Iran Israel War Breaking: યુદ્ધના નિયમો શું છે? જાણો કયા સ્થળોએ હુમલો કરવો ગુનો માનવામાં આવે છે, જાણો
યુદ્ધ કરવા માટેના પણ કેટલાક નિયમો છે. આ નિયમો 1949 માં જીનીવામાં ઘડવામાં આવ્યા હતા. તેમાં 161 નિયમો છે, જેમાં ક્યાં હુમલો કરવો અને ક્યાં નહીં, તેના વિશે આજે આપણે વાત કરીએ.

ઈઝરાયલ અને અમેરિકાએ 28 ફેબ્રુઆરી 2026ના રોજ ઈરાન પર હુમલો કરવાનું શરુ કર્યું હતુ. આ યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે. તો આપણે જાણીશું કે, યુદ્ધના નિયમો શું હોય છે. કઈ જગ્યાએ હુમલો કરવો ગુનો માનવામાં આવે છે.

યુદ્ધ લડવાના પોતાના નિયમો હોય છે. આજે આપણે યુદ્ધના નિયમો વિશે વાત કરીશું. આ યુદ્ધ નિયમો મુજબ લડવાનું હોય છે અને જીતવાનું જો કોઈએ આ નિયમ તોડ્યો તો તેને યુદ્ધનો ગુનો કહેવામાં આવે છે.

બીજું વિશ્વયુદ્ધ 1939 થી 1945 સુધી ચાલ્યું. તેણે ભારે વિનાશ વેર્યો, 5.5 કરોડથી વધુ લોકો માર્યા ગયા. આ પહેલી વાર અણુ બોમ્બનો ઉપયોગ પણ થયો હતો. બીજા વિશ્વ યુદ્ધ જેવી તબાહી ફરી ન થાય તેમજ આ યુદ્ધને રોકવા માટે તમામ નેતા 1949માં સ્વિઝરલેન્ડની રાજધાની જેનેવામાં એકઠા થયા હતા. અહી સાથે બની કેટલાક દેશોએ નિયમ બનાવ્યા હતા.

કેટલાક યુદ્ધના નિયમો હતા. તેઓ નક્કી કરતા હતા કે યુદ્ધ કેવી રીતે લડવું. યુદ્ધમાં કોના પર હુમલો કરવો અને કોના પર નહીં? કોને નિશાન બનાવી શકાય છે અને કોને નહીં? કયા શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવશે?

જીનીવા સંમેલનો દરમિયાન સ્થાપિત યુદ્ધ સંબંધિત નિયમોને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદો કહેવામાં આવતું હતું. જેમાં કુલ 161 નિયમો છે. આ તમામ 196 દેશોએ માન્યતા આપી છે. યુદ્ધ દરમિયાન આ નિયમનું પાલન કરવું જરુરી બને છે.

નિયમોમાં સ્પષ્ટ લખ્યું છે કે, યુદ્ધ દરમિાન નાગરિકોને નિશાને બનાવી શકાતા નથી. રહેઠાણ વિસ્તાર, ઈમારતો,સ્કુલ, કોલેજ તેમજ ઘરને નિશાને બનાવી શકાય નહી.

તેમજ શેલ્ટરમાં પણ હુમલો કરી શકાય નહી. ઘાયલ સૈનિકો અને નાગરિકોને તાત્કાલિક તબીબી સહાય મળવી જોઈએ. તબીબી કર્મચારીઓ, હોસ્પિટલો અને એમ્બ્યુલન્સનું રક્ષણ કરવું જોઈએ.

જ્યા લોકોની ભીડ હોય ત્યાં હુમલો કરાશે નહીલાખો લોકોની ભીડ પર હુમલો કરી શકતો નથી.જે ઘાયલ સૈનિકો છે. તેના પર હુમલો કરી શકાતો નથી, કેમિકલ હથિયારનો ઉયયોગ કરવામાં આવતો નથી. મહિલા અને બાળકો પર હુમલો કરી શકાતો નથી.

હુમલા પહેલા ચેતાવણી આપવી જરુરી છે. ચેતવણી આપ્યા વગર કોઈ દેશ બીજા દેશ પર યુદ્ધ કરી શકતું નથી.યુદ્ધ દરમિયાન લશ્કરી થાણાઓને નિશાન બનાવવું ખોટું નથી. જો કોઈ દુશ્મન સૈનિક યુદ્ધ દરમિયાન આત્મસમર્પણ કરે છે, તો તેની સાથે ક્રૂર વર્તન ન કરવું જોઈએ અને તેને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવી જોઈએ. (all photo : PTI)
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલ છોડ્યા અને મધ્ય પૂર્વમાં અમેરિકન લશ્કરી થાણાઓ પર પણ હુમલો કર્યો અહી ક્લિક કરો
