Income Tax: ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ કઈ અને કયા ટેક્સપેયર્સને ફાયદો થશે?
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે નાણાકીય વર્ષ 2025-26 માટે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખમાં ફેરફાર કર્યો છે. આ ફેરફારથી ટેક્સપેયર્સને હાશકારો મળ્યો છે. એવામાં ચાલો જાણીએ કે, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ કઈ છે અને કયા ટેક્સપેયર્સને ફાયદો થશે.

દર વર્ષે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હોય છે પરંતુ આ વખતે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે તેમાં સુધારો કર્યો છે. આ સુધારાની સીધી અસર ટેક્સપેયર્સને થવાની છે. જો કે, આમાં કરદાતાઓને જ લાભ થશે તેવી શક્યતા છે.

ITR-1, 2, 3 અને 4 ફોર્મ માટે એક્સેલ-યુટિલિટી ફોર્મમાં વિલંબ, રિપોર્ટિંગ પ્રોસેસમાં ફેરફાર, સિસ્ટમ અપગ્રેડ અને તકનીકી તૈયારીઓને કારણે ટેક્સ વિભાગે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી દીધી છે.

જણાવી દઈએ કે, ITR ફાઇલિંગની તારીખ આ વખતે 15 સપ્ટેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે. ઇન્કમ ટેક્સ વિભાગે થોડા અઠવાડિયા પહેલા ITR-2 અને ITR-3 માટે ટેક્સ યુટિલિટી જાહેર કરી હતી. જો કે, ITR-5, 6 અને 7 ફોર્મ માટે એક્સેલ-આધારિત યુટિલિટી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

આટલું જ નહીં, ITR-3 ફોર્મની ઓનલાઈન યુટિલિટી પણ હજુ સુધી ઉપલબ્ધ નથી. આ કારણે કરદાતાઓને રિટર્ન ફાઇલ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ફાઇનાન્શિયલ એક્સપ્રેસના અહેવાલ મુજબ, ટેકનિકલ મુશ્કેલીને કારણે ડિપાર્ટમેન્ટ આ સમયમર્યાદાને વધુ લંબાવી શકે છે.

કરદાતાઓ પાસે રિટર્ન ફાઇલ કરવા માટે હજુ પણ 50 દિવસથી વધુનો સમય બાકી છે. આ સમય દરમિયાન, તેમણે રિટર્ન ફાઇલ કરવાની સાથે તેનું વેરિફિકેશન પણ પૂર્ણ કરવું પડશે.

જો આ પ્રક્રિયા સમયસર પૂર્ણ નહીં થાય તો ટેક્સપેયર્સને દંડનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં, કરદાતાઓએ ITR જલ્દી ફાઇલ કરવું જોઈએ અને શક્ય હોય તેટલી વહેલી તકે તેનું વેરિફિકેશન કરી લેવું જોઈએ, જેથી તેમનું રિફંડ શક્ય તેટલું વહેલું આવી શકે.

તમને જણાવી દઈએ કે, ટેક્સ વિભાગ દ્વારા લંબાવવામાં આવેલી સમયમર્યાદાનો લાભ ખાસ કરીને પગારદાર લોકો અને હિન્દુ અવિભાજિત પરિવારો (HUF) ને મળશે, જેમના ખાતાઓનું ઓડિટ કરવાની જરૂર નથી.
શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
