IND vs PAK war: ભારતે પાકિસ્તાનને આટલા દિવસમાં ચટાડી હતી ધૂળ, જાણો કયા કયા યુદ્ધમાં પાકિસ્તાન કેટલા દિવસમાં હાર્યું હતું
ભારત-પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં કુલ 4 યુદ્ધો થયા છે. તેમાં મુખ્ય મુદ્દો મોટાભાગે કાશ્મીર જ રહ્યો છે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ દેશભરમાં ગુસ્સો છે. પાકિસ્તાને સ્વીકાર્યું છે કે હવે ભારત તેને છોડશે નહીં અને ગમે ત્યારે તેના પર હુમલો કરી શકે છે. અહીં ભારતમાં પણ બેઠકો ચાલી રહી છે. ત્રણેય સેનાઓ તૈયારીઓમાં વ્યસ્ત છે. આ વખતે પણ મુદ્દો કાશ્મીર જ છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં કુલ 4 યુદ્ધો થયા છે. તેમાં મુખ્ય મુદ્દો મોટાભાગે કાશ્મીર જ રહ્યો છે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ દેશભરમાં ગુસ્સો છે. પાકિસ્તાને સ્વીકાર્યું છે કે હવે ભારત તેને છોડશે નહીં અને ગમે ત્યારે તેના પર હુમલો કરી શકે છે. અહીં ભારતમાં પણ બેઠકો ચાલી રહી છે. ત્રણેય સેનાઓ તૈયારીઓમાં વ્યસ્ત છે. આ વખતે પણ મુદ્દો કાશ્મીર જ છે.

પ્રથમ ભારત-પાકિસ્તાન યુદ્ધ વર્ષ 1947–1948 માં થયું હતું. આ યુદ્ધ 22 ઓક્ટોબર 1947 થી 1 જાન્યુઆરી 1949 સુધી ચાલ્યું હતું. કુલ દિવસો: લગભગ 1 વર્ષ 2 મહિના (436 દિવસ) આ યુદ્ધ જમ્મુ અને કાશ્મીરના વિવાદને લઈને થયું હતું. તેનું કારણ એ હતું કે જમ્મુ અને કાશ્મીરના રાજ્ય પર કબજો મેળવવા માટે થયું હતું. તેનું પરિણામ એ આવ્યું હતું કે યુએન દ્વારા સીઝફાયર અને કાશ્મીરનું વિભાજન થયું હતું.

વર્ષ 1965માં બીજું ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું હતું. તેનો સમયગાળો 5 ઓગસ્ટ 1965થી 23 સપ્ટેમ્બર 1965 સુધી (લગભગ 50 દિવસ) સુધી આ યુદ્ધ ચાલ્યું હતું. તેનું કારણ ઓપરેશન જિબ્રાલ્ટર દ્વારા પાકિસ્તાનની ઘૂસણખોરી કરી હતી તેથી થયું હતું. તેનું પરિણામ એ આવ્યું કે યુએન સીઝફાયર અને તાશકંદ કરાર થયા હતા. આ યુદ્ધ કાશ્મીરના મુદ્દાને લઈને થયું હતું.

વર્ષ 1971માં ત્રીજું ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું હતું. તેમનો સમયગાળો 3 ડિસેમ્બર 1971થી 16 ડિસેમ્બર 1971 સુધી (13 દિવસ) ચાલ્યું હતું. તેનું મુખ્ય કારણ એ હતું કે પૂર્વ પાકિસ્તાનમાં બંગાળી મુક્તિ આંદોલનને ભારતનો ટેકો મળ્યો હતો. પરિણામ: પૂર્વ પાકિસ્તાનના સ્વતંત્ર બંગલાદેશ તરીકે રચના થઈ હતી. તેમનો સમયગાળો 3 ડિસેમ્બર 1971થી 16 ડિસેમ્બર 1971 સુધી એટલે કે 13 દિવસ સુધી ચાલ્યું હતું. આ યુદ્ધ બંગલાદેશની મુક્તિ માટે થયું હતું.

1999 કારગિલ યુદ્ધ થયું હતું. તે 3 મે 1999 થી 26 જુલાઈ 1999 સુધી (લગભગ 2.5 મહિના) ચાલ્યું હતું. તેનું કારણ પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓ દ્વારા કારગિલ સેક્ટરમાં ઘૂસણખોરી કરી હતી. તેનું પરિણામ એ આવ્યું કે, ભારત દ્વારા તમામ ઘૂસણખોરીઓને પાછા હટાવવામાં આવ્યા હતા. લગભગ 2 મહિના 3 અઠવાડિયા અને 2 દિવસ (85 દિવસ) સુધી આ યુદ્ધ ચાલ્યું હતું. તેની વિશેષતા આ યુદ્ધ કારગિલ વિસ્તારમાં પાકિસ્તાની ઘૂસણખોરીને લઈને થયું હતું. સૌથી લાંબું યુદ્ધ પ્રથમ કાશ્મીર યુદ્ધ (લગભગ 14 મહિના) હતું અને સૌથી ટૂંકું યુદ્ધ 1971નું યુદ્ધ હતું. (ALL IMAGE SYMBOLIC)
આર્થિક રીતે તુટી પડેલા અને વૈશ્વિકસ્તરે આતંકની ફેકટરી ગણાતા પાકિસ્તાનને લગતા અનેક નાના મોટા મહત્વના સમાચાર અંગે આપ અમારા ટોપિક પર ક્લિક કરો.






































































