AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : સાસુ-સસરાના ભરણપોષણ માટે પુત્રવધુ બંધાયેલી નથી ,અલ્હાબાદ HC

વૃદ્ધ દંપતીએ ઓગસ્ટ 2025માં આગ્રા ફેમિલી કોર્ટ દ્વારા પસાર કરાયેલા આદેશને પડકારતા હાઇકોર્ટમાં અરજી કરી હતી, જેમાં BNSSની કલમ 144 હેઠળ ભરણપોષણની માંગણી કરતી તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી.

| Updated on: Mar 31, 2026 | 7:11 AM
Share
 અલ્હાબાદ હાઈકોર્ટે એક મહત્વના નિર્ણયમાં કહ્યું કે,સીઆરપીસીની કલમ 125 જે હવે ભારતીય ન્યાય સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 144 છે. જેના હેઠળ એક વહુ પોતાના સાસુ-સસરાના ભરણપોષણ કરવા માટે કાનુની રુપથી બંધાયેલી નથી. કોર્ટે એ પણ કહ્યું કે, સ્વર્ગીય દીકરાના સંપત્તિના ઉત્તરાધિકાર સાથે સંબંધિત દલીલ ભરણ પોષણ કાર્યવાહીમાં વિચારના દાયરામાં આવતી નથી.

અલ્હાબાદ હાઈકોર્ટે એક મહત્વના નિર્ણયમાં કહ્યું કે,સીઆરપીસીની કલમ 125 જે હવે ભારતીય ન્યાય સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 144 છે. જેના હેઠળ એક વહુ પોતાના સાસુ-સસરાના ભરણપોષણ કરવા માટે કાનુની રુપથી બંધાયેલી નથી. કોર્ટે એ પણ કહ્યું કે, સ્વર્ગીય દીકરાના સંપત્તિના ઉત્તરાધિકાર સાથે સંબંધિત દલીલ ભરણ પોષણ કાર્યવાહીમાં વિચારના દાયરામાં આવતી નથી.

1 / 7
તાજેતરના આદેશમાં જસ્ટિસ મદન પાલ સિંહે સુનાવણી દરમિયાન દાવો કર્યો હતો કે, ભરણપોષણનો દાવો કરવાનો અધિકાર એક વૈધાનિક અધિકાર છે અને તે ફક્ત તે વ્યક્તિઓની શ્રેણીઓ સુધી મર્યાદિત છે જેનો ખાસ ઉલ્લેખ કલમમાં કરવામાં આવ્યો છે. તેમજ સાસુ-સસરા આ દાયરામાં આવતા નથી.

તાજેતરના આદેશમાં જસ્ટિસ મદન પાલ સિંહે સુનાવણી દરમિયાન દાવો કર્યો હતો કે, ભરણપોષણનો દાવો કરવાનો અધિકાર એક વૈધાનિક અધિકાર છે અને તે ફક્ત તે વ્યક્તિઓની શ્રેણીઓ સુધી મર્યાદિત છે જેનો ખાસ ઉલ્લેખ કલમમાં કરવામાં આવ્યો છે. તેમજ સાસુ-સસરા આ દાયરામાં આવતા નથી.

2 / 7
કોર્ટે એમ પણ કહ્યું કે, નૈતિક જવાબદારી, ભલે તે ગમે તેટલી અનિવાર્ય લાગે, કાયદાકીય આદેશની ગેરહાજરીમાં તેને કાનૂની જવાબદારી તરીકે લાગુ કરી શકાતી નથી.

કોર્ટે એમ પણ કહ્યું કે, નૈતિક જવાબદારી, ભલે તે ગમે તેટલી અનિવાર્ય લાગે, કાયદાકીય આદેશની ગેરહાજરીમાં તેને કાનૂની જવાબદારી તરીકે લાગુ કરી શકાતી નથી.

3 / 7
એક વૃદ્ધ દંપતી દ્વારા તેમની પુત્રવધૂ સામે દાખલ કરાયેલી સુધારણા અરજીને ફગાવી દેતા, હાઇકોર્ટે કહ્યું, "વિધાયિકા, તેનાવિકાસ મુજબ, સંબંધિત જોગવાઈઓના દાયરામાં સાસરિયાઓનો સમાવેશ કર્યો નથી.

એક વૃદ્ધ દંપતી દ્વારા તેમની પુત્રવધૂ સામે દાખલ કરાયેલી સુધારણા અરજીને ફગાવી દેતા, હાઇકોર્ટે કહ્યું, "વિધાયિકા, તેનાવિકાસ મુજબ, સંબંધિત જોગવાઈઓના દાયરામાં સાસરિયાઓનો સમાવેશ કર્યો નથી.

4 / 7
વૃદ્ધ દંપતીએ ઓગસ્ટ 2025માં આગ્રા ફેમિલી કોર્ટ દ્વારા પસાર કરાયેલા આદેશને પડકારતા હાઇકોર્ટમાં અરજી કરી હતી, જેમાં ભારતીય દંડ સંહિતા (BNSS)ની કલમ 144 હેઠળ ભરણપોષણની માંગણી કરતી તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી. દંપતીએ દલીલ કરી હતી કે, તેઓ વૃદ્ધ, અભણ, ગરીબ અને તેમના પુત્ર જીવિત છે ત્યાં સુધી તેના પર સંપૂર્ણપણે નિર્ભર છે.

વૃદ્ધ દંપતીએ ઓગસ્ટ 2025માં આગ્રા ફેમિલી કોર્ટ દ્વારા પસાર કરાયેલા આદેશને પડકારતા હાઇકોર્ટમાં અરજી કરી હતી, જેમાં ભારતીય દંડ સંહિતા (BNSS)ની કલમ 144 હેઠળ ભરણપોષણની માંગણી કરતી તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી. દંપતીએ દલીલ કરી હતી કે, તેઓ વૃદ્ધ, અભણ, ગરીબ અને તેમના પુત્ર જીવિત છે ત્યાં સુધી તેના પર સંપૂર્ણપણે નિર્ભર છે.

5 / 7
 તેમણે એ પણ કહ્યું કે, તેની વહુ ઉત્તરપ્રદેશ પોલીસમાં કોન્સેટબલ તરીકે કાર્યરત છે.તેણી પાસે પૂરતી સ્વતંત્ર આવક છે, ઉપરાંત તેના સ્વર્ગસ્થ પતિના બધી સેવા અને નિવૃત્તિ લાભો પણ મેળવે છે. તેમણે એવી પણ દલીલ કરી હતી કે પુત્રવધૂની તેના વૃદ્ધ સાસુ-સસરાને ટેકો આપવાની "નૈતિક જવાબદારી" ને કાનૂની જવાબદારી તરીકે માન્યતા આપવી જોઈએ.જોકે, કોર્ટે આ દલીલને ફગાવી દીધી હતી, અને નોંધ્યું હતું કે રેકોર્ડ પર એવું કંઈ નથી જે દર્શાવે છે કે પુત્રવધૂની પોલીસ નોકરી કરુણાના આધારે હતી. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે આવી સારાંશ ભરણપોષણ કાર્યવાહીમાં મૃતક પુત્રની મિલકતના વારસા અંગેની દલીલો ધ્યાનમાં લેવામાં આવી નથી.

તેમણે એ પણ કહ્યું કે, તેની વહુ ઉત્તરપ્રદેશ પોલીસમાં કોન્સેટબલ તરીકે કાર્યરત છે.તેણી પાસે પૂરતી સ્વતંત્ર આવક છે, ઉપરાંત તેના સ્વર્ગસ્થ પતિના બધી સેવા અને નિવૃત્તિ લાભો પણ મેળવે છે. તેમણે એવી પણ દલીલ કરી હતી કે પુત્રવધૂની તેના વૃદ્ધ સાસુ-સસરાને ટેકો આપવાની "નૈતિક જવાબદારી" ને કાનૂની જવાબદારી તરીકે માન્યતા આપવી જોઈએ.જોકે, કોર્ટે આ દલીલને ફગાવી દીધી હતી, અને નોંધ્યું હતું કે રેકોર્ડ પર એવું કંઈ નથી જે દર્શાવે છે કે પુત્રવધૂની પોલીસ નોકરી કરુણાના આધારે હતી. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે આવી સારાંશ ભરણપોષણ કાર્યવાહીમાં મૃતક પુત્રની મિલકતના વારસા અંગેની દલીલો ધ્યાનમાં લેવામાં આવી નથી.

6 / 7
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)

7 / 7

કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">