મોદી સરકારનો મોટો એક્શન પ્લાન: અચાનક ક્રૂડ ઓઈલનો આટલો મોટો ભંડાર કેમ કરવામાં આવી રહ્યો છે ભેગો, જાણો શું છે માસ્ટરસ્ટ્રોક.
શું ભારત પર પેટ્રોલ-ડીઝલની અછતનું સંકટ તોળાઈ રહ્યું છે? રશિયા-યુક્રેન અને મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે મોદી સરકારે ભારતને મોંઘવારીથી બચાવવા એક મોટો માસ્ટરપ્લાન તૈયાર કર્યો છે.

દુનિયાભરમાં વધી રહેલા તણાવ અને યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે મોદી સરકાર ભારતની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા માટે એક અત્યંત મોટા અને મહત્વના પ્લાન પર કામ કરી રહી છે.

અહેવાલ મુજબ, સરકાર દેશમાં ઈમરજન્સી ઈંધણની ઉપલબ્ધતાને વર્તમાન 60 દિવસથી વધારીને સીધી 3 મહિના એટલે કે 90 દિવસ સુધી લઈ જવાની ગંભીર યોજના બનાવી રહી છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં રશિયા-યુક્રેન યુદ્ધ અને મિડલ ઈસ્ટ (પશ્ચિમ એશિયા) ના સૈન્ય તણાવને કારણે ગ્લોબલ સપ્લાય ચેઈન ખોરવાઈ છે, જેનાથી ભારત જેવા તેલ આયાત કરતા દેશો માટે મોટું જોખમ ઊભું થયું છે.

ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 89% ક્રૂડ ઓઈલ વિદેશોમાંથી મંગાવે છે. આ જ કારણે જો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેલના ભાવ વધે કે સપ્લાય અટકે, તો ભારતની અર્થવ્યવસ્થા સીધી પ્રભાવિત થાય છે.

નાણાકીય વર્ષ 2025-26માં ભારતે સોનું, તેલ અને ખાતરની આયાત પાછળ 240.7 અબજ ડોલર ખર્ચ્યા હતા, જેમાં સૌથી મોટો હિસ્સો ક્રૂડ ઓઈલનો હતો, જેનો આયાત બિલ જ માત્ર 134.7 અબજ ડોલર હતું.

આ યોજના અંતર્ગત દેશની જાણીતી સરકારી ઓઈલ કંપનીઓ જેવી કે IOC, BPCL અને HPCL ને તેમની કોમર્શિયલ ઈન્વેન્ટરી એટલે કે તેલનો સ્ટોક મોટા પાયે વધારવાનો આદેશ આપવામાં આવી શકે છે.

વર્તમાન સમયમાં ઈન્ડિયન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ લિમિટેડ (ISPRL) પાસે વિશાખાપટ્ટનમ, મંગલુરુ અને પાદુર ખાતે 5.33 મિલિયન મેટ્રિક ટન ક્ષમતાના વ્યૂહાત્મક તેલ ભંડાર ઓલરેડી ઉપલબ્ધ છે.

જો પાડોશી દેશ ચીનની વાત કરીએ તો તે પોતાની જરૂરિયાત મુજબ 6 મહિના (180 દિવસ) જેટલો વિશાળ તેલ ભંડાર અનામત રાખે છે, જેના કારણે કોઈપણ સપ્લાય કટોકટીમાં પણ ચીન સુરક્ષિત રહે છે. ભારત પણ હવે આ જ દિશામાં આગળ વધી રહ્યું છે.

જો ભવિષ્યમાં દરિયાઈ માર્ગો બ્લોક થઈ જાય અથવા વૈશ્વિક સંઘર્ષ વધે, તો આ મોટો તેલ ભંડાર ભારતને મોંઘવારી, ઈંધણના ભડકે બળતા ભાવ અને આયાત બિલના આંચકાથી બચાવવા માટે ઢાલ સાબિત થશે.

જો કે, સરકારે હજુ સુધી આ પ્લાનની સત્તાવાર સમયસીમા જાહેર કરી નથી. માર્કેટની સ્થિતિ, સંગ્રહ કરવાની ક્ષમતા અને આર્થિક બોજનો ઊંડો અભ્યાસ કર્યા બાદ જ આ પ્લાન પર અંતિમ મહોર મારવામાં આવશે.
ઊંઘમાં મોઢામાંથી લાળ કેમ પડે છે? જાણો આ સામાન્ય આદત છે કે કોઈ ગંભીર બીમારીનો સંકેત!, વાંચવા માટે અહીં ક્લિક કરો
