AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes માં રોજ ‘જાંબુ’ ખાવાથી શરીરમાં શું બદલાવ આવે છે? સુગરના દર્દીઓએ ખાસ જાણવું જોઈએ

આજના સમયમાં ડાયાબિટીસ એક સામાન્ય બીમારી બની ગઈ છે, જે યુવાનોને પણ પોતાની ઝપેટમાં લઈ રહી છે. આવા સમયમાં બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખવા માટે યોગ્ય ખાન-પાન ખૂબ જ જરૂરી છે. એવામાં ડાયાબિટીસના દર્દીઓ માટે 'જાંબુ' કોઈ વરદાનથી ઓછા નથી.

| Updated on: Jun 05, 2026 | 8:25 PM
Share
ડાયાબિટીસ એક ખૂબ જ કોમન બીમારી છે. આજના સમયમાં યુવાનો પણ આ બીમારીની ઝપેટમાં આવી રહ્યા છે. આવા સમયમાં બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખવા માટે સુગરના દર્દીઓ પોતાના ખાન-પાનનું ખાસ ધ્યાન રાખે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે 'જાંબુ' ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે 'જાંબુ' કોઈ વરદાનથી ઓછું નથી. જો ડાયાબિટીસનો દર્દી દરરોજ યોગ્ય માત્રામાં જાંબુ ખાય, તો તેમના શરીરમાં ઘણા સકારાત્મક ફેરફારો જોવા મળી શકે છે.

ડાયાબિટીસ એક ખૂબ જ કોમન બીમારી છે. આજના સમયમાં યુવાનો પણ આ બીમારીની ઝપેટમાં આવી રહ્યા છે. આવા સમયમાં બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખવા માટે સુગરના દર્દીઓ પોતાના ખાન-પાનનું ખાસ ધ્યાન રાખે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે 'જાંબુ' ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે 'જાંબુ' કોઈ વરદાનથી ઓછું નથી. જો ડાયાબિટીસનો દર્દી દરરોજ યોગ્ય માત્રામાં જાંબુ ખાય, તો તેમના શરીરમાં ઘણા સકારાત્મક ફેરફારો જોવા મળી શકે છે.

1 / 5
જાંબુનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઘણો ઓછો હોય છે. આનો અર્થ એ છે કે, તેને ખાવાથી લોહીમાં ગ્લુકોઝનું લેવલ અચાનક વધતું નથી. આ સિવાય, જાંબુમાં જમ્બોલિન અને જમ્બોસિન નામના તત્વો જોવા મળે છે. આ તત્વો શરીરમાં સ્ટાર્ચને સુગરમાં બદલવાની પ્રક્રિયાને ધીમી કરી દે છે, જેનાથી ફાસ્ટિંગ (ભૂખ્યા પેટે) અને જમ્યા પછીનું સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

જાંબુનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઘણો ઓછો હોય છે. આનો અર્થ એ છે કે, તેને ખાવાથી લોહીમાં ગ્લુકોઝનું લેવલ અચાનક વધતું નથી. આ સિવાય, જાંબુમાં જમ્બોલિન અને જમ્બોસિન નામના તત્વો જોવા મળે છે. આ તત્વો શરીરમાં સ્ટાર્ચને સુગરમાં બદલવાની પ્રક્રિયાને ધીમી કરી દે છે, જેનાથી ફાસ્ટિંગ (ભૂખ્યા પેટે) અને જમ્યા પછીનું સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

2 / 5
દરરોજ જાંબુ ખાવાથી શરીરમાં ઇન્સ્યુલિનનું લેવલ વધે છે. તે પેન્ક્રિયાઝ (સ્વાદુપિંડ) ને સક્રિય કરે છે, જેનાથી ઇન્સ્યુલિનનું યોગ્ય માત્રામાં ઉત્પાદન થાય છે અને સેલ્સ (કોષો) ગ્લુકોઝને વધુ સારી રીતે શોષી શકે છે. ડાયાબિટીસના દર્દીઓને ઘણીવાર ખૂબ વધારે તરસ લાગવાની અને વારંવાર યુરિન (પેશાબ) આવવાની સમસ્યા હોય છે. આયુર્વેદ અનુસાર, જાંબુમાં રહેલા એન્ટી-ડાયાબિટીક ગુણ તેને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

દરરોજ જાંબુ ખાવાથી શરીરમાં ઇન્સ્યુલિનનું લેવલ વધે છે. તે પેન્ક્રિયાઝ (સ્વાદુપિંડ) ને સક્રિય કરે છે, જેનાથી ઇન્સ્યુલિનનું યોગ્ય માત્રામાં ઉત્પાદન થાય છે અને સેલ્સ (કોષો) ગ્લુકોઝને વધુ સારી રીતે શોષી શકે છે. ડાયાબિટીસના દર્દીઓને ઘણીવાર ખૂબ વધારે તરસ લાગવાની અને વારંવાર યુરિન (પેશાબ) આવવાની સમસ્યા હોય છે. આયુર્વેદ અનુસાર, જાંબુમાં રહેલા એન્ટી-ડાયાબિટીક ગુણ તેને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

3 / 5
જાંબુમાં પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે, જે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવામાં મદદરૂપ છે અને હૃદયની બીમારીઓના જોખમને ઓછું કરે છે. જાંબુમાં કેલરીની માત્રા ખૂબ ઓછી હોય છે અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, જેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.

જાંબુમાં પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે, જે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવામાં મદદરૂપ છે અને હૃદયની બીમારીઓના જોખમને ઓછું કરે છે. જાંબુમાં કેલરીની માત્રા ખૂબ ઓછી હોય છે અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, જેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.

4 / 5
ડાયાબિટીસના દર્દીઓ એક દિવસમાં 80 થી 100 ગ્રામ જાંબુનું સેવન કરી શકે છે. આ વાતનું ધ્યાન રાખો કે, જાંબુ ખાધા પછી તેના ઠળિયાને ફેંકી ન દો. તેને સૂકવીને તેનો પાવડર બનાવો અને સવારે ખાલી પેટે નવશેકા પાણી સાથે લો. આનાથી સુગર લેવલ કંટ્રોલમાં રહેશે.

ડાયાબિટીસના દર્દીઓ એક દિવસમાં 80 થી 100 ગ્રામ જાંબુનું સેવન કરી શકે છે. આ વાતનું ધ્યાન રાખો કે, જાંબુ ખાધા પછી તેના ઠળિયાને ફેંકી ન દો. તેને સૂકવીને તેનો પાવડર બનાવો અને સવારે ખાલી પેટે નવશેકા પાણી સાથે લો. આનાથી સુગર લેવલ કંટ્રોલમાં રહેશે.

5 / 5
ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપવામાં આવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતી માટે જ છે. સ્વાસ્થ્ય સંબંધિત અથવા તમારા ડાયટ (આહાર) માં કોઈપણ પ્રકારનો ફેરફાર કરતા પહેલા અથવા કોઈપણ બીમારી સંબંધિત કોઈ ઉપાય કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસ લો.

તમે ઈલાયચીવાળું દૂધ પીઓ છો કે નહીં ? મોઢાના ચાંદાથી લઈને બ્લડ પ્રેશર સુધી… જાણો શરીરને સ્વસ્થ રાખવા સુધીના ‘અદ્ભુત ફાયદા’

Follow Us
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ
g clip-path="url(#clip0_868_265)">