AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોલિવુડ કલાકારોનું ઈરાન સાથે ‘ખાસ કનેક્શન’! ભારતીય સિનેમામાં રાજ કરતા આ ચહેરાઓ અસલમાં ક્યાંના છે?

ભારતીય ફિલ્મ ઉદ્યોગ હંમેશાથી વિવિધતાનો સંગમ રહ્યો છે, જ્યાં વિશ્વના ખૂણેખૂણેથી આવેલા કલાકારોએ પોતાની પ્રતિભાના જોરે સ્થાન બનાવ્યું છે. એવામાં બોલિવુડના આ જાણીતા ચહેરાઓનું ઈરાન સાથે 'ખાસ કનેક્શન' છે.

| Updated on: Mar 04, 2026 | 7:41 PM
Share
મુમતાઝ (Mumtaz): બોલિવુડની સુપ્રસિદ્ધ અભિનેત્રી મુમતાઝના માતા-પિતા મૂળ ઈરાનના વતની છે. મુમતાઝે પોતાની કારકિર્દી દરમિયાન હિન્દી સિનેમામાં અનેક સુપરહિટ ફિલ્મો આપીને પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે.

મુમતાઝ (Mumtaz): બોલિવુડની સુપ્રસિદ્ધ અભિનેત્રી મુમતાઝના માતા-પિતા મૂળ ઈરાનના વતની છે. મુમતાઝે પોતાની કારકિર્દી દરમિયાન હિન્દી સિનેમામાં અનેક સુપરહિટ ફિલ્મો આપીને પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે.

1 / 6
બોમન ઈરાની (Boman Irani): જાણીતા બોલિવુડ અભિનેતા બોમન ઈરાનીનો પરિવાર પણ મૂળભૂત રીતે ઈરાન સાથે સંબંધ ધરાવે છે. જો કે, અભિનેતાનો ઉછેર અને જીવન મુંબઈમાં વીત્યું છે અને તેમણે ફિલ્મ ઉદ્યોગમાં પોતાના શાનદાર અભિનયથી જબરદસ્ત સફળતા મેળવી છે.

બોમન ઈરાની (Boman Irani): જાણીતા બોલિવુડ અભિનેતા બોમન ઈરાનીનો પરિવાર પણ મૂળભૂત રીતે ઈરાન સાથે સંબંધ ધરાવે છે. જો કે, અભિનેતાનો ઉછેર અને જીવન મુંબઈમાં વીત્યું છે અને તેમણે ફિલ્મ ઉદ્યોગમાં પોતાના શાનદાર અભિનયથી જબરદસ્ત સફળતા મેળવી છે.

2 / 6
જોન અબ્રાહમ (John Abraham): બોલિવુડના મશહૂર અભિનેતા જોન અબ્રાહમ પણ ઈરાન સાથે ખાસ સંબંધ ધરાવે છે. તેમના પિતા મલયાલી ખ્રિસ્તી છે, જ્યારે તેમની માતા ઈરાની મૂળના છે.

જોન અબ્રાહમ (John Abraham): બોલિવુડના મશહૂર અભિનેતા જોન અબ્રાહમ પણ ઈરાન સાથે ખાસ સંબંધ ધરાવે છે. તેમના પિતા મલયાલી ખ્રિસ્તી છે, જ્યારે તેમની માતા ઈરાની મૂળના છે.

3 / 6
સજ્જાદ ડેલાફ્રૂઝ (Sajjad Delafrooz): ફિલ્મ 'ટાઈગર ઝિંદા હૈ' માં નેગેટિવ ભૂમિકા ભજવનાર અભિનેતા સજ્જાદ ડેલાફ્રૂઝ અસલમાં ઈરાનના રહેવાસી છે. તેઓ હાલમાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન જમાવવા માટે સતત પ્રયત્નશીલ છે.

સજ્જાદ ડેલાફ્રૂઝ (Sajjad Delafrooz): ફિલ્મ 'ટાઈગર ઝિંદા હૈ' માં નેગેટિવ ભૂમિકા ભજવનાર અભિનેતા સજ્જાદ ડેલાફ્રૂઝ અસલમાં ઈરાનના રહેવાસી છે. તેઓ હાલમાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન જમાવવા માટે સતત પ્રયત્નશીલ છે.

4 / 6
એલનાઝ નૌરોજી (Elnaaz Norouzi): 'સેક્રેડ ગેમ્સ' સહિત અનેક વેબ સિરીઝ અને બોલિવુડ પ્રોજેક્ટ્સમાં જોવા મળેલી અભિનેત્રી એલનાઝ નૌરોજી એક ઈરાની-જર્મન મોડલ છે. તેણે ભારતીય મનોરંજન જગતમાં પોતાની સુંદરતા અને અભિનયથી ઓળખ બનાવી છે.

એલનાઝ નૌરોજી (Elnaaz Norouzi): 'સેક્રેડ ગેમ્સ' સહિત અનેક વેબ સિરીઝ અને બોલિવુડ પ્રોજેક્ટ્સમાં જોવા મળેલી અભિનેત્રી એલનાઝ નૌરોજી એક ઈરાની-જર્મન મોડલ છે. તેણે ભારતીય મનોરંજન જગતમાં પોતાની સુંદરતા અને અભિનયથી ઓળખ બનાવી છે.

5 / 6
મંદાના કરીમી (Mandana Karimi): મંદાના કરીમીનો જન્મ ઈરાનના તેહરાનમાં થયો હતો. તેણે 'બિગ બોસ' સહિત ઘણી બોલિવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. જો કે, તાજેતરમાં તેણે ઈરાન પરત જવાની ઈચ્છા વ્યક્ત કરી અને એવું નિવેદન આપ્યું કે, તેને ભારતમાં પોતાની સુરક્ષાને લઈને ડર લાગે છે.

મંદાના કરીમી (Mandana Karimi): મંદાના કરીમીનો જન્મ ઈરાનના તેહરાનમાં થયો હતો. તેણે 'બિગ બોસ' સહિત ઘણી બોલિવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. જો કે, તાજેતરમાં તેણે ઈરાન પરત જવાની ઈચ્છા વ્યક્ત કરી અને એવું નિવેદન આપ્યું કે, તેને ભારતમાં પોતાની સુરક્ષાને લઈને ડર લાગે છે.

6 / 6

6 બહેનો અને 1 ભાઈ પતિ છે અભિનેતા, એક દીકરાની માતા કેટરિના કૈફનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

અમદાવાદમાં ધુળેટીની ઉજવણી માતમમાં ફેરવાઇ
અમદાવાદમાં ધુળેટીની ઉજવણી માતમમાં ફેરવાઇ
ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
g clip-path="url(#clip0_868_265)">