ઘી અસલી છે કે નક્લી… કેવી રીતે ચકાસવુ? શું ઘરે બેઠા ખબર ખબર પડી શકે કે ઘીમાં મિલાવટ છે કે નહીં?
તમે રોજ રોટલી-ભાખરી પર ઘી લગાવીને પ્રેમથી આરોગો છો, તે ઘી અસલી છે કે નક્લી કેવી રીતે નક્કી કરવુ? આ મૂંઝવણ ઘણા લોકોને હોય છે. તો તેના માટે તમારે ક્યાંય બહાર જવાની જરૂર નથી, તમે ઘરે બેઠા જ કેટલાક ટેસ્ટ કરીને નક્કી કરી શકશો ઘી અસલી છે કે નક્લી છે.

પામ ટેસ્ટ: એક ચમચી ઘી તમારી હથેળી પર મૂકો, જો ઘી શરીરની ઊર્જા ને કારણે હથેળીમાં ઓગળવા લાગે તો તે 100 ટકા અસલી છે. નક્લી ઘી હાથ પર ચોંટેલુ રહે છે અથવા જામી જાય છે.

હીટ ટેસ્ટ: અસલી ઘીની ખરાઈ કરવા માટેની બીજી રીત છે હીટ ટેસ્ટ. જેમાં તમારે એક વાસણમાં એક ચમચી ઘી નાખીને થોડુ ગરમ કરવાનું છે. જો કે તુરંત ઓગળવા લાગે અને ઘેરા સોનેરી રંગનુ થઈ જાય છે તો તે શુદ્ધ ઘી છે.

આયોડિન ટેસ્ટ: આ ટેસ્ટ કરવા માટે તમારે થોડુ પીગળેલુ ઘી લેવાનું છે જેમા તમારે થોડુ આયોડિન ઉમેરવાનું છે. જો ઘીનો રંગ જાંબલી થઈ જાય તો સમજવુ કે તેમા સ્ટાર્ચ (બાફેલા ફટાટા કે શક્કરિયા) ની ભેળસેળ કરવામાં આવી છે.

વોટર ટેસ્ટ: એક કાચના ગ્લાસમાં થોડુ પાણી લો અને તેમા એક ચમકી ઘી નાખો, જો ઘી પાણીની સપાટી પર તરે તો તે અસલી છે. નક્લી ઘી પાણીના તળિયે બેસી જાય છે.

ફ્રીઝ ટેસ્ટ: એક નાની વાડકીમાં ઘી લો અને તેને કેટલાક કલાકો સુધી ફ્રીઝમાં રહેવા દો, શુદ્ધ ઘી, જામશે ખરુ પરંતુ તેનો રંગ સમાન રહેશે, જો તેમા અલગ અલગ લેયર (પરત) જોવા મળે તો સમજવુ તેમા નારિયેલ તેલ કે અન્ય સસ્તા તેલની ભેળસેળ કરેલી છે.

સામાન્ય રીતે ઘી ને ગરમ કર્યા બાદ જો તેની સુગંધ કે રંગ બદલાઈ જાય છે અથવા તેમાંથી કોઈ તેલ જેવી વાસ આવે છે તો તે ભેળસેળ વાળુ ઘી હોઈ શકે છે.
મધ ખાવાના શોખીનો… તમે જે મધ ખાઈ રહ્યા છો તે અસલી છે કે નકલી? કેવી રીતે નક્કી કરશો?
