કાનુની સવાલ : શું Separation માટે કોર્ટમાં જવું જરૂરી છે ? જાણો શું કહે છે કાયદો
કાનુની સવાલ: ના, Separation માટે કોર્ટમાં જવું જરૂરી નથી. Separation અને Divorce બે અલગ-અલગ ચીજ છે અને તેમનો કાનૂની દ્રષ્ટિકોણ પણ અલગ છે. જાણો Separation માં શું હોય છે પ્રક્રિયા.

Separation એટલે શું?: Separationનો અર્થ એ છે કે પતિ અને પત્ની સાથે રહેતા નથી, પરંતુ તેઓ કાયદેસર રીતે છૂટાછેડા લીધેલા નથી. તેઓ હજુ પણ પતિ અને પત્ની માનવામાં આવે છે.

Separationના પ્રકાર: Mutual Separation (પોતાની સહમતીથી છુટા પડવું) - પતિ-પત્ની પરસ્પર સંમતિથી અલગ રહે છે. આ માટે કોઈ કાનૂની ડોક્યુમેન્ટ્સ કે કોર્ટની જરૂર નથી. પરંતુ પછીથી તેને સાબિત કરવું મુશ્કેલ બની શકે છે, ખાસ કરીને કાનૂની વિવાદોમાં.

Legal Separation (કાનૂની અલગતા) : કોર્ટમાં અરજી કરીને અલગ થવાની કાનૂની પરવાનગી મેળવવામાં આવે છે. આ પ્રક્રિયામાં પતિ-પત્ની હજુ પણ પરિણીત રહે છે, પરંતુ તેમને અલગ રહેવાની કાનૂની પરવાનગી મળે છે. ભારતમાં આ પ્રક્રિયા ખૂબ સામાન્ય નથી, પરંતુ હિન્દુ લગ્ન કાયદાની કલમ 10 હેઠળ કરી શકાય છે.

એવી સ્થિતિ ઉભી થાય તે ખાલી અલગ રહેવા જ માગતા હોય તો કોર્ટ જવાની જરુર નથી. પરસ્પર સંમતિ થી સમજદારીથી અલગ રહી શકે છે. Alimony, Maintenance અને Child Custody જોતી હોય તો કોર્ટ જવું જરુરી છે. Legal separationના ડોક્યુમેન્ટ્સ જોતા હોય તો કોર્ટની જરુર પડે છે. છેલ્લે જો સાવ અલગ જ રહેવું હોય તો એટલે કે ડિવોર્સ જ જોતા હોય તો કોર્ટ જવું જરુરી બને છે.

Legal Separation કેમ લેવામાં આવે છે? : જ્યારે કોઈ વ્યક્તિ ડિવોર્સ લેવા માંગતી નથી પણ સાથે રહેવા પણ માંગતી નથી. બાળકો અથવા મિલકત અંગે સ્પષ્ટ કરાર જરૂરી છે. સામાજિક/ધાર્મિક કારણોસર છૂટાછેડા લેવા માંગતા નથી, પરંતુ લગ્નજીવન ચાલુ રાખવા માંગતા નથી. ત્યારે Legal Separation લેવા જરુરી છે.

જો તમે ફક્ત અલગ રહેવા માંગતા હો તો કોર્ટમાં જવાની કોઈ જરૂર નથી. જો તમે ઇચ્છો છો કે તમારું અલગ થવું કાયદેસર રીતે માન્ય રહે, તો તમે કાનૂની અલગતા માટે કોર્ટમાં અરજી કરી શકો છો. જો મિલકત, બાળકો અથવા ખર્ચ અંગે વિવાદ હોય તો કોર્ટ અંતિમ ઉકેલ આપે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
