દેશમાં હવે કોઈપણ કેસમાં ત્રણ વર્ષ સુધીમાં ન્યાય મળી જશે, ન્યાય માટે વર્ષો સુધી રાહ નહીં જોવી પડે : અમિત શાહ
ગાંધીનગરના દહેગામ તાલુકામાં લવાડ ખાતે આવેલ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ઓલ ઇન્ડિયા પોલીસ સાયન્સ કોંગ્રેસનો સ્વર્ણ જયંતી સમારોહનું ઉદઘાટન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમિત શાહે કહ્યું કે, પરિવર્તન વગર સફળતા નથી, આવનારા સમયમાં ભારતની એન્ટી ક્રિમિનલ સિસ્ટમને સૌથી આધુનિક સૌથી ઝડપી બનાવવાની શરૂઆત પણ થઈ ચૂકી છે.

અમિત શાહે જણાવ્યું હતું કે, કાશ્મીર, ઉત્તર પૂર્વ અને નક્સલવાદ ક્ષેત્રમાં પણ પહેલા અને હાલની પરિસ્થિતિની તુલના કરાતા જાણવા મળે છે કે, આ વિસ્તારોમાં હવે 70 ટકા હિંસા બંધ થઈ છે તે પણ આપણી મોટી સફળતા છે.

અમિત શાહે કહ્યું કે, નાર્કોટિક ક્ષેત્રે 05 લાખ 45 હજાર કિ.ગ્રા અને અત્યારેની કિંમતે રૂ. 35 હજાર કરોડનો માલ જપ્ત કરવામાં આપણે સફળતા મેળવી છે. આનો મતલબએ નથી કે, નાર્કોટિકના કેસ વધ્યા છે, પરંતુ પાછલા દસ વર્ષમાં આપણે આપણી સુરક્ષા તથા પોલીસની પ્રક્રિયા થકી આ સફળતા મેળવી છે.

પોલીસ ક્ષેત્રે થયેલા કોમ્પ્યુટરાઈઝેશન, CCTNS (ક્રાઇમ એન્ડ ક્રિમિનલ નેટવર્ક ટ્રેકિંગ સીસ્ટમ) થકી સૌથી પહેલા આ પ્રક્રિયામાં 17000 પોલીસ સ્ટેશનને જોડવામાં આવ્યા છે. તેમનું કોમ્પ્યુટરાઈઝેશન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઈ- કોર્ટના માધ્યમથી 22 હજાર અદાલતોને જોડવામાં આવી, વિઝનમાં બે કરોડ કેદીઓનો ડેટા ઉપલબ્ધ છે, અને પ્રોહિબિશનમાં એક કરોડ પચાસ લાખથી વધુ પ્રોહિબિશનનો ડેટા છે, ઈ- ફોરેન્સિકમાં 23 લાખથી વધુ ફોરેન્સિક યુઝર્સનો ડેટા જ્યારે નફીસ ( નેશનલ ઓટોમેટેડ ફીંગરપ્રિંટ આઈડેન્ટિફીકેશન સિસ્ટમમાં 01 કરોડ 06 લાખ લોકોના ફિંગર્સ પ્રિન્ટનો ડેટા ઉપલબ્ધ છે.

150 વર્ષ જૂના કાયદામાં નાગરિકો મધ્યમાં ન હતા. જ્યારે હવે બનેલા ત્રણ કાયદામાં નાગરિક અને નાગરિકના અધિકાર ધ્યાનમાં રાખીને આ કાયદો બનાવવામાં આવ્યો છે. આ ત્રણ કાનૂનમાં બધી જ વસ્તુઓ ટેકનોલોજી સાથે જોડવામાં આવી છે. આનાથી ખૂબ જ ઝડપી ન્યાય પ્રક્રિયા ખૂબજ ઝડપી બનશે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગૃહવિભાગમાં અમિતભાઈ શાહના પ્રયાસોને કારણે ICJS (ઇન્ટર ઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ) સમગ્ર દેશમાં અસરકારક રીતે લાગુ થઈ છે. આ વ્યવસ્થાને લીધે એક જ વાર પોલીસ કેસના ડેટાથી પોલીસ, ફોરેન્સિક, પ્રોસિક્યૂશન, કોર્ટ અને પ્રિઝન બધાં જ એક્સેસ કરી શકે છે અને તેથી તપાસ ઝડપી બની છે.

અમિત શાહે કહ્યું કે, ગૃહ વિભાગને ટેકનિકલ રીતે અદ્યતન બનાવવાના ફાયદા મળી રહ્યાં છે. આઈ મોટમાં લગભગ 22 હજાર આતંકવાદી પ્રવૃત્તિઓની પ્રોહિબિશન પૂર્ણ થયા સુધીનો ડેટા અને ઇન્વેસ્ટિગેશન ડેટા બધું જ ઉપલબ્ધ છે, જ્યારે નિદાનમાં 7 લાખ નાર્કોટ ઓફેન્ડરનો ડેટા છે. ઉપરાંત એક લાખ હ્યુમન ટ્રાફિકિંગ ઓફેન્ડરના ડેટા અને ક્રાઇમ મલ્ટી એજન્સી સેન્ટરમાં 16 લાખ એલર્ટ પણ જોડાયા છે. આ સિવાય હવે જે પણ નવીન કાર્ય થશે તે પણ આ ડેટામાં જોડાતા રહેશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.