કાનુની સવાલ : ઇન્ટરનેટ પર ખોટી પોસ્ટ તમને જેલમાં ધકેલી શકે છે, સાયબર ક્રાઇમ સંબંધિત કલમ જાણી લો
ઈન્ટરનેટ મીડિયા વિચારોની અભિવ્યક્તિનું સશક્ત માધ્યમ છે પરંતુ આજકાલ કેટલાક લોકો અનેક અફવાઓ ફેલાવે છે. જેનાથી કેટલીક વખત સમાજમાં નફરત અને હિંસાનો માહૌલ બની જાય છે.

એ વાત સાચી છે કે ઇન્ટરનેટ આજે લોકો માટે વરદાન છે, છતાં કેટલાક લોકો નફરત ફેલાવતી અને અપમાનજનક પોસ્ટ્સ પોસ્ટ કરીને નકારાત્મક સામાજિક વાતાવરણ બનાવી રહ્યા છે. ક્યારેક, નિર્દોષ લોકો પણ જાણી જોઈને કે અજાણતાં સાયબર ગુના ગણાતી પ્રવૃત્તિઓમાં સામેલ થઈ જાય છે.

કેટલાક લોકો સોશિયલ મીડિયા પર ખોટી વાતો પણ ફેલાવતા હોય છે. જે ઇન્ટરનેટ મીડિયાના દુરુપયોગનું સ્પષ્ટ ઉદાહરણ છે.સાયબર ગુનાના વધતા જતા બનાવોના પ્રતિભાવમાં, ભારતે 2000 માં માહિતી ટેકનોલોજી કાયદો પસાર કર્યો, અને 2008 અને 2009 માં જરૂરિયાત મુજબ તેમાં સુધારો કરવામાં આવ્યો.

આ કાયદો ઇન્ટરનેટનો ઉપયોગ કરીને કરવામાં આવતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને આવરી લે છે. સાયબર ગુનાને રોકવા માટે, માહિતી ટેકનોલોજી કાયદો નીચેના ગુનાઓ માટે કાયદાની વિવિધ કલમો હેઠળ સજાની જોગવાઈ કરે છે.

કલમ 66: કમ્પ્યુટર સંસાધનો અને ડેટા સાથે છેડછાડ કરવા અથવા નાશ કરવા બદલ સજા, કલમ 66A: ઇન્ટરનેટ પર પ્રતિબંધિત અથવા ભડકાઉ નિવેદનો અથવા માહિતી મોકલવા બદલ કાર્યવાહી.

કલમ 66B: ચોરાયેલી માહિતી અથવા કમ્પ્યુટર સાધનો રાખવા બદલ સજા, કલમ 66C: કોઈની ડિજિટલ ઓળખ ચોરી કરવા બદલ સજા, કલમ 66D: કોઈની ઓળખ છુપાવીને તેના વ્યક્તિગત ડેટા સાથે છેડછાડ કરવા અથવા છેતરપિંડી કરવા બદલ કાર્યવાહી.

કલમ 66E: વ્યક્તિની ગોપનીયતાનું ઉલ્લંઘન કરવા બદલ સજા, કલમ 66F: ઇન્ટરનેટ દ્વારા સાયબર આતંકવાદ ફેલાવવા બદલ કડક સજા,કલમ 67: ઇન્ટરનેટ પર વાંધાજનક માહિતી પ્રકાશિત કરવા અથવા મોકલવા બદલ કાર્યવાહી અને સજા.

આઈટી એક્ટની કલમ 67 શું છે? આઈટી એક્ટની કલમ 67 અંતર્ગત કોમ્પ્યુટર અથવા મોબાઈલ જેવા કોઈ ઈલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા ઈન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મ પર સામુદાયિક નફરતોથી ભરેલા તથ્થો મોકલવામાં આવે છે. તો આવું કરનાર વ્યક્તિ વિરુદ્ધ કાનુની કાર્યવાહી કરવામાં આવી શકે છે. આના હેઠળ જો કોઈ દોષી સાબિત થાય. તો તેને 3 વર્ષની સજા અથવા 5 લાખ રુપિયા સુધીનો દંડ આપવો પડે છે. જો કોઈ આવો ગુનો ફરી કરે છે કે, તો 5 વર્ષની સજા અને 10 લાખ રુપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે. આટલું જ નહી ગુનાની ગંભીરતા અનુસાર મામુલી સજાથી લઈ આજીવન કેદ સુધીની હોય છે.

સરકારે ઇન્ટરનેટ મીડિયાના દુરુપયોગને રોકવા માટે અનેક જરૂરી પગલાં લીધાં છે. ફેક સમાચાર ફેલાવતા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. જોકે, દેશમાં સાયબર ક્રાઇમના ઝડપથી વધારાને રોકવા માટે, સામાન્ય લોકોને પણ જાગૃત રહેવાની જરૂર છે. તો જ કાયદાના પ્રયાસો સફળ થશે

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
