કાનુની સવાલ : શું રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ વંદે માતરમનું અપમાન કર્યું હતું? રાષ્ટ્રગીતનું અપમાન કરવા બદલ શું સજા છે?
15 ઓગસ્ટ 2026ના નવી દિલ્લી સ્થિત કોંગ્રેસ મુખ્યાલયમાં વંદે માતરમ ગાતી વખતે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના કથિત વર્તન અંગે વિવાદ ઉભો થયો છે. દિલ્હી પોલીસે ફરિયાદની તપાસ શરૂ કરી છે.

વંદેમાતરમને લઈ રાજકારણમાં વિવાદ હવે કાનુની સવાલ બદલાયો છે. 15 ઓગ્સ્ટના એઆઈસીસી મુખ્યાલયમાં આયોજિત સ્વતંત્રતા દિવસ કાર્યક્રમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવ્યા પછી આરોપ લાગ્યો કે, સોનિયા ગાંધીએ વંદે માતરમના ગીતને રોકવાનો સંકેત આપ્યો અને રાહુલ ગાંધી તે દરમિયાન હાજર હતા.

ફરિયાદના આધાર પર દિલ્લી પોલીસે તપાસ શરુ કરી હતી. જાણકારી મુજબ હાલ એ કહેવું યોગ્ય નથી કે, રાહુલ ગાંધી કે સોનિયા ગાંધીએ કાનુન હેઠળ વંદે માતરમનો અપમાન કર્યું છે. તપાસ બાદ નક્કી થશે.

15 ઓગસ્ટ, 2026ના રોજ કોંગ્રેસ મુખ્યાલયમાં વંદે માતરમના સંપૂર્ણ સંસ્કરણના ગાન દરમિયાન સોનિયા ગાંધી મલ્લિકાર્જુન ખડગે સાથે વાત કરતા અને તેમની સાથે હાવભાવ કરતા જોવા મળતા એક વીડિયો સામે આવ્યો હતો.

ભાજપે આરોપ લગાવ્યો હતો કે સોનિયા ગાંધીએ વંદે માતરમના ગાનમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસે આ આરોપને નકારી કાઢતા કહ્યું હતું કે સોનિયા ગાંધી ફક્ત ખડગે માટે ખુરશીની વિનંતી કરી રહ્યા હતા, જે લાંબા સમયથી ઉભા હતા.

નવા કાયદામાં વંદે માતરમ વિશે શું કહેવામાં આવ્યું છે? Prevention of Insults to National Honour (Amendment) Bill, 2026 પસાર કર્યું, જે 11 ઓગસ્ટ, 2026 ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સંમતિ પછી કાયદો બન્યો. તેનો ઉદ્દેશ્ય 1971 ના કાયદામાં સુધારો કરવાનો અને રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ' ને રાષ્ટ્રગીત જેવા જ કાનૂની રક્ષણ હેઠળ લાવવાનો છે.

આનો અર્થ એ છે કે 2026 ના સુધારા રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ અધિનિયમ, 1971 ની કલમ 3 ના અવકાશને વિસ્તૃત કરે છે જેથી રાષ્ટ્રગીત વંદે માતરમનો સમાવેશ થાય.

પહેલા 1971ના કાયદાની કલમ 3માં કોઈપણ વ્યક્તિ માટે રાષ્ટ્રગીત ગાવામાં ઇરાદાપૂર્વક અટકાવવા અથવા વિક્ષેપ પાડવાને ગુનો બનાવવામાં આવ્યો હતો. સજા ત્રણ વર્ષ સુધીની જેલ, દંડ, અથવા બંને છે. સુધારા બાદ, આ જોગવાઈ વંદે માતરમ સુધી પણ લંબાવવામાં આવી છે. આનો અર્થ એ છે કે ,વંદે માતરમ ગાવામાં ઇરાદાપૂર્વક અટકાવવા અથવા વિક્ષેપ પાડવો એ ગુનો છે.

શક્ય સજા શું છે? પહેલા ગુના માટે મહત્તમ ત્રણ વર્ષની જેલ, દંડ, અથવા બંને. બીજા અને ત્યારબાદ દોષિત ઠેરવવા માટે ઓછામાં ઓછી એક વર્ષની જેલની જોગવાઈ છે. જો કે, એક મહત્વપૂર્ણ કાનૂની ભેદ એ છે કે કાયદો ઇરાદાપૂર્વક અવરોધ અથવા વિક્ષેપને લક્ષ્ય બનાવે છે.

આનો અર્થ એ નથી કે જે કોઈ વંદે માતરમ ગાવાનો ઇનકાર કરે છે તે આપમેળે ત્રણ વર્ષની સજાનો દોષી બને છે. ગુના માટે કાયદામાં વર્ણવેલ કૃત્ય અને ઇરાદા સાબિત કરવાની જરૂર છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
