AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ: કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિને ‘કૂતરો’ જેવા અપમાનજનક શબ્દો કહે તો, કોર્ટ કેસ થઈ શકે?

કાનુની સવાલ: જો કોઈ બીજા વ્યક્તિને ફક્ત 'કૂતરો' કહે છે - અને આ શબ્દનો ઉપયોગ અપમાનજનક અર્થમાં થાય છે - તો ભારતીય કાયદા હેઠળ કોર્ટ કેસ થઈ શકે છે. હવે ચાલો આને કાયદાની જોગવાઈઓ અને સુપ્રીમ કોર્ટ/હાઇકોર્ટના સીમાચિહ્નરૂપ ચુકાદાઓ સાથે વિગતવાર સમજીએ.

| Updated on: Apr 26, 2025 | 2:59 PM
ભારતીય દંડ સંહિતા (IPC) હેઠળ લાગુ કલમો: કલમ 499 – માનહાનિ(Defamation), જ્યારે કોઈ વ્યક્તિ શબ્દો, સંકેતો અથવા દૃશ્યમાન સ્વરૂપો દ્વારા બીજી વ્યક્તિની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે, ત્યારે તે માનહાનિ છે. 'કૂતરો' જેવા અપમાનજનક શબ્દો પણ જો તે વ્યક્તિની જાહેર પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે તો તેને બદનક્ષી ગણવામાં આવશે. કલમ 500 – માનહાનિ માટે સજા : જો કોઈ વ્યક્તિ કલમ 499 હેઠળ દોષિત ઠરે છે, તો તેને 2 વર્ષ સુધીની સજા અથવા દંડ તેમજ બંને થઈ શકે છે.

ભારતીય દંડ સંહિતા (IPC) હેઠળ લાગુ કલમો: કલમ 499 – માનહાનિ(Defamation), જ્યારે કોઈ વ્યક્તિ શબ્દો, સંકેતો અથવા દૃશ્યમાન સ્વરૂપો દ્વારા બીજી વ્યક્તિની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે, ત્યારે તે માનહાનિ છે. 'કૂતરો' જેવા અપમાનજનક શબ્દો પણ જો તે વ્યક્તિની જાહેર પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે તો તેને બદનક્ષી ગણવામાં આવશે. કલમ 500 – માનહાનિ માટે સજા : જો કોઈ વ્યક્તિ કલમ 499 હેઠળ દોષિત ઠરે છે, તો તેને 2 વર્ષ સુધીની સજા અથવા દંડ તેમજ બંને થઈ શકે છે.

1 / 8
કલમ 504 - શાંતિ ભંગ કરવા માટે ઉશ્કેરવાના ઇરાદાથી જાણી જોઈને અપમાન કરે તો, જો "કૂતરો" જેવા અપમાનજનક શબ્દનો ઉપયોગ જાણી જોઈને કોઈ વ્યક્તિને ઉશ્કેરવા માટે કરવામાં આવ્યો હોય જેથી તે ગુસ્સે થાય અને શાંતિ ભંગ કરે તો પછી કલમ 504 પણ લાગુ પડશે. તે માટે તેમને સજાના ભાગરુપે 2 વર્ષ સુધીની કેદ અથવા દંડ તેમજ બંને  થઈ શકે છે.

કલમ 504 - શાંતિ ભંગ કરવા માટે ઉશ્કેરવાના ઇરાદાથી જાણી જોઈને અપમાન કરે તો, જો "કૂતરો" જેવા અપમાનજનક શબ્દનો ઉપયોગ જાણી જોઈને કોઈ વ્યક્તિને ઉશ્કેરવા માટે કરવામાં આવ્યો હોય જેથી તે ગુસ્સે થાય અને શાંતિ ભંગ કરે તો પછી કલમ 504 પણ લાગુ પડશે. તે માટે તેમને સજાના ભાગરુપે 2 વર્ષ સુધીની કેદ અથવા દંડ તેમજ બંને થઈ શકે છે.

2 / 8
કલમ 294 - સાર્વજનિક સ્થળ પર અશ્લીલ શબ્દ બોલવા: જો જાહેર સ્થળે 'કૂતરો' જેવી અપશબ્દો ઉચ્ચારવામાં આવે અને અન્ય લોકો તેને સાંભળે તો તે કલમ 294 હેઠળ ગુનો ગણાશે. તે માટે તેમને 3 મહિના સુધીની કેદ અથવા દંડ તેમજ બંને થઈ શકે છે.

કલમ 294 - સાર્વજનિક સ્થળ પર અશ્લીલ શબ્દ બોલવા: જો જાહેર સ્થળે 'કૂતરો' જેવી અપશબ્દો ઉચ્ચારવામાં આવે અને અન્ય લોકો તેને સાંભળે તો તે કલમ 294 હેઠળ ગુનો ગણાશે. તે માટે તેમને 3 મહિના સુધીની કેદ અથવા દંડ તેમજ બંને થઈ શકે છે.

3 / 8
કેસ દાખલ કરવા માટે જરૂરી મુખ્ય મુદ્દાઓ: ઈરાદો: બોલનારા વ્યક્તિનો ઈરાદો અપમાન કરવાનો હતો કે નહીં તે જોવામાં આવે છે. સંદર્ભ: કઈ પરિસ્થિતિમાં 'કૂતરો' કહેવામાં આવ્યો હતો. પુરાવા માટે કોઈ એ જોયેલું કે સાંભળેલું હોય તેવા સાક્ષીઓ તેમજ રેકોર્ડિંગ (ઓડિયો/વિડિયો પુરાવા), સોશિયલ મીડિયા પોસ્ટ્સ (જો અપમાન ઓનલાઈન થયું હોય તો).

કેસ દાખલ કરવા માટે જરૂરી મુખ્ય મુદ્દાઓ: ઈરાદો: બોલનારા વ્યક્તિનો ઈરાદો અપમાન કરવાનો હતો કે નહીં તે જોવામાં આવે છે. સંદર્ભ: કઈ પરિસ્થિતિમાં 'કૂતરો' કહેવામાં આવ્યો હતો. પુરાવા માટે કોઈ એ જોયેલું કે સાંભળેલું હોય તેવા સાક્ષીઓ તેમજ રેકોર્ડિંગ (ઓડિયો/વિડિયો પુરાવા), સોશિયલ મીડિયા પોસ્ટ્સ (જો અપમાન ઓનલાઈન થયું હોય તો).

4 / 8
લેન્ડમાર્ક જજમેન્ટ્સ:  સુબ્રમણ્યમ સ્વામી વિરુદ્ધ ભારત સંઘ (2016) – સુપ્રીમ કોર્ટ માન્યું કે, માનહાનિનો ગુનો (IPC 499/500) બંધારણની કલમ 19(2) હેઠળ યોગ્ય પ્રતિબંધ છે. અર્થ - કોઈ પણ વ્યક્તિ જવાબદારી વિના એવું કંઈ કહી શકે નહીં જે બીજાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે. મહેન્દ્ર રામ વિરુદ્ધ હરનંદન પ્રસાદ (1958) – પટના હાઈકોર્ટ કે કહ્યું કે, "માનહાનિકારક શબ્દો" બોલાયા હતા પરંતુ સાક્ષીઓ કે પુરાવા વિના ફરિયાદ રદ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, ફક્ત આરોપો જ નહીં પુરાવા પણ જરૂરી છે. એસ. ખુશ્બૂ વિ કન્નિયમ (2010) - સુપ્રીમ કોર્ટે કહ્યું કે, "માત્ર અસંમતિ અથવા અભદ્ર શબ્દો" સીધા ફોજદારી ગુનો નથી બનતા સિવાય કે ખરેખર બદનક્ષી અથવા શાંતિ ભંગ થવાની સંભાવના હોય. એટલે કે, 'કૂતરો' કહેવાનો કેસ ફક્ત ત્યારે જ ઊભો થશે જો તે સ્પષ્ટપણે સાબિત થઈ શકે કે તે માન ગુમાવે છે અથવા શાંતિનો ભંગ કરે છે.

લેન્ડમાર્ક જજમેન્ટ્સ: સુબ્રમણ્યમ સ્વામી વિરુદ્ધ ભારત સંઘ (2016) – સુપ્રીમ કોર્ટ માન્યું કે, માનહાનિનો ગુનો (IPC 499/500) બંધારણની કલમ 19(2) હેઠળ યોગ્ય પ્રતિબંધ છે. અર્થ - કોઈ પણ વ્યક્તિ જવાબદારી વિના એવું કંઈ કહી શકે નહીં જે બીજાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે. મહેન્દ્ર રામ વિરુદ્ધ હરનંદન પ્રસાદ (1958) – પટના હાઈકોર્ટ કે કહ્યું કે, "માનહાનિકારક શબ્દો" બોલાયા હતા પરંતુ સાક્ષીઓ કે પુરાવા વિના ફરિયાદ રદ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, ફક્ત આરોપો જ નહીં પુરાવા પણ જરૂરી છે. એસ. ખુશ્બૂ વિ કન્નિયમ (2010) - સુપ્રીમ કોર્ટે કહ્યું કે, "માત્ર અસંમતિ અથવા અભદ્ર શબ્દો" સીધા ફોજદારી ગુનો નથી બનતા સિવાય કે ખરેખર બદનક્ષી અથવા શાંતિ ભંગ થવાની સંભાવના હોય. એટલે કે, 'કૂતરો' કહેવાનો કેસ ફક્ત ત્યારે જ ઊભો થશે જો તે સ્પષ્ટપણે સાબિત થઈ શકે કે તે માન ગુમાવે છે અથવા શાંતિનો ભંગ કરે છે.

5 / 8
કોર્ટ કેસનો પ્રકાર: ફોજદારી કેસ: IPC 499, 500, 504, 294 હેઠળ. માનહાનિ માટે સિવિલ દાવો: વળતર (Compensation) માટે સિવિલ કોર્ટમાં દાવો પણ દાખલ કરી શકાય છે.

કોર્ટ કેસનો પ્રકાર: ફોજદારી કેસ: IPC 499, 500, 504, 294 હેઠળ. માનહાનિ માટે સિવિલ દાવો: વળતર (Compensation) માટે સિવિલ કોર્ટમાં દાવો પણ દાખલ કરી શકાય છે.

6 / 8
જો કોઈ 'કૂતરો' અથવા તો તેના જેવા અપમાનજનક શબ્દો કહે તો આ અપમાન છે અને માનહાનિનો ગુનો બની શકે છે. જરુરી શરતો એ છે કે, અપમાન કરવાનો ઈરાદો હોવો જોઈએ, પ્રતિષ્ઠાને નુકસાન થવું જોઈએ અને પુરાવા હોવા જોઈએ. કલમો: IPC 499, 500, 504, 294 હેઠળ કેસ કરી શકાય છે. આ માટે 2-3 વર્ષની કેદ, દંડ અથવા બંને થઈ શકે છે. કેસ ફાઇલિંગ એટલે કે ક્રિમિનલ કમ્પ્લેન્ટ પોલીસ FIR અથવા સીધી મેજિસ્ટ્રેટને અરજી કરી શકો છો.

જો કોઈ 'કૂતરો' અથવા તો તેના જેવા અપમાનજનક શબ્દો કહે તો આ અપમાન છે અને માનહાનિનો ગુનો બની શકે છે. જરુરી શરતો એ છે કે, અપમાન કરવાનો ઈરાદો હોવો જોઈએ, પ્રતિષ્ઠાને નુકસાન થવું જોઈએ અને પુરાવા હોવા જોઈએ. કલમો: IPC 499, 500, 504, 294 હેઠળ કેસ કરી શકાય છે. આ માટે 2-3 વર્ષની કેદ, દંડ અથવા બંને થઈ શકે છે. કેસ ફાઇલિંગ એટલે કે ક્રિમિનલ કમ્પ્લેન્ટ પોલીસ FIR અથવા સીધી મેજિસ્ટ્રેટને અરજી કરી શકો છો.

7 / 8
કાનુની રીતે જો અપમાન જાહેરમાં થયું હોય જેમ કે, દા.ત. ઓફિસ, શેરી, સોશિયલ મીડિયા તો કેસ મજબૂત રહેશે. પરંતુ જો તે ખાનગીમાં થયું હોય અને કોઈ સાક્ષી ન હોય, તો કેસ નબળો બની શકે છે. તો પણ તમે કેસ ફાઈલ કરી શકો છો.(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)

કાનુની રીતે જો અપમાન જાહેરમાં થયું હોય જેમ કે, દા.ત. ઓફિસ, શેરી, સોશિયલ મીડિયા તો કેસ મજબૂત રહેશે. પરંતુ જો તે ખાનગીમાં થયું હોય અને કોઈ સાક્ષી ન હોય, તો કેસ નબળો બની શકે છે. તો પણ તમે કેસ ફાઈલ કરી શકો છો.(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)

8 / 8

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

Follow Us:
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
સાયબર કૌભાંડમાં MLA કાંધલ જાડેજાની કાકી હિરલાબાની ધરપકડ
સાયબર કૌભાંડમાં MLA કાંધલ જાડેજાની કાકી હિરલાબાની ધરપકડ
બનાસકાંઠાના પાંજરાપોળમાં એક બાદ એક 36 ગાયના મોતથી ચકચાર
બનાસકાંઠાના પાંજરાપોળમાં એક બાદ એક 36 ગાયના મોતથી ચકચાર
સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય ગાજવીજ સાથે ત્રાટકી શકે છે વરસાદ
સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય ગાજવીજ સાથે ત્રાટકી શકે છે વરસાદ
માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ
માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ
Morbi : બંધુનગર વિસ્તારની એક દુકાનમાંથી ઝડપાયો ગાંજો ! એકની ધરપકડ
Morbi : બંધુનગર વિસ્તારની એક દુકાનમાંથી ઝડપાયો ગાંજો ! એકની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">