AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું IPL 2026 પછી આ બોલર ક્રિકેટને કહી દેશે અલવિદા? સંન્યાસની અટકળો પર આપ્યું સણસણતું નિવેદન

ભારતીય ટીમનો અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હાલમાં ટીમની બહાર છે, પરંતુ તેના સંન્યાસને લઈને બજારમાં ગરમાવો છે. IPL 2026 ની વચ્ચે શમીએ સ્પષ્ટ કરી દીધું છે કે તે કઈ સ્થિતિમાં ક્રિકેટ છોડશે.

| Updated on: Apr 01, 2026 | 12:15 PM
Share
સંન્યાસની ચર્ચાઓ વચ્ચે શમીનો ધડાકો!: ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બોલર મોહમ્મદ શમી છેલ્લા કેટલાક સમયથી ઈજા અને પસંદગીકારોની અવગણનાને કારણે ચર્ચામાં છે. ઘરેલું ક્રિકેટમાં 67 વિકેટ ઝડપવા છતાં તેને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું નથી. આ સ્થિતિમાં લોકો પૂછી રહ્યા હતા કે શું શમી હવે નિવૃત્તિ લેશે? શમીએ આ તમામ અટકળો પર વિરામ મૂકતા પોતાનો અંતિમ નિર્ણય સંભળાવી દીધો છે.

સંન્યાસની ચર્ચાઓ વચ્ચે શમીનો ધડાકો!: ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બોલર મોહમ્મદ શમી છેલ્લા કેટલાક સમયથી ઈજા અને પસંદગીકારોની અવગણનાને કારણે ચર્ચામાં છે. ઘરેલું ક્રિકેટમાં 67 વિકેટ ઝડપવા છતાં તેને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું નથી. આ સ્થિતિમાં લોકો પૂછી રહ્યા હતા કે શું શમી હવે નિવૃત્તિ લેશે? શમીએ આ તમામ અટકળો પર વિરામ મૂકતા પોતાનો અંતિમ નિર્ણય સંભળાવી દીધો છે.

1 / 5
"જ્યારે હું કંટાળી જઈશ, ત્યારે જ મેદાન છોડીશ": એક પોડકાસ્ટમાં શમીએ સંન્યાસ અંગે દિલ ખોલીને વાત કરી. તેણે કહ્યું કે, "જ્યારે મને લાગશે કે હવે મારું મન નથી લાગતું, ત્યારે જ હું ક્રિકેટને અલવિદા કહીશ. જે દિવસે મને સવારે ઉઠીને આળસ કે કંટાળો અનુભવાશે, તે જ ક્ષણે હું ક્રિકેટ છોડી દઈશ." શમીએ ભારપૂર્વક કહ્યું કે અત્યારે તે આ રમતનો ભરપૂર આનંદ માણી રહ્યો છે અને તે ન તો આળસુ થયો છે કે ન તો કંટાળ્યો.

"જ્યારે હું કંટાળી જઈશ, ત્યારે જ મેદાન છોડીશ": એક પોડકાસ્ટમાં શમીએ સંન્યાસ અંગે દિલ ખોલીને વાત કરી. તેણે કહ્યું કે, "જ્યારે મને લાગશે કે હવે મારું મન નથી લાગતું, ત્યારે જ હું ક્રિકેટને અલવિદા કહીશ. જે દિવસે મને સવારે ઉઠીને આળસ કે કંટાળો અનુભવાશે, તે જ ક્ષણે હું ક્રિકેટ છોડી દઈશ." શમીએ ભારપૂર્વક કહ્યું કે અત્યારે તે આ રમતનો ભરપૂર આનંદ માણી રહ્યો છે અને તે ન તો આળસુ થયો છે કે ન તો કંટાળ્યો.

2 / 5
રિટાયરમેન્ટના વિચારો તમને નીચે ખેંચે છે!: શમીએ એક ખૂબ જ ઊંડી વાત કરી કે રિટાયરમેન્ટ વિશે વિચારવું પણ જોખમી છે. તેના મતે, જો તમારા મનમાં સંન્યાસનો વિચાર આવે છે, તો તેનો અર્થ એ છે કે તમે પહેલેથી જ થાકી ગયા છો અને તમારું પ્રદર્શન ડાઉન થઈ જશે. અત્યારે તેની લય (Rhythm) શાનદાર છે અને તે ભવિષ્ય વિશે સકારાત્મક વિચારી રહ્યો છે, એટલે નિવૃત્તિનો કોઈ સવાલ જ ઊભો થતો નથી.

રિટાયરમેન્ટના વિચારો તમને નીચે ખેંચે છે!: શમીએ એક ખૂબ જ ઊંડી વાત કરી કે રિટાયરમેન્ટ વિશે વિચારવું પણ જોખમી છે. તેના મતે, જો તમારા મનમાં સંન્યાસનો વિચાર આવે છે, તો તેનો અર્થ એ છે કે તમે પહેલેથી જ થાકી ગયા છો અને તમારું પ્રદર્શન ડાઉન થઈ જશે. અત્યારે તેની લય (Rhythm) શાનદાર છે અને તે ભવિષ્ય વિશે સકારાત્મક વિચારી રહ્યો છે, એટલે નિવૃત્તિનો કોઈ સવાલ જ ઊભો થતો નથી.

3 / 5
લખનૌ સુપર જાયન્ટ્સ સાથે નવી શરૂઆત: IPL 2026 માં મોહમ્મદ શમી લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) માટે રમતા જોવા મળશે. ફ્રેન્ચાઈઝીએ તેના પર 10 કરોડ રૂપિયાનો મોટો દાવ ખેલ્યો છે. શમીએ કહ્યું કે જો લખનૌએ તેના પર આટલો મોટો ભરોસો મૂક્યો છે, તો તે મેદાન પર પોતાનું 100 ટકા યોગદાન આપશે. તેના માટે નસીબ કરતાં વધુ મહત્વનું દ્રઢ નિશ્ચય અને સંતોષ છે.

લખનૌ સુપર જાયન્ટ્સ સાથે નવી શરૂઆત: IPL 2026 માં મોહમ્મદ શમી લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) માટે રમતા જોવા મળશે. ફ્રેન્ચાઈઝીએ તેના પર 10 કરોડ રૂપિયાનો મોટો દાવ ખેલ્યો છે. શમીએ કહ્યું કે જો લખનૌએ તેના પર આટલો મોટો ભરોસો મૂક્યો છે, તો તે મેદાન પર પોતાનું 100 ટકા યોગદાન આપશે. તેના માટે નસીબ કરતાં વધુ મહત્વનું દ્રઢ નિશ્ચય અને સંતોષ છે.

4 / 5
ટીમ ઈન્ડિયામાં વાપસીનો પડકાર: જોકે શમી માટે ટીમ ઈન્ડિયાના દરવાજા હાલ મુશ્કેલ દેખાય છે. ઈંગ્લેન્ડ પ્રવાસ માટે પસંદગીકારોએ તેનો સંપર્ક કર્યો હતો પરંતુ તેણે રમવાની ના પાડી હોવાના અહેવાલ છે. તેમ છતાં શમી હાર માનવા તૈયાર નથી. તે માને છે કે તેનું કામ પ્રદર્શન કરવાનું છે અને ટીમ મેનેજમેન્ટ પર બધું છોડી દેવું જોઈએ. ચાહકો હવે એ જોવા આતુર છે કે શમી IPL માં કેવો તરખાટ મચાવે છે.

ટીમ ઈન્ડિયામાં વાપસીનો પડકાર: જોકે શમી માટે ટીમ ઈન્ડિયાના દરવાજા હાલ મુશ્કેલ દેખાય છે. ઈંગ્લેન્ડ પ્રવાસ માટે પસંદગીકારોએ તેનો સંપર્ક કર્યો હતો પરંતુ તેણે રમવાની ના પાડી હોવાના અહેવાલ છે. તેમ છતાં શમી હાર માનવા તૈયાર નથી. તે માને છે કે તેનું કામ પ્રદર્શન કરવાનું છે અને ટીમ મેનેજમેન્ટ પર બધું છોડી દેવું જોઈએ. ચાહકો હવે એ જોવા આતુર છે કે શમી IPL માં કેવો તરખાટ મચાવે છે.

5 / 5

Breaking News: સોનું બચાવનાર જ હવે સોનું વેચી રહ્યા છે! કેમ રાતોરાત બજારમાંથી ગાયબ થઈ ગઈ હજારો ટન સોનાની માગ?

Follow Us
સાળંગપુરમાં 151 કિલોની કેક કાપીને દાદાનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે
સાળંગપુરમાં 151 કિલોની કેક કાપીને દાદાનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે
તમે હળવાશના મૂડમાં રહેશો, મિત્રો સાથે રમતગમતનું આયોજન કરો
તમે હળવાશના મૂડમાં રહેશો, મિત્રો સાથે રમતગમતનું આયોજન કરો
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનો ફટકો: ઉત્પાદનમાં મોટો કાપ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનો ફટકો: ઉત્પાદનમાં મોટો કાપ
પ્રેમ પ્રકરણમાં શખ્સે રિક્ષા સળગાવી, ગાયકવાડ હવેલીમાં ફેલાયો ફફડાટ
પ્રેમ પ્રકરણમાં શખ્સે રિક્ષા સળગાવી, ગાયકવાડ હવેલીમાં ફેલાયો ફફડાટ
ગાંધીની જન્મભૂમિ પર દારૂના વેચાણને મંજૂરી મળતા ગુજરાતમાં મોટો વિવાદ
ગાંધીની જન્મભૂમિ પર દારૂના વેચાણને મંજૂરી મળતા ગુજરાતમાં મોટો વિવાદ
મકાનમાં લાગેલી ભીષણ આગમાં 5 લોકોના ગૂંગળામણથી કરુણ મોત
મકાનમાં લાગેલી ભીષણ આગમાં 5 લોકોના ગૂંગળામણથી કરુણ મોત
સુરતની અનેક બેંકમાં રોકડની અછત ! મેરઠથી પ્લેનમાં કેશ મોકલવા માગ-Video
સુરતની અનેક બેંકમાં રોકડની અછત ! મેરઠથી પ્લેનમાં કેશ મોકલવા માગ-Video
PM મોદીના હસ્તે ગુજરાતમાં વધુ એક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘઘાટન થયુ
PM મોદીના હસ્તે ગુજરાતમાં વધુ એક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘઘાટન થયુ
નારણપુરામાં એક જ ઘરમાં 5 લોકો ગંભીર રીતે દાઝ્યા, જુઓ Video
નારણપુરામાં એક જ ઘરમાં 5 લોકો ગંભીર રીતે દાઝ્યા, જુઓ Video
ખાદ્યતેલના ભાવમાં ભડકો ! કપાસ તેલ 20 રુપિયા તો સિંગતેલ 10 રુપિયા વધ્યા
ખાદ્યતેલના ભાવમાં ભડકો ! કપાસ તેલ 20 રુપિયા તો સિંગતેલ 10 રુપિયા વધ્યા
g clip-path="url(#clip0_868_265)">