AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

History of city name : ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

ઉજ્જૈનના મહાકાલેશ્વર મહાદેવ મંદિરમાં સ્થાપિત "મહાકાલ" નામનું મહત્વ ઐતિહાસિક, ધાર્મિક અને પૌરાણિક દૃષ્ટિએ અત્યંત ઊંડું અને મહત્વપૂર્ણ છે. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ હિંદુ ધર્મના 12 જ્યોતિર્લિંગોમાં સૌથી વિશિષ્ટ અને શક્તિશાળી માનવામાં આવે છે. ચાલો જાણીએ ઉજ્જૈન મહાકાલના નામકરણ અને ઇતિહાસની વિસ્તૃત માહિતી

| Updated on: Jul 12, 2025 | 8:13 PM
Share
"મહા" અર્થાત્ મહાન, વિશાળ, સર્વશક્તિમાન, "કાલ" એટલે કે સમય, મૃત્યુ "મહાકાલ" એટલે સમયથી પણ પરે રહેનાર, સમય અને મૃત્યુ પર વિજય મેળવનાર પરમેશ્વર. હિંદુ ધર્મમાં ભગવાન શિવને "કાલોનાં પણ કાલ", એટલે કે "મૃત્યુના પણ અંતકર્તા" તરીકે પૂજવામાં આવે છે. તેથી ઉજ્જૈનના શિવલિંગને "મહાકાલેશ્વર" અથવા "મહાકાલ" તરીકે ઓળખવામાં આવે છે. (Credits: - Wikipedia)

"મહા" અર્થાત્ મહાન, વિશાળ, સર્વશક્તિમાન, "કાલ" એટલે કે સમય, મૃત્યુ "મહાકાલ" એટલે સમયથી પણ પરે રહેનાર, સમય અને મૃત્યુ પર વિજય મેળવનાર પરમેશ્વર. હિંદુ ધર્મમાં ભગવાન શિવને "કાલોનાં પણ કાલ", એટલે કે "મૃત્યુના પણ અંતકર્તા" તરીકે પૂજવામાં આવે છે. તેથી ઉજ્જૈનના શિવલિંગને "મહાકાલેશ્વર" અથવા "મહાકાલ" તરીકે ઓળખવામાં આવે છે. (Credits: - Wikipedia)

1 / 7
મહાકાલેશ્વર મંદિરના ઈતિહાસનો ઉલ્લેખ અનેક પુરાણો જેમ કે શિવપુરાણ, સ્કંદ પુરાણ, અને કાલિકા પુરાણમાં મળે છે. કહાય છે કે તે મહાભારત પૂર્વકાળથી પણ વધુ જૂનું છે. સ્કંદ પુરાણ મુજબ,  શ્રીકૃષ્ણજીએ પણ યુગો પહેલાં મહાકાલનાં દર્શન કરી શ્રી મહાકાલના આશીર્વાદ મેળવ્યા હતા. (Credits: - Wikipedia)

મહાકાલેશ્વર મંદિરના ઈતિહાસનો ઉલ્લેખ અનેક પુરાણો જેમ કે શિવપુરાણ, સ્કંદ પુરાણ, અને કાલિકા પુરાણમાં મળે છે. કહાય છે કે તે મહાભારત પૂર્વકાળથી પણ વધુ જૂનું છે. સ્કંદ પુરાણ મુજબ, શ્રીકૃષ્ણજીએ પણ યુગો પહેલાં મહાકાલનાં દર્શન કરી શ્રી મહાકાલના આશીર્વાદ મેળવ્યા હતા. (Credits: - Wikipedia)

2 / 7
એક વખત ઉજ્જૈન પર દુષ્ટ દૈત્યોનો આતંક વધતા, એક શિવભક્ત બ્રાહ્મણ વિદ્યોતકએ ભગવાન શિવની આરાધના કરી. ત્યારે ભગવાન શિવ "મહાકાલ" બનીને દૈત્યોનો સંહાર કર્યો.આ ઘટનાના પછી ઉજ્જૈનવાસીઓએ તેમને "મહાકાલ" તરીકે પૂજવાનું શરૂ કર્યું. ભગવાન શિવે ત્યાં રહેવાનું વરદાન આપ્યું અને ત્યાં પોતે સ્વયંભૂ  જ્યોતિર્લિંગ રૂપે બિરાજમાન થયા. (Credits: - Wikipedia)

એક વખત ઉજ્જૈન પર દુષ્ટ દૈત્યોનો આતંક વધતા, એક શિવભક્ત બ્રાહ્મણ વિદ્યોતકએ ભગવાન શિવની આરાધના કરી. ત્યારે ભગવાન શિવ "મહાકાલ" બનીને દૈત્યોનો સંહાર કર્યો.આ ઘટનાના પછી ઉજ્જૈનવાસીઓએ તેમને "મહાકાલ" તરીકે પૂજવાનું શરૂ કર્યું. ભગવાન શિવે ત્યાં રહેવાનું વરદાન આપ્યું અને ત્યાં પોતે સ્વયંભૂ જ્યોતિર્લિંગ રૂપે બિરાજમાન થયા. (Credits: - Wikipedia)

3 / 7
મહાકાલ મંદિરના તળિયે (ભૂગર્ભમાં) જ્યોતિર્લિંગ બિરાજમાન છે, જે દક્ષિણમુખી છે, હિંદુ ધર્મમાં આ દિશા સ્મશાન સાથે સંકળાયેલી હોય છે, અને તે શિવના ભયંકર રૂપનું પ્રતિનિધિત્વ કરે છે. આ જ્યોતિર્લિંગ હંમેશાં જીવંત અને ઉર્જાવાન માનવામાં આવે છે. મહાકાલ મંદિરમાં દરરોજ સવારે ભસ્મ આરતી થાય છે, જે સમગ્ર ભારતમાં એકમાત્ર શિવ મંદિર છે જ્યાં સ્મશાનની રાખથી આરતી થાય છે.

મહાકાલ મંદિરના તળિયે (ભૂગર્ભમાં) જ્યોતિર્લિંગ બિરાજમાન છે, જે દક્ષિણમુખી છે, હિંદુ ધર્મમાં આ દિશા સ્મશાન સાથે સંકળાયેલી હોય છે, અને તે શિવના ભયંકર રૂપનું પ્રતિનિધિત્વ કરે છે. આ જ્યોતિર્લિંગ હંમેશાં જીવંત અને ઉર્જાવાન માનવામાં આવે છે. મહાકાલ મંદિરમાં દરરોજ સવારે ભસ્મ આરતી થાય છે, જે સમગ્ર ભારતમાં એકમાત્ર શિવ મંદિર છે જ્યાં સ્મશાનની રાખથી આરતી થાય છે.

4 / 7
મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ એક પવિત્ર હિન્દુ મંદિર છે, જે ભગવાન શિવને અર્પિત છે અને તેને શિવના બાર જ્યોતિર્લિંગોમાંથી એક તરીકે માનવામાં આવે છે. આ મંદિર ભારતના મધ્ય પ્રદેશમાં આવેલા ઉજ્જૈન નામના પૌરાણિક શહેરમાં વસેલું છે અને શિપ્રા નદીના તટે સ્થિત છે. અહીં ભગવાન શિવ લિંગમ સ્વરૂપે સ્વયંભૂ રૂપે પ્રગટ થયા હોવાનું માનવામાં આવે છે. જ્યાં દર 12 વર્ષે યોજાતો કુંભ મેળો (સિંહસ્થ) વિશ્વવિખ્યાત છે. (Credits: - Wikipedia)

મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ એક પવિત્ર હિન્દુ મંદિર છે, જે ભગવાન શિવને અર્પિત છે અને તેને શિવના બાર જ્યોતિર્લિંગોમાંથી એક તરીકે માનવામાં આવે છે. આ મંદિર ભારતના મધ્ય પ્રદેશમાં આવેલા ઉજ્જૈન નામના પૌરાણિક શહેરમાં વસેલું છે અને શિપ્રા નદીના તટે સ્થિત છે. અહીં ભગવાન શિવ લિંગમ સ્વરૂપે સ્વયંભૂ રૂપે પ્રગટ થયા હોવાનું માનવામાં આવે છે. જ્યાં દર 12 વર્ષે યોજાતો કુંભ મેળો (સિંહસ્થ) વિશ્વવિખ્યાત છે. (Credits: - Wikipedia)

5 / 7
ઈ.સ. 1234–35 દરમિયાન ઈલ્તુત્મિશના આક્રમણ વખતે ઉજ્જૈન સ્થિત મહાકાલ મંદિરને ગંભીર રીતે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ હુમલા દરમિયાન જ્યોતિર્લિંગને નષ્ટ કરવામાં આવ્યું હતું અને એવી માન્યતા છે કે લિંગમને ધરી રાખતી જલધારી ચોરી કરીને મંદિર નજીકના કોટીતીર્થ કુંડમાં ફેંકી દેવામાં આવી હતી.  (Credits: - Wikipedia)

ઈ.સ. 1234–35 દરમિયાન ઈલ્તુત્મિશના આક્રમણ વખતે ઉજ્જૈન સ્થિત મહાકાલ મંદિરને ગંભીર રીતે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ હુમલા દરમિયાન જ્યોતિર્લિંગને નષ્ટ કરવામાં આવ્યું હતું અને એવી માન્યતા છે કે લિંગમને ધરી રાખતી જલધારી ચોરી કરીને મંદિર નજીકના કોટીતીર્થ કુંડમાં ફેંકી દેવામાં આવી હતી. (Credits: - Wikipedia)

6 / 7
ઉજ્જૈન સ્થિત મહાકાલ મંદિરનું પુનર્નિર્માણ મરાઠા દિવાન રામચંદ્ર બાબા સુકથંકરે કરાવ્યો હતો અને મંદિરને ફરીથી જીવંત બનાવાયું હતું  તે પછીના સમયમાં જલાલુદ્દીન ખિલજી અને અલાઉદ્દીન ખિલજીના સમયમાં મંદિર પર ફરીથી આક્રમણ કરવામાં આવ્યું હતું. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે.  વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)  (Credits: - Wikipedia)

ઉજ્જૈન સ્થિત મહાકાલ મંદિરનું પુનર્નિર્માણ મરાઠા દિવાન રામચંદ્ર બાબા સુકથંકરે કરાવ્યો હતો અને મંદિરને ફરીથી જીવંત બનાવાયું હતું તે પછીના સમયમાં જલાલુદ્દીન ખિલજી અને અલાઉદ્દીન ખિલજીના સમયમાં મંદિર પર ફરીથી આક્રમણ કરવામાં આવ્યું હતું. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.) (Credits: - Wikipedia)

7 / 7

Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">