જલિયાંવાલા બાગ: અમૃતસરનો લોહિયાળ બગીચો આજે મેમોરિયલમાં પરાવર્તિત, જુઓ PHOTOS
જલિયાવાલા બાગ (JALLIANWALA BAGH ) હત્યાકાંડને આજે 103 વર્ષ પુરા થયા છે.સ્વાતંત્ર્ય સંગ્રામની આ ઘટનાની યાદમાં ભારત સરકારે (Indian Government) 1951માં એક મેમોરિયલનું નિર્માણ કર્યું છે.

જલિયાવાલા બાગ (JALLIANWALA BAGH ) હત્યાકાંડને આજે 103 વર્ષ પુરા થયા છે.સ્વાતંત્ર્ય સંગ્રામની આ ઘટનાની યાદમાં ભારત સરકારે (Indian Government) 1951માં એક મેમોરિયલનું નિર્માણ કર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 ઓગસ્ટ 2021ના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પંજાબના અમૃતસરમાં જલિયાવાલા બાગ મેમોરિયલના રિનોવેટેડ સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતુ.

સાથે જ PM મોદીએ જલિયાવાલા બાગના નવા પરિસરમાં બનેલ મ્યુઝિયમ ગેલેરીનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

તમે પહેલી નજરે જલિયાવાલા બાગ જવાની કલ્પના પણ નહીં કરી શકો કે આ તે જગ્યા છે જ્યાં વિશ્વની સૌથી મોટી અમાનવીય ઘટના બની હતી.આ બગીચામાં એક અમર જ્યોત પણ છે, જે સતત પ્રજ્વલિત રહે છે.

જે કૂવો લોકોની લાશો અને તેમના લોહીથી ભરેલો હતો જેને આજે 'શહીદ કૂવા' તરીકે ઓળખવામાં આવે છે.

આ બગીચામાં બ્રિટિશ શાસનના જનરલ ડાયરે અંધાધૂંધ ગોળીબાર કરીને સેંકડો નિર્દોષ દેશભક્તોને મારી નાખ્યા હતા. જ્યારે ડાયરે તેના લોકોને ગોળીબાર કરવાનો આદેશ આપ્યો, ત્યારે બગીચામાં મોટી સંખ્યામાં જનમેદની હતી.