Stock Market : ઈરાન-ઈઝરાયેલ વોર વચ્ચે પણ કમાણીનો ‘મોકો’, પ્રતિ શેર ₹800 કમાવવાની આ તક ચૂકતા નહીં
વૈશ્વિક સ્તરે ચાલી રહેલી અનિશ્ચિતતા અને સ્થાનિક બજારમાં ઘટાડા વચ્ચે આ શેરને લઈને બ્રોકરેજ ફર્મ્સ ખૂબ જ સકારાત્મક વલણ દાખવી રહી છે.

આજે 04 માર્ચના રોજ હોળીના પવિત્ર તહેવાર પર શેરબજારમાં ભલે ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના વાદળો ઘેરાયેલા હોય પરંતુ આ શેરમાં 'તેજીનો ગુલાલ' જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બ્રોકરેજ ફર્મ્સ મુજબ, વૈશ્વિક સ્તરે ચાલી રહેલી અનિશ્ચિતતા અને સ્થાનિક બજારમાં ઘટાડા વચ્ચે પણ આ સ્ટોક રોકાણકારોને માલામાલ કરી શકે છે.

ગ્લોબલ બ્રોકરેજ Nomura અને ડોમેસ્ટિક બ્રોકરેજ Motilal Oswal જેવા મોટા નામો આ યાદીમાં જોડાયેલા છે. તેમનું માનવું છે કે, કંપનીની પાયાની સ્થિતિ (Fundamentals) મજબૂત છે અને લાંબાગાળે આ વ્યવસાય શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે.

સ્થાનિક બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે આ શેર પર પોતાનું સકારાત્મક વલણ જાળવી રાખ્યું છે. ફર્મે આ શેર પર 'બાયિંગ' (Buying) રેટિંગ આપ્યું છે અને ₹2,355 નું લક્ષ્ય (Target Price) નક્કી કરેલ છે. આ ટાર્ગેટ હાલના ₹1,905 ના ભાવથી લગભગ 25 ટકાની સંભવિત તેજી તરફ ઈશારો કરે છે.

બ્રોકરેજનું અનુમાન છે કે, નાણાકીય વર્ષ 2027 સુધીમાં કંપનીનું નેટ વેચાણ ₹2.418 લાખ કરોડ સુધી પહોંચી શકે છે. આ સાથે જ, EBITDA માર્જિન 54.9 ટકા સુધી જવાની શક્યતા દર્શાવવામાં આવી છે, જે કંપનીની કામગીરીમાં મજબૂતીનો સંકેત આપે છે.

વૈશ્વિક બ્રોકરેજ Nomura એ પણ આ ટેલિકોમના શેર પર સકારાત્મક વલણ અપનાવીને ખરીદીની સલાહ આપી છે. ફર્મે શેર માટે ₹2,300 નો ટાર્ગેટ પ્રાઈસ નક્કી કરેલ છે, જે વર્તમાન સ્તરથી આશરે 23 ટકાના વધારાની સંભાવના દર્શાવે છે.

બીજી તરફ, JM Financial પણ કંપનીને લઈને પોઝિટિવ છે. આ બ્રોકરેજ ફર્મે ₹2,455 નું લક્ષ્ય આપ્યું છે, જે હાલના ભાવથી લગભગ 31 ટકાની તેજીની શક્યતા દર્શાવે છે.

હોળીના દિવસે, 4 માર્ચના રોજ Bharti Airtel કંપનીના શેરમાં હળવી તેજી જોવા મળી હતી. કંપનીનો શેર 1.75% ના વધારા સાથે ₹1905.90 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

આ ચાર્ટ અનુસાર, 31 વિશ્લેષકોએ ભારતી એરટેલના શેર માટે આગામી એક વર્ષનું અનુમાન રજૂ કર્યું છે. હાલમાં આ શેરનો ભાવ ₹1,905.90 છે. નિષ્ણાતોના મતે, આ શેર સરેરાશ ₹2,374.90 ના ભાવ સુધી પહોંચી શકે છે, જે 24.61% નો ઉછાળો સૂચવે છે. વિશ્લેષકોએ શેરનો મહત્તમ ટાર્ગેટ ₹2,750 (+44.29%) અને લઘુત્તમ ટાર્ગેટ ₹1,710 (-10.28%) રહેવાની શક્યતા દર્શાવી છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
Stock Market : દલાલ સ્ટ્રીટમાં મોટો ખેલ ! પડતા બજારમાં પણ આ 10 શેર્સે રોકાણકારોને કરાવ્યો ‘જોરદાર નફો’
