Independence Day 2026 : લાલ કિલ્લાની પ્રાચીર પરથી પહેલીવાર ગવાયું ‘વંદે માતરમ્’, જાણો આ વર્ષે જ કેમ બદલાયો નિયમ!
સ્વતંત્રતા દિવસના સમારોહ દરમિયાન પહેલીવાર આજે દેશની રાજધાની દિલ્હીના લાલ કિલ્લાની પ્રાચીર પરથી ‘વંદે માતરમ્’ ગાવામાં આવ્યું. અત્યાર સુધીમાં 'વંદે માતરમ્' સ્વતંત્રતા દિવસના મુખ્ય સમારોહમાં ક્યારેય ગાવામાં આવ્યું નથી.

આઝાદીની ઉજવણીના ઈતિહાસમાં આ પહેલીવાર થયું કે જ્યારે લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસના મુખ્ય સમારોહ દરમિયાન ‘વંદે માતરમ્’ ગાવામાં આવ્યું. (Image Source | ANI)

પરંતુ મોટો સવાલ એ છે કે અત્યાર સુધી તેને સ્વતંત્રતા દિવસના મુખ્ય કાર્યક્રમમાં સામેલ કેમ કરવામાં આવતું નહોતું અને તેની પાછળ શું કારણ હતું? (Image Source | ANI)

રાષ્ટ્રીય પ્રોટોકોલ અને નિયમો અનુસાર અત્યાર સુધી લાલ કિલ્લા પર યોજાતા સત્તાવાર ધ્વજવંદન સમારોહમાં માત્ર રાષ્ટ્રગાન એટલે કે ‘જન ગણ મન’ ને જ પ્રાથમિકતા આપવામાં આવતી હતી. (Image Source | ANI)

2026માં ‘વંદે માતરમ્’ને સત્તાવાર કાર્યક્રમોમાં કાયદાકીય સુરક્ષા આપવા માટે “Prevention of Insults to National Honour (Amendment) Act, 2026” પસાર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 11 ઓગસ્ટ 2026ના રોજ તેને મંજૂરી આપી હતી. (Image Source | ANI)

Prevention of Insults to National Honour Act, 1971માં, 2026માં સુધારો કરીને ‘વંદે માતરમ્’ને પણ કાયદાકીય સુરક્ષાના દાયરામાં લાવવામાં આવ્યું. સૂત્રો અનુસાર રાષ્ટ્રીય ગીતના ગાનમાં જાણપૂર્વક વિક્ષેપ કરવો અથવા તેનું અપમાન કરવું દંડનીય બનાવાયું છે. (Image Source | ANI)

વંદે માતરમ્ ને કાયદાકીય સુરક્ષા આપતા 2026ના સુધારા બાદ, આ વર્ષે પહેલીવાર લાલ કિલ્લાના સ્વતંત્રતા દિવસના મુખ્ય સમારોહમાં તેને સત્તાવાર રીતે સામેલ કરવામાં આવ્યું (Image Source | ANI)
આ પણ વાંચો, Independence Day 2026: “હવે નાના સપના નહીં ચાલે…” લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ દેશને આપ્યા 2047ના મોટા સંકલ્પો !
