AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : રખડતા કૂતરાઓને ખવડાવવા વિશે સુપ્રીમ કોર્ટે કહ્યું, જો તમારે સેવા કરવી હોય તો તમારા ઘરમાં કરો

રખડતાં કૂતરાઓને ખવડાવવાને લઈ દાખલ કરેલી અરજી પર સુનાવણી કરી હતી.બેન્ચે કહ્યું કે, તમે તેમને તમારા ઘરે કેમ ખવડાવતા નથી? તમને કોઈ રોકી રહ્યું નથી. કોઈ મનાઈ કરી રહ્યું નથી, લોકો આ કૂતરાઓને તેમના ઘરે ખવડાવી શકે છે

| Updated on: Jul 20, 2025 | 7:20 AM
Share
સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશના નોઈડામાં રખડતા કૂતરાઓને રસ્તા પર ખવડાવવાને લઈ  દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરી હતી. કોર્ટે અરજદારને કહ્યું કે, જો તે કૂતરાઓની સેવા કરવા માંગે છે, તો તેણે તેમના ઘરમાં તેમના માટે શેલ્ટર બનાવવું જોઈએ અને ત્યાં તેમને ખવડાવવું જોઈએ. કોર્ટે કહ્યું કે તમે તેમને તમારા ઘરમાં કેમ નથી ખવડાવતા?

સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશના નોઈડામાં રખડતા કૂતરાઓને રસ્તા પર ખવડાવવાને લઈ દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરી હતી. કોર્ટે અરજદારને કહ્યું કે, જો તે કૂતરાઓની સેવા કરવા માંગે છે, તો તેણે તેમના ઘરમાં તેમના માટે શેલ્ટર બનાવવું જોઈએ અને ત્યાં તેમને ખવડાવવું જોઈએ. કોર્ટે કહ્યું કે તમે તેમને તમારા ઘરમાં કેમ નથી ખવડાવતા?

1 / 9
અરજદારે જણાવ્યું હતું કે, નોઈડામાં રખડતા કૂતરાઓને ખવડાવવા બદલ તેમને હેરાન કરવામાં આવી રહ્યા હતા.જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે અરજદારને પૂછ્યું કે, તે પોતાના ઘરે જાનવરોને કેમ ખવડાવી શકતો નથી. બેન્ચે કહ્યું કે, તમે તેમને તમારા ઘરે કેમ ખવડાવતા નથી? તમને કોઈ રોકી રહ્યું નથી. કોઈ મનાઈ કરી રહ્યું નથી, લોકો આ કૂતરાઓને તેમના ઘરે ખવડાવી શકે છે.

અરજદારે જણાવ્યું હતું કે, નોઈડામાં રખડતા કૂતરાઓને ખવડાવવા બદલ તેમને હેરાન કરવામાં આવી રહ્યા હતા.જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે અરજદારને પૂછ્યું કે, તે પોતાના ઘરે જાનવરોને કેમ ખવડાવી શકતો નથી. બેન્ચે કહ્યું કે, તમે તેમને તમારા ઘરે કેમ ખવડાવતા નથી? તમને કોઈ રોકી રહ્યું નથી. કોઈ મનાઈ કરી રહ્યું નથી, લોકો આ કૂતરાઓને તેમના ઘરે ખવડાવી શકે છે.

2 / 9
સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, શું આપણે આ ઉદાર લોકો માટે દરેક શેરી, દરેક રસ્તો ખુલ્લો છોડી દેવો જોઈએ? કોર્ટે કહ્યું કે આ પ્રાણીઓ માટે પૂરતી જગ્યા છે પણ માણસો માટે કોઈ જગ્યા નથી. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે અલ્હાબાદ હાઈકોર્ટના માર્ચ 2025ના આદેશને પડકારતી અરજીની સુનાવણી કરતી વખતે આ ટિપ્પણી કરી હતી.

સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, શું આપણે આ ઉદાર લોકો માટે દરેક શેરી, દરેક રસ્તો ખુલ્લો છોડી દેવો જોઈએ? કોર્ટે કહ્યું કે આ પ્રાણીઓ માટે પૂરતી જગ્યા છે પણ માણસો માટે કોઈ જગ્યા નથી. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે અલ્હાબાદ હાઈકોર્ટના માર્ચ 2025ના આદેશને પડકારતી અરજીની સુનાવણી કરતી વખતે આ ટિપ્પણી કરી હતી.

3 / 9
અરજદારના વકીલે જણાવ્યું હતું કે, વહીવટીતંત્ર તેમના ક્લાયન્ટને નિયમો મુજબ કૂતરાઓને ખવડાવવામાં અવરોધ ઉભો કરી રહ્યું છે. અરજદારે આરોપ લગાવ્યો હતો કે તેમને પશુ જન્મ નિયંત્રણ (ABC) નિયમો, 2023 મુજબ સમુદાયના કૂતરાઓને ખવડાવવા બદલ હેરાન કરવામાં આવી રહ્યા છે.

અરજદારના વકીલે જણાવ્યું હતું કે, વહીવટીતંત્ર તેમના ક્લાયન્ટને નિયમો મુજબ કૂતરાઓને ખવડાવવામાં અવરોધ ઉભો કરી રહ્યું છે. અરજદારે આરોપ લગાવ્યો હતો કે તેમને પશુ જન્મ નિયંત્રણ (ABC) નિયમો, 2023 મુજબ સમુદાયના કૂતરાઓને ખવડાવવા બદલ હેરાન કરવામાં આવી રહ્યા છે.

4 / 9
અરજદારના વકીલે દલીલ કરી હતી કે તેમના ક્લાયન્ટ પશુ જન્મ નિયંત્રણ નિયમો, 2023નું પાલન કરી રહ્યા છે. નિયમ 20 મુજબ, સ્થાનિક રહેવાસીઓના સંગઠન અથવા નગરપાલિકાની જવાબદારી છે કે તેઓ સમુદાયના જાનવરો માટે ખોરાકનું સ્થળ નક્કી કરે.

અરજદારના વકીલે દલીલ કરી હતી કે તેમના ક્લાયન્ટ પશુ જન્મ નિયંત્રણ નિયમો, 2023નું પાલન કરી રહ્યા છે. નિયમ 20 મુજબ, સ્થાનિક રહેવાસીઓના સંગઠન અથવા નગરપાલિકાની જવાબદારી છે કે તેઓ સમુદાયના જાનવરો માટે ખોરાકનું સ્થળ નક્કી કરે.

5 / 9
વકીલે કહ્યું કે નોઇડા ઓથોરિટી આવું કરી રહી નથી, જ્યારે ગ્રેટર નોઇડામાં આવું થઈ રહ્યું છે. મતલબ કે, નિયમ મુજબ, કૂતરાઓને ખોરાક આપવાનું સ્થળ નક્કી કરવાનું કામ સરકારનું છે, પરંતુ નોઇડામાં આવું થઈ રહ્યું નથી.

વકીલે કહ્યું કે નોઇડા ઓથોરિટી આવું કરી રહી નથી, જ્યારે ગ્રેટર નોઇડામાં આવું થઈ રહ્યું છે. મતલબ કે, નિયમ મુજબ, કૂતરાઓને ખોરાક આપવાનું સ્થળ નક્કી કરવાનું કામ સરકારનું છે, પરંતુ નોઇડામાં આવું થઈ રહ્યું નથી.

6 / 9
જસ્ટિસ નાથે અરજીકર્તાના વકીલને પુછ્યું કે, તમે તમારા ઘરે કેમ ખવડાવતા નથી? કોર્ટે કહ્યું જો સેવા કરવી છે, તો તમારા ઘરે કરો, તમને કોઈ નહી રોકે, બેન્ચે કહ્યું અમે તમને સલાહ આપીએ છીએ કે, તમે ઘરના ડોગ શેલ્ટર બનાવી લો.તમારા વિસ્તારના દરેક કૂતરાઓને ત્યાં જ ખવડાવો. કોર્ટે પૂછ્યું કે શું રસ્તાઓ પર માણસો માટે જગ્યા ફક્ત એટલા માટે ઓછી કરવી જોઈએ કારણ કે કેટલાક લોકો પ્રાણીઓને ખવડાવવા માંગે છે?

જસ્ટિસ નાથે અરજીકર્તાના વકીલને પુછ્યું કે, તમે તમારા ઘરે કેમ ખવડાવતા નથી? કોર્ટે કહ્યું જો સેવા કરવી છે, તો તમારા ઘરે કરો, તમને કોઈ નહી રોકે, બેન્ચે કહ્યું અમે તમને સલાહ આપીએ છીએ કે, તમે ઘરના ડોગ શેલ્ટર બનાવી લો.તમારા વિસ્તારના દરેક કૂતરાઓને ત્યાં જ ખવડાવો. કોર્ટે પૂછ્યું કે શું રસ્તાઓ પર માણસો માટે જગ્યા ફક્ત એટલા માટે ઓછી કરવી જોઈએ કારણ કે કેટલાક લોકો પ્રાણીઓને ખવડાવવા માંગે છે?

7 / 9
 જજે સવાલ કર્યો કે, શું તમે સવારે સાઈકલ ચલાવવા જાવ છો આવું કરતા જુઓ શું થાય છે. અરજીકર્તાવકીલે કહ્યું કે, તે સવારે વોકિંગ માટે જાય છે અને દરરોજ કૂતરાઓનો સામનો કરે છે. જવાબમાં પીઠે કહ્યું કે, સવારે વોકિગ કરતા લોકોને પણ ખતરો રહે છે. સાઈકલ ચલાવનાર અને બાઈક પર જતા લોકોને વધારે ખતરો રહે છે.

જજે સવાલ કર્યો કે, શું તમે સવારે સાઈકલ ચલાવવા જાવ છો આવું કરતા જુઓ શું થાય છે. અરજીકર્તાવકીલે કહ્યું કે, તે સવારે વોકિંગ માટે જાય છે અને દરરોજ કૂતરાઓનો સામનો કરે છે. જવાબમાં પીઠે કહ્યું કે, સવારે વોકિગ કરતા લોકોને પણ ખતરો રહે છે. સાઈકલ ચલાવનાર અને બાઈક પર જતા લોકોને વધારે ખતરો રહે છે.

8 / 9
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic ,canva)

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic ,canva)

9 / 9

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">