કાનુની સવાલ : શું ટ્રાફિક પોલીસે તમારું વાહન ટો કર્યું છે? તેને પાછું મેળવવાની કાનૂની રીત જાણો
હંમેશા એવું થાય છે કે, નો પાર્કિંગ ઝોનમાં જો 5 થી 10 મિનિટ બાઈક રાખી અને સામાન લેવા જઈએ છીએ. પરંતુ જ્યારે પાછા આવીએ છીએ. ત્યારે બાઈક જોવા મળતી નથી. એક સમયે ચોરી થવાનો ડર લાગે છે. ત્યારબાદ સામે આવી કે, ગાડી ટ્રાફિક પોલીસે ટો કર્યું છે.

શું ટ્રાફિક પોલીસે તમારું વાહન ટો કર્યું છે? .આ માટે ટ્રાફિક પોલીસના કેટલાક નક્કી કરેલા કાનુન અને નિયમો તેમજ પ્રકિયાઓ હોય છે. થોડી ધીરજ રાખીને અને યોગ્ય કાનૂની પગલાં લઈને, તમે કોઈપણ મુશ્કેલી વિના તમારું વાહન પાછું મેળવી શકો છો.

ગાડી ટો થયા બાદ શું કરવું. સૌથી પહેલા એ જુઓ કે, જ્યાં ગાડી રાખી હતી. ત્યાં રસ્તા પર આજુ-બાજુ નો પાર્કિંગનું કોઈ બોર્ડ તો લાગ્યું નથી ને. ટ્રાફિક પોલીસ હંમેશા ગાડી ઉઠાવ્યા પછી રસ્તા પર કાંઈ લખ્યું નથી. તો તરત રાજ્યના ટ્રાફિક પોલીસ હેલ્પલાઈન નંબર પર ફોન કરી તમારી ગાડીની જાણકારી મેળવો.

આસપાસ રહેલા કોઈ ટ્રાફિક પોલીસ અથવા દુકાનદારને પુછો કે, ગાડી કઈ ક્રેન દ્વારા લઈ જવામાં આવી છે. ગાડી છુડાવવા માટે ક્યા ડોક્યુમેન્ટ જરુરી છે. ગાડી છુડાવનાર ડ્રાઇવર પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું આવશ્યક છે.ડિજિલોકરમાં સંગ્રહિત મૂળ વાહન નોંધણી પ્રમાણપત્ર અથવા ડિજિટલ આરસી. માન્ય વાહન વીમા ડોક્યુમેન્ટની સાથે રાખો અથવા તમારા ફોનમાં ડિજિટલ નકલ બતાવો.માન્ય પીયુસી પ્રમાણપત્ર પણ હાજર હોવું આવશ્યક છે, અન્યથા અલગ ચલણ જાહેર કરવામાં આવી શકે છે.

મોટરવ્હીકલ એક્ટ હેઠળ નો પાર્કિંગમાં પહેલી વખત ગાડી પાર્ક કરવા પર સામાન્ય રીતે 500 રુપિયાનો દંડ ફટકારવામાં આવે છે. કેટલાક શહેરમાં આ દંડ 1000 પણ થઈ શકે છે. ગાડી ઉઠાવ્યા બાદ 200 થી 500 રુપિયા સુધીનો ક્રેન ચાર્જ અલગથી લેવામાં આવે છે. ટુ વ્હીલર અને ફોર વ્હીલરનો ચાર્જ અલગ અલગ હોય છે.

તમે કાર્ડ/UPI નો ઉપયોગ કરીને POS મશીનનો ઉપયોગ કરીને સ્થળ પર ટ્રાફિક અધિકારીને દંડ ચૂકવી શકો છો, અથવા તમે ટ્રાફિક પોલીસની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ઈ-ચલણ ફાઇલ કરી શકો છો.ચુકવણી કર્યા પછી, દંડ અને ક્રેન ફી માટે સત્તાવાર રસીદ મેળવવી જરુરી છે.

જો તમારા વાહનને ટો દરમિયાન નુકસાન થાય તો શું કરવું?ટ્રાફિક પોલીસને કાયદાકીય રીતે નુકસાન ટાળવા માટે ક્રેન પર વાહનો કાળજીપૂર્વક લોડ કરવાની જરૂર છે.ટ્રાફિક યાર્ડમાંથી વાહન ઉપાડતી વખતે, તેના બમ્પર, બોડી, સાઇડ મિરર અને લોકનું સંપૂર્ણ નિરીક્ષણ કરો.

જો તમારા વાહનને ટો દરમિયાન નુકસાન થાય છે અથવા મોટો સ્ક્રેચ આવે છે, તો તમે તાત્કાલિક યાર્ડ ઇન્ચાર્જને લેખિત ફરિયાદ નોંધાવી શકો છો.તમે બેદરકારી અને નુકસાન માટે ક્રેન એજન્સી સામે વળતર માટે ટ્રાફિક પોલીસ અથવા ગ્રાહક કોર્ટના ઉચ્ચ અધિકારીઓને પણ અરજી દાખલ કરી શકો છો.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
