છે અને તેની અસર તરત જ દેખાય છે.

"દરેક ઓર્ડર સાઇકલ 120 દિવસની હોય છે. 4,000 કરોડ રૂપિયાના ઓર્ડર પહેલાથી જ પ્રભાવિત થયા છે," આ વાત તિરુપુર એક્સપોર્ટર્સ એસોસિએશન (TEA) ના પ્રમુખ કે એમ સુબ્રમણ્યમે જણાવી હતી. તિરુપુરની નિકાસમાં યુએસ બજાર વાર્ષિક 12,000 કરોડ રૂપિયાનું યોગદાન આપે છે અને તેની અસર તરત જ દેખાય છે.

3 / 5
TEA ના સંયુક્ત સચિવ કુમાર દુરાઈસામીએ કહ્યું, "પહેલા 25% ટેરિફ લાગુ હોવાથી આપણે વિયેતનામ અને બાંગ્લાદેશ જેવા દેશોની સરખામણીએ 5-6% મોંઘા પડી રહ્યા હતા પરંતુ હવે 50% ટેરિફ સાથે આ વ્યવસાય શક્ય નથી. નિકાસકારો કે આયાતકારો બંને આ આંચકો સહન કરી શકતા નથી."

TEA ના સંયુક્ત સચિવ કુમાર દુરાઈસામીએ કહ્યું, "પહેલા 25% ટેરિફ લાગુ હોવાથી આપણે વિયેતનામ અને બાંગ્લાદેશ જેવા દેશોની સરખામણીએ 5-6% મોંઘા પડી રહ્યા હતા પરંતુ હવે 50% ટેરિફ સાથે આ વ્યવસાય શક્ય નથી. નિકાસકારો કે આયાતકારો બંને આ આંચકો સહન કરી શકતા નથી."

4 / 5
તિરુપુરમાં 2,500 નિકાસકારો અને 20,000 સ્વતંત્ર ફેક્ટરીઓ છે, જે વણાટ, રંગાઈ, પેકેજિંગ, લેબલિંગ અને સિલાઈનું કામ કરે છે. નિકાસકારો કહે છે કે, જો ઓર્ડર બંધ થઈ જાય તો 1-1.5 લાખ નોકરીઓ ગુમાવી શકાય છે. દુરૈસામીએ જણાવ્યું કે, "કેટલાક યુનિટ્સ નવા ખરીદદારો શોધીને ટકી શકે છે પરંતુ જે યુનિટ્સ સંપૂર્ણપણે અમેરિકા પર નિર્ભર છે, તેઓને નુકસાન થઈ શકે છે."  તેમણે એ પણ નિર્દેશ કર્યો કે, તિરુપુરમાં પહેલેથી જ મજૂરોની અછત છે.

તિરુપુરમાં 2,500 નિકાસકારો અને 20,000 સ્વતંત્ર ફેક્ટરીઓ છે, જે વણાટ, રંગાઈ, પેકેજિંગ, લેબલિંગ અને સિલાઈનું કામ કરે છે. નિકાસકારો કહે છે કે, જો ઓર્ડર બંધ થઈ જાય તો 1-1.5 લાખ નોકરીઓ ગુમાવી શકાય છે. દુરૈસામીએ જણાવ્યું કે, "કેટલાક યુનિટ્સ નવા ખરીદદારો શોધીને ટકી શકે છે પરંતુ જે યુનિટ્સ સંપૂર્ણપણે અમેરિકા પર નિર્ભર છે, તેઓને નુકસાન થઈ શકે છે." તેમણે એ પણ નિર્દેશ કર્યો કે, તિરુપુરમાં પહેલેથી જ મજૂરોની અછત છે.

5 / 5

દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
g clip-path="url(#clip0_868_265)">